HAMARA BHARAT

HAMARA BHARAT HAMARA BHARAT
GUJARATI NEWS WEEKLY

મોડાસા એપીએમસીના ડિરેક્ટર વિમલભાઈ પટેલે કમોસમી વરસાદથી પીડિત ખેડૂતો માટે રૂ.૧૦ હજાર કરોડના પેકેજનું સ્વાગત કર્યુંહમારા ભ...
14/11/2025

મોડાસા એપીએમસીના ડિરેક્ટર વિમલભાઈ પટેલે કમોસમી વરસાદથી પીડિત ખેડૂતો માટે રૂ.૧૦ હજાર કરોડના પેકેજનું સ્વાગત કર્યું

હમારા ભારત ન્યૂઝ : અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મોડાસા કૃષિ બજાર સમિતિ (એપીએમસી)ના ડિરેક્ટર શ્રી વિમલભાઈ પટેલે રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ માટે જાહેર કરવામાં આવેલા રૂ. ૧૦ હજાર કરોડના આર્થિક સહાય પેકેજનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું છે. તેમણે આ પગલાને ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ અને સમયસરનું પગલું ગણાવ્યું છે. ગત દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં આવેલા અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે ખેતરોમાં પાકનું વ્યાપક નુકસાન થયું છે.ત્યારે ગુજરાત સરકારશ્રી

દ્વારા જાહેર કરેલ દસ હજાર કરોડનું પેકેજ આશીર્વાદરૂપ સાબિત થશે. શ્રી વિમલભાઈ પટેલે જણાવ્યું કે,

“રાજ્ય સરકારે ખેડૂતોના દુઃખને સમજીને તાત્કાલિક રાહત પૂરી પાડવા માટે રૂ. ૧૦ હજાર કરોડનું વિશાળ પેકેજ જાહેર કર્યું છે, જે ખેડૂતો માટે આનંદની વાત છે. આ સહાયથી ખેડૂતો ફરી ઊભા થઈને નવી ખેતીની તૈયારી કરી શકશે.” મોડાસા એપીએમસી દ્વારા નુકસાનનું સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે અને ખેડૂતોને સહાય મેળવવા માર્ગદર્શન આપવામાં આવશે.તેઓએ તમામ ખેડૂતોને આ સહાયનો લાભ લેવા અપીલ કરી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં જનગણના – સેન્સસ ગુજરાતની નવી વેબસાઈટ ગાં...
14/11/2025

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં જનગણના – સેન્સસ ગુજરાતની નવી વેબસાઈટ ગાંધીનગરમાં લોન્ચ

હમારા ભારત ન્યૂઝ : અમદાવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં જનગણના-સેન્સસ ગુજરાતની અદ્યતન વેબસાઈટ https://gujarat.census.gov.in/નું લોન્ચિંગ કર્યું હતું.

ગુજરાત, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દિવની જનગણના નિયામક કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલી આ વેબસાઈટમાં મોર્ડન એલિમેન્ટ્સ, ઈઝી મેનુ અને મલ્ટીલેંગ્વેજ

ફંકશન સાથે યુઝર્સને સરળ એક્સેસ મળશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ વેબસાઈટનું લોન્ચિંગ કરતા કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનકલ્યાણની દરેક યોજનાઓના અસરકારક અમલ અને આયોજનથી સંતુલિત વિકાસનો જે ધ્યેય રાખ્યો છે તે જનગણનાથી જનકલ્યાણની ટેગ લાઈનને સુસંગત છે. નવી વેબસાઈટ લોન્ચિંગથી એને વધુ બળ મળશે તેમ મુખ્યમંત્રીશ્રી ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ એ વખતે દેશની

આગામી જનગણના ૨૦૨૭ અંતર્ગત પ્રથમ વખત મોબાઈલ એપ્લિકેશન દ્વારા સંપૂર્ણપણે ડિજિટલ રીતે હાથ ધરવામાં આવી રહી છે તેની સરાહના કરતા કહ્યું હતું કે, નાગરિકો વેબ પોર્ટલ દ્વારા સુરક્ષિત રીતે તેમનો ડેટા સબમિટ કરી શકે તે માટે પ્રથમ વખત, સેલ્ફ એન્યુમરેશન એટલે કે સ્વ-ગણતરી સુવિધા પણ રજૂ કરવામાં આવી રહી છે. તેનાથી પાયલટ પ્રોજેક્ટમાં પસંદ થયેલા જિલ્લાઓમાંથી ફર્સ્ટ હેન્ડ એક્સિપિરિયન્સ મળશે.

