Bhavnagar Morning News

Bhavnagar Morning News //હમેશા સત્ય ની સાથે// ભાવનગર મોરનિગ ન્ય

ચેતવણી- ઉપરના આર્ટિકલના તમામ પ્રસારણ અને માલિકી હક “પેજ એડમીન”ને છે.. તેથી આર્ટિકલ કે તેનો કોઈ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો બને છે.. જો ક્યાંય કોઈ એવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

તારીખ :- 14/10/2023ભારત અને પાકિસ્તાન ની મેચ  અહમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં રમાડવામાં આવી હતી. ભારત  ની જીત થઈ ...
15/10/2023

તારીખ :- 14/10/2023
ભારત અને પાકિસ્તાન ની મેચ અહમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં રમાડવામાં આવી હતી. ભારત ની જીત થઈ હતી ત્યારે રોહિત શર્મા તેની સદી પહેલા 14 રને આઉટ થઈ ગયો હતો, ત્યારે રોહિત શર્મા નિરાશ થયો હતો. ભારત ના લોકો નો અપાર પ્રેમ તેના પર વરશી રહીયો હતો.લોકો ના મુખે એક વાત ની ચર્ચા થઇ રહી હતી કે તેને તો એક સદી નહીં પણ 140 કરોડ ભારતીયોના દિલ જીતી લીધા છે. રિપોર્ટ :- ભાવનગર મોર્નિંગ ન્યુઝ.

14/10/2023

World Cup 2023 Live Score : PAK 157/3 (31) CRR: 5.5

શું લાગે છે પાકિસ્તાનનો કેટલો સ્કોર થશે?

13/10/2023

Gujrat માં દારૂ એટલું પકડાય છે જે દારૂ માં અડધું ગુજરાત ડૂબી જાય.

04/10/2023

યુવાનો માં હાર્ટ એટેક નું પ્રમાણ વધતું જાય છે. શુ કારણ હોય શકે? સરકાર વેકસીન બનાવી સકતી હોય તો શુ એનું કારણ ના જાણી શકે?

29/09/2023

કચ્છમાંથી ₹500 કરોડની કિંમતનો ગુજરાતનો સૌથી મોટો ડ્રગ્સ ઝડપાયો. કોણ જવાબદાર?

તારીખ :-28/09/2023              અપહરણ થાયેલ છે
28/09/2023

તારીખ :-28/09/2023

અપહરણ થાયેલ છે

28/09/2023

ભાવનગર ના તળાજા તાલુકા ના વાવડી ગામ નો પુલ તૂટી ગયે છે માત્ર 6 મહિના માં પુલ ની હાલત ખરાબ. લોકો નો આકારોષ દિવેસ દિવેસ ...

તારીખ :-28/09/2023ભાવનગર ના તળાજા તાલુકા ના વાવડી ગામ ( ફુલસર  ગામ ની બાજુમાં )નો એક પુલ તૂટતાં ગામ લોકોમાં ભારે અસંતોષ ...
28/09/2023

તારીખ :-28/09/2023
ભાવનગર ના તળાજા તાલુકા ના વાવડી ગામ ( ફુલસર ગામ ની બાજુમાં )નો એક પુલ તૂટતાં ગામ લોકોમાં ભારે અસંતોષ જોવા મળેલ છે. ગામ લોકો ના કહેવા મુજબ માત્ર 6 મહિના માં આ પુલ તૂટી ગયેલ છે. પહેલા વરસાદ માં આ પુલ તૂટી ગયો છે. સરકારી અધિકારી ઓ ના ભ્રસ્ટાચાર કરવા ની નીતિ ને લીધે આ પુલ તૂટી ગયેલ છે. વહેલી તકે આ પુલ રીપેર નહીં કરવા માં આવે તો ગાંધી ચીંધીયા માર્ગે આંદોલન કરવા માં આવશે. રિપોર્ટર :-ભાવનગર મોર્નિંગ ન્યુઝ.

તારીખ :- 26/9/2023 (ભરૂચ )ભરૂચ ના દાંડિયા બજાર ના પૂર ગ્રસ્ત વિસ્તારમાં ધારાસભ્ય ની હાજરી માં મંત્રીશ્રી ને ગાળો દેતા એક...
25/09/2023

તારીખ :- 26/9/2023 (ભરૂચ )
ભરૂચ ના દાંડિયા બજાર ના પૂર ગ્રસ્ત વિસ્તારમાં ધારાસભ્ય ની હાજરી માં મંત્રીશ્રી ને ગાળો દેતા એક વ્યક્તિ ની પોલિસ દ્વારા ધરપકડ
ભરૂચ ના દાંડિયા બજાર વિસ્તારમાં 3 દિવસ પહેલા પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ત્યાંના ધારાસભ્ય અને પોલીસ અધિકારીઓ મુલાકાતે આવેલા હતા. પુરુ ગ્રસ્ત લોકો રાજકારણીઓ પ્રત્યે ખૂબ જ રોસે ભરાયેલ હતા. એક વ્યક્તિએ પોલીસ અધિકારીઓ અને ધારાસભ્ય ની હાજરીમાં મુખ્યમંત્રીને ગાળો આપેલ. આ અંગે નો વિડીયો વાયરલ થતાં પોલીસ દ્વારા એ વ્યક્તિની ધરપકડ કરેલ. તે વ્યક્તિની સામે ઉશ્કેર ની જનક શબ્દોનો પ્રયોગ કરતા આ અંગેનો ગુનો લાગુ પડેલ. હાલની કારવાઈ પોલીસ દ્વારા ચાલુ થયેલ છે. રિપોર્ટર ભાવનગર મોર્નિંગ ન્યુઝ.

