RK Studioz

RK Studioz દલિત, આદિવાસી અને ઓબીસી સમાજની સામાજિક ન્યાયની લડાઇને સોશ્યલ મીડિયા પર રજૂ કરતું ડિજિટલ પ્લેટફોર્મ.

Happy Birthday Bahenji 🎉🎉
15/01/2025

Happy Birthday Bahenji 🎉🎉

હિંદૂ ધર્મમાં સૌથી મહત્વના ગણાતા કુંભ મેળા સાથે જોડાયેલો એક ઘાતકી રિવાજ એવો હતો કે જેમાં માતા પોતાના પહેલા જન્મેલા બાળકન...
13/01/2025

હિંદૂ ધર્મમાં સૌથી મહત્વના ગણાતા કુંભ મેળા સાથે જોડાયેલો એક ઘાતકી રિવાજ એવો હતો કે જેમાં માતા પોતાના પહેલા જન્મેલા બાળકને જીવતું નદીમાં પધરાવી દઈ ગંગા માતાને ભેટ ચડાવતી. જી એક મહિલા નવ મહિના પોતાના પેટમાં રાખેલા બાળકને જન્મ આપ્યા બાદ જીવતું નદીમાં પધરાવી દેતી હતી. શા માટે? માત્ર ધાર્મિક અને સામાજિક રિવાજોના આંધળા અનુકરણ માટે.

હિંદૂ ધર્મમાં અનેક ક્રૂર અને ઘાતકી રિવાજો હતા. હિંદુ ધર્મની સતી પ્રથામાં વિધવા થયેલ મહિલાને તેના પતિની લાશ સાથે જ જીવતી સળગાવી દેવામાં આવતી હતી. આ ક્રૂર અને ઘાતકી પ્રથા સદીઓથી ચાલી આવતી હતી. હિંદુ ધર્મમાં વિધવા બનતી મહિલાઓ સાથે જાનવર કરતા પણ બદતર વ્યવહાર કરવામાં આવતો હતો.

વિધવા મહિલાને માથે વાળ રાખવાની છૂટ નહોતી અને ફરજીયાતપણે વિધવા મહિલાના માથે મુંડન કરાવવામાં આવતું. આ કુપ્રથા સામે મહામના જોતિબા ફૂલેએ આંદોલન કર્યું. જોતિબાએ હજામ કામ કરતા નાઈ જાતિના લોકોને એકઠા કરી આ કુપ્રથા અંગે જાગૃત કર્યા અને વિધવા મહિલાઓનું મુંડન ન કરવા સમજાવ્યા જેના પરિણામે આ કુપ્રથા ધીમે ધીમે નાબૂદ થઇ.

વિધવા મહિલાએ હંમેશા ઘરમાં જ પુરાઈ રહેવું પડતું. ઘર, કુટુંબ કે સમાજના કોઈ સારાભલા પ્રસંગે તેને હંમેશા દૂર રહેવું પડતું. ભૂલેચુકે જો કોઈ વિધવા સ્ત્રી કોઈને સામે મળે તો તેને બહુ મોટો અપશુકન માનવામાં આવતો. (આ પ્રથા આજેપણ આપણા સમાજમાં જોવા મળે છે.) આજેપણ આપણા સમાજમાં કોઈ પુરુષનું અવસાન થાય તો તેની પત્નીને અમુક દિવસો સુધી ઘરના ખૂણામાં ફરજીયાત બેસવું પડે છે અને પછી અમુક દિવસો પછી બધી મહિલાઓ સાથે મળી અમુક રિવાજને અનુસરી તેને ઘરની બહાર જવાની અનુમતિ આપે છે. આ રિવાજને "ખૂણો મુકવો" કહેવામાં આવે છે.

