Our Charotar

Our Charotar We at Our Charotar we cover local news of Charotar area like Anand, Nadiad and other cities

આણંદમાં રણછોડજી મંદિરે ઠાકોરજી નો વાજતે ગાજતે વરઘોડો નીકળ્યો આણંદ શહેરમાં ગોયા તળાવ પાસે રણછોડજી મંદિર ખાતે ગુરૂવાર સવાર...
24/11/2023

આણંદમાં રણછોડજી મંદિરે ઠાકોરજી નો વાજતે ગાજતે વરઘોડો નીકળ્યો

આણંદ શહેરમાં ગોયા તળાવ પાસે રણછોડજી મંદિર ખાતે ગુરૂવાર સવારથી તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ રાત્રે 8.00 કલાકે આઝાદ મેદાનથી ઠાકોરજીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ઉપરાંત આણંદ જિલ્લાના પેટલાદ, ખંભાત, તારાપુર, બોરસદ, ઉમરેઠ, સામરખા, કાસોર, ધર્મજ વગેરેના ગામોમાં પણ તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ખંભાત સ્વામિનારાયણ મંદિર ખાતે પરંપરા મુજબ જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ આદિ દેવો પાસે હાટડી પૂરવામાં આવીપરમ પવિત્ર કારતક સુદી...
24/11/2023

ખંભાત સ્વામિનારાયણ મંદિર ખાતે પરંપરા મુજબ જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ આદિ દેવો પાસે હાટડી પૂરવામાં આવી

પરમ પવિત્ર કારતક સુદી પ્રભોધીની એકાદશીને દિવસે શ્રી સ્વામિનારાયણ મંદિર ખંભાતની અંદર શ્રી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ આદી દેવોની આગળ હાટડી પુરવામાં આવી હતી. આ હાટડી ઉત્સવમાં હરિભક્તો પોતાની શ્રદ્ધા પ્રમાણે ભગવાનને ધરાવવા માટે શાકભાજી લઈને મંદિર ખાતે પહોંચે છે. મહત્વનું છે કે ચતુરમાસ જ્યારથી ચાલુ થાય ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંતો હરિભક્તો રીંગણ, મોગરી, મૂળા વગેરે ચીજ વસ્તુઓનો ચાર મહિના સુધી ત્યાગ કરે છે. દેવ ઉઠી અગિયારસના દિવસથી ભગવાનને આ તમામ વસ્તુઓ ધરાવી ત્યારબાદ આ બધી વસ્તુઓ નો જમવાની અંદર ઉપયોગ કરે છે. માટે ચતુર્માસ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર મોટો અનેરો મહિમા છે.

આંકલાવ ખાતે કોંગ્રેસ પરિવાર દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ નું કરાયું આયોજન આંકલાવ ખાતે કોંગ્રેસ પરિવાર દ્વારા સ્નેહમિલન કાર...
24/11/2023

આંકલાવ ખાતે કોંગ્રેસ પરિવાર દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ નું કરાયું આયોજન

આંકલાવ ખાતે કોંગ્રેસ પરિવાર દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, અને રાજેન્દ્રસિંહ પરમારે સરકાર પર તેજ પ્રહારો કર્યા હતા. આ ઉદ્બોધન દરમિયાન આગેવાનોએ ભાજપની સરકાર દ્વારા આણંદ અને આંકલાવ સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં જે અન્યાય થઈ રહ્યો છે.તેની સામે જાગૃત થવા અને લડત આપવા લોકોને આહવાન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય પૂર્વ મંત્રી ભરતસિંહ સોલંકી, આણંદ જિલ્લા કોગ્રેસ પ્રમુખ વિનુભાઇ સોલંકી, આંકલાવ એપીએમસી ચેરમેન મનુભાઈ પઢીયાર, આંકલાવ તાલુકા પંચાયત પ્રમુખ ઉષાબેન પઢીયાર, ઉમરેઠ તાલુકા કોગ્રેસ પ્રમુખ ભુગુરાજસિહ, આકલાવ તાલુકા કોગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ પઢીયાર, સહિત તા. પં સભ્યો, સરપંચો, આગેવાનો સહિત ખુબજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Tag someone who’s Scientophile
24/11/2023

Tag someone who’s Scientophile

Postponement of Decision on Layoff of TRB Jawans by State Government:The state government has deferred its decision on t...
23/11/2023

Postponement of Decision on Layoff of TRB Jawans by State Government:

The state government has deferred its decision on the layoff of TRB jawans. State BJP president CR Patil hinted in the morning that positive news might be expected by evening. Sources have now confirmed the postponement of the decision to lay off TRB jawans. However, it is emphasized that jawans breaking the rules or displaying indiscipline will not be reinstated.

