Yagnik Patel

Yagnik Patel Video Creator

આજે સાંજે લાલ કિલ્લા પાસે એક કારમાં વિસ્ફોટ થતાં દિલ્હી ભયાનક અવાજથી હચમચી ઉઠ્યું. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેના કા...
11/11/2025

આજે સાંજે લાલ કિલ્લા પાસે એક કારમાં વિસ્ફોટ થતાં દિલ્હી ભયાનક અવાજથી હચમચી ઉઠ્યું. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેના કારણે વ્યાપક ગભરાટ ફેલાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કાર એક જ ક્ષણમાં આગના ગોળામાં ફેરવાઈ ગઈ અને આગની જ્વાળાઓ નજીકના સાત કે આઠ વાહનોને લપેટમાં લઈ ગઈ. અંદાજે 8 લોકોના દુઃખદ મોત થયા અને 24 ઘાયલ થયા. વિસ્ફોટ સાંજે ૬:૫૫ વાગ્યે થયો હતો અને ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. વિસ્ફોટ બાદ, દિલ્હી પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી. હાલમાં તે સ્પષ્ટ નથી કે વિસ્ફોટ કારમાં રહેલા CNGને કારણે થયો હતો કે પછી અન્ય કોઈ વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

🇮🇳ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો🇮🇳મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમા ફાઇનલમા દક્ષિણ આફ્રિકાને હરાવી વિશ્વ વિજેતા બનેલી ભા...
03/11/2025

🇮🇳ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો🇮🇳

મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમા ફાઇનલમા દક્ષિણ આફ્રિકાને હરાવી વિશ્વ વિજેતા બનેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.

દીકરાએ માતાને આપેલી શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિસાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં 102 વર્ષ પહેલાં ગામના આગેવાનોએ ખેડૂતોના ઉત્કર્ષ મ...
29/10/2025

દીકરાએ માતાને આપેલી શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ

સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં 102 વર્ષ પહેલાં ગામના આગેવાનોએ ખેડૂતોના ઉત્કર્ષ માટે સેવા સહકારી મંડળીની સ્થાપના કરી હતી. જિલ્લાની કદાચ આ પ્રથમ સહકારી મંડળી હતી જેણે વર્ષો સુધી ખેડૂતો માટે ખૂબ સારું કામ કર્યું. પરંતુ 1992 આસપાસ મંડળીના મુખ્ય વહીવટદારોએ એક કૌભાંડ કર્યું. ખેડૂતોની ખોટી સહીઓ લઈને કે અભણ ખેડૂતોના અંગૂઠા મરાવીને એમના નામે લોન ઉપાડી. 1995 આસપાસ આ કૌભાંડ બહાર આવ્યું. ખેડૂતોને તો ખબર જ નહોતી કે એમના નામે લોન લેવાઈ ગઈ છે.

મંડળી એના નબળા વહીવટને લીધે ફડચામાં ગઈ. જિલ્લા બેન્કે ખેડૂતો પાસે ઉઘરાણી ચાલુ કરી પરંતુ ખેડૂતોએ લોન લીધી જ નહોતી એટલે લોન ભરપાઈ કરવાની ના પાડી દીધી. વિવાદ છેક કોર્ટ સુધી પહોંચ્યો.

આ જીરા ગામના એક ખેડૂત પુત્ર બાબુભાઈ ચોડવડીયા 5 ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કરીને 11 વર્ષની ઉંમરે રોજગારી માટે સુરત ગયા હતા. શરૂઆતના 11 વર્ષ હીરા ઘસવાનું કામ કર્યું અને પછી બિઝનેસમાં ઝંપલાવ્યું, જેમાં સારી સફળતા મેળવી. બાબુભાઈ જીરાવાલા જાહેર જીવન સાથે સંકળાયેલ વ્યક્તિ એટલે જ્યારે સુરતથી એમના વતન જીરા ગામ આવે ત્યારે ખેડૂતો દેવા માફીના કેઇસમાં મદદ કરવા માટે બાબુભાઇને વિનંતી કરે.

