11/11/2023
સરહદના સંત્રીઓને મીઠાઈ વિતરણ કરી દીપાવલી પર્વની સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા ઉજવણી
કચ્છ મોરબીના લોકપ્રિય સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડાએ સરહદના સંત્રીઓ, બી એસ એફના જવાનોને દર વર્ષની પ્રણાલિકા મુજબ દીપાવલીના પાવન પર્વના અવસરે મીઠાઈ વિતરણ કરી જવાનો સાથે ઉજવણી કરી હતી.
આ ખુશીના પ્રસંગમાં જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા,જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન, ઉપપ્રમુખ ઘનશ્યાભાઈ ઠક્કર, મહિલા મોરચા પ્રમુખ ગોદાવરીબેન ઠક્કર,દિલીપભાઈ દેશમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.