TRB જવાનોને છૂટા કરવાનો નિર્ણય મોકૂફ

રાજ્યના ટીઆરબી જવાનોને છૂટા કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા મોકૂફ રખાયો છે. આ બાબતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે પણ સવારે સંકેત આપ્યા હતા કે સાંજ સુધીમાં મળી શકે છે સારા સમાચાર અને તે મુજબ સુત્રોએ કહ્યું છે કે ટીઆરબી જવાનોને છૂટા કરવાનો નિર્ણય મોકૂફ રખાયો છે. જો કે સુત્રોએ કહ્યું કે નિયમ ભંગ કરનાર જવાનોને પરત નહી લેવાય તથા શિસ્ત ભંગના કેસોમાં પણ જવાનોને પરત નહી લેવાય

CR Patil Anticipates Positive News in the Evening Regarding TRB Jawans:Amidst protests by 6400 out of 9000 Total Reserve...
23/11/2023

CR Patil Anticipates Positive News in the Evening Regarding TRB Jawans:

Amidst protests by 6400 out of 9000 Total Reserve Battalion (TRB) jawans in the state who were ordered to be released from duty, BJP President CR Patil expressed optimism, stating that there would be good news by evening regarding their situation. The government reportedly postponed the decision to release the TRB jawans after listening to their concerns.

TRB જવાનો મામલે સી.આર પાટીલે કહ્યું- સાંજ સુધીમાં સારા સમાચાર મળશે

રાજ્યમાં 9000 TRB જવાનોમાંથી 6400 TRB જવાનોને ફરજમાંથી મુક્ત કરવાનો આદેશ આવ્યો હતો. જે બાદ TRB જવાનો ફરજમાંથી અળગા રહ્યા હતા અને વિરોધ નોંધાવી રહ્યા હતા. ત્યારે હવે સરકારને TRB જવાનોની વાત સાંભળતા તેમને ફરજમાંથી મુક્ત કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો હોવાની માહીતી જાણવા મળી છે,બીજીતરફ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે પણ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, TRB જવાનો મામલે સાંજ સુધીમાં સારા સમાચાર મળશે

આણંદ ટૂંકી ગલી આસપાસના દબાણો હટાવવા 150થી વધુ વેપારીઓને પાલિકાએ આપી સૂચનાઆણંદ શહેરમાં વર્ષોથી મુખ્ય માર્ગો કાચાપાકા દબાણ...
23/11/2023

આણંદ ટૂંકી ગલી આસપાસના દબાણો હટાવવા 150થી વધુ વેપારીઓને પાલિકાએ આપી સૂચના

આણંદ શહેરમાં વર્ષોથી મુખ્ય માર્ગો કાચાપાકા દબાણો કારણે ટ્રાફિક સમસ્યા માથાના દુ:ખાવા રૂપ બની ગઇ છે. તો છેલ્લા કેટલાંક વર્ષોથી દબાણ હટાવવા નામે માત્ર એકાદ દિવસ ટુંકી ગલી અને આસપાસના દબાણો હટાવીને તંત્ર સંતોષ માને છે. મહત્વનું છે કે દબાણ ને લઈને નગરજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે હવે રજૂઆતોને અંતે આણંદ પાલિકા દબાણ વિભાગે આગામી સપ્તાહમાં શહેરના ગીચ અને ટ્રાફિક ભારણ ધરાવતા વિસ્તારોમાં 150 થી વધુ વેપારીને સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા ચેતવણી આપી છે.