03/09/2023

મોરબી નગરપાલિકા ની માનનીય વડા પ્રધાનમંત્રી ની સફાઈ અભિયાન ની એસી તેસી કરતી મોરબી ની નગરપાલિકા ના અધિકારીઓ.
મોરબી ના બસ સ્ટેશન ની આજુબાજુ એટલી દુર્ગંધ મારે છે કી આવતા જતા મુસાફરો ની દુર્ગંધ થી માથું ફરી જાય. નગરપાલિકા ના અધિકારી ઓ અને બસ સ્ટેશન ના અધિકારી ની આંખ કયારે ઉઘડ શે. જોવો વીડિયો

સુરેન્દ્રનગરના પત્રકાર કિરીટભાઈ ખવડનો આજે જન્મદિવસ ઝાલાવાડ ની વાત ના તંત્રી શ્રી કિરીટભાઈ ખવડનો  આજે જન્મદિવસ છે .પત્રકા...
01/06/2022

સુરેન્દ્રનગરના પત્રકાર કિરીટભાઈ ખવડનો આજે જન્મદિવસ

ઝાલાવાડ ની વાત ના તંત્રી શ્રી કિરીટભાઈ ખવડનો આજે જન્મદિવસ છે .પત્રકાર ક્ષેત્ર માં નાની ઉંમરમાં મોટું નામ અને સાથે સેવા કાર્ય કરતા નીડર અને બાહોશ પત્રકાર નો જન્મદિવસ છે ત્યારે મિત્ર વર્તુળ સગા સંબધી રાજકીય અધિકારીઓ.મીડિયા કર્મીઓ તરફથી તંત્રી શ્રી કિરીટભાઈને જન્મદિવસની શુભકામનાઓનો ૯૪૨૭૧૧૧૧૧૭ પર મેહ વરસી રહ્યો છે ત્યારે જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે .

*વેલકમ, મિસ્ટર રાજૂ ભાર્ગવ*👨🏻‍✈️🧑‍✈️👩‍✈️👨🏻‍✈️🧑‍✈️*લેન્ડ માફિયાઓ અને બૂકીઓની નગરીમાં આપનું સ્વાગત છે!**રાજકોટનાં નવા પોલી...
28/05/2022

*વેલકમ, મિસ્ટર રાજૂ ભાર્ગવ*
👨🏻‍✈️🧑‍✈️👩‍✈️👨🏻‍✈️🧑‍✈️
*લેન્ડ માફિયાઓ અને બૂકીઓની નગરીમાં આપનું સ્વાગત છે!*

*રાજકોટનાં નવા પોલીસ કમિશનરને ખૂલ્લો પત્ર*

*અહીં વિસ્તાર દીઠ શેર-કોમોડિટીનાં પાંચ-દસ ડબ્બા ચાલે છે!*

*મિસ્ટર રાજૂ... રાજકોટમાં વિસ્તાર દીઠ બે-પાંચ બૂકીઓ છે અને તેનાં કરતાં પણ મોટી સંખ્યામાં જમીન કૌભાંડકારો!*

👩‍✈️👨🏻‍✈️🧑‍✈️👩‍✈️👨🏻‍✈️🧑‍✈️
*-કિન્નર આચાર્ય*
*"ખાસ ખબર"માં પ્રકાશિત*
👩‍✈️👨🏻‍✈️🧑‍✈️👩‍✈️👨🏻‍✈️🧑‍✈️

મારા મિત્ર અને જાણીતા પત્રકાર જ્વલંત છાયા અવાર નવાર એક ઉદાહરણ આપતા હોય છે, તેઓ કહે છે કે, ‘ગાંધીજીએ જેટલાં કૂકર્મો કર્યા એ બધાં જ રાજકોટની ધરતી પર કર્યા. તેમણે સૌપ્રથમ વખત બીડી રાજકોટમાં પીધી, સોનાંનું કડું ચોર્યું અને તેનો એક ટૂંકડો વેંચી નાખ્યો. અર્થાત, ચોરીની શરૂઆત પણ અહીંથી કરી. તેમનાં એક મુસ્લિમ દોસ્ત શેખ મહેતાબની સંગતથી માંસાહારનાં રવાડે ચડ્યાં અને વેશ્યાગમન પણ રાજકોટમાં જ કર્યું !’ જ્વલંત છાયાનું બારિક નિરીક્ષણ એકદમ સાચું છે. એ સમયે જો જમીન કૌભાંડો થતાં હોત અને ક્રિકેટ-ટેનિસ પર સટ્ટો રમાતો હોત તો ગાંધીજીએ એ પણ અવશ્ય કરી લીધું હોત.

