All Gujarat News

All Gujarat News An Alternative Media. Supporting Independent Journalism, Democracy & Justice. Read real news in Guj.
(5)

01/02/2023

Deepak Chauhan

यह चेक प्रदेश अध्यक्ष महेंद्र भट्ट जी ने 2017 में जोशीमठ चाई गांव में आपदा आने पर पीड़ित परिवारों को मुआवजे के तौर पर महेंद्र भट्ट जी ने दिए थे जो कि उस टाइम बद्रीनाथ विधानसभा के विधायक थे
मैं समझ सकता हूं आपने इन पीड़ित परिवारों को 750 सौ से लेकर 150 रुपए के चेक दिए थे मैं समझ सकता हूं इतनी मोटी रकम देने का क्या कारण रहा होगा जोशीमठ की जो जनता है वह माओवादी है इस कारण आपने इन पीड़ित लोगों को इतने भारी भरकम चेक देने की कृपा की थी ।

339.અદાણી સામ્રાજ્યમાં ચીનની મસમોટી કંપનીનું રોકાણ હોય અને ચીન બદનામ કરે? સીધું ને સટ્ટ: ડૉ.હરિ દેસાઈ.વેબ લિંક:
01/02/2023

339.અદાણી સામ્રાજ્યમાં ચીનની મસમોટી કંપનીનું રોકાણ હોય અને ચીન બદનામ કરે? સીધું ને સટ્ટ: ડૉ.હરિ દેસાઈ.વેબ લિંક:

339.અદાણી સામ્રાજ્યમાં ચીનની મસમોટી કંપનીનું રોકાણ હોય અને ચીન બદનામ કરે?સીધું ને સટ્ટ :ડૉ.હરિ દેસાઈ

*વર્તમાન આર્થિક પ્રવાહો-૬**શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને ગ્રામ વિકાસ માટે બજેટ તદ્દન નિરાશાજનક**https://youtu.be/yZj2mPb3a...
01/02/2023

*વર્તમાન આર્થિક પ્રવાહો-૬*

*શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને ગ્રામ વિકાસ માટે બજેટ તદ્દન નિરાશાજનક*

*https://youtu.be/yZj2mPb3aFA*

Document from Atman Shah

01/02/2023

નરેન્દ્ર મોદી બદનામ થાય તો વાંધો, મહાત્મા ગાંધી બદનામ થાય તો નહિ!

અદ્ભુત. માત્ર ચાર દિવસ પહેલાં જ વીતેલા ભારતના નાગરિકસત્તાક દિને 'ગાંધી-ગોડસે એક યુદ્ધ' ફિલ્મ થીએટરોમાં દેખાડવાનું શરૂ થયું. પણ તેના થોડા દિવસો પહેલાં જ નરેન્દ્ર મોદીની સરકારે ગુજરાતનાં ૨૦૦૨નાં કોમી તોફાનો અંગે બીબીસી દ્વારા બનાવાયેલી દસ્તાવેજી ફિલ્મ પર પ્રતિબંધ મૂકી દીધો!

'ગાંધી-ગોડસે એક યુદ્ધ' ફિલ્મ પણ તે સમયના અનેક દસ્તાવેજોને ધ્યાનમાં લઈને બનાવવામાં આવી હશે.

એક ઉપર પ્રતિબંધ નહિ અને બીજા પર પ્રતિબંધ! બીબીસીની ફિલ્મ પર પ્રતિબંધ છતાં જેઓ બંધારણમાં કલમ-૧૯માં લખવામાં આવેલા પોતાના વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો ઉપયોગ કરીને તે નિહાળતા હતા તેમના પર કહેવાતાં હિન્દુ સંગઠનો અને પોલિસ દ્વારા પણ હુમલા કરવામાં આવ્યા!

એમ કહેવામાં આવે છે કે બીબીસીની ફિલ્મમાં નરેન્દ્ર મોદીની બદનામી થાય છે. અને મોદીની બદનામી એટલે ગુજરાતની બદનામી તો ખરી જ..ને; તો 'ગાંધી-ગોડસે એક યુદ્ધ'માં ગાંધીની કે ગોડસેની કે બંનેની બદનામી નથી થતી? જો કે, ગોડસેભક્તો કંઈ નથુરામ ગોડસેની બદનામી સહન ન કરત. નરેન્દ્ર મોદી ગાંધી કરતાં વધુ મહાન કે ગોડસે કરતાં વધુ મહાન? નરેન્દ્ર મોદીની બદનામી થાય તો વાંધો અને મહાત્મા ગાંધીની બદનામી થાય તો વાંધો નહિ?

ગાંધીની તો આમેય ઘણી બદનામી ગોડસેભક્તોએ કરેલી જ છે. વધુ શું થવાની? એ બદનામી દૃઢ થાય એવું આ નવી ફિલ્મથી બને ખરું. પરંતુ એ તો સૂરજ સામે ધૂળ ઉડાડવા સમાન ના ગણાય? પણ જેઓ ગાંધીવિચારમાં માને છે તેઓ ફિલ્મ પર કે પુસ્તક પર પ્રતિબંધ મૂકવાની માગણી કદી કરતા નથી. એને જ કહેવાય સ્વતંત્રતાનું મૂલ્ય.

લોકશાહીમાં જેને જે ફિલ્મ બનાવવી હોય તે બનાવે અને જેને જે જોવી હોય તે જુએ. એમાં ફિલ્મના બજારમાં જેની જેવી માંગ અને જેનો જેવો પુરવઠો. એમાં સરકાર શા માટે વચ્ચે આવે, જો એમાં જાહેર ઔચિત્ય અને જાહેર શાંતિનો ભંગ ન થતો હોય?

ફિલ્મ જોઈને દર્શકોને નક્કી કરવા દો કે ગાંધી સાચા કે ગોડસે. એ જ રીતે, ફિલ્મ જોઈને દર્શકોને નક્કી કરવા દો કે ગુજરાતનાં ૨૦૦૨નાં કોમી તોફાનો દરમ્યાન રાજ્યની એટલે કે નરેન્દ્ર મોદીની ગુજરાત સરકારની ભૂમિકા શી હતી?

ખરો સવાલ અભિવ્યક્તિની આઝાદીનો છે. એ આઝાદી પર ભૂતકાળમાં પણ ઘણી ફિલ્મો અને પુસ્તકો પર પ્રતિબંધો મૂકીને કેન્દ્ર અને રાજ્ય સરકારોએ બેફામ તરાપ મારી છે. એમાં કોંગ્રેસની અને અન્ય રાજકીય પક્ષોની સરકારોનો પણ સમાવેશ થાય છે. આવા પ્રતિબંધો તદ્દન અતાર્કિક હોય છે. રાજ્ય એટલે કે સરકાર અનેક વાર બુદ્ધિ વગરનું વર્તન કરે છે એનો જ એ પુરાવો આપે છે.

નાગરિકો બરાબર સતર્ક રહે કે સરકારો કેવી રીતે તેમની આઝાદી ઝૂંટવી રહી છે. સરકારોનો તો એ સ્વભાવ છે. એને નાગરિકોએ નિયંત્રણમાં રાખવો પડે. નહિ તો સરકારો સરમુખત્યાર બની જાય..

- પ્રો. હેમંતકુમાર શાહ,
ગાંધી હત્યા દિન, ૨૦૨૩.

01/02/2023

ADANI within 45 days can go bust , at current happenings as of today and if 55000 crs DOLLAR BOND gives him a RUN

75% shares owned by round tripping thru 36 shell family owned companies situated in UAE, LONDON, MAURITIUS

18% Holding is FROM foreign banks= Holding value Rs.34000 crs

29% is foreign Bonds Holding value = Rs 55000 crs
Credit suisse gave these Bonds zero untradeable value today, which means anytime one can find Bond holders asking for money back ( here again repayment must be in USD )

If all bond holders ask for immediate repayment from where will he pay , 75% Holding of family will get wiped out . Like Emgrand of China ...Adani will vanish , mostly Mukesh might buy out the Airports , Sea.ports for a song 🎵 🤔

Govt cannot help anymore ,
During election year.

Moreover this is Adanis own making not that of fekoo.
Nor can PSU banks and LIC provide succour to an well revealed and exposed CROOK ,as their shares are already tossing down with this group.

"""""" Basically Adani is on his death bed in STOCK.EXCHANGE .....ICU...."""""

Morgan Stanley will shortly remove Adani group from MSCI and that will see another 2 to 8 billion dollar outflow

FPO is only half paid up in value, if crash continue remaining 10000crs none would subscribe for the remaining balance.

Road ahead is KARMA at play, unseen and unexpected came Hindenberg

GVK AIRPORT MUMBAI Airport was a forced takeover with the help of ED, CBI

NDTV was a forced snatching by bending Rules with Sebi help

Central government was involved in both

Colombo port was forced upon srilanka to be given to Adani Modiji’s influence
Finally Netanyahu will also lick dust, being Modi ji’s close friend, Haiffa port was taken over yesterday by Adani ports.... there will not be any cash.flow and all business will grind to an Halt

Finally KARMA hit Adani badly

01/02/2023

#बजट2023 ગરીબ, ખેડૂત, શિક્ષણ અને આરોગ્ય વિરોધી મોદી, ગુજરાતમાં અને દેશમાં.

MNREGA બજેટ 73000 કરોડ ઘટીને 60 હજાર કરોડ મોદીએ કર્યું.
PM સિંચાઈ યોજના 12954 કરોડથી ઘટીને 10787 કરોડ કરી.
શિક્ષણના 39553થી ઘટીને 38953 કરોડ કર્યા.
આરોગ્યના 37160 કરોડ ઘટીને 36785 કરોડ કર્યા.

01/02/2023
અંદાજપત્ર
01/02/2023

અંદાજપત્ર

01/02/2023

The court observed that malaise of cheating needs to be curbed with heavy hand to preserve the faith of large number of youth aspiring to land jobs in a country where jobs particularly government jobs are becoming scarce day-by-day

01/02/2023
31/01/2023

Attack on India!

31/01/2023

Why don't they talk about...

31/01/2023

Writer & Columnist Aakar Patel talking about 'The fine between journalism & activism' as a part of Journalism Talk/Workshop organised at Cartoonu Habba 2022 ...

31/01/2023

'Attack on India' says Adani. Molitics cartoon.

31/01/2023

નવા ન્યાયાધીશ
ગુજરાત વડીઅદાલતના મુખ્ય ન્યાયધીશ અરવિંદ કુમારની સર્વોચ્ચ અદાલતના ન્યાયધીશ તરીકે બદલી. ગુજરાતમાં નવા મુખ્ય ન્યાયમૂર્તિ આવશે.
ગુજરાત અને અલ્હાબાદ હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશને સુપ્રીમ કોર્ટમાં નિમણુક આપવા કોલેજીયન પેનલે કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી.