GTU Faces Unprecedented Tax Demand of Rs. 50 Crores from IT DepartmentGujarat Technological University (GTU) receives an...
23/11/2023

GTU Faces Unprecedented Tax Demand of Rs. 50 Crores from IT Department

Gujarat Technological University (GTU) receives an extraordinary income tax notice, demanding Rs. 50 crores. To contest this financial challenge, the university must pay Rs. 5 crores. This marks a historic moment for government educational institutions grappling with unforeseen fiscal obligations.

સરકારી યુનિ.GTUને 50 કરોડ ભરવા ઈન્ક્મટેક્સની નોટિસ

રાજ્યની યુનિવર્સિટીઓના ઈતિહાસમાં પહેલીવાર સરકારી યુનિવર્સિટીને IT વિભાગે નોટિસ મોકલીને કરોડોનો ટેક્સ ભરવા કહેવાયું છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)ને ઈન્કમટેક્સ વિભાગે રૂ.50 કરોડ ભરવા માટે નોટિસ પાઠવી છે. આ નોટિસ સામે અપીલ કરવા માટે હાલ યુનિવર્સિટીએ 5 કરોડ રૂપિયા ભરવા પડ્યા છે.

રાલેજમાં પંચાયત પાસે છ માસથી ઉભરાતી ગટર થી સ્થાનિકો ત્રાહિમામ ખંભાત તાલુકાના રાલેજ ગામે સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડી ...
23/11/2023

રાલેજમાં પંચાયત પાસે છ માસથી ઉભરાતી ગટર થી સ્થાનિકો ત્રાહિમામ

ખંભાત તાલુકાના રાલેજ ગામે સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડી રહ્યાં છે. છેલ્લાં 6 માસથી રાલેજ ગ્રામ પંચાયત પાસે મુખ્ય ભાગોળે ગટર ઉભરાવાની સમસ્યા થી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. વારંવારની રજૂઆતો કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. ત્યારે ગટર ઉભરાવવાને પગલે ગ્રામજનોને રોગચાળા નો ભય પણ સતાવી રહ્યો છે. ત્યારે વહેલી તકે કામગીરી થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Swine Flu Escalation in Gujarat: 170 Cases and 2 FatalitiesAs winter takes hold in Gujarat, the state is grappling with ...
23/11/2023

Swine Flu Escalation in Gujarat: 170 Cases and 2 Fatalities

As winter takes hold in Gujarat, the state is grappling with a surge in swine flu cases. In October alone, 41 cases were reported, bringing the total number of swine flu cases to 170, with 2 recorded fatalities. Notably, there were 11 cases reported in September. The escalating numbers underscore the urgency of addressing the swine flu crisis, prompting health authorities to intensify efforts to curb the spread of the virus.

સ્વાઇન ફ્લૂનું સંકટ...170 કેસ, 2 દર્દીનાં મૃત્યુ

ગુજરાતમાં શિયાળાની શરૂઆતની વચ્ચે હવે સ્વાઇન ફ્લૂના કેસોમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં સ્વાઇન ફ્લૂના 41 કેસ નોંધાયા હતા અને અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના 170 કેસ નોંધાયા છે,જયારે સ્વાઇન ફ્લૂના કારણે 2 દર્દીના મોત પણ થયા છે. ઉલ્લેખનીય છે છે કે, ગત સપ્ટેમ્બર મહિનામાં સ્વાઈન ફ્લૂના 11 કેસ નોંધાયા હતા.

Chill Sets In as Winter Approaches the State, Bringing Unexpected RainfallAs the winter season gradually takes hold in t...
23/11/2023

Chill Sets In as Winter Approaches the State, Bringing Unexpected Rainfall

As the winter season gradually takes hold in the state, certain regions are anticipated to experience a unique blend of raincoats alongside sweaters. The Meteorological Department forecasts rain in some parts of the state from November 24 to 28, with the likelihood of heavy rainfall on November 25 and 26. This unusual weather pattern adds a twist to the typical winter climate, prompting residents to prepare for a combination of cold temperatures and unexpected showers.

રાજ્યમાંથી ફરી તોળાઈ રહ્યું છે માવઠાંનું સંકટ

રાજ્યમાં શિયાળાની મૌસમ ધીમે ધીમે જામી રહી છે.જોકે શિયાળાની સાથે સાથે રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થવાની પણ આગાહીથી સ્વેટર સાથે રેઇનકોટ પણ રાખવો પડે તેવી સ્થતિ સર્જાઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા 24 થી 28 નવેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 25 અને 26 નવેમ્બરે ભારે વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે.