રાજ્યના જનગણના નિયામક શ્રી સુજલ મયાત્રાએ આ વેબસાઈટની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું કે, આગામી ૨૦૨૭ની જનગણના માટે રિહર્સલ હાથ ધરવામાં આવ્યું છે અને વિવિધ મોબાઈલ એપ્સનો ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે.

આ જનગણના ૨૦૨૭ના પ્રિ-ટેસ્ટ માટે ગુજરાતના સુરત મહાનગરપાલિકાના ૧૩૩ બ્લોક, દાહોદના દેવગઢબારિયા તાલુકાના ૨૬ ગામોના ૭૦ બ્લોક અને મોરબીના

ટંકારા તાલુકાના ૨૫ ગામોના ૬૦ બ્લોક પસંદ કરવામાં આવ્યા છે. આ પસંદ કરાયેલા વિસ્તારોમાં જે પ્રિસ્ટેસ કામગીરી ૧૦ થી ૩૦ નવેમ્બર હાથ ધરવાની છે તેની જાણકારી પણ જનગણના નિયામકશ્રી આપી હતી.

આ વેબસાઈટ લોન્ચિંગ અવસરે મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, મુખ્યમંત્રીશ્રીનો અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ અને જનગણના નિયામક કચેરી ગુજરાતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં'હર ઘર સ્વદેશી' અભિયાનને મિશન મોડ પર લઈ જવા યોજાઈ મહત્વપૂર્ણ બેઠકહમારા ભા...
14/11/2025

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં

'હર ઘર સ્વદેશી' અભિયાનને મિશન મોડ પર લઈ જવા યોજાઈ મહત્વપૂર્ણ બેઠક

હમારા ભારત ન્યૂઝ : અમદાવાદ

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'મેક ઈન ઈન્ડિયા' અને 'હર ઘર સ્વદેશી'ના અભિયાનને જન-જન સુધી પહોંચાડીને ચરિતાર્થ કરવાના ઉદ્દેશ્ય સાથે આજે ગાંધીનગર ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ યોજાયેલી આ બેઠકમાં તમામ વિભાગોના વડા-ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકો મહત્તમ સ્વદેશી ચીજવસ્તુઓને અપનાવે તે પ્રકારની જનજાગૃતિ કેળવવાનો છે. તે ઉપરાંત બેઠકમાં અન્ય મહત્વની બાબતો પર ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી

હતી. જેમાં વિદેશી ચીજવસ્તુઓને બદલે સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી માટે લોકો પ્રેરાય તે પ્રકારની જનજાગૃતિ કેળવવી, સ્વદેશી ચીજવસ્તુઓની માંગ વધારવા માટે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો તૈયાર કરવા પર ભાર મૂકવો, 'હર ઘર સ્વદેશી' મુહિમને મિશન મોડ પર લઈ

જવા માટેની બારીક વ્યૂહરચના તૈયાર કરવા ચર્ચા કરવામાં આવી હતી.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ 'બદલાવ સ્વયંથી”નો સંકલ્પ લઈને સૌ પ્રથમ તમામ વિભાગો સ્વદેશી વૈકલ્પિક ચીજવસ્તુઓ અપનાવે તે માટે ભારપૂર્વક સૂચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સરકારી વિભાગો દ્વારા સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગની શરૂઆત થવાથી એક સકારાત્મક સંદેશ જનતામાં જશે અને આ મુહિમને વેગ મળશે.

આ પ્રસંગે આત્મનિર્ભર ભારત અભિયાનના પ્રદેશ ઈનચાર્જ શ્રી પ્રદીપસિંહ જાડેજા, અધિક મુખ્ય સચિવ શ્રી સુનૈના તોમર, ડૉ. અંજુ શર્મા, પ્રિન્સીપાલ સેક્રેટરી શ્રી અશ્વિને કુમાર, શ્રી આર.સી.મીણા સહિત વિવિધ વિભાગના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

૫૦,૯૬૩ બૂથ લેવલ ઓફિસર્સ ૫.૦૮ કરોડ મતદારોના મેપિંગ માટે રાજ્યભરમાં કાર્યરતહમારા ભારત ન્યૂઝ : અમદાવાદસમગ્ર ગુજરાતમાં મતદાર...
14/11/2025