વિધવા મહિલા રંગીન કપડાં કે ઘરેણાં પહેરી શકતી નહિ. વિધવા મહિલા પુનઃ લગ્ન કરી શકતી નહિ અને આ કુપ્રથાનો ફાયદો ઉઠાવી તેમનું ભયંકર શારીરિક શોષણ થતું. જેના લીધે અનેક વિધવા સ્ત્રીઓ ગર્ભવતી થતી અને પરિણામે સમાજના ડરથી કાંતો પોતે આત્મહત્યા કરી લેતી અથવા પોતાના નવજાત બાળકની હત્યાં કરી નાખતી.

આમ હિંદુ ધર્મમાં વિધવા થતી મહિલા માટે એક નરક જેવી જિંદગી જીવવાની પ્રથા અને રિવાજો હતા. જેની સામે રાજા રામ મોહનરાયે અવાજ ઉઠાવ્યો. પોતાની ભાભીને જીવતી સળગતા જોઈ તેમનું હૃદય હચમચી ઉઠ્યું અને તેમણે હિંદુ ધર્મની આ ક્રૂર અને ઘાતકી પ્રથા સામે અવાજ ઉઠાવ્યો. તેમણે અંગ્રેજોને પત્રો લખી સતી પ્રથા ઉપર રોક લગાવવા માટે વિનંતિઓ કરી. પરિણામે 4 ડિસેમ્બર, 1829 ના રોજ બ્રિટિશ શાસનના ભારતના પ્રથમ ગર્વનર લોર્ડ વિલિયમ બેન્ટિકે બંગાળ સતી રેવોલ્યુશન એક્ટ પસાર કરી સતી પ્રથા અંતર્ગત મહિલાઓને જીવતી સળગાવવા ઉપર પ્રતિબંધ મુક્યો.

જોકે રાજા રામ મોહનરાય પણ એક હિંદુ સમાજસુધારક હતા જેમને માત્ર સતી પ્રથા સામે વિરોધ હતો પરંતુ વિધવાઓ માટેના બીજા અમાનવીય રિવાજો અને પ્રથા સામે તેમને કોઈ વાંધો નહતો. પરિણામે આવા બીજા રિવાજો સમાજમાં ચાલુ જ રહ્યા.

સતી પ્રથા જેવો જ એક બીજો રિવાજ હિંદૂ સમાજમાં પ્રચલિત હતો અને તે હતો પોતાના પ્રથમ બાળકને જીવતું ગંગા નદીમાં પધરાવી ભેટ ચડાવવાનો. લગન્ના અમુક વર્ષો સુધી નિઃસતાન રહેતી મહિલાઓ એવી પ્રતિજ્ઞા લેતી કે જો તેઓ માતા બનશે તો તેઓ તેમનું પહેલું બાળક ગંગા માતાને ભેટ સ્વરૂપે ચડાવવા માટે નદીમાં પધરાવી દેશે.

આ રિવાજ અંગે હજુ ઘણી આધારભુત માહિતી મળી રહી નથી પરંતુ આ રિવાજ અંગે એક અંગ્રેજ લેખિકાએ તેમના પ્રવાસ વર્ણનને રજૂ કરતા પુસ્તકમાં તેનો ઉલ્લેખ કર્યો છે. 1827 થી 1833 ના સમયગાળા દરમ્યાન એક અંગ્રેજ કસ્ટમ અધિકારીની પત્ની ફેની પાર્કસ પાલબી નામની અંગ્રેજ મહિલાએ તેમના પ્રવાસ અનુભવોને રજૂ કરતા 575 પાનાંના પુસ્તક Wanderings of a pilgrim in search of the picturesque during four and twenty years in the East - 1 માં આ કુપ્રથા વિશે ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે,
"જયારે હું અલ્હાબાદ પહોંચી, ત્યારે ત્યાં મેળો ભરાયેલો હતો. નાગા સાધુઓ અને વૈષ્ણવ સંતોના ટોળાંઓ સ્નાન માટે જઈ રહ્યા હતા. હું ઘણી પરિણીત મહિલાઓને મળી જેમને કોઈ સંતાન નહોતું. તે લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી કે તેમને જે પહેલું સંતાન થશે તેને તેઓ ગંગાને ભેટ ચડાવશે.