રાજકોટનાં ડીએનએમાં કૌભાંડોની પ્રિન્ટ અંકિત થયેલી છે. અહીંની હવા મહાપુરુષોને પણ અવળે રવાડે ચડાવી શકે છે. અહીં ઉનાળામાં આકરો તાપ વરસે છે, ચોમાસામાં છેલ્લાં દસ વર્ષથી ધોધમાર વરસાદ વરસે છે, કાંતિ ઠંડીનાં પણ ત્રણ-ચાર માસ હોય છે. પરંતુ જમીન કૌભાંડો-લેન્ડસ્કેમ બારેમાસ વરસે છે. અહીં શેરી દીઠ બે-ચાર જુગારીઓ છે, યા તો કોમોડિટી - શેરબજારમાં રમે છે. અથવા ક્રિકેટ કે ફૂટબોલ કે પછી લૉન ટેનિસ. પીવાવાળાને જેમ પીવાનું બહાનું જોઇતું હોય તેમ રમવાવાળાને પણ રમવાનું બહારનું ખપે. લૉન ટેનિસમાં બૅક હેન્ડ કે ફોર હૅન્ડનો ફર્ક નહીં જાણતા અને સેટ-ગેમ વચ્ચેનો ભેદ નહીં જાણતા લોકો પણ તેમાં આઇ.ડી. મારફત દાવ લગાવે છે.

ટૂંકમાં આપને જો ખરેખર આ શહેરમાં પરિવર્તન આણવું હશે તો અહીં તમને ક્ષણની પણ ફૂરસત નહીં મળે. હા! આત્મસંતોષ ચોક્કસ મળશે. લટકામાં રાજકોટવાસીઓની દૂઆ પણ મળશે. રાજકોટમાં પોસ્ટિંગ અગાઉ જ આ શહેરની તાસીર અંગે આપને બ્રિફ મળી ગઇ હશે. કોની વાત કાને ધરવી, કોને ઇગ્નોર કરવા... ગામનાં માથાભારે તત્વો કોણ છે વગેરે વગેરે. પણ, એક નાગરિક તરીકે હું અપેક્ષા રાખુ છું કે, લેન્ડ માફિયાઓ સાથે સીધો ધરોબો ધરાવતાં અને તેમને પ્રોત્સાહન આપતાં પોલીસ કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓને આપ રડાર પર રાખો, તેમને સીધાદોર કરી નાખો. આ બધી જીવાતોએ રાજકોટ પોલીસનાં મૂળિયાં કોરી ખાધા છે. વહિવટદાર તરીકે કામ કરતી આ પ્રજાતિને કોઇનો ડર નથી. હવે, તમારો ડર હોવો જોઇએ. હોવો જ જોઇએ. બે-ચાર આવા લોકોને ઘેર બેસાડી દેશો તો બાકીનાં લોકોને આપો-આપ મેસેજ મળી જશે.

સાહેબ, આપનાં સદનસીબે ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુર્શીદ અહેમદએ સારી એવી સાફસૂફી કરી નાંખી છે. ક્રાઇમ બ્રાન્ચનાં ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે પણ અસરકારક પગલાં લીધાં છે અને ભ્રષ્ટ કોન્સ્ટેબલોને તેમનું સ્થાન દેખાડી દીધું છે. તમારે થોડાં પગલાં ઉમેરવાના જ છે.

વર્ષો પહેલાં એક રાષ્ટ્રીય સરવે થયો હતો. જેનાં પરિણામ રાજકોટને લેન્ડ ક્રાઇમનું પાટનગર ઘોષિત કરાયું હતું. અને આ પ્રથમ નંબર મેળવવામાં પોલીસનું પ્રદાન ઓછું નથી. ખુર્શીદ અહેમદ ઇન્ચાર્જ પોલીસ કમિશનર બન્યા તે પહેલાં તો એવી હાલત હતી કે, કોઇની જમીન કોઇએ પચાવી પાડી હોય અને એ માલિક જો ફરિયાદ કરવા જાય તો એ માલિક-ફરિયાદી સાથે ગુનેગાર જેવું વર્તન થયું હતું. ફરિયાદી પાસેથી પણ તોડ થતો અને આરોપી પાસેથી પણ નાણાં ખંખેરવામાં આવતાં હતાં. નિર્દોષ જમીન માલિકોને બબ્બે - ત્રણ-ત્રણ દિવસ ગેરકાયદે ગોંધી રાખી તેમની પાસેથી સાટાખત રદ કરાવતાં હતાં. ટૂંકમાં કહીએ તો પોલીસ અને માફિયા - અન્ડરવર્લ્ડ વચ્ચેનો ફર્ક ભૂંસાઇ ગયો હતો. કહેવાય છે કે, જેનો સેનાપતિ આંધળો, તેનું દળકટક કૂઆમાં. અંધારીયા કૂઆમાં આખું પોલીસતંત્ર ખાબક્યું. હજુ આ જખ્મોમાંથી રાજકોટ પોલીસ પૂર્ણત: બહાર આવી નથી, જખ્મો હજૂ રૂઝાયાં નથી. અને લોકો પણ ઘાયલ છે. આજે પણ કોઇનું મકાન કે જમીન પચાવી પાડવામાં આવ્યા હોય તો લોકો પોલીસ પાસે નિર્ભિક થઇને જઇ શકતાં નથી. સમસ્યાઓ અગણિત છે. રાજકોટની મહિલા પોલીસને બેઝિક કર્ટસી - પાયાનો વિવેક શીખવવાની જરૂર છે, ટ્રાફિક વોર્ડનનો ત્રાસ દૂર કરવાની આવશ્કયતા છે. હવાલા લેતા પોલીસ કર્મચારીઓને સીધાદોર કરવાની જરૂરિયાત છે. ક્રાઇમ રેટ ઓછો દેખાડવા ફકત અરજીઓના ચક્કરમાંથી દૂર થવાનું અનિવાર્ય છે.