૫૦,૯૬૩ બૂથ લેવલ ઓફિસર્સ ૫.૦૮ કરોડ મતદારોના મેપિંગ માટે રાજ્યભરમાં કાર્યરત

હમારા ભારત ન્યૂઝ : અમદાવાદ

સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો ૪થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરી (Chief elec-toral office)ની સમગ્ર ટીમ રાજયભરના જિલ્લા ચૂંટણી અધિકારીઓ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, મતદાર નોંધણી અધિકારીઓ તથા સહાયક મતદાર નોંધણી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહીને સમગ્ર કાર્યપ્રગતિ પર નજર રાખવાની સાથે તેમને માર્ગદર્શન આપી રહી છે.

મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની સમગ્ર પ્રક્રિયામાં બૂથ લેવલ ઓફિસર પાયાના પત્થર સમાન છે. ગણતરી (એન્યુમરેશન) ફોર્મનું વિતરણ, મતદારને તેમના નામ અથવા સંબંધીઓના નામ સાથે મેચિંગ/લિંકિંગમાં મદદ કરવી તથા નવા મતદારોને નામ ઉમેરવા માટે કરવી
પડતી પ્રક્રિયાથી માહિતગાર કરવા સહિતના ખૂબ જ અગત્યની કામગીરી બૂથ લેવલ ઓફિસર સુપેરે સંભાળી રહ્યા છે. જેના માટે તેમને ફાળવવામાં આવેલા વિસ્તારના ઘરોની ત્રણ વખત મુલાકાત પણ લઈ રહ્યા છે.

હાલમાં રાજ્યભરના તમામ જિલ્લાઓમાં કુલ ૫૦,૯૬૩ બૂથ લેવલ ઓફિસર્સ ખંતપૂર્વક ફરજ નિભાવી રહ્યા છે. અદ્યતન મતદાર યાદી અનુસાર રાજ્યમાં કુલ ૫.૦૮ કરોડ મતદારો નોંધાયેલા છે. જેમના મેપિંગ માટે રૂબરૂ,

મોબાઈલ એપ્લિકેશન તથા ઓનલાઈન ડેટાબેઝના માધ્યમથી તા. ૧૧/૧૧/૨૦૨૫ના રોજ ઉપલબ્ધ વિગતોને આધારે ૨.૧૭ કરોડથી વધુ નાગરિકોનું મેપિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે. જ્યારે ૩.૯૦ કરોડ ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ થયું છે. જે બૂથ લેવલ ઓફિસર્સની કર્તવ્યનિષ્ઠાને આભારી છે. આમ, રાજ્યભરમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કરતા BLO ખરા અર્થમાં ભારતના ચૂંટણી પંચના ધ્વજવાહક બન્યા છે.

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે આંતરરાષ્ટ્રીય મૂટ કોર્ટ સ્પર્ધા ૨૦૨૫નું આયોજનRASHTRIYA RAKSHA UNIVERSITYહમારા ભારત ન્યૂ...
14/11/2025

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે આંતરરાષ્ટ્રીય મૂટ કોર્ટ સ્પર્ધા ૨૦૨૫નું આયોજન

RASHTRIYA RAKSHA UNIVERSITY

હમારા ભારત ન્યૂઝ : અમદાવાદ

ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળની રાષ્ટ્રીય મહત્વની સંસ્થા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) દ્વારા ૧૪ થી ૧૬ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન બીજી RRU આંતરરાષ્ટ્રીય મૂટ કોર્ટ સ્પર્ધા ૨૦૨૫નું આયોજન કરવામાં આવશે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધાનું આયોજન યુનિવર્સિટીના લવાડ કેમ્પસ ખાતે સ્કૂલ ઑફ ક્રિમિનલ એન્ડ મિલિટરી લો (SCLML) દ્વારા કરવામાં આવી રહ્યું છે.

૨૦૨૪ માં યોજાયેલી પ્રથમ આવૃત્તિની સફળતાના આધારે, આ વર્ષની સ્પર્ધા વધુ વ્યાપક અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાશે. કાર્યક્રમનું મુખ્ય વિષય છે – “આંતરરાષ્ટ્રીય કાયદો અને વૈશ્વિક સુરક્ષા”.

આ સ્પર્ધા આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત (ICJ) સમક્ષ ચાલી રહેલી કાર્યવાહીનું અનુકરણ કરશે.

