Cid trust news gujarat

Cid trust news gujarat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Cid trust news gujarat, Media/News Company, state, Ankleshwar.

सावधान रहे यह हमारा डिजिटल चैनल है
टीवी यहा न्यूज पेपर नहीं है़् हमारे इस चैनल पर आप भी न्युज एवं विज्ञापन के लिए पर्सनल मेसेज या फोन कर सकते हो mo 7048356986

Ankleshwa GATTU VIDYALAYA
11/05/2024

Ankleshwa GATTU VIDYALAYA

Ankleshwar
11/05/2024

Ankleshwar

અંકલેશ્વર
19/04/2024

અંકલેશ્વર

Gujarat    #ન્યૂઝ
17/04/2024

Gujarat #ન્યૂઝ

DIGITAL MEDIA
15/04/2024

DIGITAL MEDIA

15/04/2024

ભરૂચના વિવિધ માઈ મંદિરોમાં આગામી તા.૧૬ ને મંગળવારના રોજ ચૈત્રી નવરાત્રિની આઠમ નિમિત્તે હવનનો કાર્યક્રમ યોજાશે. જેમાં ભરૂચના લિંક રોડ ખાતે આવેલા શ્રી અંબાજી માતાના મંદિર ખાતે અને શ્રી મોઢેશ્વરી માતાના મંદિર ખાતે માતાજીની ચૈત્રી નવરાત્રીની આઠમ નિમિત્તે હવનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારના ૭ કલાકે માતાજીની આરતી ઉતારવામાં આવશે. ત્યારબાદ સાંજના ૪ કલાકે માતાજીના હવનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંજના ૬:૩૦ કલાકે શ્રીફળ હોમવામાં આવશે. ત્યારબાદ સાંજના ૭ કલાકે માતાજીની મહાઆરતી ઉતારવામાં આવશે. તો આ રૂડા અવસરમાં સહભાગી બનવા સમગ્ર ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે.

જોડિયા મુકામે આજરોજ બાબાસાહેબ આંબેડકર ની જન્મજયંતિ ધામધૂમ થી ઉજવવામાં આવી
15/04/2024

જોડિયા મુકામે આજરોજ બાબાસાહેબ આંબેડકર ની જન્મજયંતિ ધામધૂમ થી ઉજવવામાં આવી

13/04/2024
09/04/2024

ઓલ ઈન્ડિયા મેમન જમાત તરફ થી દર વર્ષે "વર્લ્ડ મેમન ડૈ" વડોદરા ની ચાર જમાતો 1) મોરબી ટંકારા મેમન જમાત 2) વડોદરા હલાઈ મેમન જમાત 3) અમરેલી મેમન જમાત વડોદરા 4) પાદરા મેમન જમાત , તરફ થી ફેડરેશન ના ગુજરાત ના ઝોનલ સેક્રેટરી શ્રી ગુલામભાઈ દાઉદભાઈ મેમન આગેવાની મા મદ્રેસા એ મુસા નજર ના 150 બાળકો ને ફુટ વિતરણ કરવામા આવ્યુ હતું. અને જમનાબાઈ હોસ્પિટલ ખાતે સુપ્રીટેનડટં શ્રીમતી નાયક બહેન હસ્તે ગરીબ દર્દીઓને ફૄટ આપવામાં

એ. આઈ. ડી. એસ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દ્વારા આયોજિત જી.આઈ.ડી.સી પ્રીમિયર લીગ નો શુભારંભ
09/04/2024

એ. આઈ. ડી. એસ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દ્વારા આયોજિત જી.આઈ.ડી.સી પ્રીમિયર લીગ નો શુભારંભ

07/04/2024

ભરૂચની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે આગામી ચૈત્રી નવરાત્રિ નિમિત્તે શ્રી રામચરિતમાનસ નવાહ્નપારાયણ યોજાશે*
કેતન મહેતા, ભરૂચ.
તપોવન સંસ્કાર કેન્દ્ર, ભરૂચ સંલગ્ન શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે આગામી ચૈત્રી નવરાત્રિ નિમિત્તે એટલે કે તા.૯/૪/૨૪ ને મંગળવાર, ચૈત્ર સુદ પડવાથી તા.૧૭/૪/૨૪ ને બુધવાર, ચૈત્ર સુદ નોમ એટલે કે સતત નવ દિવસ સુધી શ્રી રામચરિતમાનસ નવાહ્નપારાયણનું સવારના ૯:૦૦ થી બપોરના ૧૨:૩૦ કલાક સુધી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પરમ પ્રમાણ દર્શન, પારડી, વલસાડના પરમ પૂજ્ય સ્વામિની સત્પ્રિયાનંદજી પોતાના આશીર્વચન પાઠવશે.જેમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જીલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોષી અને ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વતિબા રાઉલજી હાજર રહેશે.તો આ રૂડા અવસરમાં સહભાગી થવા માટે સમગ્ર ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.