સતી પ્રથા વિરુદ્ધ આંદોલન કરનાર ઇસાઈ મિશનરી વિલિયમ કેરીએ ગંગા નદીમાં બાળકોની ચડાવવામાં આવતી બલિને રોકવા માટે ચળવળ શરુ કરી હતી. આગળ જતા આયોજનપૂર્વક ઇતિહાસમાંથી આ બાળકોને જીવતા નદીમાં ફેંકી દેવાના રિવાજના ઇતિહાસને ગાયબ કરી દેવામાં આવ્યો.

આ રિવાજ અંગે થોડી વિસ્તૃત માહિતી મેળવી ફરી વિસ્તૃત અહેવાલ મુકીશું. પરંતુ હાલ આ પોસ્ટના માધ્યમથી આ કુપ્રથા અંગે માહિતગાર કરવાનો એકમાત્ર આશય ભારતીય મહિલાઓની ધાર્મિક અને સામાજિક ગુલામી પ્રત્યેના સમર્પણને રજૂ કરવાનો છે. એક માતા માત્ર ધાર્મિક અને સામાજિક રિવાજો પૂરા કરવા માટે પોતાના પેટમાં નવ મહિના સુધી પાળેલા બાળકને ગર્વથી જીવતું નદીના પાણીમાં પધરાવી મોતને ઘાત ઉતારી દેતા પણ અચકાતી નહોતી. કારણ કે તે પોતાના પર લાદવામાં આવેલી ધાર્મિક અને સામાજિક ગુલામી સાથે એ હદે જોડાયેલી હતી કે તેમાં તેને પોતાના બાળકની હત્યા કરવામાં પણ કશું ખોટું લાગતું નહોતું.

ભારતની મહિલાઓ અને તેમાંય ખાસ કરીને પછાત સમાજની મહિલાઓ આ ધાર્મિક ગુલામી પાછળ ઘેલી છે. અભણ મહિલાઓ તો સમજ્યા પણ ભણેલી ગણેલી પોતાને આધુનિક સમજતી મહિલાઓ પણ દોરા બાંધવા, મંગળસૂત્રો પહેરવા, થાળી લઇ ચંદ્રની પૂજા કરી ઉંમર વધારવી, વ્રતો કરવા, ઝાડ ફરતે દોરાઓ બાંધવા, દેવીને ખુશ કરવા માટે ગરબા રમવા, પોતાને પતિવ્રતા સાબિત કરવા કાલ્પનિક પાત્રોનું અનુકરણ કરી અંધશ્રદ્ધાને અનુસરવા જેવા અનેક કાર્યો ગર્વથી કરે છે.

હકીકતમાં દુનિયાના મોટાભાગના ધર્મોએ મહિલાઓને અંકુશમાં રાખવાના ઉદેશ્યથી તેમના ધાર્મિક કર્મકાંડો, પ્રથાઓ અને સામાજિક રિવાજોની રચના કરી. જેમાં મહિલાઓએ દરેક બાબતે પુરુષો ઉપર જ નિર્ભર રહે છે. ભારતમાં આર્યો આવ્યા તે પહેલાની સિંધુખીણની સંસ્કૃતિના મળેલા અવશેષોના આધારે મોટાભાગના ઇતિહાસકારોએ એ વાતને સમર્થન આપ્યું છે કે ભારતની પ્રાચીન સંસ્કૃતિ માતૃપ્રધાન હતી. સ્ત્રીઓને ઘર, કુટુંબ અને સમાજમાં એક ઉચ્ચ સ્થાન આપવામાં આવતું હતું. પરંતુ આર્યોના આક્ર્મણ બાદ અને બ્રાહ્મણ ધર્મના અમલ બાદ ભારતમાં પિતૃ પ્રધાન સંસ્કૃતિનો અમલ શરુ થયો અને મહિલાઓને દરેક રીતે પાછળ ધકેલી દેવામાં આવી.