સ્પર્ધામાં ૨૪ ટીમો, ૭૨ સહભાગીઓ, ૧૨ કોચો અને ૪૨

ન્યાયાધીશો ભાગ લેશે. નેપાળ, બાંગ્લાદેશ અને યુટોપિયા સહિતના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પણ તેમાં જોડાશે, જે સરહદ પાર કાનૂની સંવાદ અને વૈશ્વિક સહયોગને મજબૂત બનાવશે.

ઉદ્ઘાટન સમારોહમાં ન્યાયતંત્રના પ્રતિષ્ઠિત મહાનુભાવો, કાનૂની શિક્ષણવિદો અને આંતરરાષ્ટ્રીય કાયદાના નિષ્ણાતો ઉપસ્થિત રહેશે. ત્રણ દિવસીય કાર્યક્રમ દરમ્યાન મુખ્ય ભાષણો અને નિષ્ણાત પેનલ ચર્ચાઓ પણ યોજાશે જેમાં સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય કાયદા પંચ અને ભારતીય ન્યાયતંત્રના પ્રતિનિધિઓ ભાગ લેશે.

આ કાર્યક્રમ RRUના મિશનને ઉજાગર કરે છે, જે કાયદાકીય ક્ષેત્રમાં કુશળતા, હિમાયત અને વૈશ્વિક શાંતિ પ્રત્યે પ્રતિબદ્ધતા ધરાવતા વ્યાવસાયિકોને ઘડવાનું ધ્યેય ધરાવે છે.

બીજી RRU આંતરરાષ્ટ્રીય મૂટ કોર્ટ સ્પર્ધા ૨૦૨૫ બુદ્ધિ, કાયદો અને રાજદ્વારીનો સંગમ બનીને ન્યાય અને શાંતિના મૂલ્યોની ઉજવણી કરશે.

સાઠંબા ખાતે રાષ્ટ્ર ગીત વંદે માતરમનું સમૂહ ગાન કરવામાં આવ્યુંપટેલ, શૈલેષભાઈ પટેલ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, ગ્રામજનો દ્વારા...
14/11/2025

સાઠંબા ખાતે રાષ્ટ્ર ગીત વંદે માતરમનું સમૂહ ગાન કરવામાં આવ્યું

પટેલ, શૈલેષભાઈ પટેલ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, ગ્રામજનો દ્વારા વંદે માતરમનું અરવલ્લી જિલ્લાની સાઠંબા પ્રાથમિક શાળા ખાતે સરપંચ ધ્રુવકુમાર પંચાલ, તલાટી-કમ-મંત્રી વિરેન્દ્રભાઈ પટેલ, પ્રાથમિક શાળાના આચાર્ય ગોપાલભાઈ સમૂહગાન આવ્યુ અપનાવવાના શપથ હતા. સ્વદેશી વસ્તુઓની ઉપલબ્ધિ વિશે ચર્ચા કરવામાં આવી હતી.

રાષ્ટ્રગીત વંદે માતરમના ૧૫૦ વર્ષની ઉજવણી નિમિતે અરવલ્લીમાં સામુહિક ગાન તથા સ્વદેશીના શપથ ગ્રહણ કરાયા
14/11/2025

રાષ્ટ્રગીત વંદે માતરમના ૧૫૦ વર્ષની ઉજવણી નિમિતે અરવલ્લીમાં સામુહિક ગાન તથા સ્વદેશીના શપથ ગ્રહણ કરાયા

અરવલ્લી જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે યોજાઈ જનજાતીય ગૌરવ યાત્રાહમારા ભારત ન્યૂઝ: અરવલ્લીભગવાન ...
14/11/2025

અરવલ્લી જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે યોજાઈ જનજાતીય ગૌરવ યાત્રા

હમારા ભારત ન્યૂઝ: અરવલ્લી

ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત રાજ્ય સરકારના જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ અંતર્ગત યોજાયેલી જનજાતીય ગૌરવ યાત્રા ૨૦૨૫નો અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં માનનીય મંત્રીશ્રી પી.સી. બરંડાના અધ્યક્ષસ્થાને ભવ્ય પ્રારંભ થયો હતો.