ખેડૂતોના નામે લોન હોવાથી તેના જમીનના ખાતામાં બોજાની નોંધ થયેલી હોય આથી ખેડૂતોને કોઈ બીજી લોન લેવી હોય કે જમીન વેચવી હોય તો તેઓ તેમ કરી નહોતા શકતા. બીજા નોંધને લીધે ખેડૂતોને બધા કામમાં બહુ તકલીફ પડતી હતી. ખેડૂતો વગર વાંકે વર્ષોથી ખૂબ પીડાતા હતા પરંતુ કોઈ નિર્ણય આવતો નહોતો. બાબુભાઇએ પોતાનાથી થતાં તમામ પ્રયત્નો કર્યા પણ કેઇસ હાઇકોર્ટમાં પેન્ડિંગ હોવાથી કશું થઈ શકે તેમ નહોતું.

પોતાના વતનના ખેડૂતોને દેવામુક્ત કરવા માટે બાબુભાઈ જીરાવાલાએ જિલ્લા બેંકમાં પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે મિટિંગ કરી. ગામના તમામ ખેડૂતોના દેવાની કુલ રકમ 90 લાખ જેવી થતી હતી
બાબુભાઇએ દેવાની આ મૂળ રકમ ભરવાની તૈયારી બતાવી અને બદલામાં તમામ ખેડૂતોને દેવા મુક્તિના પ્રમાણપત્ર આપવા જણાવ્યું જે ભાવનગર જિલ્લા બેન્કે માન્ય રાખ્યું.

વિક્રમ સંવત 2082ના નવા વર્ષના પ્રારંભે જ આજથી 4 દિવસ પહેલા બાબુભાઇએ એમના માતૃશ્રીની પુણ્યતિથિ નિમિત્તે જીરા ગામના ખેડૂતોના દેવાની બધી જ રકમ એક સાથે ભરી દીધી અને લાભપાંચમના પવિત્ર દિવસે ગામના દેવાદાર ખેડૂતોને દેવા મુક્તિના પ્રમાણપત્ર પણ અપાવી દીધા.

રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોની દુર્દશા જોઈ ખૂબ દુઃખ થાય છે ત્યારે બાબુભાઈ જીરાવાલા જેવા વતનપ્રેમી માણસની એમના માતૃશ્રીની પુણ્યતિથિ નિમિતે ગામના ખેડૂતોનું 90 લાખ જેટલું દેવું ભરપાઈ કરી ખેડૂતોને દેવા મુક્ત કરવાની વાતથી હદયને ટાઢક પણ પહોંચે છે.

થોડા મહિના પહેલા જ ભારત સરકારે સટ્ટા બેટિંગ ની ગેમ બંધ કરાવીને ઓનલાઈન જુગાર રમવાનુ બંધ કરાવ્યુ છે......હમણાં કેટલીક કંપન...
28/10/2025

થોડા મહિના પહેલા જ ભારત સરકારે સટ્ટા બેટિંગ ની ગેમ બંધ કરાવીને ઓનલાઈન જુગાર રમવાનુ બંધ કરાવ્યુ છે......

હમણાં કેટલીક કંપનીઓ છુપી રીતે રિયલ મની થી ઓનલાઈન તીન પતી ગેમ રમાડે છે, તેમાં લાખો રૂપિયા જીતવાનો લોકો દાવો કરતા હોય છે આવી ખોટી લાલચમાં પડશો નહીં બરબાદ થઈ જશો..........