તોપણ આજે ભારતની મહિલાઓ અને તેમાંય ખાસ કરીને પછાત સમાજની મહિલાઓ તેમને ધાર્મિક અને સામાજિક ગુલામ બનાવતી હિંદુ ધર્મની વ્યવસ્થાને જ પોતાના હાથે મજબૂત બનાવી રહી છે. આવામાં તમે ગમે તેટલા કાર્યક્રમો કરો કે આંદોલનો કરો મહિલાઓની ધાર્મિક અને સામાજિક સ્થિતિમાં કશો ફેર પડવાનો નથી.

ભારતની મહિલાઓની મુખ્ય લડાઇ તેમના પર લાદવામાં આવેલી ધાર્મિક અને સામાજિક ગુલામી સામે છે જેની સામે લડવાની જગ્યાએ મહિલાઓ તેને પોતાના હાથે જ મજબૂત કરે છે. આવામાં દરેક બાબતો માટે તમામ પુરુષોને જવાબદાર ઠેરવવાથી, હિંદુ તહેવારોનો પ્રચારપ્રસાર કરી, લાઇમલાઈટમાં રહેવા આંદોલનો કરી તમે વધુમાં વધુ કોઈ રાજકીય પાર્ટીમાંથી ટિકિટ મેળવી શકશો પરંતુ હકીકતમાં મહિલાઓને તેમની ધાર્મિક અને સામાજિક ગુલામીમાંથી મુક્તિ અપાવી શકશો નહિ.

તમારે મહિલાઓને ધાર્મિક અને સામાજિક ગુલામીમાંથી મુક્તિ અપાવવા માટે આજે નહીતો કાલે હિન્દુત્વનું પૂછડું છોડી બુદ્ધ, ફુલે, પેરિયાર અને બાબાસાહેબના વિચારોને અપનાવવા જ પડશે. ખાલી બાબાસાહેબ, ફૂલે અને બુદ્ધના નામે પુસ્તકો લખી લાઈમલાઈટ મેળવી પછી હિંદુ ધર્મ અને હિંદુ તહેવારોનો પ્રચારપ્રસાર કરવાથી તમે મહિલાઓની સમસ્યાઓમાં રતિભાર પણ ઘટાડો કરી શકશો નહિ.

- R K Parmar

13/01/2025
વિવાદ સવર્ણ હિંદુઓનો અને તેનો પ્રચારપ્રસાર દલિત અને આદિવાસી સમાજના લોકો વધુ કરે છે. વસ્તીની દ્રષ્ટિએ દલિત આદિવાસી સમાજની...
10/01/2025

વિવાદ સવર્ણ હિંદુઓનો અને તેનો પ્રચારપ્રસાર દલિત અને આદિવાસી સમાજના લોકો વધુ કરે છે. વસ્તીની દ્રષ્ટિએ દલિત આદિવાસી સમાજની સંખ્યા વધુ છે. તેથી આ સવર્ણ હિંદુઓની પ્રોફાઈલની રિચ વધી જાય છે. મિલિયનમાં વ્યુ આવે છે. એક એક વિડીયોમાં લાખો રૂપિયાની કમાણી કરે છે. અને આ કમાણી વડે તેઓ છેલ્લે પોતાની હિન્દુત્વની વિચારધારાને મજબૂત કરી તેનો પ્રચાર પ્રસાર કરે છે.

આનો સીધો અર્થ એ જ છે કે દલિત અને આદિવાસી સમાજ પોતાના હાથે જ પોતાને નુકશાનકારક વિચારધારાને મજબૂત કરી રહ્યો છે.

દલિત અને આદિવાસી સમાજના લોકોએ આવા બિનજરૂરી વિવાદોમાં પોતાનો સમય અને શક્તિ વેડફયા વગર પોતાની વિચારધારાનો વધુમાં વધુ પ્રચારપ્રસાર કરવો જોઈએ.