યાત્રાના શુભારંભ પ્રસંગે મંત્રીશ્રીએ રથનું પૂજન કરીને બિરસા

મુંડાના જીવન અને આદિવાસી સમાજના ગૌરવ માટેના તેમના સંઘર્ષને યાદ કર્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “ભગવાન બિરસા મુંડા આદિજાતિ સમાજના સ્વાભિમાન અને શૌર્યના પ્રતીક રહ્યા છે. ગુજરાત સરકાર આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહી છે."

આ પ્રસંગે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના હસ્તક રૂ. ૧૨૮.૬૦ લાખના કુલ ૮૦ વિકાસ કામોનું ઈ-

લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ અરવલ્લી જિલ્લામાં રૂ. ૧,૫૦૦ કરોડના વિકાસ કાર્યો હાથ ધરાયા હતા.

ભિલોડા બાદ યાત્રા શામળાજી ખાતે પહોંચી હતી, જ્યાં આદિવાસી બાંધવો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસર પર સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકનૃત્યો અને બિરસા મુંડાના

‘ઉલગુલાન' આંદોલન પર આધારિત નાટ્ય રજૂઆત યોજાઈ હતી.

૯ નવેમ્બરે યાત્રા મેઘરજ તાલુકામાં પહોંચી હતી, જ્યાં સરકીલીંબડી, લુસાડીયા, કાગડામહુડા, ઈસરી, કંટાળુ, રેલ્લાવાડા, પંચાલ અને મેઘરજ ગામોમાં યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ઢોલનગારા, નૃત્ય-સંગીત અને “બિરસા મુંડા અમર રહેનાં” જયઘોષોથી સમગ્ર વિસ્તાર ઉત્સવમય બની ગયો હતો.

મંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “આ ગૌરવ યાત્રા માત્ર એક પ્રવાસ નહોતો, પરંતુ આદિજાતિ સમાજના ગૌરવ, અસ્મિતા અને સંસ્કૃતિનું જીવંત પ્રતીક રહ્યો હતો, જે યુવા પેઢીને પ્રેરણા આપશે.”

આ પ્રસંગે રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિક, જિલ્લા અધિકારીઓ, આગેવાનો તથા મોટી સંખ્યામાં આદિવાસી બાંધવો ઉપસ્થિત રહ્યા હતા.

ખેડૂતોએ ‘ક્લાયમેટ કરવી પડશે સ્માર્ટ' કૃષિહમારા ભારત ન્યૂઝ : અમદાવાદગુજરાતના કેટલાક જિલ્લામાં ગત્ત ઓક્ટોબર માસમાં પડેલા મ...
14/11/2025

ખેડૂતોએ ‘ક્લાયમેટ કરવી પડશે સ્માર્ટ' કૃષિ

હમારા ભારત ન્યૂઝ : અમદાવાદ

ગુજરાતના કેટલાક જિલ્લામાં ગત્ત ઓક્ટોબર માસમાં પડેલા માવઠાને કારણે કૃષિ ક્ષેત્રને નુકસાન થયું છે. ખેડૂતોની સ્થિતિને પારખીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રૂ. ૧૦ હજાર કરોડ જેટલી માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. પરંતુ, છેલ્લા પાંચ વર્ષમાં હવામાનની સ્થિતિ તપાસીએ તો માલૂમ પડશે કે આ વર્ષો દરમિયાન કમૌસમી વરસાદ, અતિવૃષ્ટિ, અછત જેવી સ્થિતિનો સામનો કરવો પડયો છે. જળવાયુ પરિવર્તનને કારણે બદલાતી જતી મૌસમની ચાલને સમજીને ખેડૂતોએ પણ પાક પદ્ધતિમાં બદલાવ કરવાનો સમય હવે પાકી ગયો છે.

આ બાબતે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના તજજ્ઞ ડો. ભરત મહેંતા પાસેથી જળવાયુ પરિવર્તનથી હવામાનમાં આવેલા બદલવાની કૃષિ પર પડતી અસર અંગે જાણવાનો પ્રયાસ કર્યો તો એમણે કેટલીક બાબતો કહી તે ખરેખર આંખ ખોલનારી છે. ડો. મહેતા કહે છે, ખેતરમાં ઓવર ફર્ટિલાઇઝેશન અને ઓવર ઇરિગેશનના કારણે જમીનને નુકસાન થયું છે.