23/11/2023

once again appear as angels in disguise as they save the life of an elderly man:

An elderly man was trying to cross the tracks at Vapi Railway station, when he fell just as the Surat-Bandra Intercity Terminus approached the platform. In quick response, an RPF Jawan rushed to the spot upon seeing the man trapped, and saved the man’s life.

પોલીસ ફરી બની દેવદૂત..

વાપી રેલવે સ્ટેશન ખાતે એક વૃધ્ધ રેલ્વે ટ્રેક ઓળંગવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે સમયે સુરત-બાંદ્રા ઇન્ટરસિટી ટર્મિનસ ટ્રેન પ્લેટફોર્મ પર આવી રહી હતી,આ દરમિયાન વૃધ્ધ ટ્રેક પર જ પડી અને ફસાઈ ગયા હતા,જે દ્રશ્ય જો ગયેલા RPF જવાને પળવારનો પણ વિચાર કર્યા વગર ટ્રેક પર દોડી જઈ જીવન જોખમે વૃદ્ધનો જીવ બચાવ્યો હતો.પોલીસ જવાનની સરાહનીય કામગીરીથી વૃધ્ધનો જીવ બચ્યો હતો.

Source :

Tag someone who’s Symmetrophile
23/11/2023

Tag someone who’s Symmetrophile

22/11/2023

World Champion Captain Pat Cummins Receives Underwhelming Airport Welcome

Upon returning to his country after leading the Australian cricket team to its sixth world title by defeating India in the final, Captain Pat Cummins experienced a surprisingly subdued reception. A viral video on social media shows at an Australian airport, where only 3 to 4 photographers were present to welcome him, capturing the quiet homecoming. Fans express shock and disappointment at the lackluster reception, sparking furious reactions on social media.

વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન પેટ કમિન્સનું એરપોર્ટ પર નિરાશાજનક સ્વાગત

ફાઇનલમાં ભારતીય ટીમને હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બનેલી ઓસ્ટ્રેલિયન ટીમનો કેપ્ટન પોતાના દેશ પહોંચી ગયા છે. તમને જણાવી દઈએ કે, વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન પેટ કમિન્સ નું તેમના ઘરે ખૂબ જ શાંત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. પેટ કમિન્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં કમિન્સ ઓસ્ટ્રેલિયાના એરપોર્ટ પર હાજર છે. એરપોર્ટ પર તેમના સ્વાગત માટે માત્ર 3 થી 4 ફોટોગ્રાફર્સ હાજર હતા અને તસવીરો ખેંચી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેના પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

પીઢ અભિનેત્રી ચારૂબેન પટેલનું હાર્ટ-એટેકથી મોતગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત પીઢ અભિનેત્રી ચારૂબેન પટેલનું 83 વર્ષની વય...
22/11/2023

પીઢ અભિનેત્રી ચારૂબેન પટેલનું હાર્ટ-એટેકથી મોત

ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત પીઢ અભિનેત્રી ચારૂબેન પટેલનું 83 વર્ષની વયે હાર્ટ-એટેકથી નિધન થયું છે. ચારૂબેન છેલ્લા ઘણા સમયથી આણંદ તાલુકાના બાકરોલ ગામમાં રહેતા હતાં. પંદરેક દિવસ અગાઉ તેઓને પગમાં ફેક્ચર થયું હતું. જેથી કરમસદ સ્થિત કૃષ્ણ હોસ્પિટલમાં ચારૂબેનની સારવાર ચાલી રહી હતી. દરમિયાન આજરોજ સવારે એકાએક હાર્ટ-એટેક આવતાં ચારૂબેન પટેલનું હોસ્પિટલમાં જ નિધન થયું છે.

રસ્તા પરના ખાડાએ વાહનચાલકનો ભોગ લીધો.. બોરસદ તાલુકાના કઠાણા ગામમાં આવેલ રેલ્વેસ્ટેશન નજીક રહેતાં જીતેન્દ્રભાઈ લક્ષ્મણસિં...
22/11/2023

રસ્તા પરના ખાડાએ વાહનચાલકનો ભોગ લીધો..