શરૂઆતમાં તમને ફ્રી માં રમાડીને 1–2 રૂપિયા જેવી નજીવી ચાલ ચલાવીને તમને 100–200 રૂપિયા ની જીત અપાવશે પછી અસલી ખેલ શરૂ થશે

તેઓ તમારી બાજીમાં ત્રણ એક્કા આપશે એટલે તમને લાગશે આ બાજી તો હું જીતીશ પણ સામે ત્રણ લોકો હોય તે કંપનીના જ હોય છે ફેંક id વાળા તેને ખબર જ હોય છે કે તમારે ત્રણ એક્કા છે તેઓ તમારી સામે રકમ વધારીને બાજી ચાલ્યા જ કરશે શો કરશે નહીં અને તમને કરવા દેશે નહીં

ત્રણ એક્કા છે એટલે બાજી તમારી જ છે તેવુ સમજી ને તમે ઓનલાઇન પૈસા ચાલ્યા જ કરશો તમારુ બેન્ક એકાઉન્ટ ખાલી થઈ જશે તો પણ શો થશે નહીં છેવટે ટાઈમ પૂરો થઈ જશે અથવા તમે તમારી બાજી છોડી દેશો એટલે તમે નાખેલા બધા જ પૈસા એ લઈ જશે

💯
28/10/2025

💯

https://youtu.be/3YwoZvE2gIw?si=hcXGU_27KvJ7uhLA“जो जोड़े दिलों को, वही असली सरदार।”सरदार वल्लभभाई पटेल की 150 मि जन्मजय...
27/10/2025

https://youtu.be/3YwoZvE2gIw?si=hcXGU_27KvJ7uhLA

“जो जोड़े दिलों को, वही असली सरदार।”

सरदार वल्लभभाई पटेल की 150 मि जन्मजयंती पर समर्पित यह गीत आज की उस सच्चाई पर आधारित है जहाँ हर कोई सरदार बनना चाहता है,
लेकिन बहुत कम लोग उनके गुण, त्याग और एकता की भावना को अपनाते हैं।

"सरदार नाम नहीं, गुण बनो रे इंसान" —
यह केवल एक गाना नहीं, बल्कि एक संदेश है कि अगर हम सरदार पटेल का नाम लेते हैं,
तो हमें उनके जैसे साहसी, ईमानदार और एकजुट भारत के नागरिक भी बनना चाहिए।
Lyrics: Pankaj Patel
Concept: Inspired by Sardar Vallabhbhai Patel’s Vision of Unity

सरदार वल्लभभाई पटेल की 150 मि जन्मजयंती पर समर्पित यह गीत आज की उस सच्चाई पर आधारित है जहाँ हर कोई सरदार बनना चाहता है...

02/10/2025

તમારા મતે કોણ ગુજરાત
ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ બનશે?

ગુજરાતમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને જોઈને લોકો પ્રેમ થી, દિલ થી, ખુશી થી  કેમ રડી પડે છે?ગુજરાતની ધરતી એ હ...
21/09/2025

ગુજરાતમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને જોઈને લોકો પ્રેમ થી, દિલ થી, ખુશી થી કેમ રડી પડે છે?

ગુજરાતની ધરતી એ હંમેશા સાહસીક, નીડર, દેશપ્રેમી નેતાઓને જન્મ આપનાર ભૂમિ રહી છે. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી, મોરારજી દેસાઈ, ઇન્દુલાલ યાજ્ઞિક, દાદાભાઈ નવરોજી, ભીકાજી કામા, વગેરે વગેરે... એમાં પણ એક એવું નામ છે, જે માત્ર ગુજરાત નહીં પરંતુ આખા ભારત માટે ગૌરવનું કારણ છે – નરેન્દ્ર મોદી. આજે જયારે ગુજરાતના લોકો પોતાના “મોદી સાહેબ”ને જોવા કે મળવા જાય છે, ત્યારે તેમના ચહેરા પર ખુશીના આંસુઓ છલકાઈ આવે છે. આ લાગણી પાછળ અનેક કારણો રહેલા છે.