બી. ડી. કોર્પોરેશન દ્વારા ૧૫ લાખનું જયાબેન મોદી હોસ્પિટલને અનુદાન*૭ એપ્રિલ 2024બી. ડી. કોર્પોરેશનમાંથી શ્રી કિરણ મજૂમદાર...
07/04/2024

બી. ડી. કોર્પોરેશન દ્વારા ૧૫ લાખનું જયાબેન મોદી હોસ્પિટલને અનુદાન*
૭ એપ્રિલ 2024
બી. ડી. કોર્પોરેશનમાંથી શ્રી કિરણ મજૂમદાર દ્વારા સ્વર્ગવાસ શ્રી કૃષ્ણકાંત મજૂમદારની યાદમાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને રૂપિયા ૧૫ લાખનું અનુદાન આપવામાં આવ્યું. તે અનુદાનમાંથી નેત્ર વિભાગ માટે ફેકો મશીન વસાવવામાં આવશે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી

07/04/2024

અંકલેશ્વર ના ગોકુળ પાર્ટી ખાતે અખિલ રાજસ્થાન સેવા મંડળ દ્વારા હોળી સ્નેહ મિલન પ્રોગ્રામ યોજાયો.

અખિલ રાજસ્થાન સેવા મંડળ અંકલેશ્વર દ્વારા હોળી સ્નેહ મિલન તેમજ સાંસ્કૃતિક પ્રોગ્રામ અંકલેશ્વરના ગોકુળ પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવ્યો.
અખિલ રાજસ્થાન સેવા મંડળ અંકલેશ્વર દ્વારા હોળી સ્નેહ મિલન તેમજ સાંસ્કૃતિક પ્રોગ્રામ ગોકુળ પાર્ટી પ્લોટ ખાતે પ્રમુખ રમેશભાઈ બોહરા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લાના રાજસ્થાન સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજર રહી આનંદ માણ્યો હતો. પનિહારી ગ્રુપ જયપુર દ્વારા વિવિધ રાજસ્થાનની લોકસંગીતના નૃત્ય પ્રસ્તુત કર્યા હતા જે જોઈને ભરૂચ જિલ્લામાં રહેતા રાજંસ્થાન સમાજના લોકોની જૂની યાદો ફરી તાજી થઈ હતી.
આ કાર્યક્રમ ના મુખ્ય સહયોગી હરિહર ગ્રુપના પ્રકાશભાઈ રાવલ તેમજ ઓમકાર ગ્રુપના ચંપકભાઈ રાવલ હતા. આ પ્રોગ્રામમાં અંકલેશ્વરના મહામંડલેશ્વર 1008 શ્રી ગંગાદાસ બાપુ ની સાથે પ્રિયાંશુ મહારાજ તેમજ અંકલેશ્વર જીઆઇડીસી ના રવિ શુક્લાજી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સાથે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ જશુભાઈ ચૌધરી નગરપાલિકા અંકલેશ્વર ના પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી એ પણ હાજરી આપી હતી.

07/04/2024

અંકલેશ્વર ના ગોકુળ પાર્ટી ખાતે અખિલ રાજસ્થાન સેવા મંડળ દ્વારા હોળી સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો.

26/03/2024

બાબા રામદેવ છત્તિસકોમ મિત્ર મંડળ દ્વારા હોળી અને ધુળેટીનો ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.જ્યોતિ કોલોનીમાં આવેલા શિવ મંદિર ખાતે હોળી ધુળેટીનો આ ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.જેમાં મારવાડી ઢોલ અને દેશી ઢોલમાં કેર કરવામાં આવી હતી.રાજસ્થાની ઢોલ અને રાજસ્થાની સંગીત સાથે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં હાજર રહેલા તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં લોકોને ખૂબ જ આનંદ આવ્યો હતો.જે લોકો રાજસ્થાની મારવાડી ઢોલ અને વગાડતાં હતા તેઓનો ઉત્સાહ વધે અને તેઓ સારી રીતે વગાડી શકે તે માટે તેમનું સ્વાગત કરી તેમને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.હોળી એ રાજસ્થાની અને મારવાડી લોકોનો સૌથી મોટો અને મુખ્ય તહેવાર હોવાથી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજસ્થાની અને મારવાડી લોકોએ ભાગ લઈ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. છેલ્લાં ૧૨ વર્ષથી લોકોના સાથ સહકારથી આ કાર્યક્રમ ઉજવવામાં આવે છે અને ભવિષ્યમાં પણ ઉજવવામાં આવશે.