બોરસદ તાલુકાના કઠાણા ગામમાં આવેલ રેલ્વેસ્ટેશન નજીક રહેતાં જીતેન્દ્રભાઈ લક્ષ્મણસિંહ પરમાર ગતરાત્રીના નવ વાગ્યાના અરસામાં બાઇક લઈ ઝારોલા-રાસ રોડ પર થી પુરપાટ ઝડપે પસાર થઈ રહ્યાં હતાં. દરમિયાન એકાએક રોડ પરના ખાડામાં બાઇક પછડાતાં જીતેન્દ્રભાઈએ સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેને પગલે તેઓ રોડ પર પટકાતા ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. જેઓને સારવાર અર્થે બોરસદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડતા સારવાર દરમ્યાન તેઓનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે કિરીટભાઈ લક્ષ્મણસિંહ પરમારની ફરિયાદને આધારે પોલીસે મૃત બાઇક ચાલક સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ જિલ્લામાં “ વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો થયો આજ થી પ્રારંભ  આણંદ જિલ્લામાં તા. ૨૨ નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્...
22/11/2023

આણંદ જિલ્લામાં “ વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો થયો આજ થી પ્રારંભ
આણંદ જિલ્લામાં તા. ૨૨ નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ થયો. જેમાં ત્રણ રથ બે મહિના સુધી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા લાભાર્થીઓ સુધી સરકારની યોજનાઓના લાભ પહોંચાડશે. આણંદ જિલ્લાના છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓના લાભ પહોંચી શકે તેવા હેતુથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આણંદ જિલ્લામાં તા. ૨૨ નવેમ્બરથી આ યાત્રાનો પ્રારંભ થયો છે.

આંકલાવના વર્ષો જૂના દબાણો જમીન દોસ્ત કરાયાઆણંદના આંકલાવ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી દબાણ મામલે તંત્ર ધ્વારા ઢીલી નીતિ રીતિ ર...
22/11/2023

આંકલાવના વર્ષો જૂના દબાણો જમીન દોસ્ત કરાયા

આણંદના આંકલાવ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી દબાણ મામલે તંત્ર ધ્વારા ઢીલી નીતિ રીતિ રાખવામાં આવી હતી. પરંતુ એકાએક જ વહીવટી તંત્ર વર્ષો જુના દબાણો હટાવવા માટે કામે લાગ્યું હતું. સોમવારે વહેલી સવારથી જ પ્રાંત અધિકારી બોરસદ, આંકલાવ મામલતદાર તેમજ સિટીસર્વેની ટીમ અને નગરપાલિકાની ટીમે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે જેસીબી ફેરવી તાલુકા પંચાયત કચેરીથી મામલતદાર કચેરીના ગેટ સુધી તમામ દબાણો દૂર કર્યા હતા. સવારથી તંત્ર દ્વારા આંકલાવની વીરકુવા ચોકડી અને બસ સ્ટેશન જવાના ગેટ પાસે આવેલ એક હોટલ સહિત વિવિધ કાચી પાકી દુકાનો પર જેસીબી ફેરવી દેવામાં આવ્યું હતું. જેથી તમામ દબાણો ઘણા વર્ષો બાદ જમીન દોસ્ત થઇ ગયા હતા.

22/11/2023

Successful testing of the BrahMos Missile at sea:

The Indian Air Force has achieved a significant milestone, showcasing its strength with a successful test-fire of the BrahMos missile at sea. The missile was launched from INS Imphal, marking a successful step forward for India towards self-reliance and demonstrating its military prowess to the world.

સમુદ્રમાં બ્રહ્મોસ મિસાઈલનું પરીક્ષણ...