રાજકોટ પોલીસની છાપ તળિયે છે અને પ્રજામાં એવો સંદેશ ગયો છે કે, રાજ્ય સરકાર જ રાજકોટમાં સખ્ત, શિસ્તપ્રિય અધિકારીઓ ઇચ્છતી નથી. આ છાપ દૂર કરવાની જવાબદારી તમારા શિરે છે.

*-કિન્નર આચાર્ય*
*"ખાસ ખબર"માં પ્રકાશિત*

તા.22/04/2022કચ્છ પોલીસ ની સરાહનીય કામગીરીકચ્છ (પૂર્વ) ના  રાપર ખાતે મોરારીબાપુની કથા  સાંભળવા ચાલીને જતાં એક 86 વર્ષીય ...
22/04/2022

તા.22/04/2022
કચ્છ પોલીસ ની સરાહનીય કામગીરી

કચ્છ (પૂર્વ) ના રાપર ખાતે મોરારીબાપુની કથા સાંભળવા ચાલીને જતાં એક 86 વર્ષીય માજીની તબિયત ખરાબ થતાં રાપર પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ કર્મચારી વર્ષાબેન પરમારે પાણી સાથે ત્યાં પહોંચી 5 કિમી. સુધી પોતાના ખભે ઊંચકીને પહોંચાડ્યા.
ગુજરાત પોલિસ પ્રજાનો મિત્ર છે, સેવા માટે .રીપોર્ટર:- ભાવનગર મોરનિગ ન્યુઝ

21/04/2022

તા.20/04/2020
સોશિયલ મિડિયા અને ન્યૂઝ મિડિયા દ્વારા માહિતી મળેલી છે કે ખાનગી સ્કૂલ ના માલિકો એ સરકાર શ્રી અને મુખ્યમંત્રી શ્રી ને સ્કૂલ ફ્રી વધારવા માટે રજૂઆત કરવામા આવી છે.વધુ એક ફ્રી વધારાનો માર વાલીઓ પર પડશે.સરકાર શ્રી વાલીઓ નો વિચાર કરે વારંવાર ફ્રી વધારો વાલીઓના બજેટ પર ખતરનાક સાબિત થઈ શકે છે. દિવસે ને દિવસે મોધવારી અને જીવન જરૂરિયાત ની વસ્તુઓ નો ભાવવધારો મધ્યમવર્ગીય પરીવાર માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. ખાનગી સ્કૂલ ના માલિકો નરમાઈ વતૅવી જોઈએ.રીપોર્ટર Bhavnagar Morning News

19/04/2022
તા.17/04/2022વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનના કાળાતળાવ નિરમા કંપનીની આસપાસ બેટરી ચોરી કરતો ઇસમને પકડી પાડતી વેળાવદર ભાલ પોલીસ ...
17/04/2022

તા.17/04/2022

વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનના કાળાતળાવ નિરમા કંપનીની આસપાસ બેટરી ચોરી કરતો ઇસમને પકડી પાડતી વેળાવદર ભાલ પોલીસ ટીમ*

મહેરબાન ભાવનગર રેન્જનાં આઇ.જી.પી.શ્રી અશોકકુમાર સાહેબ તથા ભાવનગર જીલ્લાના નવનિયુકત પોલીસ અધિક્ષકશ્રી ડો.રવિન્દ્ર પટેલ સાહેબના માર્ગદર્શન મુજબ અને મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી સફીન હસન સા. એ નિરમા કંપની આસપાસ વાહનોમાંથી બેટરીના ચોરીના બનાવો અટકાવવા અને વાહનોમાંથી બેટરી ચોરીનો અનડીટેકટ ગુન્હો શોધી કાઢવા માટે વેળાવદર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. આઇ.ડી.જાડેજા સાહેબને સુચના આપેલ હતી.

આ કામે હકીકત એવી છે.કે તારીખ-૦૭/૦૪/૨૦૨૨ ના કલાક-૨૦/૩૦ વાગ્યાથી તારીખ-૧૨/૦૪/૨૦૨૨ ના કલાક-૦૮/૩૦ વાગ્યા દરમ્યાનમા કાળાતળાવ ખાતે નીરમા કંપનીના પાર્કીંગમા રાખેલ જુદી જુદી ટ્રકો તેમજ ડંમ્પરોમાથી બેટરીઓ નંગ-૦૮ કી.રૂ.૨૪,૦૦૦/-ની કોઇ અજાણ્યા ઇસમ રીક્ષા લઇ આવી ચોરી કરી લઇ ગયેલની ફરીયાદ વેળાવદર પો સ્ટેમા દાખલ થયેલ હતી.