25/03/2024

ભરૂચ જિલ્લામાં હોળીનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું

21/03/2024

ભરૂચ શહેર જુનીવાડી વિસ્તારમાં બે દિવસ પૂર્વે પેટ્રોલથી એક વ્યક્તિને જીવતો સળગાવનાર આરોપીને ઝડપી પાડી, ખૂનની કોશિશના ગુનાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલતી ભરૂચ ક્રાઇમ બ્રાંચ તથા ભરૂચ “બી” ડીવીઝન પોલીસ ટીમ*
ભરૂચ

20/03/2024

તા:-૧૯/૩/૨૦૨૪ મગળવાર..આજ રોજ N.C.C ૩૪ બટાલિયન દ્વારા રાજેન્દ્રનગર કોલેજ ખાતે રાયફલ ફાયરીંગ કોમ્પ્યુટિશન યોજાઈ.જેમાં આપણી શાળા ના N.C.C ના કેડેટ મનસુરી નાજીસ અને સોદા મ. અનાન બંને પ્રથમ ક્રમે આવ્યા છે...જેઓ હવે વિ.વિ.નગર ખાતે જશે...N.C.C.ઓફિસર ભૂરા સર ને અને બાળકો ને સંસ્થા પરિવાર તરફ થી ખૂબ ખૂબ અભિનંદન...બાળકો ને રોકડ ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

20/03/2024

ઉત્તર પ્રદેશ નાં સાયકલિસ્ટ ગુફરાન અંસારી તેમની 8 દેશો ની સાયકલ યાત્રા કરી ભારતનો સૌથી મોટો ધ્વજ ફરકાવી ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન પામ્યા છે...
ગુફરાન અંસારી ભરૂચ માં આવી પહોંચતાં ભરૂચ જિલ્લા ના નામાંકિત મહિલા સાઈક્લિસ્ટ શ્વેતા વ્યાસ સાથે તેમણે ઔપચારિક મુલાકાત લીધી હતી અને આ સાયકલ યાત્રા ની સંપૂર્ણ માહિતી આપી હતી..
આ મુલાકાત દરમ્યાન ભરૂચ નાં સાયકલિસ્ટ સ્વેતા વ્યાસે ઉત્તર પ્રદેશ નાં સાયકલિસ્ટ ગુફરાન અંસારી ને તેમની ભવિષ્યમાં સાયકલ યાત્રા યોજી દેશની યુવા પેઢી ને વધુ ને વધુ સાયક્લિંગ દ્વારા સ્વાસ્થ જાળવણી માટે સતત પ્રયત્નશીલ રહી સ્વાસ્થ્ય ભારત નાં નિર્માણ માટે પ્રયત્ન કરવા જોઈએ...
તથા તેમને આ જ રીતે ભવિષ્યમાં પણ સાયકલ યાત્રા યોજી દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી...

20/03/2024

જામનગરમાં થોડા દિવસ અગાઉ જાણીતા ધારાશાસ્ત્રી હારુન પલેજાની સરેઆમ હુમલો કરી હત્યા કરવામાં આવી હતી જેના વકીલો સહિત લોકોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. જામનગર જિલ્લા પોલીસ પણ આ ઘટના બાદ તુરંત જ એક્શનમાં આવી ગઈ હતી અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને જિલ્લા એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરતા આ આરોપી ગેંગના સભ્યોના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી સંપત્તિને જમીનદોસ્ત કરવામાં આવી.

18/03/2024

આજ રેજ તા 18/3/2024 ના રોજ બપોરે. 12: 00 કલાકે ભારતીય જનતા પાર્ટી વાલિયા કાર્યાલય ખાતે .......લોકલાડીલા
ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા સાહેબ ના નેતૃત્વમાં આવનાર લોકસભાના ઇલેક્શનના અનુસંધાન માં મહત્વની સંગઠનલક્ષી મીટીંગ રાખવામાં આવી હતી જેમાં જિલ્લા ....પ્રભારી શ્રી