તેઓ ઉમેરે છે, રાસાયણિક ખાતરોના વિવેકહિન ઉપયોગના કારણે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થયો છે. ગુજરાતમાં સર્વેત્ર સામાન્યતઃ જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ૦.૫ ટકા જેટલું થયું છે. હજુ પણ જો આપણે નહી સમજીએ તો રાસાયણિક ખાતરોના વધુ ઉપયોગથી જમીન બિનઉપજાઉ બી જશે. આ માટે તબક્કાવાર પ્રાકૃતિક કૃષિ કરીને જમીનની સ્થિતિ સુધારવી પડશે.

જમીનને કેવી રીતે નુકસાન થયું છે ? એ સમજીએ. જમીન કડક બની રહી છે. પહેલા માત્ર ૩૦ ડિગ્રી ખુણે કોશ રાખીને હળ ચલાવવામાં આવતા તો પણ જમીન આસાનીથી ખેડાઈ જતી હતી. તેના બદલે આવે આજે ટ્રેક્ટરથી પણ ખેડવામાં મુશ્કેલ પડે છે. જમીન કડક હોવાથી જમીનમાં પાણી ઉતરતું નથી. તેના કારણે ખેતરમાં લાંબો સમય પાણી ભરાઇ રહે છે અને પાકને નુકસાન થાય ७.

કૃષિને નુકસાન કરતા હવામાનના બદલાવ અંગે ડો મહેતા જણાવે છે કે, શિયાળાના દિવસો ટૂંકા થઇ રહ્યા છે અને શિયાળામાં પણ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ઉનાળા દરમિયાન હિટવેવ વધી રહ્યા છે. ઉનાળો ઉપરાંત ચોમાસા બાદ પણ વાવાઝોડા આવે છે. ચોમાસા દરમિયાન એક જ માસમાં આખી મૌસમનો વરસાદ વરસી જાય છે અને એ માસ પણ સતત બદલાતો રહે છે. એથી ચોમાસામાં બિનવરસાદી દિવસોનું પ્રમાણ વધી રહ્યું છે. ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમિયાન માવઠા પડી રહ્યા છે. આ બધી બાબતો જળવાયુ પરિવર્તનની અસરો સૂચવે છે. આ બાબતોની મોટી અસર પરંપરાગત કૃષિ ઉપર થાય છે. જળવાયુ પરિવર્તનને સામે ખેડૂતોએ શું કરવું જોઇએ ? એ માટે નિવારાત્મક પગલા સૂચવતા તેઓ કહે છે, ખેડૂતોને સર્વ પ્રથમ તેમની જમીનની સ્થિતિ સુધારવી પડશે. રાસાયણિક ખાતરોનો ઉપયોગ ટાળીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું

પ્રમાણ વધે એવા પ્રયત્નો કરવા પડશે. ખેડૂતોએ કલાયમેટ સ્માર્ટ એગ્રિકલ્ચર અપનાવી પડશે. જેમકે, બાયોટિક અને એબાયોટિક એવી જાતોની વાવણી કરવી જોઈએ જે વધુ ગરમી અને કે વધુ ઠંડીમાં સારી કરી પાકી શકે છે. આદિશામાં સંશોધનો ચાલી રહ્યા છે અને કેટલીક જાતો બજારમાં આવી ગઇ છે.

ખેડૂતોએ સંકલિત કૃષિ પદ્ધતિનો અમલ કરવો પડશે. જેમાં મિશ્ર પાક, આંતરપાક, એક જ પ્રકારના પાક વાવવાના બદલે વર્ષે દહાડે પાક બદલતા રહેવા પડશે. આંતર પાક કે મિશ્ર પાકના વાવેતરથી આવા સંજોગોમાં નુકસાનીનું પ્રમાણ ઘટાડી શકાય છે. બાગાયતી ખેતીમાં આંતર પાક સરળતાથી થઇ શકે છે. ખેત પેદાશોનું મૂલ્યવર્ધન પણ કરવું પડશે. પશુપાલનને પ્રોત્સાહન આપવું પડશે. આમ, ક્લાયમેટ ચેન્જને પણ કૃષિ માટે પડકાર સમજી તેનો સામનો કરવો પડશે. આ માટે કૃષિ યુનિવર્સિટીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા યોજાતી તાલીમોમાં ભાગ લઇ કે તેનું સાહિત્ય વાંચી ખેડૂતોએ સજ્જ થવું પડશે.