ભારતીય વાયુસેના વધુ મજબૂત બની છે,ભારતીય વાયુસેનાને મોટી સફળતા મળી છે.ભારતીય વાયુસેનાએ સમુદ્રમાં બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું.INS ઈમ્ફાલ પરથી બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.આમ આત્મનિર્ભર ભારત તરફ ભારતે વધુ એક ડગ માંડી સેન્ય શ્કતિનો પરિચય દુનિયાને આયો છે.

  grants approvals for the FDODO   scheme:Under the leadership of Chief Minister Bhupendra Patel, approval has been gran...
22/11/2023

grants approvals for the FDODO scheme:

Under the leadership of Chief Minister Bhupendra Patel, approval has been granted for the Full Owned Dealer Operated (FDODO) CNG scheme within the state of Gujarat. The scheme aims to develop CNG through the Public-Private Partnership (PPP) model, fostering a more widespread adoption of green-clean environment and green mobility in the state. The implementation of this initiative will be carried out by Gujarat Gas Limited and Sabarmati Gas Limited, and the selection process for the scheme will be transparent. This decision, encouraging the use of clean fuels like CNG, is expected to enhance the prevalence of CNG stations in the state, ensuring easier access to CNG fuel for vehicle owners.

હરિયાળું રાજ્ય અંતર્ગત FDODO CNG સ્કીમને મંજૂરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ગ્રીન-ક્લીન એન્વાયરમેન્ટ અને ગ્રીન મોબિલિટીને વધુ વ્યાપક બનાવવા PPP મોડલથી CNG સ્ટેશન વિકસાવવાના અભિગમ સાથે રાજ્યમાં Full Dealer Owned Dealer Operated – FDODO CNG સ્કીમને મંજૂરી આપી છે. આ યોજનાનો અમલ ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા કરવામાં આવશે તેમજ યોજના માટે પારદર્શક સિલેક્શન પ્રોસેસના આધારે પસંદગી કરવામાં આવશે. મુખ્યમંત્રીના CNG જેવા સ્વચ્છ ઈંધણના ઉપયોગને પ્રોત્સાહન આપતા આ નિર્ણયથી રાજ્યમાં CNG સ્ટેશન્‍સનો વ્યાપ વધશે તેમજ CNG વાહન ધારકોને વધુ સરળતાએ CNG બળતણ ઉપલબ્ધ થશે

Source:

Relief from running to-and-from the police station for passport verification:Effective immediately, passport applicants ...
22/11/2023

Relief from running to-and-from the police station for passport verification:

Effective immediately, passport applicants will no longer be required to contact the police station for verification. The verification process will now only involve checking the applicant's citizenship and criminal history. Address verification and the applicant's signature will no longer be necessary. Police visits to the applicant's residence will only occur if verification is deemed necessary in specific cases.

પાસપોર્ટ વેરિફિકેશન માટે હવે પોલીસ સ્ટેશનના ધક્કાથી રાહત

હવેથી વેરિફિકેશન માટે પાસપોર્ટ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવાની જરૂર નહીં પડે, માત્ર અરજદારની નાગરિકતા તેમજ ગુનાહિત ઇતિહાસની જ તપાસ કરવાની રહેશે. સરનામાંની ચકાસણી કે અરજદારની સહીની પણ જરૂર નહીં પડે, કોઈ કિસ્સામાં ખરાઇની જરૂર હશે તો જ પોલીસ અરજદારના ઘરે જશે. કાયદો-વ્યવસ્થાને લઈ પોલીસ મહાનિર્દેશકે પરિપત્ર જાહેર કર્યો છે.

100% Waiver on Housing Penalties as per the CM’s decision:In a move aimed at   welfare,   Bhupendra Patel has announced ...
22/11/2023

100% Waiver on Housing Penalties as per the CM’s decision:

In a move aimed at welfare, Bhupendra Patel has announced a 100% penalty waiver until March 31, 2024, for Housing Board and Slum Clearance schemes. Additionally, the outstanding penalty interest will be reduced for beneficiaries facing challenges in paying installments within the stipulated time frame, with a penalty rate of 8% interest per annum. This decision not only aids the recovery of arrears for the Gujarat Housing Board but also provides financial impetus for new housing projects. Moreover, homeowners can secure documentation of their property ownership by paying the installment amount with the penalty waiver, facilitating the redevelopment of old Housing Board houses.