1. ઘરનો માણસ, દેશનો વડાપ્રધાન

નરેન્દ્ર મોદીએ પોતાના રાજકીય જીવનની શરૂઆત ગુજરાતમાંથી કરી હતી. લાંબા સમય સુધી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. આ સમયગાળા દરમિયાન લોકો એમને એક સામાન્ય, સીધા-સાદા નેતા તરીકે મળતા, વાત કરતા અને પોતાની સમસ્યાઓ કહેતા. એ જ માણસ જ્યારે દેશના વડાપ્રધાન બને, ત્યારે ગુજરાતના લોકોને ગર્વ સાથે સાથે એક ખાસ લાગણી પણ થાય છે, અને દિલ માંથી શબ્દ નીકળી પડે કે “આ આપણો જ માણસ છે.” આ ગૌરવ એક આંસુ રૂપે બહાર આવે છે.

2. વિકાસ સાથે જોડાયેલી યાદો

ગુજરાતના અનેક ખૂણામાં નરેન્દ્ર મોદીના શાસનકાળના વિકાસના કિસ્સા લોકોની યાદોમાં જીવંત છે. લોકો સીધું એ જ વિચારે કે મોદી સાહેબ મુખ્યમંત્રી બન્યા પહેલા કેવું હતું અને અત્યારે કેવું કરી દીધું એમને... ગામડે પાણીની વ્યવસ્થા, શહેરોમાં રસ્તાઓ, 24 કલાક વીજળી, ઉદ્યોગો માટેનું વાતાવરણ – આ બધું લોકોની આંખો સામે બન્યું હતું. જ્યારે તેઓ મોદીને મળવા જાય છે, ત્યારે આ બધા વિકાસના દ્રશ્યો યાદ આવી જાય છે અને એ મોદી સાહેબ ને મળતા આંસુમાં ફેરવાઈ જાય છે.

3. પ્રેરણાદાયક જીવનયાત્રા

નરેન્દ્ર મોદીની સફર એ ભારતના દરેક સામાન્ય માણસ માટે એક પ્રેરણાદાયક કથા છે. નાનકડા ગામથી શરૂ થયેલી તેમની સફર વડાપ્રધાન સુધી પહોંચી છે. આજે પણ લોકો તેમને યાદ કરે છે કે કેવી રીતે એક ચાની દુકાન પર ઉભેલો છોકરો દુનિયાની સૌથી મોટી લોકશાહીમાં સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યો. જ્યારે આ હકીકત સામે આવે, ત્યારે લોકો ભાવનાથી ભળી જાય છે. લોકો એ નજર સમક્ષ જોયેલું જીવતું જાગતું ઉદાહરણ જોઈ પોતાને પણ એમ થાય છે કે “જો તેઓ કરી શકે, તો આપણે પણ કરી શકીએ.”

4. દેશપ્રેમ અને આદરની લાગણી

ઘણા ગુજરાતીઓ માટે મોદીજી માત્ર રાજકારણી નથી, પરંતુ ભારતના શક્તિશાળી અને અડગ ચહેરા છે. તેમને જોતા લોકોને પોતાના દેશ પ્રત્યે ગર્વ થાય છે. આ ગર્વ, પ્રેમ અને આદર એકસાથે આવે ત્યારે હૃદય ભરાઈ જાય છે અને આંખો આંસુથી ભરાઈ જાય છે.

5. વ્યક્તિગત અપેક્ષા અને આશિર્વાદ

કોઈક લોકો પોતાના દુઃખ-સુખ લઈને મોદીને મળે છે. કોઈ પોતાના બાળકના ભવિષ્ય માટે આશિર્વાદ માંગે છે, કોઈ પોતાની સમસ્યા લઈને આવે છે, તો કોઈ માત્ર એક વાર તેમને નજરે જોવા ઈચ્છે છે. એ ક્ષણે લાગણીઓ ઉપર કાબૂ રાખવો મુશ્કેલ બની જાય છે. અને ખુશીના આંસુ આવી જાય છે.