સાર્ધ શતાબ્દી વર્ષ નિમિત્તે વંદે માતરમ્ના જયઘોષ થકી ગરિમામય ભારત ભૂમિને કોટી કોટી વંદન
14/11/2025

સાર્ધ શતાબ્દી વર્ષ નિમિત્તે વંદે માતરમ્ના જયઘોષ થકી ગરિમામય ભારત ભૂમિને કોટી કોટી વંદન

ભારતના રાષ્ટ્રપતિ સાથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના સભ્યોએ મુલાકાત કરીહમારા ભારત ન્યૂઝ: નવી દિલ્હીICC મહિલા ક્રિકેટ વર્લ્ડ...
14/11/2025

ભારતના રાષ્ટ્રપતિ સાથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના સભ્યોએ મુલાકાત કરી

હમારા ભારત ન્યૂઝ: નવી દિલ્હી

ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૫ જીતનાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમના સભ્યોએ (૬ નવેમ્બર, ૨૦૨૫) રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી.

રાષ્ટ્રપતિએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના દરેક સભ્યને અભિનંદન આપ્યા અને કહ્યું કે તેમણે ક્રિકેટ વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો છે. દેશ અને વિદેશમાં લાખો ભારતીયો આ વિજયની ઉજવણી કરી રહ્યા હતા.

છઠ્ઠા રાષ્ટ્રીય જળ પુરસ્કારના વિજેતાઓની જાહેરાતહમારા ભારત ન્યૂઝ: નવી દિલ્હીમાનનીય કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સીઆર પા...
14/11/2025

છઠ્ઠા રાષ્ટ્રીય જળ પુરસ્કારના વિજેતાઓની જાહેરાત

હમારા ભારત ન્યૂઝ: નવી દિલ્હી

માનનીય કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સીઆર પાટીલે નવી દિલ્હીના શ્રમ શક્તિ ભવન ખાતે છઠ્ઠા રાષ્ટ્રીય જળ પુરસ્કારોના વિજેતાઓની યાદી જાહેર કરી. જળ શક્તિ મંત્રાલયના જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ વિભાગ (DoWR, RD & GR) એ વર્ષ ૨૦૨૪ માટે છઠ્ઠા રાષ્ટ્રીય જળ પુરસ્કારો માટે સંયુક્ત વિજેતાઓ સહિત ૪૬ વિજેતાઓની જાહેરાત કરી છે. આ ૧૦ શ્રેણીઓમાં પુરસ્કાર આપવામાં આવશે: શ્રેષ્ઠ રાજ્ય, શ્રેષ્ઠ જિલ્લો, શ્રેષ્ઠ ગ્રામ પંચાયત, શ્રેષ્ઠ શહેરી સ્થાનિક સંસ્થા, શ્રેષ્ઠ શાળા અથવા કોલેજ, શ્રેષ્ઠ ઉદ્યોગ, શ્રેષ્ઠ પાણી વપરાશકારો સંગઠન, શ્રેષ્ઠ સંસ્થા (શાળા અથવા કોલેજ સિવાય), શ્રેષ્ઠ નાગરિક સમાજ અને પાણી ક્ષેત્રમાં શ્રેષ્ઠતા માટે શ્રેષ્ઠ વ્યક્તિ.

શ્રેષ્ઠ રાજ્ય શ્રેણીમાં, મહારાષ્ટ્રને પ્રથમ પુરસ્કાર, ગુજરાતને બીજું અને હરિયાણાને ત્રીજું સ્થાન મળ્યું છે.

દરેક પુરસ્કાર વિજેતાને કેટલીક શ્રેણીઓમાં પ્રશસ્તિપત્ર, ટ્રોફી અને રોકડ પુરસ્કારો પ્રાપ્ત થશે.

જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ વિભાગ (DoWR, RD & GR) એ જાહેરાત કરી છે કે દઠ્ઠા

ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ ૧૮ નવેમ્બર, ૨૦૨૫ના રોજ પુરસ્કારો રજૂ કરશે

શ્રેષ્ઠ રાજ્ય શ્રેણીમાં, મહારાષ્ટ્રને પ્રથમ, ગુજરાતને બીજું અને હરિયાણાને ત્રીજું સ્થાન મળ્યું

રાષ્ટ્રીય જળ પુરસ્કારો, ૨૦૨૪ માટે એવોર્ડ સમારોહ ૧૮ નવેમ્બર, ૨૦૨૫ના રોજ સવારે ૧૧:૩૦ વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનના પ્લેનરી હોલમાં યોજાશે. ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

રાષ્ટ્રીય જળ પુરસ્કારોની જાહેરાત સમયે કેબિનેટ મંત્રી શ્રી રાજ ભૂષણ ચૌધરી, માનનીય રાજ્ય મંત્રી, જળ શક્તિ મંત્રાલય, શ્રી વી.એલ. કાંતા રાવ, સચિવ, જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ (DoWR, RD&GR), શ્રી અશોક કે.કે. મીણા, સચિવ, પેયજળ અને સ્વચ્છતા વિભાગ, અને જળ શક્તિ મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.