કેદમાંથી બહાર આવેલા કેદીની વ્યથાસાબરમતી સેન્ટ્રલ જેલમાં સરેરાશ  4000 થી વધુ કેદીઓ છે. જે પૈકી 1000 થી વધુ પૈસાદાર, ચાલાક...
31/01/2023

કેદમાંથી બહાર આવેલા કેદીની વ્યથા
સાબરમતી સેન્ટ્રલ જેલમાં સરેરાશ 4000 થી વધુ કેદીઓ છે. જે પૈકી 1000 થી વધુ પૈસાદાર, ચાલાક ને રીઢા ગુનેગારો છે. આ 1000 કેદીઓ રોજના ફોન, રૂબરૂ મુલાકાત, સિવિલ હોસ્પિટલ ના બહાને બહેનપણી સાથે મુલાકાત, જેલમાં મોબાઈલ, નોનવેજ, સારી પથારી ને પર્સનલ સારી રૂમ સુવિધા, દર 14 દિવસના જાપ્તામાં સગાં કે સ્નેહી સાથે મુલાકાત વગેરે સુવિધાઓ ના રોજના 6000 મુજબ 1000 કેદીઓ ના રૂપિયા 60 લાખ. એક કેદીને મહિને રૂપિયા 4000 ની વિવિધ ખરીદી માટે કૂપન આપવામાં આવે છે. કેદીઓને જીવન જરૂરી વસ્તુઓ બજારભાવે મળે છે. 25 % નફો ને સરેરાશ 10 % જી.એસ.ટી. મુજબ 35% નફો જેલ એસ. પી. મેળવે છે. 4000 રૂપિયા × 4000 કેદીઓ = માસિક રૂપિયા 160000 ના 35% = 53 લાખ રૂપિયા. જેલમાં વિવિધ ઉદ્યોગો માટે વસ્તુઓની ખરીદી અને વિવિધ સેવાઓના કોન્ટ્રાક્ટ માટે થઈ ને રોજની 10 લાખની રોકડી. 4000 કેદીઓ પૈકી 20% કેદીઓ સારી બેરેક, વિવિધ જરૂરી સુવિધાઓ માટેના રોજના1000 કેદીઓ × 500 = 5 લાખ.
આમ રોજ 80 લાખ રૂપિયા ની રોકડી કે ભ્રષ્ટાચાર જેલમાં.

31/01/2023

🙏🏼ગુજરાત - દેવામુક્ત કેવી રીતે ?🙏🏼
✅ 1995 માં આદરણીય કેશુભાઈ ની ભાજપની સરકાર બની ત્યારે ગુજરાત સરકાર નું દેવું રૂપિયા 36000 કરોડ હતું. એ વખતે ગુજરાત સરકાર નુ બજેટ 70000 કરોડ હતુ.
✅ 2002 થી આદરણીય નરેન્દ્રભાઈ મોદીની ભાજપ સરકારનુ બજેટ એક લાખ કરોડ હતુ.
✅ બજેટના માત્ર 15% દેવુ ચુકવવામાં આપ્યા હોત તો દર વર્ષે 15000 કરોડ ને 5 વર્ષમાં 75000 કરોડ. દેવુ ને વ્યાજ ચૂકવાઈ ગયું હોત.
✅ પરંતુ ભાજપ સરકારે જુનુ દેવુ ને વ્યાજ ચૂકવ્યુ નહી ને નવુ દેવુ વધારતા જ ગયા.
✅ પરિણામે આજે 2022 માં દેવું આ જ સરકાર માં 10 ગણું વધીને રૂપિયા 3 લાખ 60 હજાર કરોડે પહોંચી ગયું !
✅ આજે 2022 માં ગુજરાત સરકાર નુ બજેટ 2 લાખ 44 હજાર કરોડ છે. હજૂ પણ સરકાર 25% બજેટ દેવુ ચુકવવામાં વાપરે તો સરેરાશ 60000 કરોડ × 5 = 3 લાખ કરોડ રૂપિયા ચૂકવાઈ જાય.
✅ દર વર્ષે બજેટ 8% થી 10% મુજબ વધતુ હોય છે.
✅ કોઈ વ્યક્તિ, સંસ્થા કે સરકાર આવકના 20% દેવુ ચૂકવે તો 5 વર્ષમાં સાચા અર્થમાં આત્મ નિર્ભર થાય. પણ ખોટા ને વાહિયાત ખર્ચ કરીને નવુ દેવું સતત વધારવામાં આવે તો દેવાદાર ડૂબી જાય.
✅ સૌનો સાથ સૌનો વિકાસ એ ખોખલું સૂત્ર ના જ ચાલે. દેવાદાર નો વળી વિકાસ કેવો ?
✅ વ્યસની ને શોખીન નો વિકાસ ના જ થાય. શોખીન કદી વિદ્વાનો ના હોય ને વિદ્વાનો કદી શોખીન ના હોય.
સમજાય એમને વંદન, ને ના સમજાય એમને અભિનંદન.
✅ બજેટ અભ્યાસુ ને મેનેજમેન્ટ ગુરુ ડૉ. કલ્યાણસિંહ ચંપાવતના નમન, વંદન ને પ્રણામ.
જય હિંદ ! જય શ્રી રામ !
કલ્યાણસિંહ ચંપાવત

30/01/2023
30/01/2023

આર્કિટેકનો ભારતીય 'હોવાર્ડ રોઆર્ક': બી. વી. દોશી
(ગુજરાત મિત્ર, 29-01-2023)
મૂળ રશિયન પરંતુ મૂડીવાદી વિચારધારાથી પ્રેરિત થઈને અમેરિકા 'નાસી' ગયેલાં વ્યક્તિવાદી વિચારક અને લેખક આયન રેન્ડે, 1943માં, "ધ ફાઉન્ટેનહેડ" નામની તેમની પ્રથમ યશસ્વી નવલકથા લખી હતી. આ એક એવી નવલકથા હતી, જેના પરથી દુનિયાના મોટા બિઝનેસમેન અને મૂડીવાદીઓ પ્રેરિત થયા હતા.

આ નવલકથા વ્યક્તિવાદના ચિંતન પર આધારિત છે, જે કહે છે કે એક વ્યક્તિની પોતાની વિચારધારા સર્વોપરિ હોય છે. આ એ વિચારધારાથી વિપરીત છે, જે સમાજના હિતોને સર્વોપરિ માને છે અને જે સમૂહવાદને અનુસરે છે.

આવી વ્યક્તિવાદી વિચારધારાને ઉચિત ઠેરવવા માટે રેન્ડે નવલકથામાં આર્કિટેકચરનું ભણતા હોવાર્ડ રોઆર્ક નામના એક એવા હીરોનું સર્જન કર્યું હતું જે આર્કિટેકચરની સ્થાપિત પરંપરામાં માનતો નથી અને ખુદનું ઇનોવેશન કરવા માટે તુક્કા લડાવતો રહે છે. રોઆર્ક અત્યંત પ્રતિશાળી છે અને તેની તમામ કૃત્રિમ ઘણી રચનાત્મક હોય છે, પરંતુ તે બિનપરંપરાગત હોવાથી લોકોને અજીબ લાગે છે.

મંગળવારે, દેશ-વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત, ગુજરાતના આર્કિટેક બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશીનું અવસાન થયું, ત્યાર તેમના પર વિચાર કરતી વખતે "ધ ફાઉન્ટેનહેડ"ના હોવાર્ડ રોઆર્કની યાદ આવી ગઈ. બી. વી. દોશીએ પણ ટ્રેન્ડની ભેડચાલમાં ચાલવાને બદલે પોતાના આગવા ચિંતન અને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ આર્કિટેકચરનું નિર્માણ કર્યું હતું.

તેમને 2018માં, આર્કિટેકચરનું નોબેલ ગણાતું, પ્રિત્ઝકર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું હતું, ત્યારે જ્યુરીએ એવોર્ડમાં જે નોંધ્યું હતું તેમાં ક્યાંક હોવાર્ડ રોઆર્કના વિચારોનો પડઘો હતો;

"બાલકૃષ્ણ દોશીએ ક્યારેય ટ્રેન્ડને અનુસરવાનો પ્રયાસ નથી કર્યો. તેમણે હંમેશા વાસ્તુકલામાં ગંભીરતા જાળવી છે. તેમની ઇમારતોની સુંદર વાસ્તુકલામાં શહેરી યોજના માટે જરૂરી તત્વો વાતાવરણ, નિર્માણસ્થળ, નિર્માણકાર્ય માટેની ટેક્નોલૉજી તથા કળાનો સંગમ જોવા મળે છે."

દોશીએ એવોર્ડના પ્રતિભાવમાં કહ્યું હતું, "મારું દરેક સ્થાપત્ય મારા જીવન, મારી ફિલૉસૉફી અને આત્મા ધરાવતા સ્થાપત્યોનો વારસો ઊભો કરવાનો અંશ છે." આર્કિટેકચર એટલે શું? દોશીએ તેની બહુ સરળ વ્યાખ્યા કરી હતી; "આપણી આસપાસ જે પણ ચીજવસ્તુઓ છે-રોશની, આસમાન, પાણી અને આંધી-તોફાન, એ બધું જ એક લયમાં હોય છે. એ લયનું નામ આર્કિટેકચર."

આ એવોર્ડ પછી, દોશીએ પત્રકાર-મિત્ર પારસ જહા સાથે વાતચીતમાં આખી વાતને વધુ સરળ કરી આપી હતી; "આપણે કપડાં પહેરીએ છીએ ત્યારે એ જોઇએ છીએ કે કપડાં આપણને અનુકૂળ છે કે નહિ, પણ અનુકૂળ કપડાં એ ફેશન ડિઝાઇન નથી.

એવી જ રીતે, જે વસ્તુ જે જગ્યા માટે, જે સંસ્કૃતિ માટે, જે લોકોની રહેણીકરણી માટે અનુકૂળ હોય અને એનાથી એમને આનંદ થતો હોય, તો મારા હિસાબે સ્થાપત્ય એને કહેવાય. ડિઝાઈન કરવી, કોતરણી કરવી એ ડેકોરેશન છે, સ્થાપત્ય નહીં."

બી. વી. દોશી ઇમારતને જીવતા માણસ જેવી ગણતા હતા એટલા માટે તેમના આર્કિટેકચરમાં એક પ્રકારની આત્મીયતા મહેસુસ થતી હતી. મજાની વાત એ છે કે "ધ ફાઉન્ટેનહેડ"માં કોલેજમાંથી નિષ્કાસિત કરાયેલો રોઆર્ક ન્યુયોર્ક જાય છે અને ત્યાં હેન્રી નામના એક આર્કિટેકની ફર્મમાં કામ શરૂ કરે છે. તે દરમિયાન, ન્યુયોર્કના સ્થાપિત આર્કિટેક્સ પણ તેની ટીકા કરે છે. તેવા એક પ્રસંગે તે કહે છે;

"એક ઇમારત, એક માણસની જેમ, જીવંત હોય છે. તેની નિષ્ઠા તેના સત્યને, તેની વિષય-વસ્તુને અને તેના હેતુને અનુસરવાની હોય છે. એક માણસ જેમ તેના શરીરના હિસ્સાઓને ઉછીના મેળવતો નથી, તેવી રીતે એક ઇમારત પણ તેના આત્માના ટુકડાઓને ઉછીના નથી મેળવતી. તેનો સર્જક તેને આત્મા આપે છે અને પ્રત્યેક ભીંત, ખિડકી અને સીડી તેને વ્યક્ત કરે છે."