ગુજરાતમાં નરેન્દ્ર મોદીને જોઈને લોકો રડી પડે છે, એ દુઃખના નહીં પરંતુ પ્રેમ, ગર્વ અને કૃતજ્ઞતાના આંસુઓ છે. તેઓ માટે મોદીજી માત્ર રાજકીય નેતા નથી, પરંતુ પોતાના ઘરના માણસ, વિકાસના પ્રેરક અને દેશપ્રેમના પ્રતિક છે. જ્યારે લોકો તેમને નજરે જુએ છે, ત્યારે એમને લાગે છે. આપણો આ ગુજરાતી આજે સમગ્ર વિશ્વમાં ઓળખાય છે, દેશના નામ સાથે ગુજરાત નું નામ પણ રોશન કર્યું છે.

આ ટોપિક વિશે તમારે વધુ કહેવું હોય તો કહી શકો છો.

ભારતમાં પહેલો iphone ઓગસ્ટ 2008માં વેંચાયો હતો. જેની ઓફિશિયલ કિમત 31000 હતી. બરાબર એજ સમયે આઈફોન બનાવતી એપલ કંપનીનો એક શ...
21/09/2025

ભારતમાં પહેલો iphone ઓગસ્ટ 2008માં વેંચાયો હતો. જેની ઓફિશિયલ કિમત 31000 હતી.

બરાબર એજ સમયે આઈફોન બનાવતી એપલ કંપનીનો એક શેર 6 ડોલરનો હતો.

એ સમયે એક ડોલર બરાબર લગભગ 45 રૂપિયા હતા.

તો એ હિસાબથી જોઈએ તો એ સમયે એપલનો એક શેર 270 રૂપિયાનો હતો.

આજે એપલના શેરનો ભાવ ભારતીય રૂપિયા પ્રમાણે 21582 છે.

કોઈ સપન્ન વ્યક્તિ હોય અને એણે એ ભાવમાં આઈફોન લીધો હોય એની સાથે એ જ ફોનની કિમત જેટલા એટ્લે 31000 હજાર રૂપિયાના એપલના શેર પણ લીધા હોય (મારો મત એવો છેકે જરૂરિયાત સિવાયની લક્જુરિયસ વસ્તુ ત્યારે જ ખરીદવી જ્યારે એ વસ્તુની કિમતના બે ત્રણ ગણા અલગ રૂપિયા પણ આપણાં સેવિંગમાં હોય. જેમ કે મારે દસ લાખની કાર લેવી જ હોય તો હું ત્યારે લઉં જ્યારે મારી પાસે એ લેતા પણ સેવિંગમાં બીજા 15-20 લાખ કમ સે કમ હોય...આ તો બસ મારી ફાઇન્સિયલ ફિલોસોફી છે. 🙏) તો ત્યારે વ્યક્તિએ આઈફોન લીધો હોય એની સાથે એ જ ફોનની કિમત જેટલા એટ્લે 31000 હજાર રૂપિયાના એપલના શેર પણ લીધા હોય ત્યારે 114 શેર આવ્યા હોત. જેની આજે કિમત 24 લાખ 60 હજાર હોત. સત્તર વર્ષમાં 79 ગણા.

પણ ત્યારે તો ઈન્ડિયામાં રહીને આમ અમેરિકાનો ફોન ખરીદવો આસાન હતો. પણ અહીં રહીને ત્યાની કંપનીના શેર ખરીદવા એ જનતા માટે જરાય આસાન નહોતું. વળી એમાં ડોલર-રૂપિયા એક્સચેન્જ રેટ અને બીજા ત્રીજા ચાર્જ આજે પણ લાગે છે. એટ્લે આપણે ઉપર ગણતરી કરી એમાં ઘણા રૂપિયા આવા ચાર્જમાં જઇ શકે. એટ્લે ખરેખર એ રૂપિયા 79 ગણા નહિઁ. સિત્તેર ગણા જેટલા જ થાય એવું બને.

પણ એ યુએસમાં એ સમયે રોકાણ કરવું અહીની પબ્લિક માટે તો અશક્ય જેવુ જ હતું.