જળ શક્તિ મંત્રાલય એક કેન્દ્રીય મંત્રાલય છે જેને રાષ્ટ્રીય સંપત્તિ તરીકે પાણીના વિકાસ, સંરક્ષણ અને કાર્યક્ષમ સંચાલન માટે નીતિ માળખા સ્થાપિત

કરવા અને કાર્યક્રમો અમલમાં મૂકવાની જવાબદારી સોંપવામાં આવી છે. માનનીય પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ, જળ શક્તિ મંત્રાલય રાષ્ટ્રીય સ્તરે જળ વ્યવસ્થાપન અને જળ સંરક્ષણ વિશે જાગૃતિ ફેલાવવા માટે એક વ્યાપક અભિયાનનું નેતૃત્વ કરી રહ્યું છે. આ દ્રષ્ટિકોણને અનુરૂપ, અને લોકોમાં પાણીના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને તેમને શ્રેષ્ઠ પાણીના ઉપયોગની પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે, ૨૦૧૮માં DoWR, RD&GR દ્વારા પ્રથમ રાષ્ટ્રીય જળ પુરસ્કારોની સ્થાપના કરવામાં આવી હતી. બીજા, ત્રીજા, ચોથા અને પાંચમાં રાષ્ટ્રીય જળ પુરસ્કારો ૨૦૧૯, ૨૦૨૦, ૨૦૨૨ અને ૨૦૨૩ માટે આપવામાં આવ્યા હતા. કોવિડ રોગચાળાને કારણે આ પુરસ્કારો ૨૦૨૧માં આપવામાં આવ્યા ન હતા.

વર્ષ ૨૦૨૪ માટે છઠ્ઠા રાષ્ટ્રીય જળ પુરસ્કારો ૨૩ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ ગૃહ મંત્રાલય (MHA) ના રાષ્ટ્રીય

પુરસ્કાર પોર્ટલ પર શરૂ કરવામાં આવ્યા હતા. કુલ ૭૫૧ અરજીઓ પ્રાપ્ત થઈ હતી. અરજીઓની ચકાસણી અને મૂલ્યાંકન જ્યુરી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પસંદ કરાયેલી અરજીઓની સેન્ટ્રલ વોટર કમિશન (CWC) અને સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (CGWB) દ્વારા ગ્રાઉન્ડ લેવલ પર ચકાસણી કરવામાં આવી હતી. ગ્રાઉન્ડ લેવલ સ્ક્રુટિની રિપોર્ટના આધારે, ૨૦૨૪ના વર્ષ માટે છઠ્ઠા રાષ્ટ્રીય જળ પુરસ્કારો માટે સંયુક્ત વિજેતાઓ સહિત કુલ ૪૬ વિજેતાઓની ૧૦ અલગ અલગ શ્રેણીઓમાં પસંદગી કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય જળ પુરસ્કારો (NWAs) ‘જળ સમૃદ્ધ ભારત' ના સરકારના વિઝનને પ્રાપ્ત કરવા માટે દેશભરમાં વ્યક્તિઓ અને સંગઠનો દ્વારા કરવામાં આવેલા સારા કાર્ય અને પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પુરસ્કારો લોકોમાં પાણીના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને તેમને શ્રેષ્ઠ પાણી ઉપયોગ પદ્ધતિઓ અપનાવવા માટે પ્રેરણા આપવા માટે છે. આ કાર્યક્રમ તમામ વ્યક્તિઓ અને સંગઠનોને જળ સંસાધન સંરક્ષણ અને વ્યવસ્થાપન પ્રવૃત્તિઓમાં ભાગીદારી અને જાહેર ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તક પૂરી પાડે છે.

Address

Ahmedabad

Telephone

+919409221791

Website

Alerts

Be the first to know and let us send you an email when HAMARA BHARAT posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to HAMARA BHARAT:

Share