આ કામે વેળાવદર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.આઇ.ડી.જાડેજા તથા સ્ટાફના માણસોએ ઉપરોકત ચોરીનો ગુન્હો શોધી કાઢવા માટે અલગ-અલગ ટીમો બનાવી નીરમા કંપની આસપાસ આવતી રીક્ષાઓની વોચ/તપાસમા હતી તે દરમ્યાન પો.કોન્સ.અનિરૂધ્ધસિંહ રામદેવસિંહ ચુડાસમાને બાતમી મળેલ કે ભાવનગર કુંભારવાડા અક્ષરપાર્ક સોસાયટીમા રહેતો વિનોદ ઉર્ફે કાનો તેની લીલા કલરની રીક્ષામા ટ્રકોમાથી ચોરી કરેલ બેટરીઓ ભરી સનેશ બાજુ આવે છે તે બાત્મી આધારે સદર રીક્ષાવાળાને પકડી તેના ડ્રાઇવરનું નામ પુછતા તેણે વિનોદ ઉર્ફે કાનો રાયસંગભાઇ વાગડીયા ઉ.વ.-૨૨ ધંધો.રીક્ષા ડ્રાયવિંગ રહેવાસી-કુંભારવાડા,અક્ષરપાર્ક સોસાયટી,પ્લોટ નં.૧૦૮૩મા ભાડેથી,ભાવનગર મુળ ગામ.ભીમતળાવ,તા.ધોલેરા જી.અમદાવાદ વાળો હોવાનુ જણાવેલ હતું અને તેની રીક્ષામાંથી કુલ બેટરીઓ નંગ.૯ તેમજ અન્ય બેટરીઓ ભાવનગર શહેરમા અલગ અલગ બેટરીઓની દુકાનોમાં વેચેલ હતી તે બેટરીઓ નંગ-૯ મળી કુલ બેટરીઓ નંગ-૧૮ કી.રૂ.૫૪,૦૦૦/-તથા ચોરી કરવામા ઉપયોગ કરેલ રીક્ષા કી રૂ-૫૦૦૦૦/- મળી કૂલ રૂપીયા-૧,૦૪,૦૦૦/-નો મુદામાલ કબ્જે કરેલ છે.

*પકડાયેલ આરોપી* - વિનોદ ઉર્ફે કાનો રાયસંગભાઇ વાગડીયા ઉ.વ.-૨૨ ધંધો-રીક્ષા ડ્રાયવિંગ રહેવાસી-કુંભારવાડા,અક્ષરપાર્ક સોસાયટી,પ્લોટ નં.૧૦૮૩મા ભાડેથી,ભાવનગર મુળ ગામ.ભીમતળાવ,તા.ધોલેરા જી.અમદાવાદ

*કબ્જે કરેલ મુદામાલ-* ટ્રકો તેમજ ડંમ્પરોમા વપરાતી બેટરીઓ નંગ-૧૮ કી.રૂ.૫૪,૦૦૦/-તથા ચોરી કરવામા ઉપયોગ કરેલ રીક્ષા કી રૂ-૫૦૦૦૦/- મળી કૂલ રૂપીયા-૧,૦૪,૦૦૦/-નો મુદામાલ કબ્જે કરેલ છે.


આ સમ્રગ કામગીરીમા વેળાવદર પો.સ્ટેશનના પો.સબ.ઇન્સ. આઇ.ડી.જાડેજા સાહેબ તથા હેડ કોન્સ. વી.એન.રાણા તથા હેડ કોન્સ. ધર્મદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ.અનિરૂધ્ધસિંહ રામદેવસિંહ,પો.કોન્સ. તેજપાલસિંહ રાજેન્દ્રસિંહ, પો.કોન્સ. બાબુજી મરતાજી, પો.કોન્સ. કૃષ્ણરાજસિંહ નવલસિંહ તથા પો.કોન્સ.અશોકસિંહ હરિચંદ્રસિંહ, ડ્રા.પો.કોન્સ. રાજુભાઇ ધનજીભાઇ તથા ડ્રા.એ.એસ.આઇ. એમ.જે.અગ્રાવત જોડાયા હતાં.
રિપોર્ટર :- BHAVNAGAR MORNING NEWS

કૃષ્ણ અને સુભ્રદા વિવાદ મા ભુલથી સપડાઈ ગયેલ ગુજરાત ના પ્રદેશ અધિયશ્ર C R Patil સાહેબ ની વિડીયો ના માધ્યમથી સનાતની હિન્દુ...
16/04/2022

કૃષ્ણ અને સુભ્રદા વિવાદ મા ભુલથી સપડાઈ ગયેલ ગુજરાત ના પ્રદેશ અધિયશ્ર C R Patil સાહેબ ની વિડીયો ના માધ્યમથી સનાતની હિન્દુ સમાજની માગી માફી.રિપોર્ટર BHAVNAGAR MORNING NEWS