દોશીએ પણ એક ઈન્ટરવ્યૂમાં કઈંક આવી જ વાત કરી હતી; "મને સ્પેસ કાયમ જીવંત લાગી છે. લાઈટ અને સ્પેસ એક મૂવમેન્ટ ઉભી કરે છે, એક સંવાદ સર્જે છે, એક ગતિવિધિ પેદા કરે છે અને ત્યાં તમે જીવનનો હિસ્સો બનો છો. આર્કિટેકચર જીવનની પૃષ્ઠભૂમિ છે. આપણે આપણી અંદર એટલા મશગૂલ હોઈએ છીએ કે સ્પેસ શું કહેવાય કે આપણી આસપાસ શું ચાલી રહ્યું છે તેનાથી વાકેફ નથી. હું મારા આર્કિટેકચરથી લોકોને તેમની અંદર અને બહાર જે થઈ રહ્યું છે તેને મહેસુસ કરાવું છું."

દોશી મૂળ પુણેના હતા. ત્યાં પરિવાર મોટો થાય તેમ ઘરો બે માળ, ત્રણ માળનાં બનતાં જાય. ત્યાં શેરીમાં નીકળો તોય દરેક ઘર પાડોશ લાગે. ગમે તેટલાં ઘર હોય, તમને અજાણ્યું ન લાગે. ઘર-પરિવાર અને સમુદાયની ભાવના ઘરોની આ આત્મીય રચનામાંથી આવે છે.

"આર્કિટેકચર સામાજિક હોય છે. એ મારી ડિઝાઇન ફિલૉસૉફીનો મૂળ પાયો છે," એમ દોશીએ પારસ જહાને કહ્યુ હતું, "જેવી રીતે આપણી આત્મીયતા આપણા પરિવાર સાથે હોય તેટલી જ આત્મીયતા આપણા મકાન અને આપણા આસપાસના વાતાવરણ સાથે હોય તો એમ કહેવાય કે એ આત્મીયતા મારી છે."

ભારત સરકારની ઇન્ફોર્મેશન સર્વિસમાં ડેપ્યુટી ડિરેક્ટર ઉત્સવ પરમાર દોશીને કોન્ક્રીટ અને ઈંટની કવિતા કરતા આર્કિટેક કહે છે. તેમને શ્રદ્ધાંજલિ આપતા એક લેખમાં પરમાર લખે છે, "બી. વી. દોશી વિશ્વ પ્રવાહો સાથે ચાલ્યા પણ તેના કાંઠા ભારતીય રાખ્યા. બીજા વિશ્વયુદ્ધ પછી ઇમારતોની રચનામાં પણ એક પ્રકારનો વાસ્તવવાદ આવ્યો. ઝાઝો શણગાર નહિ, ઓછું મટીરીયલ અને ચોરસ, લંબચોરસ, ત્રિકોણ જેવા ભૌમિતિક આકારોની ભવ્યતા ધરાવતી ઇમારતો બની રહી હતી. કોન્ક્રીટના મોટા ચોસલા કે ઈંટોનું સીધું ચણતર જ દેખાય એવી ઇમારતો બીજા વિશ્વ યુદ્ધ પછીના આર્કિટેક્ટ જગતને આકર્ષી રહી હતી. બી. વી. દોશીએ તેમાં ભારતીયતા ઉમેરી, હવા અને પ્રકાશનો સંબંધ ઉમેર્યો, આપણી આદતો અને લાગણીઓ પણ તેમાં ઉમેરી. પરિણામે એવા સ્થાપત્યો રચાયા જેમાં માણસ માણસ વચ્ચે સંવાદ સધાય."

"ધ ફાઉન્ટેનહેડ"ની શરૂઆત ત્યાંથી થાય છે જ્યાં હોવાર્ડ રોઆર્કને યુનિવર્સિટીમાંથી કાઢી મુકવામાં આવી રહ્યો છે. આર્કિટેકચરનું ભણતી વખતે તેણે અમુક એવી ડિઝાઈન બનાવી હતી જે તેના શિક્ષકોને પસંદ આવી નહોતી.

તેને કાઢી મુકવાના નિર્ણયની જાણ કરતી વખતે કોલેજના ડીન હોવાર્ડ રોઆર્કને કહે છે, તેં આ જે ડિઝાઈન્સ બનાવી છે, તે એટલી બધી નવી છે કે આવી ઇમારતો બનાવાની તને કોણ અનુમતિ આપશે? તેના જવાબમાં રોઆર્ક કહે છે, "સવાલ એ નથી કે મને કોણ બનાવા દેશે. સવાલ એ છે કે મને કોણ રોકશે?"

બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશીએ પણ કદાચ એવું જ વિચાર્યું હશે; સવાલ એ છે કે મને કોણ રોકશે?"

- રાજ ગોસ્વામી

30/01/2023

પેપર ફૂટશે કેમકે 156 MLA અને તેમને ચૂંટનાર લોકો ફૂટી ગયા છે !

29 જાન્યુઆરી 2023ના રોજ, સવારે 11.00 વાગ્યે જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા હતી. 1181 જગ્યાઓ માટે 2,995 પરીક્ષા કેન્દ્રો પર 9.53 લાખ યુવાનો પરીક્ષા આપવાના હતા. આ પરીક્ષાના બંદોબસ્ત માટે 7,500 પોલીસ તથા 70 હજારથી વધુનો સ્ટાફ ખડેપગે રાખવામાં આવ્યો હતો. પરંતુ દર વાતની જેમ ચમત્કાર થયો. પરીક્ષા શરુ થાય તે પહેલા પેપર ફૂટી ગયું. લાખો માતા-પિતાઓના પોતાના દીકરા-દીકરીના ઊજળા ભવિષ્યની આશા પર ઘોડાપૂર ફરી વળ્યું ! ગુજરાતમાં પેપર ફૂટવાનો ‘સમૃધ્ધ ઈતિહાસ’ છે. 2014માં રેવન્યૂ તલાટી/ 2014માં ચીફ ઓફિસર/ 2015માં તલાટી/ 2018માં મુખ્ય સેવિકા/ 2018માં નાયબ ચિટનિસ/ 2018માં લોકરક્ષક/ 2018માં શિક્ષકોની ભરતી/ 2019માં વિદ્યુત સહાયક/ 2019માં બિન સચિવાલય ક્લાર્ક/ 2021માં હેડ ક્લાર્ક/ 2022 સબ ઓડિટર/ 2022માં વનરક્ષક પરીક્ષાના પેપર ફૂટી ગયાં હતાં.

થોડાં પ્રશ્નો : [1] વારંવાર પેપર ફૂટી જાય, તે સુશાસનનો પુરાવો છે? 1181 જગ્યા માટે 9.53 લાખ ઉમેદવારો ! કેટલી બેરેજગારી? રોજગારી સર્જવાની MoUની મહાઘોષણનો કોઈ અર્થ ખરો? [2] 27 વરસથી એક પક્ષની સરકાર હોય છતાં પેપર ફૂટે તે ચમત્કાર ન કહેવાય? વડાપ્રધાન કહે છે કે ‘આ ગુજરાત મેં બનાવ્યું’; પરંતુ આવું ગુજરાત બનાવવાની શી જરુર હતી? [3] પેપર ન ફૂટે તેવી વ્યવસ્થા ન થઈ શકે? [4] 182 વિધાનસભાની બેઠકોમાંથી 156 બેઠકો જીતવાની આવડતવાળા પેપર ન ફૂટે તેવી આવડત કેમ ધરાવતા નહીં હોય? દાળમાં કાળું હશે કે કાળામાં દાળ શોધવાની છે? [5] મુખ્ય આરોપી ભાસ્કર ચૌધરી ભારોભાર ધાર્મિક છે, પણ નૈતિક બિલકુલ નથી. તે હિન્દુરાષ્ટ્ર ઈચ્છે; શું આવા કૌભાંડ કરવા?

ગુજરાતના યુવાનોએ નિરાશ થવાનું પાલવશે નહીં ! હજુ પેપર ફૂટશે; કેમકે 156 MLA અને તેમને ચૂંટનાર લોકો ફૂટી ગયા છે !rs

30/01/2023

“राहुल गांधी जी ने श्रीनगर में फहराया तिरंगा 🇮🇳✊ https://t.co/4l8yB9pjDX”

30/01/2023

“प्रदेश की निकम्मी सरकार के राज में पुलिस किसानों के इस तरह से अत्याचार करती हैं।”

30/01/2023

“कोयले के दाम से लेकर बिजली दरों के बढ़ने की कहानी सुनिए सांसद जी की जुबानी 👇”

પેપર લીક કૌભાંડમાં વદરાડ નો શકમંદ એટીએસના સેકન્જામાંરવિવાર તારીખ 29 જાન્યુઆરીના રોજ આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા...
29/01/2023

પેપર લીક કૌભાંડમાં વદરાડ નો શકમંદ એટીએસના સેકન્જામાં
રવિવાર તારીખ 29 જાન્યુઆરીના રોજ આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યના અંદાજે 2900 કેન્દ્ર પર પરીક્ષા લેવાવાની હતી તે પહેલા પેપર લીક થઈ જતા રવિવારે વહેલી સવારે પરીક્ષામાં ખુબ રાખવાની જાહેરાત સત્તાવાળી રીતે ગણાયા બાદ રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે ત્યારે શક ને આધારે એટીએસ એ શનિવારે મોડી રાત્રે કૌભાંડમાં આવેલા આ કેટલાક શાકમંદોની અટકાયત કરી લીધી કે ત્યારે તેમાં પ્રાંતિજ તાલુકાના વદરાડ ગામના હાર્દિક અરવિંદભાઈ શર્મા નું નામ પણ ખુલી છે જે અંગે તેના ઘરે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ખંડને તાળું હતું આજુબાજુના લોકોના કહેવા મુજબ છેલ્લા બે દિવસથી હાર્દિક અને તેનો પરિવાર ઘરે આવ્યો નથી ઉલ્લેખનીય છે કે અગાઉ જ્યારે પેપરને કૌભાંડનો મામલો પ્રકાશમાં આવે ત્યારે ગામનો એક યુવાન પકડાયો હતો હવે જોવાનું એ રહે છે કે પેપરલી કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર કોણ છે તે તો એટીએસ ની તપાસ બાદ જ બહાર આવી શકે તેમ છે
નોંધનીય છે કે સપમાન તરીકે પકડાયેલો હાર્દિક શર્મા અગાઉ પ્રાંતિજ ખાતે આવેલી ચૂંટણીની કોલેજમાં નોકરી કરતો હતો અને તે પછી તે અમદાવાદમાં તેના કેટલાક મિત્રોના સહયોગથી નર્સિંગ કોલેજ ચલાવી રહ્યો હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જણાવ્યું છે

29/01/2023

અદાણીને બીજો ફટકો, ડ્રગ્સ માફિયાનું કુખ્યાત અદાણીના મુંદરા બંદરની એક હથ્થુ વેપાર તુટશે

2013થી નવ વર્ષથી ટુણા બંદર પ્રોજેક્ટને ભેદી સંજોગોમાં યેનકેન પ્રકારે અટકાવી દેવામાં આવ્યો હતો. કંડલા પોર્ટ હસ્તકના તુણા ટેકરાના મેગા કન્ટેનર ટર્મિનલનું ટેન્ડર સાઉદી અરેબિયાની ડીપી વર્લ્ડની સહયોગી કંપની હિન્દુસ્તાન ઇન્ફ્રાલોગ પ્રા. લિ. દ્વારા રૂ.6500 પર TEUની ઓફર કરવામાં આવતા તેમને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

કન્ટેનર કાર્ગોમાં પશ્ચિમી ભારતના તમામ બંદરોમાં અદાણી ગ્રુપની મોનોપોલી તૂટતા કોમ્પિટિટિવ રેટ મળવાને કારણે દેશના અનેક નિકાશકારોને પણ ફાયદો થશે.