- R K Parmar

આ જ મુખ્ય ફરક છે સમજી લો.
10/01/2025

આ જ મુખ્ય ફરક છે સમજી લો.

૨૦૦ વર્ષ પહેલાં શોષિત-વંચિત,ગરીબો,શુદ્ર અને અતિશુદ્ર સમુદાયોને શિક્ષણથી દૂર રાખવાના પ્રયાસો, એ પ્રતિકૂળ પરિસ્થિતિ અને સં...
09/01/2025

૨૦૦ વર્ષ પહેલાં શોષિત-વંચિત,ગરીબો,શુદ્ર અને અતિશુદ્ર સમુદાયોને શિક્ષણથી દૂર રાખવાના પ્રયાસો, એ પ્રતિકૂળ પરિસ્થિતિ અને સંઘર્ષોમાં પણ શિક્ષણ મળી રહે તેવા અવિરત પ્રયત્નો ચાલુ રાખનારા મહાત્મા જ્યોતિરાવ ફુલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફુલે, સગુણાબાઈ, ફાતિમા શેખ.જેમણે ખુબ જ ત્રાસ,વિરોધ સહન કરીને પણ પ્રથમ શાળા શરુ કરી ખરેખર 'બેટી પઢાઓ' નું સુત્ર સફળ બનાવી ૧૮૫૬ સુધીમાં પૂણેમાં પાંચ શાળાઓ અને પૂણેની બહાર ૧૫ શાળાઓ સ્થાપી હતી.

#ગુજરાત

હડપ્પા સંસ્કૃતિની સિંધુ લિપિ એ આદિવાસીઓની મુંડારી ભાષા અને તમિલોની તમિલ ભાષા સાથે ઘણી સામ્યતા ધરાવે છે.
08/01/2025

હડપ્પા સંસ્કૃતિની સિંધુ લિપિ એ આદિવાસીઓની મુંડારી ભાષા અને તમિલોની તમિલ ભાષા સાથે ઘણી સામ્યતા ધરાવે છે.

આદિવાસી સાહિત્ય અકાદમીના પ્રમુખ રેવાબેન શંકરભાઈ તડવીની ચિર વિદાયરેવાબેન તડવી, જેઓ ગુજરાતનાં સર્વપ્રથમ સ્ત્રી આદિવાસીવિદ્...
07/01/2025

આદિવાસી સાહિત્ય અકાદમીના પ્રમુખ રેવાબેન શંકરભાઈ તડવીની ચિર વિદાય

રેવાબેન તડવી, જેઓ ગુજરાતનાં સર્વપ્રથમ સ્ત્રી આદિવાસીવિદ્યાવિદ્ અને મૌખિક પરંપરાના સાહિત્યનાં સંશોધક-સંપાદક અને વાહક.

રેવાબેને અને શંકરભાઈ તડવીદંપતીએ સાથે મળીને 29 જેટલા પુસ્તકો લખીને આદિવાસી સાહિત્યમાં મોટું યોગદાન આપ્યું હતું.

રેવાબહેન તડવીને અંતિમ જોહર...

પ્રસિદ્ધ બૌદ્ધ ભિક્ષુ, પ્રચારક, બૌદ્ધ વિદ્વાન, લેખક, અને પાલી ભાષાના વિદ્વાન સ્કોલર ભંતે આનંદ કૌશલ્યાયનજી જયંતિ પર ત્રિવ...
05/01/2025

પ્રસિદ્ધ બૌદ્ધ ભિક્ષુ, પ્રચારક, બૌદ્ધ વિદ્વાન, લેખક, અને પાલી ભાષાના વિદ્વાન સ્કોલર ભંતે આનંદ કૌશલ્યાયનજી જયંતિ પર ત્રિવાર નમન..!!

Address

Diodar
385330

Telephone

+917874310887

Website

Alerts

Be the first to know and let us send you an email when RK Studioz posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to RK Studioz:

Videos

Share