Atulya Varso Magazine

Atulya Varso Magazine We Historical and Cultural Research Center (HCRC) working on
1. Research 2. Documentation 3. Public
(4)

It’s NGO a part of Historical and Cultural Research Centre

HISTORICAL & CULTURAL RESEARCH CENTRE (HCRC) is non-profit organization established in 2008 with a mission to preserve the heritage monuments of Gujarat. Along with the restoration of monuments, HCRC encourages community participation in the preservation of state's heritage through conducting awareness programs, cleaning campaigns and mo

re such events. HCRC organizes heritage Tours that allow people to peek into their history and explore the real treasures such centuries old monuments with marvellous architecture, wooden houses - with intricate carvings, stepwells & traditional water management structures and rich arts & crafts. We are working on five Agendas:
1: Exploration - We Explore the unexplored part of Gujarat which has some ancient history or relevant culture representing our ancestors.
2: Research and Documentation: After Exploration we do ground research and documentation of the place or any art form of that particular place with authenticity.
3: Publication: With that research work and proper documentation we publish a quarterly based magazine named "Atulya Varso" in Gujarati Regional language.
4: Conservation and Site Development: If the Site needs any restoration work or any cleaning work we do our best from our level and give that place a life span of couple of years.
5: Heritage Tourism: We develop heritage walk, Village walk, Food Walk and many exploration tours which can boost that place economically as well as sustainably.

ટીમ અતુલ્ય વારસો દ્વારા ગત્ત રોજ તા. ૦૭/૦૪/૨૦૨૪ એ ગુજરાતભરમાંથી ૧૩૧ વિશેષ હેરીટેજ સાધકોનું સન્માન કરવામાં આવ્યું હતું જે...
09/04/2024

ટીમ અતુલ્ય વારસો દ્વારા ગત્ત રોજ તા. ૦૭/૦૪/૨૦૨૪ એ ગુજરાતભરમાંથી ૧૩૧ વિશેષ હેરીટેજ સાધકોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ૨૧ બાળકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, ગુજરાતમાં એક સાથે આટલી મોટી સંખ્યામાં કલા સાધકોને સન્માનિત કરવાની આ પ્રથમ ઘટના હતી જે અમારા માટે ગૌરવની વાત બની રહી. પદ્મશ્રી જોરાવરસિંહ જાદવની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે શ્રી પ્રદીપસિંહ રાઠોડ, અતિથી વિશેષ અને વિષય નિષ્ણાંત તરીકે આંબેડકર યુનિ. વાઈસ ચાન્સેલરશ્રી અમિબેન ઉપાધ્યાય, જાણીતા કલાકારશ્રી મકરંદ શુકલા, ઇતિહાસવિદ્દ ડૉ. વિશાલ જોશી, કલાતીર્થનાં અધ્યક્ષશ્રી રમણિકભાઈ ઝાપડિયા, જાણીતા સામાજીક કાર્યકર્તાશ્રી મિત્તલબેન પટેલ જોડાયા હતા અને આ મહાનુભાવોનાં વરદ્દહસ્તે વિવિધ વિષયનાં સાધકો/સંવર્ધકોને સન્માનીત્ત કરવામાં આવ્યા હતા. ૧) ઈતિહાસ અને પુરાતત્વ, કલા અને સંસ્કૃતિ, ૨) પર્યાવરણ અને જળ સરંક્ષણ, ૩) પ્રદર્શિત કરી શકાય તેવી કલાઓ (ચિત્ર, સંગીત, રંગોળી, હસ્તકલા વગેરે), ૪) લેખન અને પ્રકાશન, ૫) હેરીટેજ પ્રવાસન આ પાંચ ક્ષેત્રમાં સારી કામગીરી, ફરજ નિભાવી રહેલ વ્યક્તિ, સંસ્થા, સમુદાયને સન્માનિત કરવામાં આવે છે. જેમાં ડૉ. ગિરીશ ઠાકર, શ્રી સવજીભાઈ છાયા, તાજેતરમાં આવેલ કસુંબો ફિલ્મનાં વિજયગીરી બાવા. આંતરરાષ્ટ્રીય કલાકાર શ્રી ભરત બારીયા અને શ્રી અક્ષય પટેલ, ડૉ. હિરેન શાહ, શ્રી હરદ્વાર ગોસ્વામી, સુપ્રસિદ્ધ કચ્છીકલાકાર શ્રી મુરાલાલા મારવાડા સહિત જિલ્લાવાર કલા સંવર્ધકો સન્માનિત થયા હતા. વર્ષો અગાઉ કાર્ય કરેલ અને હાલમાં હયાત ન હોય તેવા સ્વ. ડૉ. પોપટલાલ વૈદ્ય, સ્વ. પી.પી. પંડ્યાનું તેમના પરિવારજનોને આમંત્રિત કરી સન્માન કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત આંતરરાષ્ટ્રીય કલાકાર શ્રી ભરત બારીયા અને શ્રી અક્ષય પટેલએ શિવ સાધના પ્રસ્તુતિ દ્વારા કરી હતી અને ત્યારબાદ શ્રી મુરાલાલા જી એ કચ્છી ભજનથી વાતાવરણ પવિત્ર બનાવ્યું હતું. કુલ ૨૭ જિલ્લા, ૧ કેન્દ્રશાસિત પ્રદેશ, ૧ મુંબઈ, ૧ યુ.એસ.એ. સહીત ત્યાંનાં ગુજરાતી સમગ્ર રાજ્ય અને સરહદી પ્રદેશોને જોડાવાનો પ્રયાસ થયો હતો. આગામી સમયમાં આ તમામ એવોર્ડીને જોડી રાજ્યના વારસાના સંવર્ધન અને વિકાસ માટે એકમેકનાં સહયોગથી કાર્યવાહી હાથ ધરાશે તેમ સંસ્થાનાં મેનેજિંગ ટ્રસ્ટી કપિલ ઠાકરએ જણાવ્યું હતું.

સોને વંદન. ગત્ત રોજ અતુલ્ય વારસો એવોર્ડ ૨૦૨૪ દ્વારા સન્માનિત થયેલા આપ સૌને ટીમ અતુલ્ય વારસો તરફથી અભિનંદન અને શુભકામનાઓ....
08/04/2024

સોને વંદન. ગત્ત રોજ અતુલ્ય વારસો એવોર્ડ ૨૦૨૪ દ્વારા સન્માનિત થયેલા આપ સૌને ટીમ અતુલ્ય વારસો તરફથી અભિનંદન અને શુભકામનાઓ. આપણું આ જોડાણ કાયમી બને અને આગામી સમયમાં આપણે સંયુક્ત રીતે સમાજ ઉપયોગી, કલા વારસાને સંવર્ધન કરવાનું ભગીરથ કાર્ય એકમેકનાં સહયોગથી કરીશું તેવી મને આશા છે. ટૂંક સમયમાં જ આપના વિસ્તારમાં મળીશું અને આગામી સમયમાં સત્વરે કયા કાર્યો હાથ ધરવા જેવા છે તેની ચર્ચા અને આયોજન કરીશું. આભાર સહ વંદે માતરમ્

વિશ્વ જળ દિવસ @ હાલીસા ૨૨ માર્ચ વિશ્વ જળ દિવસ નિમિત્તે અતુલ્ય વારસો દ્વારા હાલીસા ગામના ભમ્મરિયા કૂવા ખાતે જળ ઉપાસનાનો ક...
22/03/2024

વિશ્વ જળ દિવસ @ હાલીસા

૨૨ માર્ચ વિશ્વ જળ દિવસ નિમિત્તે અતુલ્ય વારસો દ્વારા હાલીસા ગામના ભમ્મરિયા કૂવા ખાતે જળ ઉપાસનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ પ્રસંગે કૂવામાં દીવડાં કરીને તેને શણગારવામાં આવ્યો હતો અને ઇતની શક્તિ હમેં દે ના દાતા, વંદે માતરમ્ અને રાષ્ટ્રગાન દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ નિમિત્તે સ્નોફલેક્ષ ઇન્સ્ટિટ્યૂટ, ગ્રામ પંચાયત હાલીસા તથા ગાંધીનગર કોમર્સ કોલેજના NSS સ્વયંસેવકો જોડાયા હતા.

નમસ્તે, આગામી ૨૨ માર્ચ વિશ્વ જળ દિન નિમિતે, આવો માનીએ જળનો આભાર, જળ ઉપાસના દ્વારા.સ્થળ: ભમ્મરિયો કુવો, હાલીસા (ગાંધીનગર)...
19/03/2024

નમસ્તે, આગામી ૨૨ માર્ચ વિશ્વ જળ દિન નિમિતે, આવો માનીએ જળનો આભાર, જળ ઉપાસના દ્વારા.
સ્થળ: ભમ્મરિયો કુવો, હાલીસા (ગાંધીનગર)
સમય: સાંજે ૦૬ કલાકે

આપ સૌ વિદિત છો કે ટીમ અતુલ્ય વારસો દ્વારા થોડા માસ અગાઉ અતુલ્ય વારસો આઈડેન્ટેટી એવોર્ડની જાહેરાત કરવામાં આવેલ. જેનો મુખ્...
17/03/2024

આપ સૌ વિદિત છો કે ટીમ અતુલ્ય વારસો દ્વારા થોડા માસ અગાઉ અતુલ્ય વારસો આઈડેન્ટેટી એવોર્ડની જાહેરાત કરવામાં આવેલ. જેનો મુખ્ય હેતુ ગુજરાતની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને વિવિધ માધ્યમથી ઉજાગર કરવાનો પ્રયાસ કરી રહેલ વ્યક્તિનું યોગ્ય સન્માન કરવાનું છે. રાજ્યભરમાંથી ૫૦૦થી વધુ સંખ્યામાં અરજીઓ દ્વારા નોમીનેશન મળેલ. નોમીનેશન કરેલ સૌ અરજદારને અમો વંદન કરીએ છીએ અને આપ સૌ પણ ઉમદા કાર્ય કરી રાજ્યના વારસાને ઉજાગર કરવાનું ઉત્તમ કાર્ય કરી રહ્યા છો. સૌ અરજદાર વંદનીય હોવા છતાં સંસ્થાની નોમીનેશનની મર્યાદા અને પસંદગી ટીમ દ્વારા અંતિમ યાદીમાં નક્કી થયેલ નક્કી થયેલ એવોર્ડ વિજેતાઓનાં નામોની યાદી અત્રે જાહેર કરીએ છીએ. અમારો પ્રયાસ રાજ્યસ્તરે નાના મોટા સ્થળોએ રહી આપણી ધરોહરને ઉજાગર કરતા સૌ લોકોને એક મંચ પર જોડાવાનો છે અને સૌ સાથે મળી રાજ્યહિતમાટે આગામી સમયમાં ઉમદા કાર્ય કરી શકીએ એવો છે. અમારો આ પ્રયાસ સૌને લાભકર્તા બની રહેશે તેવી અભ્યર્થના સહ...
જય હિંદ
– ટીમ અતુલ્ય વારસો

આજ રોજ મહાશિવરાત્રીના પાવન દિવસે હિંમતનગર નજીક ખેડરોડાના પ્રાચીન દેવાલયમાં  ટીમ અતુલ્ય વારસો દ્વારા અતિતનું અજવાળું અંતર...
08/03/2024

આજ રોજ મહાશિવરાત્રીના પાવન દિવસે હિંમતનગર નજીક ખેડરોડાના પ્રાચીન દેવાલયમાં ટીમ અતુલ્ય વારસો દ્વારા અતિતનું અજવાળું અંતર્ગત મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લા કલેક્ટરશ્રી, સ્થાનિક ધારાસભ્યશ્રી સહિત અનેક મહાનુભાવો જોડાયા હતા. ફૂલો દીવડાઓથી સમગ્ર પરીસર શણગારવાની સાથે દિવડાથી VOTE For BHARAT નો મેસેજ આપવામાં આવ્યો હતો.

ટીમ અતુલ્ય વારસો દ્વારા નિયમિત રીતે ગુજરાતમાં નવા હેરિટેજ સ્થળોની શોધખોળની કામગીરી ચાલતી હોય છે જેના ભાગરૂપે ગત્ત સપ્તાહ...
07/03/2024

ટીમ અતુલ્ય વારસો દ્વારા નિયમિત રીતે ગુજરાતમાં નવા હેરિટેજ સ્થળોની શોધખોળની કામગીરી ચાલતી હોય છે જેના ભાગરૂપે ગત્ત સપ્તાહ છોટા ઉદેપુરની નજીક આવેલ તેજગઢ અને તેની આસપાસનાં વિસ્તારની મુલાકાત લેવાઈ. અહી શોધખોળનો અમારો મુખ્ય હેતુ પર્વતોમાં આવેલ ગુફા ચિત્રોનો અભ્યાસ કરવાનો હતો પણ અમોને ગુફાચિત્રો ઉપરાંત પ્રાચીન દેવાલયો, ભવનો, કિલ્લાની નિશાની, વાવ જેવા અનેક અવશેષો પ્રાપ્ત થયા. જે થકી સાબિત થાય છે કે અહી પ્રાચીન નગર હોવું જોઈએ. અમારી સંશોધન યાત્રા અને પ્રાપ્ત અવશેષોની કેટલીક તસ્વીરો અત્રે રજુ કરી રહ્યા છીએ. આપની આસપાસ જો આવા વિશેષ અવશેષો પ્રાપ્ત થતા હોય તો ધ્યાન દોરશો, દસ્તાવેજીકરણ માટે અમે સહયોગી બની રહીશું.

“અતિતનું અજવાળુ” @ ખેડરોડાઅતુલ્ય વારસો ટીમ દ્વારા આગામી તા.૦૮/૦૩/૨૦૨૪ના રોજ સાંજે ૦૫ કલાકે મહાશિવરાત્રી નિમિત્તે હિંમતનગ...
06/03/2024

“અતિતનું અજવાળુ” @ ખેડરોડા

અતુલ્ય વારસો ટીમ દ્વારા આગામી તા.૦૮/૦૩/૨૦૨૪ના રોજ સાંજે ૦૫ કલાકે મહાશિવરાત્રી નિમિત્તે હિંમતનગર નજીક આવેલ રાયસિંગપુર ગામના ખેડરોડા સમૂહના ૧૦૦૦ વર્ષથી પણ વધારે પ્રાચીન દેવાલયમાં મહાઆરતી કાર્યક્રમનું આયોજન રાખ્યું છે. આ કાર્યક્રમમાં જોડાઈ પુનઃ શ્રધ્ધાનો દીપક પ્રગટાવવા આપ સૌને નમ્ર આમંત્રણ છે.

અતિતનું અજવાળું @ વણઝારી વાવવડોદરાના કરજણ પાસે આવેલ કોલિયાદ તથા ઉરદ ગામ વચ્ચે એક પૌરાણિક વાવ આવેલી છે, આ વાવ ખાતે ટીમ અત...
04/03/2024

અતિતનું અજવાળું @ વણઝારી વાવ

વડોદરાના કરજણ પાસે આવેલ કોલિયાદ તથા ઉરદ ગામ વચ્ચે એક પૌરાણિક વાવ આવેલી છે, આ વાવ ખાતે ટીમ અતુલ્ય વારસો અને સ્થાનિક ગામ લોકોના સહયોગથી વાવમાં દીવડા કરીને તેને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ સાથે આગામી ચૂંટણી માટે ફૂલો તથા દીવડાં ની રંગોળી દ્વારા વોટ ફોર ભારતનો મેસેજ પણ આપવામાં આવ્યો. આ ઉપક્રમે સ્થાનિક ધારાસભ્ય શ્રી અક્ષય પટેલ સાહેબશ્રી તથા તેમની ટીમ ઉપસ્થિત રહી હતી.
આ વાવમાં સિકોતર માતાનું મંદિર આવેલું છે, જ્યાં સ્થાનિક લોકોની ધાર્મિક ભાવના જોડાયેલી છે.

બનાસકાંઠાના અંબાજી પાસે આવેલ કુંભારિયા ખાતે એક પ્રાચીન વાવ આવેલી છે. આ વાવ એક ખેતરમાં આવેલી છે, જેમાં વિષ્ણુની શેષશાયી પ...
27/02/2024

બનાસકાંઠાના અંબાજી પાસે આવેલ કુંભારિયા ખાતે એક પ્રાચીન વાવ આવેલી છે. આ વાવ એક ખેતરમાં આવેલી છે, જેમાં વિષ્ણુની શેષશાયી પ્રતિમા જોવા મળે છે, વાવના નીચેના પડથારના ગોખલામાં ગણેશજીની પ્રતિમા જોઈ શકાય છે. વાવનું સ્થાપત્ય જોતા તે ૬૦૦ વર્ષ કરતા જૂની હોય તેવું માલુમ પડે છે.

સાકરવર્ષા @ સંતરામ મંદિર, નડિયાદ ખેડા જીલ્લાના નડિયાદ ખાતે આવેલ પવિત્ર સંતરામ મંદિર ખાતે પૂજ્યશ્રી સંતરામ મહારાજના સમાધિ...
24/02/2024

સાકરવર્ષા @ સંતરામ મંદિર, નડિયાદ

ખેડા જીલ્લાના નડિયાદ ખાતે આવેલ પવિત્ર સંતરામ મંદિર ખાતે પૂજ્યશ્રી સંતરામ મહારાજના સમાધિ મહોત્સવ નિમિતે મહા મહિનાની પુનમના દિવસે દર વર્ષે સાકરવર્ષા કરવામાં આવે છે, આ દિવસે મંદિરમાં મહા-આરતી નું આયોજન પણ કરવામાં આવે છે, જેનો લાભ લેવા સમગ્ર શહેર તથા જીલ્લાના ભક્તો ઉમટી પડે છે. આ દિવસે નડીયાદમાં મેળો પણ ભરાય છે જે ૩ દિવસ સુધી ચાલે છે.

અતુલ્ય વારસો ટી પાર્ટી @ ઝીંઝુવાડાગુજરાતની ઐતહાસિક ભૂમિ પર એવા અનેક નગરો છે જેનો ઈતિહાસ આજે પણ જીવંત લાગે છે, ઝીંઝુવાડા ...
19/02/2024

અતુલ્ય વારસો ટી પાર્ટી @ ઝીંઝુવાડા

ગુજરાતની ઐતહાસિક ભૂમિ પર એવા અનેક નગરો છે જેનો ઈતિહાસ આજે પણ જીવંત લાગે છે, ઝીંઝુવાડા નગર પણ એવા જ નગરોમાનું એક છે. રવિવારના રોજ ટીમ અતુલ્ય વારસો દ્વારા ઝીંઝુવાડાના મડાપોળ દરવાજા પાસે ટી-પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટી-પાર્ટીમાં સ્થાનિક સહયોગ ખુબ જ મળી રહ્યો, આ દરમ્યાન ઝીંઝુવાડા નગરના સ્થાપત્યો, તેની સંસ્કૃતિ, નાનું રણ, પાળિયા, વાઇલ્ડ લાઈફ વગેરેને સ્થાનિક લેવલે તથા પ્રવાસનની દ્રષ્ટીએ ઉજાગર કરવા અને પ્રવાસન કેવી રીતે વધે અને વિકસે તે બાબતે મુખ્ય ચર્ચા થઈ હતી. આ દરમિયાન સ્થાનિક આગેવાનો અને યુવા લોકો આ ટી-પાર્ટી માં જોડાયા હતા અને પોતાના વિચારો રજૂ કર્યા હતા.

Atulya Varso Tea Party @ Zinzuwada Let's Explore and Talk about the ancient gates, fort, culture, festivals, waterbodies...
16/02/2024

Atulya Varso Tea Party @ Zinzuwada

Let's Explore and Talk about the ancient gates, fort, culture, festivals, waterbodies, Temples and people of Zinzuwada with a cup of a tea.

Date: 18/02/2024
Time: 09:00 to 11:00 am

For More Information: +91-9328312363

ખંભાત - એક પ્રાચીન બંદરગુજરાતના પૌરાણિક બંદરોમાં ખંભાત જાણીતું અને મહત્વનું બંદર હતું. ખંભાત પૌરાણિક સમયમાં સ્તંભતીર્થ ત...
14/02/2024

ખંભાત - એક પ્રાચીન બંદર

ગુજરાતના પૌરાણિક બંદરોમાં ખંભાત જાણીતું અને મહત્વનું બંદર હતું. ખંભાત પૌરાણિક સમયમાં સ્તંભતીર્થ તરીકે ઓળખાતું હતું. આ નગરની માર્કો પોલો (1290) તથા યુરોપિયન પ્રવાસીઓએ તેની સમૃદ્ધિ, વેપાર, મહાલયો, મસ્જિદો વગેરેની પ્રશંસા કરી છે. અહીંથી સુતરાઉ અને રેશમી કાપડ, અકીકની વસ્તુઓ, ગળી, ઔષધિઓ, અનાજ, ખાંડ, ચામડાની વસ્તુઓ, કાગળ, તાળાં, મરીમસાલા, નીલમ વગેરેની નિકાસ થતી હતી.
આ નગરમાં પ્રાચીન સમયની પોળો, દરવાજા, વાવ, કુંડ તથા મંદિરો વગેરે આજે પણ જોવા મળે છે. ૨૦મી સદીના મધ્ય બાદ અહીં કાંપ જમા થતા આ બંદર બિનઉપયોગી થયેલ છે.

ગરમ પાણીના કુંડ - લસુન્દ્રા ખેડા જીલ્લાના લસુન્દ્રા ગામે ગરમ પાણીના કુંડો આવેલા છે, આ વિવિધ કુંડમાં પાણીની ગરમી અલગ અલગ ...
10/02/2024

ગરમ પાણીના કુંડ - લસુન્દ્રા

ખેડા જીલ્લાના લસુન્દ્રા ગામે ગરમ પાણીના કુંડો આવેલા છે, આ વિવિધ કુંડમાં પાણીની ગરમી અલગ અલગ જોવા મળે છે. આ કુવાઓ વચ્ચે માત્ર એક જ દીવાલ છે છતાં તેમાં પાણીનું તાપમાન વિવિધ હોય છે, ચામડીના રોગના દર્દીઓને આ પાણીથી સ્નાન કરવાથી તેમના રોગ આ પાણીથી દુર થાય છે તેવી માન્યતા છે. ગુજરાત રાજ્યમાં ઉનાઈ, ટુવા અને તુલશીશ્યામ પાસે આવા વિવિધ કુંડ આવેલા છે.

વડનગર હેરિટેજ વોક ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વડનગર ખાતે હેરિટેજ વોકની વિકાસ કામગીરી ચાલી રહી છે જેના ભાગ રૂપે અતુલ્ય વાર...
06/02/2024

વડનગર હેરિટેજ વોક

ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વડનગર ખાતે હેરિટેજ વોકની વિકાસ કામગીરી ચાલી રહી છે જેના ભાગ રૂપે અતુલ્ય વારસો સંસ્થા દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓને અવાર-નવાર હેરિટેજ વોક કરાવવામાં આવે છે, જેમાં વડનગર આઈ. ટી. આઈ., ગુજરાત વિદ્યાપીઠ, અર્બન સ્કેચર્સ ના સભ્યો સહિત કુલ ૫૦૦ કરતા વધુ વિદ્યાર્થીઓએ બૌધ મઠ થી હેરિટેજ વોક શરુ કરીને કીર્તિ તોરણ સુધી વડનગરના ૨૫૦૦ વર્ષનો ઈતિહાસ જાણ્યો હતો. આ હેરિટેજ વોક ગુજરાત પ્રવાસનના ટ્રેઈન્ડ ગાઇડ દ્વારા કરાવવામાં આવી હતી. આ વોક દરમિયાન નગરમાં તથા આસપાસના ગામોમાં રહેતા વિદ્યાર્થીઓએ અજાણી વાતો જાણી હતી, મંદિર સ્થાપત્ય, શર્મિષ્ઠા તળાવનો ઈતિહાસ અને રચના, તાના રીરી બહેનોની ગાથા, કીર્તિ તોરણની રચના અને ગુજરાતમાં આવેલા કીર્તિ તોરણ, કિલ્લેબંધ નગર અને દરવાજાનું મહત્વ, જૂના કોતરણી વાળા મકાનો અને તે બનાવવા પાછળનું કારણ વગેરે વિશે જાણકારી મેળવી હતી.

વડનગર હેરિટેજ વોક શા માટે?
વડનગર એક ઐતહાસિક નગર છે, જેનો ૨૫૦૦ વર્ષ જુનો ઈતિહાસ અહીં જોવા અને જાણવા મળે છે. હેરિટેજ વોક દ્વારા કોઇ પણ શહેર/નગરનો ઈતિહાસ, સંસ્કૃતિ, સ્થાપત્ય અને તેનો વારસો ખૂબજ ઓછા સમયમાં જોઈ અને જાણી શકાય છે. આ દરમિયાન એક નક્કી કરેલ રૂટ પર આવનાર પ્રવાસી ચાલતા ચાલતા નગરના લોક જીવનને પણ ખૂબજ નજીકથી અનુભવતા હોય છે.
આ હેરિટેજ વોકના અનુસંધાને આગામી સમયમાં ઐતહાસિક પરિપ્રેક્ષ્યમાં ગુજરાતી અને અંગ્રેજીમાં નગરના ઈતિહાસને રજૂ કરતી માહિતી સભર બ્રોશર રજૂ કરવામાં આવશે. તથા વિવિધ સ્થળોએ જરૂરી જાણકારી મળી રહે તે હેતુથી બે ભાષામાં માહિતી વાળા સાઇન બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે. જે આગામી સમયમાં ભારતીય તથા વિદેશી પ્રવાસીઓને ખુબ જ ઉપયોગી નિવડશે.

તત્કાલિન સમયે કચ્છ મંડળ, કચ્છીય, કચ્છક વિવિધ નામે જાણીતો આ પ્રદેશ આભીર નામે પણ ઓળખાય છે. કચ્છનાં નકશાને ઊંધો રાખીને ધ્યા...
25/01/2024

તત્કાલિન સમયે કચ્છ મંડળ, કચ્છીય, કચ્છક વિવિધ નામે જાણીતો આ પ્રદેશ આભીર નામે પણ ઓળખાય છે. કચ્છનાં નકશાને ઊંધો રાખીને ધ્યાનપૂર્વક જોઈએ તો કાચબા જેવા આકાર લાગે છે જેને લીધે આ વિસ્તારને કચ્છ કહેવાય છે અને એક માન્યતા એવી પણ છે કે કાદવવાળી ઉજ્જડ ભૂમિને કારણે આ પ્રદેશનું કચ્છ નામ પડ્યું. તત્કાલીન સમયનાં કચ્છ રાજ્યમાં અનેક નાના મોટા દરબારગઢ આવેલા હતા આજે પણ અહી જોવા મળતા કિલ્લાઓ અને દરબારગઢનાં અવશેષોથી તેનો ખ્યાલ આવે છે રોહા, તેરા, દેવપર વગેરે જાણીતા ગઢ હતા જેમાંથી આજે પણ દેવપર દરબારગઢ કાર્યરત છે જો કે હાલમાં દેવપર શૈક્ષણિક અને પ્રવાસન દ્રષ્ટિથી સક્રિય છે. અમારા મિત્રશ્રી પ્રમોદભાઈ જેઠીએ કરેલા સંશોધન મુજબ કચ્છમાં ૩૦૦ જેટલા કિલ્લાઓ હતા. અમારા બીજા એક મિત્રશ્રી સંજયભાઈ ઠાકરે તાજેતરમાં કચ્છનાં સેલોર એટલે કે વાવ સ્થાપત્ય પર સંશોધન કરતા ૧૫૦ થી વધુ વાવ શોધી કાઢી અને પુસ્તક સ્વરુપે લોકો સમક્ષ રજુ કરી. આવા અનેકવિધ બાબતોને ધ્યાનમાં રાખીને ટીમ અતુલ્ય વારસો દ્વારા કચ્છ વિશેષાંક પ્રકાશિત કરવાનું નક્કી થયું છે. જે આગામી માસનાં અંત સુધીમાં પ્રકાશિત થશે. કચ્છ વિશેષાંક પ્રવાસન પ્રેમીઓ અને શિક્ષણ સંદર્ભે કાર્યરત સૌને ઉપયોગી નીવડશે તેવી અમોને આશા છે.

On the Historic Occasion of Shri Ram Pran Pratishtha Ceremony at Shri Ram Temple Ayodhya, Team Atulya Varso Received a w...
22/01/2024

On the Historic Occasion of Shri Ram Pran Pratishtha Ceremony at Shri Ram Temple Ayodhya, Team Atulya Varso Received a wonderful gift, a soil of the Sarayu River along with Akshat and a copper coin with Shri Ram Temple Carved on it.

Jai Shri Ram 🙏🏼

અતુલ્ય વારસો ટી પાર્ટી - હાલીસા આજરોજ ગાંધીનગર પાસે આવેલ હાલીસા ગામના ઐતિહાસિક ભમ્મરિયા કૂવા ખાતે અતુલ્ય વારસો ટી પાર્ટી...
21/01/2024

અતુલ્ય વારસો ટી પાર્ટી - હાલીસા

આજરોજ ગાંધીનગર પાસે આવેલ હાલીસા ગામના ઐતિહાસિક ભમ્મરિયા કૂવા ખાતે અતુલ્ય વારસો ટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટી-પાર્ટીમાં ગાંધીનગર અને અમદાવાદથી લોકો જોડાયા હતા, સાથેજ ટીમ અતુલ્ય વારસો અને ગામની પંચાયતની ટીમ સાથે કૂવાની વર્તમાન પરિસ્થિતિનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.
ગામના સ્થાનિક લોકો પણ આ દરમિયાન જોડાયા હતા, જેઓ દ્વારા હાલીસા ગામનું નામ કેવી રીતે પડ્યું, સ્થાનિક કલા કે કારીગર, કુવાનો અંદાજીત નિર્માણ સમય, તેમાં રહેલ ભીંત ચિત્રો વગેરે વિષે ચર્ચા કરવામાં આવી.
આગામી સમયમાં ટીમ અતુલ્ય વારસો દ્વારા હાલીસા ગામના ભમ્મરિયા કૂવાને પ્રવાસનની દ્રષ્ટિએ વિકસાવવામાં આવશે, અને ગામની નજીક આવેલ ઐતિહાસિક કંથારપુરા વડ તથા સાંપાની વાવને અનુલક્ષીને એક પ્રવાસન સર્કીટ વિકસાવવામાં આવશે.

-party

મકરસંક્રાંતિ એ ભારતનો કૃષક તહેવાર છે. ભારત અને એશિયાનાં અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે. મકરસ...
14/01/2024

મકરસંક્રાંતિ એ ભારતનો કૃષક તહેવાર છે. ભારત અને એશિયાનાં અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે. મકરસંક્રાંતિ એ એકજ દિવસે જુદી જુદી રીતે ઉજવાતો મહોત્સવ છે. ભારતના જુદા જુદા રાજ્યોમાં તેને જુદા જુદા નામથી અનેક રીતે ઉજવવામાં આવે છે. ઉત્તર ભારતમાં તે ઉત્તરાયણના નામે ઓળખાય છે. જ્યારે આસામમાં તેને માઘી બિહુ કહે છે, કર્ણાટકમાં સુગ્ગી હબ્બા, કેરળમાં મકરવિક્લુ અને જમ્મુ-કાશ્મીરમાં મકરસંક્રાંતિને શિશુર સેંક્રાંતના નામે જાણીતો છે. આ તહેવાર માત્ર ભારતમાં જ નહીં, નેપાળ અને બાંગ્લાદેશ જેવા પડોશી દેશોમાં પણ ઉજવાય છે. અલગઅલગ ધાર્મિક માન્યતાને આધારે લોકો તેને ઊજવે છે, પરંતુ આ તહેવાર પાછળ એક ખગોળીય ઘટના છે.

મકર સંક્રાંતિ એટલે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં સંક્રાંતિ કરે છે તેથી તેને મકર સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. ઉતરાયણ એટલે સૂર્ય સહેજ ઉત્તર દિશા તરફ ખસે છે. એટલે આ દિવસને ઉત્તરાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે, અહીં સૂર્યનું ઉત્તર દિશા તરફ ખસવું એ ૨૧-૨૨ ડિસેમ્બરથી શરૂ થાય છે. આજના દિવસે સૂર્ય પૂજાનો અનેરો મહિમા છે, પ્રાચીન સમયથી જ વિશ્વમાં લોકો સૂર્યને પૂજતા આવ્યા છે, જેના પુરાવા સૂર્ય મંદિર સ્વરૂપે જુદા જુદા દેશોમાં મળી આવે છે, આપણા ભારતમાં સૂર્ય દેવ તરીકે પૂજાય છે.
ગુજરાત રાજ્યમાં જ સૂર્ય દેવના ૧૦ કરતા વધારે મંદિરો આવેલા છે, ગુજરાતના મોટી ગોપ ગામમાં સૌ-પ્રથમ સૂર્ય મંદિર આવેલું છે. આ મંદિર આશરે ઈ.સ.ની પાંચમી કે છઠ્ઠી સદીમાં બનાવવામાં આવેલું છે.

મકરસંક્રાંતિનો મહત્વપુર્ણ સમય, પરિવર્તનનો, જુનું ત્યજી અને નવું અપનાવવાનો સમય છે. ગુજરાતમાં આ સમયે છડેલા ધાન્યની અને તલની મિઠાઇઓ, ખાધ પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે, બહેન-દિકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે આ ઉપરાંત ઘઉંની ધુધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે. મકરસંક્રાંતિ એ દિવસ છે જ્યારે તમામ ઉંમરનાં લોકો હ્રદયમાં ખુશી અનુભવતા, સુંદર વસ્ત્ર પરિધાન કરી અને વહેલી સવારથી જ પોતાના ઘરની છત અને અગાશીઓ પર ચઢી હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે. આખો દિવસ "કાપ્યો છે!" "એ કાટ્ટા!" "લપેટ લપેટ" જેવી વિવિધ કિકિયારીઓ સાંભળવા મળે છે.

આપ સર્વેને મકરસંક્રાંતિની અનેક શુભકામનાઓ

#મકરસંક્રાંતિ

અત્તરોની નગરી પાલનપુરઉત્તર ગુજરાતનું પાલનપુર શહેર એ ઘણું જ ઐતિહાસિક શહેર છે અને આ શહેર જે-તે સમયે અત્તરોની નગરી તરીકે જા...
12/01/2024

અત્તરોની નગરી પાલનપુર

ઉત્તર ગુજરાતનું પાલનપુર શહેર એ ઘણું જ ઐતિહાસિક શહેર છે અને આ શહેર જે-તે સમયે અત્તરોની નગરી તરીકે જાણીતુ હતુ જો કે હાલમાં આ શહેરમાં એક-બે અત્તરોની દુકાન જ જોવા મળે છે. પાલનપુર શહેર પહેલા પાલણપુર નામે ઓળખાતુ અને અહી મોટા પાયા પર ફૂલોની ખેતી થતી તેમજ કેવડાનું જંગલ હોવાના પ્રમાણો મળે છે. અમદાવાદથી આબુ રેલ્વે લાઈન પર ટ્રેન સ્ટેશન પર દાખલ થતા જ ફૂલોની સુગંધ સમગ્ર ટ્રેનમાં પ્રસરી જતી. ફેરિયાઓ ફૂલોના વેચાણ માટે પોકાર કરતા હોય તો માની લેવુ કે પાલનપુરનું સ્ટેશન છે.

વડનગર ખાતે ગત રવિવારના રોજ ગુજરાત ટુરીઝમ દ્વારા નગરના સ્થાપત્યો અને નગરશૈલીને ઉજાગર કરવાના હેતુસર લાઈવ સ્કેચિંગનો કાર્યક...
10/01/2024

વડનગર ખાતે ગત રવિવારના રોજ ગુજરાત ટુરીઝમ દ્વારા નગરના સ્થાપત્યો અને નગરશૈલીને ઉજાગર કરવાના હેતુસર લાઈવ સ્કેચિંગનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અર્બન સ્કેચર્સ, અમદાવાદની ટીમ જોડાઈ હતી અને તેઓએ વડનગરની હેરીટેજ વોક કરી હતી, જે અગાઉ ગાઈડ ટ્રેનીંગ દ્વારા તૈયાર થયેલ ગાઈડ દ્વારા કરાવવામાં આવેલ હતી, હેરીટેજ વોક બાદ તેઓએ ગ્રુપ દ્વારા નગરના વિવિધ સ્થાપત્યો તથા જીવન શૈલીને કંડારવાનું શરુ કર્યું હતું જેમાં બુદ્ધિસ્ટ મોનાસ્ટરી, શીતળા માતા મંદિર, હાથીવાળું અને ચૌટાવાળું દેરાસર, પ્રેરણા સ્કુલ, કલોકટાવર આર્ટ ગેલેરી, હાટકેશ્વર મહાદેવ મંદિર, માર્કેટ અને નગર રચના, અર્જુન બારી દરવાજો, કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ અને પથ્થરની અને લાકડાની હવેલીઓના ચિત્રો બનાવ્યા હતા, જેનું સાંજે અતુલ્ય વારસો દ્વારા આયોજિત ટી-પાર્ટીમાં નગરના લોકો સમક્ષ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ટી-પાર્ટી દરમિયાન વડનગરના ઘણા લોકો જોડાયા હતા અને વડનગરના વારસાને તથા વિવિધ લોકોને જોડીને કઈ રીતે આગળ વધીએ તે બાબતે તેમના અભિપ્રાય આપ્યા હતા.