25/02/2022

તા.25/2/2022
યુક્રેન અને રશિયા ની હાલમા જે પરિસ્થિતિ છે તેના કરતા વિપરીત પરિસ્થિતિ નુ પ્રસારણ ભારતમા ટીવી ના માધ્યમથી અને ન્યૂઝ ચેનલો દ્વારા ખોટા સમાચારો અને લોકો મા ડર ઉભો કરવા માટે ફેલાવવામાં આવે છે.ન્યુઝ ચેનલો દ્વારા સાચી માહિતી આપવામાં આવે અને ખોટી ટીઆરપી વધારવાની ટ્રાય ના કરવામાં આવે.લોકો હવે જાગૃત થઈ ગયા છે તે વાત ન્યુઝ ચેનલો વાળા ના ભુલે. રિપોર્ટર :- Bhavnagar Morning News.

BREAKING NEWSતા.6/02/2022ભારત રત્ન લતા મંગેશકરનું લાંબી માંદગી બાદ રવિવારે સવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન ...
06/02/2022

BREAKING NEWS
તા.6/02/2022
ભારત રત્ન લતા મંગેશકરનું લાંબી માંદગી બાદ રવિવારે સવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન થયું. આ દુખદ સમાચાર સામે આવ્યા બાદ દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

02/02/2022

Bhavnagar Morning News આપના શહેરમાં આવી ગયેલ છે.તમારી આજુબાજુ મા બનતી ધટનાઓ, દુરધટનાઓ,ભષ્ટાચાર, ગેરકાયદેસર દારૂની હેરાફેરી-વેચાણ,ખોટી રીતે આવારા લુખ્ખાતત્વો દ્વારા હેરાન પરેશાન, પોલીસ દ્વારા ખોટી રીતે હેરાનગતિ, દરેક માહિતી વિડીયો બનાવી અથવા લેખીતમા pdf દ્વારા અમને મોકલી શકો છો આ પેજ મા Whatsapp મોબાઈલ નંબર આપલા છે તેના પર મોકલી શકો છો .તમારી માહિતી ગુપ્ત રાખવામાં આવશે.તમારા દ્વારા આપવામાં આવેલ માહિતી સત્ય અને સચોટ હોવી જોઈએ. આ પેજ ને વધુ મા વધુ Share ,Like કરો અને તમારી Comment કરો.

તા.15/1/2022ભાવનગર મા નારી ચોકડી થી શિહોર અને  મહુવા જવાના રોડ (રસ્તા)ની  ખરાબ હાલત છે.આ રોડ (રસ્તો )બનાવવામા  મોટા પાયે...
15/01/2022

તા.15/1/2022
ભાવનગર મા નારી ચોકડી થી શિહોર અને મહુવા જવાના રોડ (રસ્તા)ની ખરાબ હાલત છે.આ રોડ (રસ્તો )બનાવવામા મોટા પાયે ભષ્ટાચાર થયો હોય તેવી આશંકાઓ થઇ રહી છે.કોઇ પણ નવો રોડ (રસ્તો) બને ત્યારે તેનુ આયુષ્ય નક્કી કરવામાં આવે છે.તે આયુષ્ય લગભગ 10 થી 15 વષૅ નુ હોય છે.ભાવનગર જીલ્લાના જવાબદાર અધિકારીઓની બેદરકારી અને ભષ્ટાચાર કરવાની નિતિ ને લીધે આજે આ રોડ ની હાલત ખરાબ થઇ ગયેલ છે.શુ ભાવનગર કલેકટર અને રાજ્ય સરકાર જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે પગલાં લેશે ? લોકો ના ટેક્સ ના રૂપિયા નો બગાડ થઈ રહ્યો છે.આવા લેભાગુ તત્વો અને ભષ્ટાચાર કરનારા કોન્ટ્રાક્ટરો સામે અને અધિકારીઓ સામે જલ્દી થી પગલા લેવામાં આવે તેવી લોકોની અપીલ છે.

તા.7/1/22હવામાન વિભાગની આગાહી અનુસાર આજરોજ વહેલી સવારે ભાવનગર ખાતે ધુમ્મસ ભર્યુ વાતાવરણ જોવા મળ્યુ હતુ.વાહન ચાલકો ને વાહ...
07/01/2022

તા.7/1/22
હવામાન વિભાગની આગાહી અનુસાર આજરોજ વહેલી સવારે ભાવનગર ખાતે ધુમ્મસ ભર્યુ વાતાવરણ જોવા મળ્યુ હતુ.વાહન ચાલકો ને વાહન ચલાવવામાં મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો.
રીપોર્ટર:-Bhavnagar Morning News

25/12/2021

આજથી ગુજરાત સરકાર દ્વારા રાત્રી કરફ્યુ નો સમય રાત્રે 11 થી સવારે 5 વાગ્યા સુધી રહેશે.જાહેર જનતાએ નોધ લેવી.સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

13/12/2021

Hy everyone

ભારત ના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ, ભારતીય સશસ્ત્ર દળના જનરલ બિપિન રાવતના જીવલેણ હવાઈ દુર્ઘટનામાં મૃત્યુ થયાના આઘાતજનક સમાચાર ...
09/12/2021