જો કે રોકાણ માટે ભારતના શેર બજારમાં સારી કંપનીઓની કમી ક્યારેય રહી નથી. જેમ ફોનમાં આઇફોન બ્રાંડ છે, એમ ભારતમાં ફોનમાં પોતાની બ્રાન્ડ નથી બનાવી શક્યું. પણ હા, ટાટા ગ્રૂપની ટાઈટન જેવી કંપનીએ અનેક બ્રાન્ડ બનાવી છે. બ્રાંડેંડ વોચમાં Titan, Raga , Sonata, Helios, Nebula, Zoop, Xylys, Fastrack વેગેરે જેવી બ્રાન્ડ એની સાથે જ્વેલરીમાં Tanishq, Zoya, Mia, CaratLane...જેવી બ્રાન્ડ, Eyeware,માં Titan Eyeplus, Fastrack Eyecare, બ્યુટી પ્રોડક્ટમાં SKinn બ્રાન્ડ, વસ્ત્રોમાં Taneria, એ સાથે પર્સ, વોલેટ, બેલ્ટ, પરફ્યુમમાં પણ આ કંપનીએ બ્રાન્ડ ઊભી કરી છે.

અહીં Titanની વાત એટલે કરી કે માનો એ સમયે કોઈને એપલ રોકાણ માટે દૂર લાગી હોય અને એના દરવાજા બંધ લાગ્યા હોય તો આપણે અહીં ટાટાની titan જ હતી.

એ જ સમયે ટાઈટનના એક શેરનો ભાવ 60 રૂપિયા હતો જે આજે 3500 રૂપિયા છે. એમાં પણ કોઈએ ઓગસ્ટે 2008માં 31 હજાર રૂપિયા રોકીને મૂકી દીધા હોય તો એ રકમ આજે 18 લાખ હોત....પ્લસ ડિવિડંટ અલગ.

સત્તર વર્ષમાં 31 હજારના 18 લાખ થવા એટ્લે 58 ગણા થવા. જો ટાઈટનનો શેર 2028 સુધીમાં 6000 થઈ જાય (જે થઈ જશે) તો 2008નું એ રોકાણ 2028માં (વીસ વર્ષમાં) સો ગણું થઈ જાય.

(આ સત્તર વર્ષમાં એફડીમાં રહેલી આ જ રકમ 1 લાખ વીસ હજાર થઈ હોત અને એ રકમ સોનામાં હોત તો સાડા ત્રણ લાખ જેવી થઈ હોત.)

રોકાણ બાબતે બે પાંચ વર્ષમાં ખાસ પરિણામો આવતા હોતા નથી. રોકાણની આખી રમત જ એવી જ છે કે એ લાંબાગાળાની શિસ્ત અને ધીરજ માંગી લે છે. લાંબાગાળાની રોકાણની આ શિસ્ત અને ધીરજમાં સારી કંપનીઓના શેર જેવુ રિજલ્ટ બીજું કોઈ રોકાણ આપી શકતું નથી.

જ્યારે ગયા શનિવારે ભારતમાં આઇફોન 17 લોન્ચ થયો. એ દિવસે મેં બસ મારી બચતમાંથી થોડા ટાઈટન મારા પોર્ટફોલિયોમાં એડ કર્યા. મને પોતાને આવી રીતે બ્રાંડનો કોઈ શોખ નથી. હા,લોકો બ્રાંડેડ વસ્તુઓ લેતા હોય તો એ ગમતી વાત છે.

ધનવાનોની ઈર્ષ્યા કરવા કે એને કોસવા કરતાં સૌએ પોતે સંપન્ન થવાનો પ્રયાસ કરવો જોઈએ. કદાચ એમાં તમે પૂરા સફળ નહીં થાઓ તો પણ તમે જે પ્રાયસો કર્યા છે, એ પ્રયાસો તમારા બાળકોને ત્યાથી આગળ વધવા એક સરસ પ્લેટફોર્મ આપશે.

Kanji Makwana જી ની વોલ પર થી...

(અહીં ai મેડ બાપ દિકરાનો ફોટો એટલે મૂક્યો છે, કેમ કે મારે મારા દસ વર્ષના દિકરા ધ્યાન આવી બધી વાતો ખૂબ થતી હોય છે.)