રૂ. 4500 કરોડનું રોકાણ સામેલ છે, જે ભારતના કોઈપણ મોટા બંદરો પર પીપીપી પ્રોજેક્ટમાં અત્યાર સુધીનું સૌથી વધુ મૂડી રોકાણ છે. આ મેગા કન્ટેઈનર ટર્મિનલ પ્રોજેક્ટ વાર્ષિક 2.19 મિલિયન TEUs ની હેન્ડલિંગ ક્ષમતા હશે. કન્સેશનર માટે રૂ. 4243.64 કરોડ અને ઓથોરિટી માટે રૂ. 296.20 કરોડનો અંદાજિત પ્રોજેક્ટ ખર્ચ છે.

જહાજો અને રસ્તાના નેવિગેશન માટે કે એક્સેસ ચેનલમાં રોકાણ કરશે. 18 મીટરના ડ્રાફ્ટ સાથે 21000 TEU સુધીના કદના કન્ટેનર જહાજો લાંગરશે. ટર્મિનલ 2026થી કામ કરશે.

કાર્યાન્વિત થઈ શકે તેવી સંભાવના છે.

અદાણીના વિકલ્પની સાથે કન્ટેનર લોજિસ્ટિક્સની કિંમત ઘટાડો થશે. ઉંડા ડ્રાફ્ટ અને અત્યાધુનિક હેન્ડલિંગ ટેક્નોલોજી સાથે, કન્ટેનર ટર્મિનલ ઉત્પાદકતા અને બિઝનેસ કરવામાં સરળતામાં એક નવો બેન્ચમાર્ક હશે.

મુન્દ્રાના અદાણી પોર્ટ સિવાય કચ્છના આર્થિક લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવશે. રોયલ્ટીની કમાણી ઉપરાંત, ભારત સરકારને કરવેરા આવક વધશે.

28/01/2023

The Ladakh administration has restricted movement of the famous innovator Sonam Wangchuk, who is on a five day fast demanding sixth schedule of the constitution and other safeguards for the region, besides urging people to change their carbon intensive lifestyle to fight climate change.

28/01/2023
28/01/2023

વડાપ્રધાન શેલ કંપનીઓ બંધ કરાવવાનો દાવો કરતા હોય તો અદાણીની શેલ કંપનીઓ કઈ રીતે ચાલે છે?
લેખક : રમેશ સવાણી
અમેરિકન ફર્મ હિંડનબર્ગ રીસર્ચના અહેવાલમાં, અદાણી ગૃપના સ્ટોકમાં હેરાફેરીનો આરોપ લગાવ્યો છે. 27 જન્યુઆરી 2023ના રોજ, અદાણીના શેરમાં પછડાટ આવી છે. અદાણીને 4 લાખ કરોડનું અને રોકાણકારોને 11 લાખ કરોડનું નુકશાન પહોંચ્યું છે. અદાણી જૂથને ધિરાણ કરનાર બેન્કિંગ શેરોમાં ભારે વેચવાલી નિકળી છે. કેન્દ્ર સરકારે મૌન ધારણ કરી લીધું છે. અહેવાલ કહે છે કે “અમારું માનવું છે કે અદાણી ગૃપે મોટા પાયે, ધોળા દિવસે, છેતરપિંડી કરવામાં સફળ રહેલ છે. અમે નિષ્કર્ષમાં 88 પ્રશ્નો રજૂ કર્યા છે. જો ગૌતમ અદાણી વાસ્તવમાં પારદર્શિતામાં માનતા હોય તો જવાબ આપે. અમે અદાણીની પ્રતિક્રિયાની રાહ જોઈએ છીએ. અદાણીના નજીકના સહયોગીઓના નામની 38 ઓફશોર શેલ કંપનીઓની ઓળખ થઈ છે. 2007માં, (પી. ચિદંબરમ નાણામંત્રી હતા) SEBIના એક ચુકાદામાં કહ્યું હતું કે અદાણીના પ્રમોટર્સ સામે મૂકેલ આરોપ કે તેમણે કેતન પારેખની સંસ્થાઓને અદાણીના શેરોમાં હેરાફેરી કરવામાં મદદ કરી હતી તે સાબિત થાય છે.”

થોડાં પ્રશ્નો : [1] અદાણી ગૃપ જે હેરાફેરી/છેતરપિંડી કરે તેની જાણ SEBI-Securities and Exchange Board of Indiaને ન હોય? સરકારને ખબર ન હેય? [2] શેલ કંપનીઓ કાગળ ઉપર હેય છે. તે કોઈ કારોબાર કરતી નથી. માત્ર મની લોન્ડ્રિંગ માટે હોય છે. વડાપ્રધાન તો શેલ કંપનીઓને નાથવાની વાતો જાહેરસભામાં કરતા હતા; શું અદાણી ગૃપે વડાપ્રધાનને ખોટા સાબિત કર્યા છે? [3] વડાપ્રધાન જ્યારે શેલ કંપનીઓ બંધ કરાવવાનો દાવો કરતા હોય તો અદાણીની શેલ કંપનીઓ કઈ રીતે ચાલે છે? તેને લોન કઈ રીતે મળે છે? [4] ગૌતમ અદાણીએ એક મુલાકાત દરમિયાન કહેલ કે ‘આલોચના મને ખુદને સુધરવાનો અવસર આપે છે.’ પરંતુ અદાણીએ પત્રકારો/મીડિયાને નિયંત્રિત કરેલ છે. આલોચના કરે તેની ઉપર બદનક્ષીના કેસ કરે છે. શું અદાણી હિંડનબર્ગ રીસર્ચ સામે કેસ કરશે? હિંડનબર્ગ રીસર્ચે કહ્યું છે કે અમે તૈયાર છીએ ! શું અદાણી હિમ્મત કરશે? એવું બને કે અદાણીના બીજા કારનામાં સામે આવે !

સૌથી ચિંતાજનક બાબત એ છે કે હિંડનબર્ગ રીસર્ચ જેવી હિમ્મત/મહેનત ભારતની કોઈ સંસ્થાએ/ કોઈ વ્યક્તિએ કેમ કરી નહીં હોય?rs

28/01/2023

ગદ્દાર કોણ?
ચીન સરહદ પર લશ્કરની 65 ચોકી માંથી 26 ચોકી પર ચીનનો કબજો. ચીન ભારતમાં ઘુસીને 40 ટકા પોસ્ટ પર દુશ્મન દેશે પચાવી પાડ્યો છે. છતાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ સમક્ષ જાહેર કર્યું છે કે ચીન ઘુસી આવ્યું નથી. દેશની સરહદ મોદીએ આપી દીધી. પવન ખેરાનો વિડિયો લીંકમાં

27/01/2023

આપણી સંપત્તિનું ખાનગીકરણ
સ્માર્ટ સીટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્રમાં વિવિધ સ્થળનાં વિકાસનાં નામે ખાનગીકરણનો નવો અધ્યાય શરુ કરવામાં આવ્યો છે. ૨૮૪ બગીચા અને ૨૧૦ તળાવ છે. જેમાં ૫૦% સ્થળો પર પાણી કે શૌચાલય નથી. બાળકોને રમવા માટે સાધનો નથી.
અમદાવાદમાં ૭૦ લાખની વસતી પ્રમાણે ૭૦૦ રમતગમતના મેદાનો બાળકો અને મોટા લોકો માટે હોવા જોઈએ. પણ માત્ર 21 સ્ટેડિયમ કે જીમ છે. જાહેર મેદાન એક પણ નથી.

હમણાં જ ૩૫ સ્થળે આવેલાં ટ્રાફિક આઈલેન્ડ,બગીચા ઉપરાંત સેન્ટ્રલ વર્જ ડેવલપ કરવાના નામે ખાનગી સંસ્થાઓને પધરાવી દેવા મંજુરી માંગતી દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.

અમદાવાદમાં એક સમયે દાતાઓએ આપેલા દાનમાંથી શહેરીજનોને પીવાના પાણી માટેની પરબથી લઈ હોસ્પિટલ અને દવાખાના સહિતના સ્થળ મોટી સંખ્યામાં બનાવવામાં આવ્યા હતા.જે પૈકી મોટાભાગના સ્થળ આજે માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહયા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્તમાન સત્તાધીશો દ્વારા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપના નામે મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની જગ્યામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખર્ચ કરીને બાંધવામાં આવેલા ટેનિસકોર્ટ,જીમ્નેશિયમ ઉપરાંત સ્વિમિંગ પુલ સહિતના સ્થળ સાવ સામાન્ય કહી શકાય એવી રકમથી ખાનગી લોકો કે સંસ્થાઓને પાંચ વર્ષના સમય માટે ચલાવવાના નામે પધરાવી દેવામાં આવ્યા છે.

૨૦૧૩થી મ્યુનિસિપલ કમિશનરને સત્તા આપવામાં આવી હતી.૧૯ મે-૨૦૨૨ના દિવસે સ્ટેન્ડીંગ કમિટીએ સત્તા પરત ખેંચી લીધી હતી.

26/01/2023

વનસ્પતિઓના ફાયદા

*બિલી* https://bit.ly/3HwTddp
*તુલસી* https://bit.ly/3HwTddp
*અરડૂસી* https://bit.ly/3HwTddp
*કણજ* https://bit.ly/3HwTddp
*ગળો* https://bit.ly/3HwTddp
*કુંવારપાઠું* https://bit.ly/3HwTddp
*ગરમાળો* https://bit.ly/3HwTddp
*ડોડી* https://bit.ly/3HwTddp
*સતાવરી* https://bit.ly/3HwTddp
*ખીજડો* https://bit.ly/3HwTddp
*પારિજાત* https://bit.ly/3HwTddp
*વડ* https://bit.ly/3HwTddp
*ખેર* https://bit.ly/3HwTddp
*ખાખરો* https://bit.ly/3HwTddp
*બોરસલી* https://bit.ly/3HwTddp

બાવળનું ફળ ઘૂંટણનો ગાદી ઘસારો દૂર કરે છેલેખક ડૉ. અશોક કુચેરિયા 50 વર્ષ પછી ધીમે ધીમે શરીરના સાંધામાંથી લુબ્રિકન્ટ્સ અને ...
26/01/2023

બાવળનું ફળ ઘૂંટણનો ગાદી ઘસારો દૂર કરે છે
લેખક ડૉ. અશોક કુચેરિયા

50 વર્ષ પછી ધીમે ધીમે શરીરના સાંધામાંથી લુબ્રિકન્ટ્સ અને કેલ્શિયમનું નિર્માણ ઘટતું જાય છે. જેના કારણે સાંધાનો દુખાવો, ગેપ, કેલ્શિયમની ઉણપ વગેરે સમસ્યાઓ સામે આવે છે. તબીબ સાંધા બદલવાની સલાહ આપે છે. કૃત્રિમ સાંધા ફીટ કરાવીને 2-4 વર્ષ સુધી સાજા થઈ શકો છો.

પછીથી તમને ઘણી તકલીફ પડશે.

લાખોના ખર્ચે સાંધા બદલવાના સ્થાને ન બદલવાની સચોટ સારવાર છે.