ભારત ના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ, ભારતીય સશસ્ત્ર દળના જનરલ બિપિન રાવતના જીવલેણ હવાઈ દુર્ઘટનામાં મૃત્યુ થયાના આઘાતજનક સમાચાર સાંભળીને દુઃખ થયું.
હેલિકોપ્ટરમાં સવાર અમારા બહાદુરોના પરિવારજનો પ્રત્યે સંવેદના. ભગવાન દરેક પરિવારને શક્તિ આપે. ઓમ શાંતિ ઓમ

08/12/2021

તારીખ 8/12/2021
ગુજરાતમાં હાલ ફેક્ટરી ઓ દ્વારા કોન્ટ્રાક્ટ અને કંપનીઓ ના કાયમી કામદારો સાથે અન્યાય થઈ રહ્યો છે.કામદારો ને પગાર ની પગાર સીલીપ પણ આપવામાં આવતી નથી . કામદારો ને પગાર સમયસર ચુકવવામાં આવતો નથી. કામદારો ને લધુતમ દર કરતા ઓછા દર ચુકવવા મા આવે છે. કામદારો નુ આર્થિક શોષણ થઈ રહ્યું છે.કામદારો ને વધુ કલાક કામ કરાવી અને નોકરી માથી છુટા કરી નાખવામા આવશે એવો ડર બતાવી કામદારો નુ આથિક અને શારીરિક શોષણ કરવામાં આવે છે . કલેકટર ,લેબર કમિશનર ,કંપનીના જવાબદાર અધિકારીઓ દ્વારા કંપની મા કામ કરતા કામદારો સાથે એક પ્રકારની ગેમ રમી રહ્યા હોય એવું લોક મુખે ચૅચાય રહ્યું છે.કંપની ના ધારાધોરણો નુ ઉલ્લંઘન થઈ રહયું છે. કંપનીઓ ના માલિક અને સરકારી નોકરોને કોઇ પણ જાતનો કાયદાનો ડર નથી.
કંપનીઓ ના ઓડીટ કરવામાં સરકારી બાબુઓને લાચ આપી કંપનીઓ મા બધુ બરાબર ચાલે છે તેવુ સટિફીકેટ આપી દેવામાં આવે છે.જો આ અંગે દરેક જીલ્લામાં આવેલી નાની મોટી કંપનીઓ મા તપાસ કરવામાં આવે તો કંપનીઓ ના માલિકો ની અને સરકારી અધિકારીઓ ની મિલીભગતની પોલ ખુલ્લી પાડી શકાય. રીપોર્ટ :- Bhavnagar Morning News

ત્રણ કુષિ કાયદા ને પાછો ખેચી માનન્ય વડાપ્રધાન નો દેશના કિશાનને ગુરુનાનક જયંતિના શુભ અવસરે ભેટ.સંસદમાં કાયદાકીય પ્રકિયા શ...
19/11/2021

ત્રણ કુષિ કાયદા ને પાછો ખેચી માનન્ય વડાપ્રધાન નો દેશના કિશાનને ગુરુનાનક જયંતિના શુભ અવસરે ભેટ.સંસદમાં કાયદાકીય પ્રકિયા શરૂ.

દેને કો ટુકડા ભલા, લેનો કો હરિ નામસંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાની ૨૨૨ મી જન્મ જયંતી નિમિતે સૌ ભક્તોને , ભાવનગર મોરન...
11/11/2021

દેને કો ટુકડા ભલા, લેનો કો હરિ નામ

સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાની ૨૨૨ મી જન્મ જયંતી નિમિતે સૌ ભક્તોને , ભાવનગર મોરનિગ ન્યુઝ ટીમ તરફથી હાર્દિક શુભકામનાઓ.

05/11/2021

નવા વષૅ ના બધા મિત્રો ને Bhavnagar Morning News તરફથી હાદિક શુભેચ્છાઓ.

03/11/2021

દિવાળી ની બધા મિત્રો ને હાદિક શુભેચ્છાઓ

24/10/2021

તા.24/10/21
ગુજરાત ના ગૃહ રાજ્ય મંત્રી હષૅ સંધવી નો મોટો નિર્ણય રસ્તા પર આમજનતા ને TRB જવાન દંડ વસુલશે અથવા હેરાનગતિ કરશે તો જેતે TRB જવાન પર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે અને તે ના ઉપરી અધિકારીઓ જવાબદાર રહેશે. રીપોર્ટ :- Bhavnagar Morning News

23/10/2021

તા.23/10/21
હાલ મા શેરબજારમાં અને કોમોડિટીના બજારમાં ડબ્બા ટ્રેડીંગ નુ જોર વધી રહ્યું છે.સત્તાવાર માહિતી અનુસાર મુબઇ, રાજકોટ, રાજસ્થાન, ભાવનગર, સુરેન્દ્રનગર વગેરે જગ્યાએ ડબ્બા ટ્રેડીંગ પુર જોશમા ચાલી રહી છે.પહેલા નંબરે મુબઇ, બીજા નંબરે રાજસ્થાન અને ત્રીજા નંબર પર ગુજરાત આવે છે. ડબ્બા ટ્રેડીંગ થી સરકાર ને દર વષૅ કરોડો નુ ટેક્સ ની આવક મા નુકશાન જાય છે. એક પણ રૂપિયા નુ રોકણ કર્યો વગર ડબ્બા ટ્રેડીંગ થાય છે.શુ સરકાર દ્વારા કોઇ નકર પગલાં ભરવામાં આવશે કે કેમ તે મોટો પ્રશ્ન છે? રીપોર્ટ :- Bhavnagar Morning News

જનતા રાજ અને MJ TV LIVE ના સંસ્થાપક એવા મયુર જોશી નુ હદય ના હુમલા થી મૃત્યુ સદૃગત ના આત્મા ને ઈશ્વર શાંતિ આપે અને તેમના ...
10/10/2021

જનતા રાજ અને MJ TV LIVE ના સંસ્થાપક એવા મયુર જોશી નુ હદય ના હુમલા થી મૃત્યુ સદૃગત ના આત્મા ને ઈશ્વર શાંતિ આપે અને તેમના પરિવાર ને આ દુઃખ માથી બહાર આવવાની શક્તિ આપે એવી ઈશ્વર ને પ્રાર્થના.,🙏🙏🙏 રીપોર્ટર:- Bhavnagar Morning News

82 વૅષની ઉમરે અરવિંદ ત્રિવેદી નુ નિધન દુનિયા ને કરી અલવિદા ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે તેવી પ્રાર્થના અને તેમના પરિવા...
06/10/2021

82 વૅષની ઉમરે અરવિંદ ત્રિવેદી નુ નિધન દુનિયા ને કરી અલવિદા ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે તેવી પ્રાર્થના અને તેમના પરિવાર પર આવી પડી આ અચાનક દુઃખ ને સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુ ને પ્રાથના ઓમ શાંતિ ઓમ

05/10/2021

અમદાવાદ ની સાબરમતી નદી મા કંપનીઓ દ્વારા નાખવામાં આવતુ કેમીકલ યુક્ત પાણી. એક જાગૃત નાગરિક દ્વારા રજૂ કરવામાં આવતો વિડીયો

અમદાવાદ ની સાબરમતી નદીમાં કંપનીઓ દ્વારા કેમીકલ વાળુ પાણી નાખવામાં આવે છે આ સાબરમતી નદીના પાણી થી આજુ બાજુના ખેડૂતો પોતાના ખેતરમાં ખેતી કરે છે આ ખેતી થી જે અનાજ થાય છે તે અનાજ લોકો ખાઇ છે.આ અનાજ ખાવાથી લોકો ના આયુષ્ય પર પણ અસર થઈ શકે છે.GPCB અને અમદાવાદના મહાનગર પાલિકા દ્વારા શા માટે કોઇ નકર પગલાં ભરવામા નથી આવતા.શુ અધિકારીઓ રિશવત લઈ ને આવુ મોટું કોભાડં દબાવવા માગે છે ? લોક
મુખે ચૅચાઇ રહ્યું છે રીપોર્ટ :- BHAVNAGAR MORNING NEWS

સહજ,સરળ,શિક્ષિત અને સશક્ત પ્રજાપ્રિય નેતા શ્રી Bhupendra Patel જીને ગુજરાતના 17માં મુખ્યમંત્રીપદ પર નિયુક્ત થવા બદલ હાર્...
12/09/2021

સહજ,સરળ,શિક્ષિત અને સશક્ત પ્રજાપ્રિય નેતા શ્રી Bhupendra Patel જીને ગુજરાતના 17માં મુખ્યમંત્રીપદ પર નિયુક્ત થવા બદલ હાર્દિક અભિનંદન.

આપ શ્રીના નેતૃત્વમાં ગુજરાત ઉત્તરોત્તર પ્રગતિ કરશે અને વિકાસના નવા આયામો પાર કરશે એવી શુભકામનાઓ.

11/09/2021

BREAKING NEWS
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી નુ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ નવા મુખ્યમંત્રી ની નિમણૂક ની પુર જોશમાં તેયારી.

11/09/2021

BREAKING NEWS
ગુજરાત ના માનન્ય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી નુ રાજીનામુ.

ટોકિયો ઓલિમ્પિકસમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ ખૂબ ખૂબ અભિનંદન નીરજ ચોપડા
07/08/2021

ટોકિયો ઓલિમ્પિકસમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ ખૂબ ખૂબ અભિનંદન નીરજ ચોપડા

સમાજ અને દેશ માટે જેને જેને પોતાના જીવન દાન સમર્પિત કરેલ છે તે સદાય ને માટે અંબર છે અને રહેશે..જય હિન્દ જય ભારત... વંદેમ...
23/07/2021

સમાજ અને દેશ માટે જેને જેને પોતાના જીવન દાન સમર્પિત કરેલ છે તે સદાય ને માટે અંબર છે અને રહેશે..જય હિન્દ જય ભારત... વંદેમાતરમ્.. 🚩🚩

Address

Nari Chokdi, Rajkot/Bhavnagar Highway Road
Bhavnagar
364002

Telephone

7990911682

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhavnagar Morning News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bhavnagar Morning News:

Videos

Share