આજે સંબોધન માં શુ હશે કોમેન્ટ કરી ને જણાવજો.આજે સાંજે 5 કલાકે PM મોદીનું દેશને સંબોધન.
21/09/2025

આજે સંબોધન માં શુ હશે કોમેન્ટ કરી ને જણાવજો.
આજે સાંજે 5 કલાકે PM મોદીનું દેશને સંબોધન.

ભારતના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન, ગરીબોના તારણહાર, નવા ભારતના સ્વપ્નદ્રષ્ટા અને વિકાસપુરુષ, ગુજરાતના પનોતા પુત્ર, આપણા...
17/09/2025

ભારતના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન, ગરીબોના તારણહાર, નવા ભારતના સ્વપ્નદ્રષ્ટા અને વિકાસપુરુષ, ગુજરાતના પનોતા પુત્ર, આપણા સૌના પ્રેરણાસ્ત્રોત, આદરણીય શ્રી Narendra Modi સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.

આજનો દિવસ એ માત્ર એક જન્મદિવસ નથી, પણ એ ધ્યેય, સંકલ્પ અને દેશપ્રેમના સાકાર સ્વરૂપનો ઉત્સવ છે. નરેન્દ્રભાઈ મોદીની જીવનયાત્રા એ સમર્પણ, પરિશ્રમ અને અડગ સંકલ્પની અસાધારણ કથા છે – જ્યાં એક ચા વેચવા વાળો બાળક, વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશનો યશસ્વી નેતા બને છે.

🚩 વિઝનરી લીડરશિપથી ભારતને નવી ઊંચાઈએ પહોંચાડનારા...
🌍 વિશ્વભરમાં ભારતનું ગૌરવ વધારનારા...
🛕 સંસ્કૃતિ અને આધુનિકતાના સેતુ બનેલા...
🧘‍♂️ યોગ અને આયુર્વેદથી વિશ્વને નવી દિશા આપનારા...
💪 સશક્ત ભારતના નિર્માતા...

શ્રી નરેન્દ્ર મોદીજીએ પોતાના કાર્યકાળમાં અનેક નિર્ણયો લીધા છે – જેઓ ઇતિહાસમાં સ્વર્ણ અક્ષરે લખાશે. ચિંતનથી કાર્યાન્વય સુધીનું તેમનું દૃઢનિર્ધાર ધ્યેયમાર્ગ પર દેશને સતત આગળ લઈ જાય છે.

આજ તેમના જન્મદિવસ નિમિત્તે, સમગ્ર રાષ્ટ્ર તેમના દીર્ઘ આયુષ્ય, સુખ, સમૃદ્ધિ અને અખંડ આરોગ્ય માટે પ્રાર્થના કરે છે.

ભારત માતાના આ વિરપુત્ર ભારતને વિશ્વગુરુ બનાવવા માટેનો તેમનું વિઝન સફળ બને તેવી અભ્યર્થના.

🙏 જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ
🙏


#નમોત્સવ

Address

Surat

Alerts

Be the first to know and let us send you an email when Yagnik Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Yagnik Patel:

Share

શ્રી સરદાર પટેલ સેવાદળ (SPG), ભારત

શ્રી સરદાર પટેલ સેવાદળ (SPG), ભારત

સરદાર પટેલ સેવાદળ સંગઠન સમસ્ત પાટીદાર સમાજ ના વિશ્વાસ ને સાર્થક કરતું છેલ્લા 25 વર્ષો ની અથાગ મેહનત થી અડીખમ સમાજ માટે કામ કરતું સક્રિય સંગથન છે.

સંગઠન ની શરૂઆત 1996 થી લાલજીભાઈ પટેલ દ્વારા કરવામાં આવી.

સંગઠન ની કામગીરી અને વ્યાપ જોતા 2004 માં શ્રી સરદાર પટેલ સેવાદળ SPG ના નામે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું.