Aapdu Amreli

Aapdu Amreli Latest and Breaking News on Amreli.

13/10/2022
11/08/2022
09/08/2022

ભક્તરાજ દ.શ્રી દાદાબાપુ માત્રાબાપુ ખુમાણ સાવરકુંડલા

સાવરકુંડલા નામ પડતા જ સહુના મનમા એક નામ સંભળાય જે છે જોગીદાસબાપુ ખુમાણ એ ખુમાણ નુ ચારિત્ર્ય કેવુ હશે...જે આપણ ને ઝવેરચંદ મેધાણી લિખિત સોરઠી બહારવટીયા માં જાણવા મળે છે કે....

ઠણકો નાર થીયે, (તારૂં) ચિત ખૂમા ! ચળીયું નહિ;
ભાખર ભીલડીયે, (ઓલ્યો) જડધર મેાહ્યો જોગડા !

[હે જોગી જેવા જોગા ખુમાણ ! જટાધારી શંકર સરીખા તો પામર ભીલડીને માથે મોહી પડ્યા; પરંતુ તારૂં ચિત્ત તો કોઈ નારીના પગના ઠણકારથી કદાપિ નથી ચળતું.]

ખુમાણોમાં લોમાબાપુ હોઈ કે જોગીદાસ બાપુ કે પછી ઓઢાબાપુ (આસોદર) કે પીઠાબાપુ (શેલણા) જેવા શૂરવીરો અને દાતારો ના પ્રસંગો સૌરાષ્ટ્ર ના અસંખ્ય સાહિત્ય સંગ્રહમાં નોંધાયેલા છે અને આટલા નામો તો મારા મુખ પર છે પરંતુ એ ઉપરાંત અનેક એવા ખુમાણોમાં થયેલા શુરવીરો છે કે હું અહિ લખવા બેશુ તો મુળ મુદ્દા થી કદાચ ભટકી જાવ!

આપણે વાત કરવી છે ખુમાણો ની ભક્તિ ની કે જેઓની ભક્તિ થી મોહિત થઈ સાક્ષાત પ્રભુ ને પણ એકવાર પોતાના ભક્ત ને દર્શન આપવા જ પડે એવા ભક્તો એટલે પાંચાળ ભૂમિ ની વાત આવે ને પાળીયાદ અચૂક સાંભરે જ્યા ભક્તરાજ વિસામણબાપુ નુ પિરાણુ હાજરા હાજુર છે જેઓ મંન શાખાના ખુમાણ હતા તેમજ સાવરકુંડલામાં વાત કરીએ તો ભક્તરાજ દાદાબાપુ ખુમાણ.

https://www.facebook.com/historyofkathiyawad

આજ થી સવાસો વર્ષ થી પણ વધુ વર્ષો પહેલા સાવરકુંડલા ગામમાં ભગવાન શ્રી સહજાનંદ મહારાજ ના પરંમ ભક્ત એવા દ.શ્રી દાદાબાપુ માત્રાબાપુ ખુમાણ થયા જેઓ એ પોતાનુ તન,મન,ધન એમ સર્વશ્વ શ્રીજી મહારાજ ના ચરણોમાં અર્પણ કરી દિધુ અને લોકો કહેતા કે દાદાબાપુ તો શ્રીજી મહારાજ હારે વાતો કરતા જોકે એમા નવાઈ તો જ ન હોય કારણ કે દાદા નામ જ એવુ હતુ જેથી ભગવાન ગઢપુર મા પણ દાદા ખાચર ની ભક્તિ થી મોહિત થયા હતા જ્યારે અહી દાદા ખુમાણ ની ભક્તિ થી પ્રભુ મોહિત થયા.

દાદાબાપુ એ મારા મોસાળ પક્ષમા જ થયા એટલે કે મારા નાનાબાપુ દ.શ્રી ઓઢાબાપુ ખુમાણ ના મોટાબાપુ થાય એટલે મે મારા નાનાબાપુ ની હયાતી મા એમની અનેક વાતો સાંભળેલી જોકે તેઓ મારા નાનાબાપુ ના જન્મ પહેલા જ તેમનુ અવસાન થયેલુ જ્યારે દાદાબાપુ ની ઉંમર માત્ર ૨૧ વર્ષ જ હતી.

મારા નાનાબાપુ તેમના બાપુ દ.શ્રી ભાણબાપુ માત્રાબાપુ ખુમાણ અને પરિવાર ના સભ્યો પાસેથી તેમની વાતો સાંભળેલી. દાદાબાપુ એ લગ્ન કર્યો ન હતા અને આજીવન બ્રહ્મચાર્ય પાળીયુ હતુ.તેઓ પોતાની રસોઈ પણ જાતે જ બનાવતા હતા અને પોતાના મંનખો (જીવન) પ્રભુ પાછળ જ સમર્પીત કરી દિધુ મારા મોટાબાપુ સ્વ. જગુબાપુ જેબલીયા જેઓ કહેતા કે કાઠી નો દિકરો જે મારગ પકડે એના પછી સીમાડા ન જ હોય એ પછી અન્યાય સામે આંચરેલો યુદ્ધ નો મારગ હોય કે ભગવાન ને પણ ધરતી પર આવવા મજબુર કરવા ભક્તિ નો મારગ હોય જે આપણે ઝવેરચંદ મેધાણી લિખિત સોરઠી બહારવટીયા અને સોરઠી સંતો વાંચતા આ વાત સાર્થક થતી જણાય છે જે વાત દાદાબાપુ ના જીવનમાં પણ ખરા અર્થમાં સાર્થક થતી હતી.

દાદાબાપુ જ્યારે સાવરકુંડલા થી ગઢપુર નો પ્રવાસ કરતા ત્યારે ધોડાગાડી કે કોઈપણ જાત ના વાહન નો ઉપયોગ ન કરતા પરંતુ પગપાળા જ જતા હતા.જો સાવરકુંડલા થી ગઢપુર વચ્ચેનું અંતર જોઈએ તો ૧૦૦ કિલોમીટર આસપાસ છે જોકે માંનતા હોય તો એકવાર તો આપણે પણ જઈ શકીએ પરંતુ વળતી ખેરે તો વાહનમાં જ પરંત ફરવાનુ હોય જ્યારે દાદાબાપુ પોતાના જીવનકાળ દરમિયાન આ નિયમ નુ પાલન કર્યુ હતુ કારણ કે જેના જીવન નો તાર સાક્ષાત ભગવાન જોડે જોડાયેલો હોય એને થાક શબ્દ શું છે?એની શું ખબર હોય!

એકવાર દાદાબાપુ ને ગઢપુર મંદિરમા વડતાલગાદી પતિ વિહારીલાલજી મહારાજ જેઓ દાદાબાપુ ને રસોઈ બનાવતા જોઈ ગયા ને બોલ્યા 'ભક્તરાજ હાથે દાજો છો" (પોતાનુ ભોજન હાથે બનાવો છો) દ.શ્રી દાદાબાપુ બોલ્યા મહારાજ મારે આ આજીવન નિમ છે ત્યારે વિહારીલાલજી મહારાજ બોલ્યા હુ અહીથી એક ભગત ને તમારી ભેગા મોકલુ જેઓ તમારી સેવા કરશે તેઓ હતા રામજી ભગત તેઓ ગઢપુર થી દાદાબાપુ ની સાથે આવેલા અને સાવરકુંડલા જ રહેતા અને દાદાબાપુ ની સેવા કરતા દાદાબાપુ એ પોતાનુ જીવન શ્રીજી મહારાજ ની ભક્તિ અને શ્રીજી મહારાજ ના વંશજ વિહારીલાલજી મહારાજ ની સેવામાં સમર્પીત કરેલુ આ વાત સાંભળતા એવુ લાગે કે ગઢપુર ઈતિહાસ નું પુનરાવર્તન થયુ હોય ત્યા ભક્તરાજ દ.શ્રી દાદા ખાચર તેમજ સહજાનંદ સ્વામી હતા જ્યારે અહીયા ભક્તરાજ દ.શ્રી દાદા ખુમાણ અને વિહારીલાલજી મહારાજ થયા.

કહેવાય છે ને કે સારા માણસ ની જરૂરિયાત તો ભગવાન ના ધામમાં પણ હોય છે બસ આમ જ દિવસો વિતતા ગયા ને એ દિવસ પણ આવી ગયો કે જેદી દાદાબાપુ અક્ષરધામમાં વાસ થયો. તેઓ એ પોતાના મૃત્યુ પહેલા જ કહી દિધુ હતુ કે હવે મારો સમય અહી પુર્ણ થાય છે અને જ્યારે તેમના બા (માતા) આ વાત સાંભળી રડતા હતા ત્યારે દાદાબાપુ કહેતા માં તમે રડોમાં તમારો દાદો તો અક્ષરધામ જાઈ છે અને ભગવાન નુ તેડુ છે અને બસ આ વાતના બીજા જ દિવસે તેઓ નો અક્ષરવાસ થયો અને બધા લોકો કહેતા કે એ સમયે કઈંક ચમત્કાર પણ થયેલો જે ભગવાન ની હાજરી નો અનુભવ કરાવી ગયો આમ દાદાબાપુ નો અક્ષરવાસ થયો.

https://www.facebook.com/historyofkathiyawad

ત્યારબાદ મારા નાનાબાપુ ના બાપુ દ.શ્રી ભાણબાપુ ખુમાણ જેઓ સાવરકુંડલા ભાગદારોમાં સૌથી મોટા હતા તેમજ દાદાબાપુ ના સગા નાનાભાઈ હતા જેઓ એ સાવરકુંડલામાં શ્રીજી મહારાજ નુ મંદિર બનાવવા જમીન અર્પણ કરેલી જ્યા આજે ભવ્ય શિખરબંધ મંદિર છે ત્યા દાદાબાપુ અને વિહારીલાલજી મહારાજ ની વિશાળ પ્રતિમા મુકવામાં આવી છે.

આજ પણ મારો મોસાળ પરીવાર દ.શ્રી મોટાબાપુ ભાણબાપુ ખુમાણ અને દ.શ્રી ઓઢાબાપુ ભાણબાપુ ખુમાણ પોતાને વારસામાં મળેલી સત્સંગી ની પરંપરા ચારપેઢી થી જાળવી રાખી છે આજે શ્રાવણ સુદ દશમ ના રોજ દાદાબાપુ ની પુણ્યતિથી છે જેથી આજે બાપુ ના સમ્મરણો તાજા થયા.

જય સ્વામિનારાયણ
જય સૂર્યદેવ ☀️
જય કાઠીયાવાડ 🚩

✍ રાજદિપસિંહ જેબલીયા

15/06/2022

આપણે હાલમાં ઘણા લોકોને જોતા જોઇએ છીએ જે લોકો તેમના જીવનમાં સારા કામ કરીને માનવતા મહેકાવતા હોય છે, હાલના ચાલી

14/06/2022

માળિલા જેવા સાવ નાનકડા ગામડામાં જન્મ લઈ ઈફ્કોના ચેરમેન, એનસીયુઆઈ અને ગુજકોમાસોલના ચેરમેન પદે પહોંચેલા દિલીપભાઈ ....

04/06/2022
08/05/2022

Gujarat બગસરા તાલુકાની કાગદડીની સીમમાં ગોજારી ઘટના,બોરમાંથી મોટર કાઢતી વખતે લાગ્યો ખેડૂતને વીજ શોક,2 નાં મોત,જુઓ વીડિય...

05/05/2022

અમરેલી ફાયરવિભાગ દ્વારા રહેઠાણ મકાન માં આગ લાગતા જીવના જોખમે કાબુ માં લીધી.

04/05/2022

🔴 🔵

💫 *લીલીયા પો.સ્ટે., વિસ્તારમાં સીમ ચોરી કરતા આરોપીઓને ઝડપી પાડી ચોરી કરેલ ઝટકા મશીન તથા પાવર સેવર બેટરી વિગેરે મુદામાલ સાથે ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ*

💫 *શ્રી અશોક કુમાર યાદવ સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગર* નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ, *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિહં સાહેબ,* દ્વારા અમરેલી જિલ્લામાં અગાઉ બનેલ સીમ ચોરી તથા ચોરીનાં ગુન્હાઓ કે જે અનડીટેક્ટ રહેવા પામેલ હોય, તેવા ગુન્હાઓનો ઉંડાણપુર્વંક અભ્યાસ કરી આવા ગુન્હાઓનો ડીટેક્ટ કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરી તેનાં મુળ માલીકને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સહી સલામત મળી રહે, અને આવા ચોરી કરતા ઈસમોને સત્વરે પકડી જેલ હવાલે કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે તા.૦૩/૦૫/૨૦૨૨ ના રોજ *એસ.ઓ.જી પો.સ.ઈ. એસ.આર.શર્મા,* તથા *એસ.ઓ.જી.ટીમ* લીલીયા પો.સ્ટે., વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન ખાનગી રાહે હકિકત મળેલ કે, લીલીયા પો.સ્ટે.નાં ખારા ગામે ગૌશાળા પાસે રોડ ઉપર હરેશભાઇ ધનાભાઇ દેવીપુજક તથા સુરેશભાઇ બબાભાઇ દેવીપુજક તથા બાબાભાઇ બચુભાઇ કાઠી દરબાબ એમ ત્રણેય જણા ચોરી અથવા છળકપટથી મેળવેલ ઝટકા મશીન તથા બેટરી તથા મોટર પંપ વિગેરે સામાન સાથે ઉભેલ છે અને સદરહુ સામાન વેચવાની પેરવીમાં હોય જે અન્વયે મળેલ ખાનગી બાતમી વર્ણન વાળા ઈસમોને ચોરીના મુદામાલ સાથે ઝડપી પાડવામા આવેલ છે. અને મજકુર ઇસમોની પુછપરછ દરમિયાન લીલીયા પો.સ્ટે. વિસ્તારના અલગ અલગ વાડી/સીમ વિસ્તાર માથી ઝટકા મશીન તથા પાવર સેવર બેટરી તથા પાણીની મોટર વિગેરેની ચોરી કરેલ હોવાની કબુલાતા આપેલ છે.

💫 *પકડાયેલ આરોપીઓ*
1️⃣હરેશભાઇ ધનાભાઇ વાઘેલા ઉવ.૨૭ ધંધો-મજુરી રહે.ઢાંગલા તા.લીલીયા જી.અમરેલી
2️⃣સુરેશભાઇ ઉર્ફે નાનકો બબાભાઇ વાઘેલા ઉવ.૨૧ રહે.ખારા તા.લીલીયા જી.અમરેલી
3️⃣બાબાભાઇ બચુભાઇ ખુમાણ ઉવ.૫૫ ધંધો-મજુરી રહે.ઢાંગલા, તા.લીલીયા જી.અમરેલી

✨ *આરોપી પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ*
મજકુર પકડાયેલ આરોપીઓ પાસેથી (૧) એક શિવાય કંપનીનુ સફેદ તથા કેસરી કલરનુ વાડી ખેતરમાં વપરાતુ જુના જેવુ ઝટકા મશીન તથા એક કંપનીનુ નામ લખ્યા વગરની કાળા કલરની પાવર સેવર બેટરી કિ.રૂા.૬૦૦૦/- (૨) એક બલવાન કંપનીનુ પોપટી કલરનુ વાડી ખેતરમાં વપરાતુ જુના જેવુ ઝટકા મશીન તથા એક પાવર ઝોન કંપનીની કાળા કલરની પાવર સેવર બેટરી કિ.રૂ.૫૦૦૦/- (૩) એક FOREX લખેલ જુના જેવી પાણીની મોટર પંપ જેની કિં.રૂા.૧૦૦૦/- તથા (૪) એક સેમસંગ કંપનીનો બ્લ્યુ કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવેલ જેની કિ.રૂા.૩૦૦૦/-
મળી *કુલ રૂા.૧૫૦૦૦/-* ના સીમ ચોરીના મુદામાલ સાથે ઝડપી પાડેલ છે. મજકુર પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ વધુ તપાસ અર્થે લીલીયા પો.સ્ટે., ખાતે સોંપી આપેલ છે.

💫 આમ, *પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ* ની સુચના અને માર્ગદર્શન મુજબ લીલીયા પો.સ્ટે., વિસ્તારનાં સીમ ચોરી કરતા આરોપીઓને ચોરી કરેલ ઝટકા મશીન તથા પાવર સેવર બેટરી વિગેરે મુદામાલ સાથે ઝડપી પાડવામાં અમરેલી *એસ.ઓ.જી.નાં પો.સ.ઇ.શ્રી એસ.આર.શર્મા,* તથા *એસ.ઓ.જી.* ટીમને સફળતા મળેલ છે.

04/05/2022

*અમરેલી તાલુકા પો.સ્ટે., વિસ્તારનાં ૬ (છ) જુગાર રમતા શકુનીઓને રોકડ રકમ, તથા મોબાઇલ, સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૧૭,૪૨૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ*

💫 *શ્રી અશોક કુમાર યાદવ સાહેબ, પોલીસ મહનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગર* નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ, *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ* નાઓ દ્વારા જીલ્‍લામાંથી જુગારની બદીને સદંત્તર નેસ્ત નાબુદ કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય, અને આવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી તાલુકા પો.સ્ટે., વિસ્તારમાં એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી સબંઘે પેટ્રોલીંગમાં હતા દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, અમરેલી રોકડીયા પરા, ચામુંડા કિરાણા સ્ટોર ની બાજુની શેરી પાસે, બાવળની કાંટમાં જાહેરમાં કેટલાંક ઇસમો ગોળ કુંડાળુ વળીને પૈસા પાના વડે હાર-જીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે *અમરેલી એસ.ઓ.જી.પો.સ.ઇ.શ્રી એસ.આર.શર્મા તથા એસ.ઓ.જી.ટીમે* બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા છ ઈસમોને જુગાર રમતા ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

💫 *રેઇડ દરમ્‍યાન પકડાયેલ ઇસમો*
1️⃣ભુપતભાઇ મોરભાઇ મોરવાડીયા, ઉ.વ.૫૪, ધંધો.મજુરી, રહે.અમરેલી, રોકડીયા પરા, દશા માતાજીનાં મંદિર પાસે, ચામુંડા કિરાણા સ્ટોરની બાજુમાં તા.જી.અમરેલી.
2️⃣હરેશભાઇ ધનજીભાઇ પાટડીયા, ઉ.વ.૨૮, ધંધો.મજુરી, રહે.અમરેલી, રોકડીયા પરા, દશા માતાજીનાં મંદિર પાસે, ચામુંડા કિરાણા સ્ટોરની બાજુમાં તા.જી.અમરેલી.
3️⃣જગદિશ ઉર્ફ જગી રાજુભાઇ વાધેલા, ઉ.વ.૨૦, ધંધો.મજુરી, રહે.અમરેલી, રોકડીયા પરા, ચતુરભાઇ ભંગારવાળાનાં ડેલા પાસે, તા.જી.અમરેલી.
4️⃣વિજય ઉર્ફે કાળોનાગ રૂડાભાઇ માથાસુળીયા, ઉ.વ.૨૯, ધંધો. મજુરી, રહે.અમરેલી-સાવરકુંડલા રોડ, મરફતપરા, લીલાનગર, તા.જી.અમરેલી.
5️⃣ભરત ઉર્ફે ટકો બાજુભાઇ ચારોલા, ઉ.વ.૪૦, ધંધો.મજુરી, રહે.અમરેલી, રોકડીયા પરા, સાવરકુંડલા બાયપાસ રોડ, રાજશકિત કિરાણા સ્ટોર, પાસે તા.જી.અમરેલી.
6️⃣અશ્વિન ઉર્ફે કાળુ ધીરૂભાઇ મોલાડીયા, ઉ.વ.૪૨, ધંધો. મજુરી, રહે.અમરેલી, રોકડીયા પરા, દશા માતાજીનાં મંદિર પાસે, ચામુંડા કિરાણા સ્ટોરની બાજુમાં તા.જી.અમરેલી.

💫 *પકડાયેલ મુદામાલઃ-*
મજકુર પકડાયેલ ૬ (છ) એ ઇસમો અમરેલી રોકડીયા પરા, ચામુંડા કિરાણા સ્ટોર ની બાજુની શેરી પાસે, બાવળની કાંટમાં જાહેરમાં કેટલાંક ઇસમો ગોળ કુંડાળુ વળીને પૈસા પાના વડે હાર-જીતનો જુગાર રમતા કુલ રોકડ રકમ *રૂા.૧૧,૪૨૦/-* તથા મોબાઇલ ફોન નંગ-૦૩, કિ.રૂા.૬,૦૦૦/- તથા ગંજી પત્તાના પાના નંગ-૫૨, કિ.રૂા.૦૦/- એમ કુલ *કિ.રૂા.૧૭,૪૨૦/--* ના મુદામાલ સાથે ઝડપી પાડેલ, મજકુર પકડાયેલ ૬ (છ)એ ઈસમો વિરૂધ્ધ અમરેલી તાલુકા પો.સ્ટે., માં ગુન્હો રજી. કરાવી આગળની ઘટતી કાર્યવાહી અર્થે સોપી આપેલ છે.