18/03/2024

અંક્લેશ્વર,શ્રી સ્વામિનારાયણ સપ્રંદાય દ્વારા ભારત સહિત ૭ દેશોમાં એક જ સાથે ૧૧૫ કરતા વધુ સ્થળોએ ‘આંતર રાષ્ટ્રીય મહારકતદાન કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અંકલેશ્વરમાં ગાર્ડન સીટી રોડ પર આવેલ શ્રી ધર્મકુળ આશ્રિત સ્વામિનારાયણ મંદિર ખાતે પણ 'આંતર રાષ્ટ્રીય મહારકતદાન કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું.૨૦૦ વર્ષ પુર્વે એટલે,સંવત ૧૮૮૧ ના કારતક સુદ ૧૨ના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના વરદહસ્તે,સંપ્રદાયના મુખ્ય કેન્દ્રસ્થાન ‘વડતાલધામ‘માં શ્રી લક્ષ્મીનારાયણ દેવ,શ્રી હરિકૃષ્ણ મહારાજ,શ્રી રાધાકૃષ્ણ દેવ અને શ્રી ધર્મદેવ

18/03/2024

આમોદમાં બચ્ચોકા ઘર ખાતે નિઃશુલ્ક નેત્રયજ્ઞ શિબિર યોજાઈ, 100 થી વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો*
આમોદ, ભરૂચ-જંબુસર માર્ગ ઉપર આવેલ આમોદ સ્થિત બચ્ચો કા ઘર સંચાલિત રાહત દરના દવાખાના ખાતે શંકરા આઈ હોસ્પિટલ, તથા બચ્ચો કા ઘર આમોદ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્રયજ્ઞ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો. આયોજિત નેત્ર રોગ તેમજ મોતિયાના ઓપરેશન કેમ્પમાં શંકરા હોસ્પિટલના ડોકટરો સહિત તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ આપવામાં આવી હતી. આયોજિત નેત્ર રોગ નિદાન શિબિરમાં

18/03/2024

અંક્લેશ્વર શહેર "બી" ડીવીઝન પો.સ્ટે.વિસ્તારમાં જી.આઈ.ડી.સી. બસ ડેપોમાંથી મળી આવેલ બાળકને તેના પિતા સાથે સુખદ મિલન કરાવતી અંક્લેશ્વર શહેર "બી” ડીવીઝન પોલીસઅંક્લેશ્વર ગુજરાત રાજ્યમાં ગુમ થના૨ સગીર વયના બાળકોને શોધી કાઢવા પોલીસ નિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જરૂરી સુચનાઓ આપવામા આવેલ જે અન્વયે ઈ.નાયબ પોલીસ અધિક્ષક સી.કે.પટેલ અંક્લેશ્વ૨ ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ અંક્લેશ્વ૨ શહે૨ બી ડીવીઝન પોલીસ ઈન્સ્પેક્ટર વી.કે.ભુતીયાનાઓ દ્વારા ઉપરોક્ત સુચનાઓ તથા માર્ગદર્શનના

18/03/2024

અંકલેશ્વરની ગજાનંદ સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરો એ-ડિવિઝન પોલીસના હાથે ઝડપાયા*
અંક્લેશ્વરભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસે ગજાનંદ સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા.

18/03/2024

ઝઘડિયાના રાજપારડી કબીર પેટ્રોલ પંપ ખાતે આપ અને કોંગ્રેસ વચ્ચે સંકલન મીટીંગ યોજાઈ*
ઝઘડિયાભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી કબીર પેટ્રોલ પંપ ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સંકલન મિટિંગનું આયોજન કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા તેમજ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધનરાજ વસાવાની અધ્યક્ષતામાં યોજાઈ હતી.ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાના નામની

17/03/2024

છેલ્લા દોઢ વર્ષથી વાલીયા પો.સ્ટે.ના અપહરણ તથા પોકસોના ગુનામાં નાસતા- ફરતા આરોપીને મહારાષ્ટ્રના ધાનોરા ખાતેથી ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ*
ભરૂચ

17/03/2024

લોકસભા ચૂંટણી-૨૦૨૪ની તરીખોનું એલાન થઈ ગયું છે અને લોકસભાની ચૂંટણીનું બ્યુગલ વાગતા આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે ત્યારેવિઓ
જામનગર જિલ્લામાં લોકસભા ચૂંટણીને લઈને કામગીરી અને પ્રચાર પ્રસાર અંગે કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર બી.કે.પંડ્યાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

Address

State
Ankleshwar
393001

Telephone

+917048356986

Website

Alerts

Be the first to know and let us send you an email when Cid trust news gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Cid trust news gujarat:

Videos

Share


Other Media/News Companies in Ankleshwar

Show All

You may also like