વડનગર ખાતે હેરિટેજ વોક ગાઈડીંગ માટે વિશેષ તાલિમ કાર્યક્રમ આયોજિત થયોકોઈ પણ શહેરનો આત્મા તેના લોકો અને રહેણીકરણી છે, ઐતિહ...
27/12/2023

વડનગર ખાતે હેરિટેજ વોક ગાઈડીંગ માટે વિશેષ તાલિમ કાર્યક્રમ આયોજિત થયો

કોઈ પણ શહેરનો આત્મા તેના લોકો અને રહેણીકરણી છે, ઐતિહાસિક શહેરને જાણવા અને માણવા ત્યાનાં સ્થાનિક લોકોને જાણવા તેમની જીવનશૈલી માણવી આવશ્યક છે. વળી, કોઈ પણ શહેરમાં પ્રવાસન વિકાસ થાય પણ જ્યાર સુધી લોકજોડાણ ન હોય ત્યાં સુધી એ પ્રવાસન ટકાઉ ન બને. આ કાર્યમાં હેરિટેજ વોક ખુબ જ ઉપયોગી નીવડે છે. થોડા સમયમાં કોઈ પણ શહેરને જાણવું અને સમગ્ર શહેરની ઐતિહાસિકતા અને સાંસ્કૃતિકતાને સમજવામાં હેરિટેજ વોક સહયોગી બને છે. વડનગર ખાતે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા હેરિટેજ વોક રૂટ ડિઝાઈન કરવાની કામગીરી ચાલી રહી છે જેના ભાગરૂપે ગત્ત ૨૨થી ૨૩ ડીસેમ્બર ૨૦૨૩ દરમ્યાન વિવિધ ગાઈડને હેરિટેજ વોક કઈ રીતે કરાવવી અને તે થકી કઈ રીતે બહારથી આવતા પ્રવાસીઓને વડનગરનાં સ્થાનિક લોકો સાથે જોડી શકીએ તેની સમજ આપવામાં આવી. અમદાવાદ અને ગાંધીનગરમાં હેરિટેજ માટે કાર્યરત વિવિધ નિષ્ણાંતો દ્વારા આ વોક ગાઈડ તાલીમ આપવામાં આવી હતી. આગામી સમયમાં આ વડનગર હેરિટેજ વોક જનસમૂહ માટે પ્રવાસન દ્રષ્ટિએ ખુલ્લું મુકવામાં આવશે.

રાણકદેવી મંદિર, વઢવાણ સુરેન્દ્રનગરના વઢવાણ શહેરમાં આશરે ૧૦મી સદીનું પૌરાણિક રાણકદેવીનું મંદિર આવેલું છે,આ મંદિર 9 મીટર જ...
20/12/2023

રાણકદેવી મંદિર, વઢવાણ

સુરેન્દ્રનગરના વઢવાણ શહેરમાં આશરે ૧૦મી સદીનું પૌરાણિક રાણકદેવીનું મંદિર આવેલું છે,આ મંદિર 9 મીટર જેટલું ઊંચું છે. મંદિરના શિખર ઉપર આમલક અને કળશ છે મંદિરની બહારની દીવાલોમાં કીર્તિમુખ, ચૈત્ય, ગવાક્ષ, લટકતા ઘંટ અને તમાલપત્રનાં શિલ્પો શોભામાં અભિવૃદ્ધિ કરે છે.

🌏 જય હો! ગુજરાત ☀️ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર એવા ગરબાને યુનેસ્કો દ્વારા ઇન્ટેંજીબલ હેરીટેજ લીસ્ટમાં સામેલ કરવામાં આવેલ છે...
06/12/2023

🌏 જય હો! ગુજરાત

☀️ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર એવા ગરબાને યુનેસ્કો દ્વારા ઇન્ટેંજીબલ હેરીટેજ લીસ્ટમાં સામેલ કરવામાં આવેલ છે. સમગ્ર ભારતવાસીઓ માટે આ ગૌરવની ક્ષણ છે.
સૌ ગુજરાતી ભાઈ-બહેનને અનેક શુભકામનાઓ
જય જય ગરવી ગુજરાત 🙏

UNESCO

શું આપ જાણો છો? પ્રાચીન સમયે ગુજરાતમાં પૌરાણિક બંદરો ખુબ જ સમૃદ્ધ હતા અને ત્યાં શંખને લગતા વ્યાપાર પણ ઘણા વિકસ્યા હતા, શ...
04/12/2023

શું આપ જાણો છો?

પ્રાચીન સમયે ગુજરાતમાં પૌરાણિક બંદરો ખુબ જ સમૃદ્ધ હતા અને ત્યાં શંખને લગતા વ્યાપાર પણ ઘણા વિકસ્યા હતા, શંખમાંથી બંગડીઓ બનાવવાનો ઉદ્યોગ ખુબજ પ્રચલિત હતો. પ્રાચીન ભારતની ગૃહિણીઓ શંખની પ્રાકૃત બંગડીઓ પહેરવી તેને સૌભાગ્યની નિશાની ગણી પહેરવાનો આગ્રહ રાખતી હતી.

ખંભાલીડાનું ચૈત્યગૃહ આ ગુફાઓ રાજકોટના ગોંડલ તાલુકાના ખંભાલીડા ગામે આવેલ છે, તેના શિલ્પો પરથી તેનો સમય ઈસુની ત્રીજી-ચોથી ...
30/11/2023

ખંભાલીડાનું ચૈત્યગૃહ
આ ગુફાઓ રાજકોટના ગોંડલ તાલુકાના ખંભાલીડા ગામે આવેલ છે, તેના શિલ્પો પરથી તેનો સમય ઈસુની ત્રીજી-ચોથી શતાબ્દીનો કલ્પવામાં આવે છે. આ ગુફાઓના મુખ્ય દ્વાર પર પૂરા કદની પદ્મપાણિ અવલોકિતેશ્વર તથા વજ્રપાણિ નામના બોધિસત્ત્વની મૂર્તિઓ સાથે ભક્ત સમુદાય કંડારેલ છે.

#બુદ્ધ

Address

Ahmedabad
380014

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 6pm
Sunday 10am - 6pm

Alerts

Be the first to know and let us send you an email when Atulya Varso Magazine posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Atulya Varso Magazine:

Videos

Share

Category

Nearby media companies