બાવળ નામના વૃક્ષ પર આવતી શીંગ (ફળ) તોડીને સૂકવીને પાવડર બનાવી સવારે 1 ચમચી નવશેકા પાણી સાથે ખાવાથી, 2-3 મહિના સુધી તેનું સેવન કરવાથી તમારા ઘૂંટણનો દુખાવો સંપૂર્ણપણે મટી જશે.

ઘૂંટણ બદલવાની જરૂર નહીં પડે.

ડૉ. અશોક કુચેરિયા*
*મો. 9422913770* -- *8237004503*

2017માં પ્રચલિત કોબાલ્ટ ક્રોમિયમ ઈમ્પ્લાન્ટસ્નો રૂ।.૧.૬૨ લાખ જેટલો ખર્ચ થયો હતો. સ્પેશિયલ ઘાતુ ટાઈટેનિયમ અને ઓક્સિડાઈઝ્ડ ઝીરકોનિયમનો હાલ સુધી ખર્ચ રૂ।. ૨,૫૦,૦૦૦ થતો હતો., હાઈફ્લેક્સિબલ ઈમ્પ્લાન્ટસનો ખર્ચ રૂ।.૧,૮૨,૦૦૦ થતો હતો. ઈમ્પ્લાન્ટસની બીજીવારની સર્જરી માટે ખર્ચ રૂ।.૨,૭૭,૦૦૦ થતો હતો, ૫૦ હજારથી રૂ।. ૧,૨૦,૦૦૦ ખર્ચે કેન્દ્ર સરકારે 2017થી નક્કી કર્યું છે. ઘુંટણના ઇમ્પ્લાન્ટસની કિંમત ફિકસ થવાથી દર્દીઓને દર વર્ષે અંદાજે ૧૫૦૦ કરોડની બચત થશે.

દેશમાં અંદાજે ૨ કરોડ અને ગુુજરાતમાં ૧૮ લાખ જેટલા ઘુંટણના દર્દીઓ છે, જેમાંથી ૧.૫ લાખ થી ૨ લાખ લોકો ઘુંટણનું ઓપરેશન કરાવે છે. રૂ. 4 હજાર કરોડ ગુજરાતમા બચી શકે. દવા લેતા પહેલા તબીબનો સંપર્ક કરો.

નડાબેટ સીમાદર્શન ખાતે ૭૪મા ગણતંત્ર દિવસની આન-બાન-શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. પ્રજાસત્તાક પર્વે બોર્ડર સિક્યુરિટી ફોર...
26/01/2023

નડાબેટ સીમાદર્શન ખાતે ૭૪મા ગણતંત્ર દિવસની આન-બાન-શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. પ્રજાસત્તાક પર્વે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ 3000 જેટલા લોકોની ઉપસ્થિતીમાં અહીં નિર્માણ પામેલા પરિસર ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી. ધ્વજવંદન વખતે દેશભક્તિના ગીતોએ હાજર સૌ લોકોમાં ઉર્જાનો સંચાર કરી દીધો.

આ ઉપરાંત ગણતંત્ર દિવસ નિમિત્તે નડાબેટ ખાતે બીએસએફના મહાનિરિક્ષક રવિ ગાંધીના માર્ગદર્શનમાં કાર રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. જેમાં 32 જેટલી કારની રેલી નડાબેટથી મવાસિરી, મુનાવાવ થઈને તનોટ માતા મંદિર, જેસલમેર ખાતે પૂર્ણ થશે. સાથોસાથ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે બીએસએફ જવાનો, સેનાના જવાનો અને શાળાના વિદ્યાર્થીઓ સહિત નાગરિકોની હાફ મેરેથોન આયોજીત કરાઈ હતી. જેમાં લગભગ 300 જેટલા હિસ્સેદારોએ દેશભક્તિના નારા લગાવી દોટ મૂકી હતી. આ મેરેથોન બોરિયા બેટથી શરૂ થઈને ભારત-પાકિસ્તાન સીમા પર સ્થિત ઝીરો પોઈન્ટ પર પહોંચી પૂર્ણ થઈ હતી.

આ અવસરે વિવિધ આયોજનોમાં બીએસએફના વરિષ્ઠ અધિકારી એમ.એલ.ગર્ગ, ભૂપિન્દર સિંહ, અરૂણકુમાર શર્મા પર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં આવેલા મુલાકાતીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને નડાબેટ ખાતે ફરજ બજાવતા સહાયક સ્ટાફના લોકો જોડાયા હતા.

26/01/2023

મારા ગુજરાતી પર મને ગર્વ છે...!
હીરબાઈ : એ રીયલ હીરો

આજની સ્ત્રી એક પરિચય : હીરબાઈ ઈબ્રાહીમ લોબી : એ રીયલ સેલીબ્રીટી

જુનાગઢથી તાલાલા આશરે 55 km દુર છે અને જાંબુર ત્યાંથી આશરે 10 km દુર છે. જાંબુરનો આ નકશો વિશ્વપ્રસિદ્ધ છે કારણકે જાંબુર ગામમાં હીરબાઈ રહે છે જે જગપ્રસિદ્ધ છે અમિતાભ બચ્ચન, મુકેશ અંબાણી જેવી સેલીબ્રીટીઓ એ પણ હીરબાઈ સાથે ફોટોગ્રાફ્સ લીધેલા છે.

એક આદિવાસી મહિલાએ પોતાના સમાજ ને ઉંચો લાવવા કમર કસી અને ધારેલું સાર્થક કર્યું
આ છે જાંબુર ગામ જે આખું સિદ્દી સમાજનું ગામ છે અહી રહેતા સિદ્દી સમાજ આમ તો ગીર સાસણના જંગલ માં રહેતો હતો અને આદિવાસી જીવન ગુજારતો હતો આશરે સવાસો વર્ષ પહેલા સિદ્દી સમાજને જંગલ માંથી બહાર કાઢી અહી રહેવા જગ્યા આપવામાંઆવી જે ધીમેધીમે એક ગામ માં ફેરવાઈ અને જાંબુર ગામે નામ પ્રસિદ્ધ થયું. આમછતાં અહીના સમાજની હાલત તો આદિવાસી જેવી જ અને જંગલી રહેણીકરણી હતી. આથી અહી રહેતા બાદશાહ સમાજ માટે કાઈક કરી છુટવાની હામ ધરાવતા હીરબાઈ કે જેણે સમાજનો ઉદ્ધાર કરવા અને સમાજને શિક્ષિત બનાવી એક ઉમદા જીવન ધોરણ આપવા પોતાની જિંદગી વિતાવી દીધી.

પોતાન ગામની મહિઅલઓને પગભર કરવાકુદરતી ખાતર બનાવવાનું નાનું કારખાનું ઉભું કર્યું
અત્યારે ૬૫ વર્ષની વયના થઇ ચુકેલા અને આખુ આયખું સીદી સમાજ માટે સઘર્ષ કરનાર હીરબાઈ પોતાની જીવનની આપવીતી કહેતા કહે છે," બચપણ તો જંગલમાં લાકડા કાપવામાં ગયું , ધોરણ ૨ સુધી માંડ અભ્યાસ કરવા મળ્યો , માવતર ના ઘરે ઘણા લાડકોડથી ઉછરેલી એટલે પરંતુ ૧૪ વર્ષની ઉમરે લગ્ન કરી સાસરે આવી ત્યારે દુખના દહાડા જોયા, અને બસ ત્યારથી બાદશાહના નામે ઓળખાતા સિદ્દી સમાજ માટે ઉત્કર્ષનું વિચારવાનું શરુ કર્યું એમાં પ્રેરણા આપી રેડિયોના કાર્યક્રમો એ. રેડિયોના કાર્યક્રમોમાં આવતા સરકારની યોજનાઓ અને અનેક વિકાસ ના કાર્યક્રમોની જાણ થતી અને એમાંથી શરૂઆત પોતાના કાર્યો ની શરૂઆત કરી. જાંબુર ગામમાં શિક્ષણ અને સ્ત્રીઓને પગભર કરવાની શરૂઆત કરવા સૌ પહેલા પોતાની વાડીમાં ગામની મહિલાઓને કામ પર રાખી અને સાથે સાથે બાળકોને શાળાએ મુકવા ઘરે ઘરે સમજાવવાનું શરુ કર્યું. શરૂઆતમાં જાકારો આપતા લોકો ધીમે ધીમે હીરબાઈની વાત સ્વીકારી બાળકોને ભણવા મુક્વા લાગ્યા. દારૂનો અડ્ડો બની ગયેલું શાળાનું મકાન સાફ કરવી શાળા શરુ કરી. ગામમાં સાફ સફાઈ અને જરૂરી સુવિધા માટે લડત કરી.

આદિવાસી બાળકો જે દુનિયાને જોવા અને જાણવા માંગે છે ,
હીરબાઈ આ બાળકોના સ્વપ્ન સાકાર કરવા જીવનભર મહેનત કરી છે

આજના સિદ્દી સમાજના યુવાનો ના ચહેરા પરનું હાસ્ય કહી રહ્યું છે કે ,"જો મળે તક તો કરશું સપના સાકાર '

જાંબુર ગામના આ યુવાનો આજે ફેશન અને શોખ માં જરાય પાછળ નથી.
સરકાર પાસે મદદ લેવા છેક ગાંધીનગર પહોંચતા હીરબાઈ ભણેલા ન હતા પણ ગણેલા જરૂર હતા તેની પ્રતીતિ સૌ કોઈને કરાવતા. એક મહિલા ધારે તો શું કરી શકે એ સાબિત કર્યું હીરબાઈ એ ગામના પુરુષો જો કે હીરબાઈનો વિરોધ કરતા પરંતુ ગામની મહિલાઓનો સાથ અને સહકાર હીરબાઈને હિમત પૂરી પાડતા, હીરબાઈએ પોતાના જ ખેતરમાં ઓર્ગેનિક ખાતરની મીની ફેક્ટરી શરુ કરી અને તેમાં ગામની મહિલાઓને રોજીરોટી મળી રહે પોતાના પગભર થાય એ હેતુથી કામ પર રાખી , સાથે સાથે થોડી રકમ બચત કરતા શીખવી અને ગામમાં જ એક શરાફી મંડળી શરુ કરી, પછી ધીમે ધીમે આસપાસના ગામડાઓમાં પણ મહિલાઓ માટે મંડળી શરુ કરી, એમાં સભ્યોની સંખ્યા વધતા બેંકમાં દરેક મહિલાનું એકાઉન્ટ ખોલાવવા મહેનત કરી, ઘણા પ્રયાસો પછી બધાના એકાઉન્ટ ખુલ્યા કારણકે કોઈ મહિલા શિક્ષિત ન હતી અને બેંક વિષે કશું જ જાણતી નહતી.પરંતુ હીરબાઈ એ હિમત ન હારી અને પોતે જાતે ધક્કા ખાધા અને ગામની મહિલાઓ માટે બચતનું સાધન બેંક એકાઉન્ટ જ છે એમ સમજી ખાતા ખોલાવ્યા. ગામની સરપંચ તરીકે પણ કામ કર્યું અને ગામના વિકાસ માટે અન્ય કોઈ સરપંચ બને તો સહકાર આપ્યો.જીવનના ૬૫ વર્ષ કેમ વીતી ગયા એ વિચારતા હીરબાઈ કહે છે કે ક્યારેય મેં મારા વિષે ન વિચાર્યું , વિચાર્યું તો આ ગામ વિષે , મારા સમાજ વિષે ..એટલે જ આજે ગામના તમામ બાળકો, યુવાનો યુવતીઓ ભણેલા છે, સરકારી નોકરીઓ કરે કરે છે આર્મી અને નેવીમાં જોડાયા છે.હીરબાઈના ખુદના પુત્રો , પુત્રીઓ ભણી ગણી આગળ વધ્ય છે અને તમના સંતાનો એટલે કે હીરબાઈના પૌત્રો અને પુત્રીઓ પણ કોલેજોમાં ભણી રહ્યા છે. આ છે હીરબાઈની સફળતા.... સાચા અર્થમાં જીવન સાર્થક કરનાર મહિલા...

હવે વાત કરીએ તમેના સફળતાના સમાચારોની ... એક પછાત ગામમાં રહેતા હીરબાઈને સ્વીત્ઝર્લેન્ડમાં અને સ્વીડનમાં પણ અવોર્ડ મળેલા છે, જી હા ધોરણ ૨ ભણેલા હીરબાઈને વિદેશમાં સન્માનવામાં આવ્યા છે.

હીરબાઈ : એ રીયલ હીરો નું સન્માન મેળવી રહ્યા છે રિલાયન્સ કંપની ના મુકેશ અંબાણી અને નીતા અંબાણી ... કોણ કહે કે રીયલ હીરો સલમાન કે સહરુખ ખાન જ હોય શકે ... ખરા અર્થમાં હીરો બન્યા હીરબાઈ
એટલુજ નહી આપણા હાલના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી રહી ચુકેલા નરેન્દ્ર મોદી એ પણ બે વખત સન્માન્યા છે , સ્વર્ગીય ધીરુભાઈ અંબાણીના ટ્રસ્ટ દ્વારા સમાજના ઉત્કર્ષ માટે રીયલ હીરો તરીકે ખાસ હીરબાઈને મુકેશ અંબાણી અને નીતા અંબાણી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે,

હીરબાઈ ને પોતાના સમાજ માટે કરેલા કાર્યો માટે બિરદાવી સન્માન આપી રહ્યા છે જાણીતા ફિલ્મી કલાકાર જય ભાદુરી
બોલીવુડના બીગ બી અમિતાભ બચ્ચન એ પણ હીરબાઈ સાથે ફોટો પડાવેલ છે અને તેમના કાર્યોની પ્રંશસા કરેલ છે. આ ઉપરાંત જાનકીદેવી બજાજ એવોર્ડ , સ્વીત્ઝેર્લેંડ સંસ્થાનો ' વુમન્સ વર્કડ પીમીડ ફાઉન્ડેશનના અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.આજે પણ હિમત હાર્યા વગર ગામની મહીઅલો જોડે ખભેખભા મિલાવી ખેતરોમાં કામ કરતા હીરબાઈ જોઈ શકાય છે એને જોઈ દરેક મહિલામાં હિમત જરૂર વધી જાય છે.

જયારે હીરબાઈ ખુશ થાય છે ત્યારે સિદ્દી સમાજના લોકો સાથે સિદ્દી સમાજનું લોકનૃત્ય 'ધમાલ' નૃત્ય પણ કરે છે અને ખેતરોમાં કે ખાતરની ફેક્ટરીમાં કામ કરતા કરતા મનમોજી બની ગીતો લલકારતા હીરબાઈના ગીતો પણ પ્રેરણા આપે એવા હોય છે.

ઉપરોક્ત ચાર તસ્વીરો દર્શવે છે આદિવાસી પર્જાની એક ઝલક . એક સમયે આદિવાસી જીવન ગુજારતા આ લોકો મનોરંજન અને ઉત્સવો માં પોતાના લોકપ્રિય નૃત્ય 'ધમાલ ' કરતા જે આજે હોટેલો અને સન્માન સમારંભમાં કરી લોકોનું મનોરંજન પૂરું પડે છે અને પોતાની સંસ્કૃતિની એક ઝલક નો પરિચય કરાવે છે.
રીયલ હીરો હીરબાઈ ખરેખર રીયલમાં હીરો જ છે ..... ભારતને આવી જ નારીની જરૂર છે તો દરેક પછાત સમાજનો વિકાસ થાય.
ભાર્ગવી જોશી
જુનાગઢ
--------------------
સૌરાષ્ટ્રના ગીર પંથકમાં વનરાજ સિંહનું રાજ પ્રર્વતે છે. ગીરના સિંહ જેટલા દેશવિદેશમાં પ્રખ્યાત છે તેટલા જ ગીરના જાંબુર ગામના હીરબાઈ લોબી પણ પોતાની આગવી પ્રતિભાને લીધે પ્રસિધ્ધ છે. હીરબાઈ લોબી સિદ્દી જાતિના અભણ અને ગરીબ ઘરમાં જન્મેલા. બાળપણ ઘણી તકલીફો વચ્ચે વિત્યું. ચાર વર્ષની ઉંમરે માતાનું મૃત્યુ થયું અને ચૌદ વરસની વયે પિતાજીની છત્રછાયા ગુમાવી.દાદી પાસે રહીને ઊછર્યા. તેમની સિદ્દી જાતિમાં પુરુષો પણ ભણે નહીં ,ગરીબી, બેરોજગારી અને આલ્કોહોલનું સેવન સામાન્ય બાબત ગણાય. એવામાં હીરબાઈના લગ્ન થયા પણ પરિસ્થિતિમાં કશો જ ફરક ન પડ્યો. હીરબાઈને પિતા તરફથી વારસામાં અડધો એકર જમીન મળી હતી પરંતુ, ગામમાં બીજાની જેમ તેમને માથે પણ એક લાખ રુપિયાનું દેવુ હતું. પરંતુ, હીરબાઈમાં નામ પ્રમાણે હીર હતું. અભણ હોવા છતાં તેમનામાં દૂરંદેશી બુધ્ધિ હતી એટલે સખત મહેનત કરી ખેતી કરી દેવું વાળ્યું. અને પોતાની જાતને સધ્ધર બનાવી. એટલેથી જ આ હીરબાઈ અટકી નહીં તેમણે સમાજની અનેક બહેનો અને છોકરાઓને સધ્ધર બનાવવાનું બીડું ઝડપ્યું.
દેખાવે પણ સિદ્દી દેખાતા, કહેવાતા અભણ હીરબાઈ આજે 55 વરસની ઊંમરે ભણેલી બહેનોને શરમાવે તેટલા કામ કરે છે. સવારે પાંચ વાગ્યે ઊઠીને ઘરના કચરા પોતા, જમવાનું બનાવવાનું, પોતાની ખેતીના કામ કરવાના પછી શરુ થાય સમાજના કામ... કાઠીયાવડી ગુજરાતીમાં હીરબાઈ કહે છે કે , કામ કરતાં મને ક્યારેય થાક લાગતો નથી. મારા કામ નો થાય તો હાલે પણ મારી પાહે જે કોઈ આવે તેનું કામ થાવું જ જોહે. અને ભગવાનની મહેર છે કે લોકોના કામ તત્કાલ થાય.
જાંબુરગામમાં પહેલાં શાળા નહોતી. અને ખાસ કોઇ કામધંધો ય નહોતો. હીરબાઈની દૂરંદેશી બુધ્ધિથી આજે ગામમાં આંગણવાડી,શાળા અને કોલેજ પણ છે. બીજું કોઇ કામ કરે તેની રાહ જોવામાં હીરબાઈ માનતા નથી. તેમના આદિવાસી મહિલા સંગઠન સાથે આજે 900 જેટલી બહેનો સંકળાયેલી છે. અને તેનાથી વધુ બહેનોને હીરબાઈએ પગભર કરી છે. ગિરનાર પંથકમાં સારામાંની કેસર કેરીનું અભૂતપૂર્વ વાવેતર..કેરીતો એક્સપોર્ટ થાય જ પણ તેનો રસ પણ ડબ્બા પેક કરવાનું કામ કાજ શરુ કરાવ્યું. ઓર્ગેનિક ખાતર બનાવવાનું કામ તો મોટાપાયે બહેનો કરે છે. તેમના ખાતરની ક્વોલિટી એવી કે તેની માગ વધતી જ જાય છે. બિયારણ મોંઘુ મળે તો સસ્તા ભાવે સારું બિયારણ લોકોને મળે તેનું કામ પણ શરુ કરાવ્યું. પશુપાલન,ડેરી ઊદ્યોગ આમ ગામમાં રહીને થઈ શકે એવા અનેક રોજગાર તેમણે બહેનો માટે શરુ કરાવ્યા. ફક્ત જાંબુર ગામ જ નહીં આસપાસના 19 ગામની બહેનો માટે હીરબાઈ કામ કરી રહ્યા છે. આવી અશિક્ષિત ગરીબ હીરબાઈને આવી સમજ કેવી રીતે આવી ? એવું પૂછ્યુ તો હસીને કહે બેન, મારી દાદી પાસેથી... મારી દાદીએ એક વાત મને ગાંઠે બંધાવેલી કે કોકના ભલામાં આપણી ભલાઈ છે. બસ આજે ય એજ વાક્ય મારા મનમાં સતત ઘૂમરાતું રહે છે. અને સાચું કહું મને અશિક્ષિત રહ્યાનો કોઇ અફસોસ નથી.. કદાચ હું ભણી હોત તો બીજાનો વિચાર કરત કે નહીં તે ખબર નથી. પણ ભણી નથી એટલે મારા છોકરા ભણે , બીજાના છોકરા ભણે એવા વિચાર સતત આવે. પોતાના માટે તો સૌ કોઇ ખાય પણ બીજા ખાયને આપણું પેટ ભરાય ત્યારે ખરું. આ વિચારો મને દાદી પાસેથી મળ્યા અને મારાથી થાય એટલું કામ કરું છું. મને તો ક્યારેક લાગે કે હું કોઇ કામ કરતી જ નથી. તમે ક્યો ત્યારે તમારી સાથે વાત કરવા નવરી. કહેતાં હીરબાઈ સહજતાથી હસી પડે છે.

હીરબાઈ પોતે કોઇ માલિકીભાવથી કે જાતિ,ધર્મના ભેદભાવથી કામ નથી કરતા. તેમની પાસે આવતી બહેનોને તેઓ પોતાની રીતે સધ્ધર બનાવી કામ કરતી કરી વિકાસ માટે મુક્ત કરે. આસપાસના અનેક ગામોમાં સફળ રીતે વ્યવસાય કરતી બહેનોની કહાણી મળી શકે. અને તેમનું પીઠબળ હશે હીરબાઈ લોબી. જીલ્લા સ્તરે તેમની સલાહ લેવાય. કૃષિ હોય કે ડેરી ઊદ્યોગ હોય કે પછી વિકાસના કાર્ય હોય તેમની પાસે ઉપયોગી માહિતી અને જ્ઞાન હોય જ. ગામમાં સ્વચ્છતા, ફેમિલિ પ્લાનિંગના કાર્યો સાથે કો ઓપરેટીવ સ્ટોર્સ પણ શરુ કર્યો. હીરબાઈના મતે વિકાસ એટલે ફક્ત પૈસા કમાવવા નહીં પરંતુ, તમામ ક્ષેત્રે તમારું જીવન ધોરણ સુધરવું જોઇએ. તેમને દેશ-વિદેશમાં લોકો વક્તવ્ય આપવા માટે બોલાવે છે. અને અનેક એર્વોડોથી તેમનું સન્માન થયું છે. તેમનું સપનું છે કે તેમની સિદ્દી જાતિના બાળકો રમતગમત ક્ષેત્રે પણ દેશનું નામ રોશન કરે. તાલીમ વર્ગો અને સ્પોર્ટસ સંકુલ ગામડાઓમાં હોવું જોઇએ તેવી એમની ઇચ્છા છે. હીરબાઈની સમાજને માટે કામ કરવાની ધગશ છે.
----------------
bbc
હીરબાઈ સીદી કોમનાં છે અને અહીંની સીદી કોમની સંખ્યાબંધ અભણ મહિલાઓનાં પ્રેરણાસ્રોત છે. હીરબાઈએ અહીંની આદિવાસી મહિલાઓને પગભર કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે.

આ સીદી સમાજના લોકો મૂળ આફ્રિકાના વતનીઓ છે. હાલ જાંબુરમાં વસતા સીદીઓના વડવાઓને પોર્ટુગીઝ વેપારીઓ દાયકાઓ પહેલાં ગુલામ તરીકે ભારત લાવ્યા હતા.

સમય જતાં પોર્ટુગીઝ વેપારીઓ તો ગયા, પણ સીદી સમાજના લોકો ગીરમાં જ રહી ગયા અને દૂધમાં સાકર ભળે તેમ સોરાષ્ટ્રની સંસ્કૃતિમાં ભળી ગયા.

સીદી સમાજનાં મહિલાઓ વર્ષો પહેલાં આજુબાજુના જંગલમાંથી લાકડાં કાપી લાવતાં અને તે લાકડાના ભારા વેચીને ગુજરાન ચલાવતાં હતાં.

એ કામ જોખમી હતું, પણ તેમની પાસે બીજો વિકલ્પ ન હતો.

આવી મહિલાઓને શિક્ષણ, રોજગારી અને અન્ય મામલે જાગૃત કરવામાં સિંહફાળો આપનારાં મહિલા એટલે હીરબાઈ લોદી.

"લાકડાં વેંચાય તો છોકરાંને ખાવા મળે, નહીં તો ભૂખ્યાં રહે"
એ દિવસોની વાત કરતાં હીરબાઈ કહે છે, "20-25 વર્ષ પહેલાં અમારી કોમના લોકો લાકડાં જ કાપતા હતા."

"કાપેલાં લાકડાં વેચાય તો એમનાં છોકરાંને ચટણીને રોટલો ખાવા મળે. ગામમાં ના વેચાય તો બીજા દિવસે બીજે ગામ વેચવા જવું પડે અને છોકરાંને ભૂખ્યાં રાખવાં પડે."

હીરબાઈને બાળપણથી ખેતીનો શોખ અને આગાખાન ફાઉન્ડેશને તેમને વ્યવસ્થિત ખેતીની ટ્રેનિંગ અપાવી.

તેમને સેન્દ્રીય ખાતર બનાવતાં શિખવ્યું. એ વખતે સીદી સમાજના પુરુષો ખેતીનું કામ કરતા ન હતા. ખેતીનું કામ કરતાં-કરતાં હીરબાઈએ પોતાનું ખેતર બનાવ્યું.

હીરબાઈના કહેવા મુજબ, "એક-એક કરીને બધું કર્યું. નબળો સમય હતો. મહિલાઓ અમારી વાડીએ આવતી હતી."

પોતાના સમાજની મહિલાઓની હાલત સુધારવાનો વિચાર હીરબાઈના મનમાં લાંબા સમયથી હતો પણ નેવુંના દાયકામાં તેમણે તેમના સમાજની મહિલાઓના ઉત્કર્ષનું કામ જોશભેર શરૂ કર્યું હતું. હીરબાઈએ આ મહિલાઓને ખેતી અને બીજાં છૂટક કામ કરવાનું માર્ગદર્શન આપ્યું.
સીદી સમાજના લોકો મૂળ આફ્રિકાના વતનીઓ છે.

સીદી સમુદાયની મહિલાઓ આત્મનિર્ભર બનાવવામાં હીરબાઈનો મહત્વનો ફાળો છે.

હીરબાઈએ આ મહિલાઓનાં બચતખાતાં ખોલાવ્યાં અને તેમને બચત કરતાં પણ શિખવ્યું.

એ ઉપરાંત મહિલાઓને આત્મનિર્ભર બનાવી શકે એવા મંડળોની એટલે કે સેલ્ફ હેલ્પ ગ્રૂપ્સની સ્થાપના પણ કરી હતી.

હીરબાઈ કહે છે, "અમારી વાડીએ કામ કરવા આવતી મહિલાઓના મંડળ બનાવીને 10-10 રૂપિયાથી બચતનું કામ શરૂ કર્યું."

"25-30 વર્ષ પહેલાં કોઈનું ખાતું બૅન્કમાં ન હતું. એ વખતે અમારા લોકો ડરતા હતા. બૅન્કના દરવાજે ચોકીદાર બેઠો હોય તો બૅન્કમાં જતાં પણ ડરે."

"મેં એ બહેનોને કહ્યું કે મનમાંથી ડર કાઢી નાખો. જેમ આપણે માણસ છીએ તેમ એ લોકો પણ માણસ છે."

"બહેનો તેમનાં બાળકોને ભણવા મોકલતી ન હતી. આંગણવાડી શરૂ કરાવી અને બાળકોને તેમાં ભણવા મોકલવા માટે બહેનોને સમજાવ
હીરબાઈને રેડિયો સાંભળવાનો બહુ શોખ અને સરકારી કામકાજની ઘણી માહિતી તેમણે રેડિયો મારફત જ મેળવી હતી.

એ પછી હીરબાઈ સાસણની બેઠક પરથી ચૂંટાઈ આવ્યાં. તેમણે પાંચ વર્ષ સુધી ગ્રામસભામાં અધ્યક્ષ તરીકે ફરજ બજાવી હતી.

એ વખતે સીદી મહિલાએ જાતિનો દાખલો કઢાવવો હોય તો તેમની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. એ લૂંટ હીરબાઈએ અટકાવી.

કોઈ સ્ત્રી સરકારી કામ માટે આવે તો તેને હીરબાઈ કામમાં મદદ કરતાં અને સંબંધિત અધિકારી પાસે લઈ જતાં. અધિકારી કામ કરી આપતા. આ રીતે એ મહિલાઓ જાતિના દાખલા કઢાવતા શીખી ગઈ.

હીરબાઈને રેડિયો સાંભળવાનો બહુ શોખ અને સરકારી કામકાજની ઘણી માહિતી તેમણે રેડિયો મારફત જ મેળવી હતી.

હીરબાઈએ સીદી સમુદાયની મહિલાઓને શિક્ષણ તથા સ્વાસ્થ્ય પ્રત્યે પણ જાગૃત કરી.

આવી ઉત્તમ કામગીરી કરવા બદલ હીરબાઈને રિલાયન્સ તરફથી ધ રિયલ હીરો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

એ ઉપરાંત જાનકી દેવી પુરસ્કાર, ગોડફ્રે ફિલિપ્સ નેશનલ બ્રેવરી ઍવૉર્ડ પણ આપવામાં આવ્યો છે.

એ સિવાય વીમેન્સ વર્લ્ડ સમિટ 2002માં નેધરલેન્ડ્ઝ તરફથી તેમને 500 ડૉલરનો ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

હીરબાઈ કહે છે, "ઍવૉર્ડ તો મને બહેનો માટે કામ કરવા બદલ મળ્યા છે. બહેનોમાં જાગૃતિ લાવવા બદલ ઍવૉર્ડ મળ્યા. આંગણવાડી શરૂ કરી એ માટે મળ્યા. એક ઍવૉર્ડ માં જે 500 ડૉલર મળ્યા એ મેં મારા ગામના વિકાસ માટે, શિક્ષણ માટે આપી દીધા હતા."
કરી એ માટે મળ્યા. એક ઍવૉર્ડ માં જે 500 ડૉલર મળ્યા એ મેં મારા ગામના વિકાસ માટે, શિક્ષણ માટે આપી દીધા હતા."

80 રૂપિયાની લોનથી મહિલાઓએ શરૂ કરેલો બિઝનેસ આજે 1600 કરોડનો બન્યો
કૃષ્ણે જ્યારે ભાઈની મદદથી રુકમણીનું હરણ કર્યું અને દ્વારકા તરફ નાસી આવ્યા.
સીદી સમુદાયની મહિલાઓને પગભર કર્યા પછી સમુદાયનાં બાળકોને શિક્ષિત કરવા હીરબાઈએ કશું વિચાર્યું છે?

હીરબાઈ આટલેથી અટક્યાં નથી. તેમની સંસ્થા ઓર્ગેનિક ખાતર બનાવે છે. એ ખાતરના વેચાણમાંથી જે નાણાં મળે તેનો પણ તેઓ સદુપયોગ કરે છે.

એ માહિતી આપતાં હીરબાઈ કહે છે, "અમારે ત્યાં બાળક પહેલા ધોરણમાં ભણવા આવે ત્યારે તેના સ્કૂલ યુનિફોર્મ, પાઠ્ય-પુસ્તકો અને બૅગ મારી સંસ્થા જ તેમને આપે છે."

"દર વર્ષે કેટલાં બાળકો ભણવા બેસવાનાં છે તેની માહિતી અમે અગાઉથી મેળવી લઈએ છીએ અને એ મુજબ આયોજન કરીએ છીએ. અમને અત્યાર સુધી કોઈ સરકારી સહાય મળી નથી."

પોતાના સમાજની સ્ત્રીઓની શક્તિમાં પારાવાર શ્રદ્ધા વ્યક્ત કરતાં હીરબાઈ કહે છે, "અમારી બહેનો મહેનત કરીને ગામ માટે આટલું કરે છે."

"અમારી આદિવાસી બહેનો બધું કરી શકે છે એમનામાં બહુ તાકાત છે. સરકાર સપોર્ટ આપે તો વધુ સારું કામ થાય. ક્યા ઘરમાં ગરીબી છે, એ ખબર પડે તો જ ગરીબી દૂર કરી શકાય. બાકી ભારતમાંથી ગરીબી ક્યારેય દૂર નહીં થાય."

ગરીબી અને ગુલામીનું ચક્ર તોડવાનું શોષિત સમાજ માટે મુશ્કેલ હોય છે અને એ સમાજની મહિલા માટે તો વધારે મુશ્કેલ હોય છે, પણ હીરબાઈ ઈબ્રાહિમ લોદીએ એ ચક્ર તોડી દેખાડ્યું છે.

સીદી સમુદાયની મહિલાઓને પગભર કર્યા પછી સમુદાયનાં બાળકોને શિક્ષિત કરવા હીરબાઈએ કશું વિચાર્યું છે?

હીરબાઈ કહે છે, "ઈંગ્લિશ મીડિયમની શાળા શરૂ કરું એવું મારું સપનું છે. મેં એ માટે જમીન પણ તૈયાર રાખી છે."
----------------------
જૂનાગઢના નવાબ દ્વારા આફ્રિકાથી મજૂરી કામ માટે સિદ્દી આદિવાસીઓને બોલાવવામાં આવ્યા હતા. અહીં આવ્યા બાદ જાંબુર ગામને જ પોતાની કર્મ અને માતૃભૂમિ બનાવીને અહીં દૂધમાં સાકર જેમ ભળે તેમ ભળીને તાલાલાના જાંબુર ગામમાં વસવાટ કરી રહ્યા છે.
// //
જાંબુરને ગુજરાતનું આફ્રિકા પણ કહેવામાં આવે છે. અહીં આવ્યા બાદ માત્ર અડધો હેકટર જમીનમાં હિરબાઈ દ્વારા રેડિયો પરથી ખેતી વિષયક માહિતી મેળવીને પોતાની અડધો હેકટર જમીન પર બાગાયતી ખેતીની શરૂઆત કરી હતી. જેમાં કામ માટે હિરબાઈએ આદિવાસી સિદ્દી મહિલાઓને ખેતીકામ પર રાખીને આ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મજબૂત ડગ ઉપાડી લીધું હતું. જે આજે સિદ્દી મહિલાઓના આર્થિક વિકાસમાં મહત્વનું સાબિત થઇ રહ્યું છે અને આજે ગામની આદિવાસી મહિલાઓ લાકડા કાપવા જેવા કામને છોડીને સ્વમાનભેર મહેનત કરીને રોજગારી મેળવી રહી છે.

સિદ્દી મહિલા હિરબાઈ લોદી દેશ વિદેશમાં જેમનું નામ ગુંજે છેઅતિ પછતા ગણાતા એવા સિદ્દી આદિવાસી સમાજના સામાજિક અને આર્થિક ઉથ્થાન માટે હિરબાઇ લોદીને 4 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યા છે. જેમાં મળેલી રકમ ગામના અને ખાસ કરીને સિદ્દી સમાજના ઉથ્થાન માટે ઉપયોગમાં આવે તે માટે ગામના વિકાસ ફંડમાં આપીને દાનવીરની ભૂમિકામાં પણ જોવા મળી રહ્યા છે.આજથી 5 દાયકા પહેલા હિરબાઈ આદિમાનવની જેમ લાકડા કાપી જીવન ગુજારવા માટે મજબૂર હતા, પણ પોતાના પછાત સમાજને આવા દિવસોમાં તેઓ જોવા માગતા ન હતા. સિદ્દી આદિવાસી મહિલાઓ સમાજની તિરસ્કારનો ભોગ પણ બનતી રહી હતી. આવા લોકોની સામે અવાજ ઉઠાવવાણી હિમ્મત હિરબાઈએ કરી અને તેમના સમાજની અન્ય મહિલાઓ પણ સ્વાવલંબી બને અને રોજીરોટી કમાઈ શકે તે માટે હિરબાઈએ પોતાના ખેતરમાં બાગાયતી ખેતીની સાથે અન્ય કામોમાં પણ રોજગારી મળી શકે છે, તેને લઈને માર્ગદર્શન પૂરું પાડતા આજે સિદ્દી આદિવાસી મહિલાઓ પણ રોજગારી મેળવીને પગભર જોવા મળી રહી છે.હિરબાઈએ પોતે નિરક્ષર હતા, પરંતુ તેમની આ કમી તેમના પર ક્યારેય જોવા મળી ન હતી અને તેમની કોઠાસૂઝથી શિક્ષણનું મહત્વ સમજીને ગામના દરેક બાળકને શિક્ષણ મળે તે માટે તેઓ આજે પણ સતત પ્રયત્નશીલ જોવા મળે છે. હિરબાઈનું સ્વપ્ન છે કે, માત્ર સિદ્દી સમાજ જ નહીં, પરંતુ સર્વે પછાત તેમજ આદિવાસી સમાજ આગળ આવે અને આધુનિક સમાજ જીવનનો ભાગ બને. તેના માટે સારુ શિક્ષણ સામાજિક અને આર્થિક પછાત લોકો પોતાના પગ પર ઉભા રહી શકે અને દુનિયાની સાથે કદમ મિલાવી શકે, તેવા પ્રયાસો હિરબાઈ કરી રહ્યા છે.હિરબાઈ મીડિયા પ્રત્યે પણ આભારની લાગણી પ્રદર્શિત કરતા કહે છે કે, મને મીડિયાએ સમગ્ર દુનિયામાં જાણીતી કરી છે. મારી કામગીરીને ખરા અર્થમાં આમ અને ખાસ લોકો સુધી પહોંચાડી છે. આજે 73 વર્ષની ઉંમરે પણ સમાજહિત માટે દિવસ રાત કામ કરતા હિરબાઈ છે.
----------------------
સદીઓ પહેલા સિદીઓ ભારત આવીને અહી સાસણ ના જંગલોમાં વસ્યા અને આજે ભારતમાં હોવાનું ગર્વ અનુભવે છે, આજે પણ એ લોકો આફ્રિકન નૃત્ય અને ગીતોથી પોતાની સંસ્કુર્તીની ઓળખ જીવંત રાખે છે પરંતુ સાથે સાથે ભારત માં વધુ સુખી હોવાનું સ્વીકારે છે.

ગીર સાસણ ની ઓળખ જેટલી એશિયાટિક સિંહો માટે છે એટલી જ અહી વસતા સિદ્દી બાદશાહો માટે છે, સદીઓ પહેલા આફ્રિકા થી અહી આવીને વસેલા આફ્રિકન લોકોનો એક સમુદાય આજે એક ગામ બની ગયો છે , હજાર જેટલી વસ્તી ધરાવતું જાંબુર ગામ આજે વિશ્વભર માં પ્રસિદ્ધ બન્યું છે, એક સમયે પછાત અને આદિવાસી પ્રજા તરીકે ઓળખાતો આ સમાજ આજે શિક્ષિત અને સંસ્કારી બન્યો છે, આજે આ સમાજના યુવાનો સૈન્ય અને સરકારી તંત્ર માં નોકરી કરી રહ્યા છે. મહિલાઓ પગભર બની છે અને પોતાના બાળકોને ભણાવી રહી છે.

એક માન્યતા પ્રમાણે આ સિદ્દી સમાજ ને આશરે 500 વર્ષ પહેલા રાજાઓ અને અમલદારો પોતાના ગુલામ તરીકે અહી લાવેલા અને ત્યારથી આ પ્રજા પેઢી દર પેઢી અહી વસ્તી ગઈ.જે આજે આખા ભારતમાં 5500 અને ગીર સાસણ માં 1000 જેટલી છે, બીજી એક માન્યતા પ્રમાણે જુનાગઢના નવાબ એક વખત આફ્રિકા ફરવા ગયા હતા ત્યાં એમને એક સીદ્દી મહિલા સાથે પ્રેમ થયો અને તે તેમને અહી જુનાગઢ લઇ આવ્યા ત્યારે તેની સાથે આશરે 100 સિદ્દી લોકો આવ્યા હતા જે સાસણના જંગલોમાં રહેતા હતા , છેલ્લા 300 વર્ષથી અહી જાંબુર ગામ માં વસવાટ કરી રહ્યા છે, જાંબુર નો સિદ્દી સમાજ મુસ્લિમ ધર્મ પાળે છે અને ઘણા ખરા કેથોલિક પણ હોય છે, એમના રીત રીવાજ અને રસમ અલગ હોય જે ખરેખર જોવા જેવા હોય છે.

સિદ્દી સમાજના લોકોની મુખ્ય ઓળખ વાંકડિયા વાળ , શ્યામ રંગ , ચપટું નાક અને મોટા હોઠ છે, સમાન્ય રીતે પુરુષોનું પડછંદ બાંધાનું શરીર અને મહિલાઓ નીચી અને સ્થૂળ હોય છે, તેમનો પહેરવેશ આજે તો આધુનિક થઇ ગયો છે. પરંતુ એક સમયે જંગલ માં રહેતો આ સમાજ ટાઈગરના રંગના ચટ્ટા પટ્ટા અને રંગબેરંગી આકારો ચિન્હો દોરી શરીર ને શણગારતા લોકો એમની સંસ્કૃતિ ની ઓળખ આપતા આદિવાસી નૃત્ય ધમાલ કરતા જોવા મળતા ઢોલ અને નગારા ની સાથે નૃત્ય કરતા આ સિદ્દી બાદશાહો જોવાનો પણ એક લ્હાવો છે.

જો કે આજે પણ સાસણ ગીરમાં જાંબુર માં વસતા સિદ્દીઓ હોટેલો અને રિસોર્ટ માં ધમાલ નૃત્ય કરી પર્યટકો ને મનોરંજન પૂરું પાડે છે, સરકારી કાર્યક્રમો અને સાસણ ગીર માં યોજાતા કાર્યક્રમોમાં ધમાલ નૃત્ય સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. પરંતુ એ વ્યવસાયિક રૂપે ધમાલ નુર્ત્ય જોવા મળે છે. તેમના પ્રાસંગિકો માં ધમાલ કરતા જોવા મળે છે જેમાં તેમના હાવભાવ અને ચેહરાના ભાવ જોવા જેવા હોય છે.

આજના અહીના સિદ્દી બાદશાહ નામે ઓળખાતી આ પ્રજા ખુબ સાહસિક અને હિમંતવાન હોય છે. આથી જ સૈન્ય અને પોલીસ માં તેમની પસંદગી કરવામાં આવે છે. એજ જમ્બુરના ઘણા યુવાનો પોલીસ માં છે, તો કોઈ ખેડૂત , મજુરી પણ કરે છે, અહી ની પ્રજાને સુરક્ષિત કરનાર અને પોતાન પગભર થવાનું શીખવનાર હીરબાઈ લોબી નામની મહિલા ને વિશ્વસ્તરના એવોર્ડ મળેલા છે, અમિતાભ બચ્ચન થી લઇ સચિન તેંદુલકર , મુકેશ અંબાની , નીતા અંબાની , અમીરખાન જેવી હસ્તીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે, તો અહી વસતા મહેબુબ ખાન એક સમયે પી.ટી ઉષા સાથે દોડ માં ભાગ લીધો હતો અને સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે ઇનામો જીત્યા હતા. જો કે આ જે ખેલવીર સરકારી કોઈ શાહ ન મળવાથી ગામ આવી ખેતર માં મજુરી કરી રહ્યો છે એ પણ એક વાસ્તવિકતા છે. જો તેને ખેલાડી તરીકે અને કોચ તરીકે કામગીરી આપવામાં આવે તો સિદ્દી સમાજના બાળકો રમત ક્ષેત્રે નામના મેળવી ભારત નું નામ રોશન કરી શકે એમ છે.

સિદ્દી સમાજ ને જોવો જાણવો અને સમજવો હોય તો એક વખત સાસણ ગીરના જાંબુર ખાતે જરૂર આવું જોઈએ . માયાળુ અને મદદગાર પ્રજા , પ્રેમ એન લાગણી જેમની ઓળખ અને પોતાના કરી લેવાની તેમની ભાવના જોવા સિદ્દી સમાજ ને મળવું જ રહ્યું, કારણ કે આ તો મારા ખુદ ના અનુભવો છે હું ઘણી વખત જાંબુર જાઉં છું અને લોકોને મળું છે કારણકે હીરબાઈને મળવાથી પ્રેરણા અને નવી ઉર્જા મળે છે.

Address

Near VTV
Ahmedabad
380054

Website

https://www.allgujaratnews.in/en/, https://www.allgujaratnews.in/hn/

Alerts

Be the first to know and let us send you an email when All Gujarat News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to All Gujarat News:

Videos

Share


Other News & Media Websites in Ahmedabad

Show All