💫 આમ, *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ* નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ *એસ.ઓ.જી.* અમરેલીનાં *પો.સ.ઇ.શ્રી એસ.આર.શર્મા* તથા *એસ.ઓ.જી.ટીમ* ને જુગાર રમતા છ ઈસમોને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

02/05/2022

અમરેલી જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન ઉપર છુટી ફરાર થઇ ગયેલ કાચા કામના કેદીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.*

💫 *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ* નાઓએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્‍વયે *અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ.શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી* નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા અમરેલી જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન ઉપર છુટીને ફરાર થઇ ગયેલ નાસતા ફરતા કેદીને રાજુલા બસ સ્‍ટેન્‍ડ પાસેથી પકડી પાડવામાં સફળતા મેળવેલ છે.

💫 ફરાર થયેલ કેદી અમરેલી જિલ્લા જેલ ખાતે પ્રોહિબીશનના કેસમાં કાચા કામના કેદી તરીકે હોય અને હાલ કોરોના વૈશ્વિક મહામારી સબબ આ કેદીને તા.૧૮/૦૧/૨૦૨૨ ના રોજ દિન-૬૦ માટે વચગાળાના જામીન ઉપર મુક્ત કરવામાં આવેલ. આ કેદીને તા.૨૦/૦૩/૨૦૨૨ ના રોજ અમરેલી જિલ્લા જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ આ કેદી જિલ્લા જેલ ખાતે હાજર થવાને બદલે ફરાર થઇ ગયેલ હતો.

💫 *પકડાયેલ કેદીઃ-*
કૈલાશભાઇ સોમાભાઇ સોલંકી, ઉ.વ.૩૭, રહે.જાફરાબાદ, પીપળી કાંઠા, તા.જાફરાબાદ, જિ.અમરેલી

💫 પકડાયેલ કેદીને અમરેલી જિલ્લા ખેલ ખાતે કેદ રહેવા સારુ મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

💫 આ કામગીરી *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ* ની સુચના અને માર્ગદર્શન હેઠળ *અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ.શ્રી આર.કે.કરમટા, પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ* દ્વારા કરવામાં આવેલ છે.

29/04/2022

બ્રેકીંગ.....

અમરેલી-સાવરકુંડલાના ખડસલી નજીક બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત......
સાવરકુંડલાના મહુવા રોડ પર આવેલ ખડસલી ગામના પાટીયા પાસે બે કાર સામસામી ટકરાઈ.......
કારમાં સવાર 4 મુસાફરો થયા ઇજાગ્રસ્ત.....
3 ને સામાન્ય ઇજાઓ ને એક ની હાલત ગંભીર ......
108 દ્વારા ઇજાગ્રસ્તોને પ્રથમ સાવરકુંડલા બાદ અમરેલી રીફર કરાયા........

26/04/2022

અમરેલી માર્કેટીંગયાર્ડ દ્વારા ખેડૂત હિત માટે અનેકવિધ પગલા લેવાઇ રહ્યાં છે ત્યારે આજે યાર્ડમા માલ વેચવા આવેલા ખે....

24/04/2022
23/04/2022

ખેતર માલિક ટ્રેકટર લઈને ખેતરે પહોંચ્યો ત્યારે ચાર સિંહો શિકારની મિજબાની માણતા નજરે પડ્યા

.

19/04/2022

જિલ્લા પંચાયત અમરેલીમાં સામાન્ય સભામાં અધિકારીઓ દ્વારા કામો ન થતા ચેરમેન. સભ્યો વિકાસ ના કામો નો થતા નારાજગી વ્યક્ત કરી.

19/04/2022
17/04/2022
16/04/2022

આજે બપોરે સાવરકુંડલા થી પીપાવાવ તરફ જતી ગુડ્ઝ ટ્રેન માં અંદાજે ૨૨ વર્ષીય યુવાન કપાઈ ગયો હતો આ યુવાનની ડેડબોડીને સ....

16/04/2022
15/04/2022
15/04/2022

કોલેજ કાળ થી મારો તેની સાથે નો મિત્ર તરીકે નાતો રહ્યો છે, હંમેશા કૈક નવું કરવું, યુવાનો ના સર્વાંગી વિકાસ માટે સતત પ...

13/04/2022

અમરેલી માર્કેટીંગયાર્ડમા કપાસ લઇને આવેલા એક ખેડૂત પાસેથી હરરાજીમા કપાસની ખરીદી કર્યા બાદ અહીની વેપારી પેઢીએ ભા.....

Address

Amreli

Alerts

Be the first to know and let us send you an email when Aapdu Amreli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Aapdu Amreli:

Videos

Share

Nearby media companies