આવાસોની 100% પેનલ્ટી માફીનો સીએમનો નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓમાં ‘મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના’ અન્‍વયે તા.31 માર્ચ, 2024 સુધી 100% પેનલ્ટી માફી આપવાનો જનહિતલક્ષી નિર્ણય કર્યો છે. આ ઉપરાંત, સમય મર્યાદામાં હપ્તા ભરપાઇ ન કરી શકનારા લાભાર્થીઓ માટે પણ વાર્ષિક 8% વ્યાજના દરે પેનલ્ટીની જોગવાઇના કારણે બાકી પેનલ્ટીના વ્યાજમાં પણ ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ નિર્ણયથી ગુજરાત હાઉસીંગ બોર્ડને બાકી હપ્તાની વસુલાત થશે અને નવા આવાસોના આયોજન માટે આર્થિક વેગ મળશે. આ ઉપરાંત, મકાન ધારકોને પેનલ્ટી માફી મળતાં હપ્તા પેટેની રકમ ભરીને પોતાનો માલિકી દસ્તાવેજ કરાવી શકશે, જેના પરિણામે હાઉસીંગ બોર્ડના જૂનાં મકાનોનું રિ-ડેવલપમેન્‍ટ પણ હાથ ધરી શકાશે

Source:

22/11/2023

Viral Video: Bus Travellers Shows A New Way to Climb the Bus

Amidst the festival hustle, crowded ST buses saw passengers jostling for seats, and a viral video captured a woman maneuvering her way onto the packed bus amid the chaotic crowd.

ભીડમાં આ રીતે બસમાં ચઢ્યા બેન..!!

દિવાળીના તહેવારોમાં એસટી બસમાં ભીડ વધી હતી,બેસવાની જગ્યા માટે ભાગમભાગ અને ધક્કામુકી જોવા મળી હતી.મોટાભગની બસો હાઉસફુલ સાથે મુસાફરો ઉભા રહી જતા હતા ત્યારે બસમાં ભીડ વચ્ચે ચઢતા બેનનો વિડીયો વાયરલ થયો છે,બસમાં પહેલાથી જ જગ્યા રોકી રાખી બેસી ગયેલ પતિએ ભીડમાં પત્નીને બારીમાંથી બસમાં ઘુસાડ્યા હતા!

Tag someone who’s Rapophile
22/11/2023

Tag someone who’s Rapophile

Anticipatory Bail Denied for AAP MLA Chaitar Vasava in Threat and Firing CaseChaitar Vasava, the Aam Aadmi Party MLA rep...
21/11/2023

Anticipatory Bail Denied for AAP MLA Chaitar Vasava in Threat and Firing Case

Chaitar Vasava, the Aam Aadmi Party MLA representing Dediyapada, faces a setback as his anticipatory bail plea has been rejected. A police complaint was filed against him give a threat to beat up an employee of the forest department, and also for firing shots in the air. The court's decision adds another layer of complexity to the ongoing case involving Vasava.

ચૈતર વસાવાના આગોતરા જામીનની અરજી કોર્ટે ફગાવી..

ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે થયેલી વન વિભાગના કર્મચારીને માર મારવા ધમકી આપવા અને હવામાં ફાયરિંગની પોલીસ ફરિયાદ થઇ હતી ત્યારથી હજુ સુધી ધારાસભ્ય પોલીસ પકડથી દૂર છે, ધારાસભ્ય ચૈતર વસાવાએ ધરપકડથી બચવા માટે આગોતરા જામીનની અરજી કરી હતી, જોકે નર્મદા ડીસ્ટ્રીક કોર્ટે ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી ફગાવતા ચૈતર વસાવાને મોટો ફટકો લાગ્યો છે.

Source:

દેવગઢ બારીઆ નગરના મુખ્ય રોડ પરથી ટેમ્પોમાં લઈ જવાતો રૂ. 7.63 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગઈકાલે...
21/11/2023

દેવગઢ બારીઆ નગરના મુખ્ય રોડ પરથી ટેમ્પોમાં લઈ જવાતો રૂ. 7.63 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગઈકાલે સવારે દેવગઢ બારીયા નગરમાં આવેલ કપડાંની દુકાનની સામેથી વિદેશી દારૂ નો જથ્થો ઝડપાયો. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રોડ પરથી રૂ.૭.૬૩ લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે આઈસર ગાડીને ઝડપી ડ્રાઈવર વસીમ યાકુબભાઈ ગુનિયાની ધરપકડ કરી આઈસર ગાડી મળી કુલ રૂા.૧૭,૬૪,૩૧૦નો મદ્દામાલ કબજે કર્યો હતો.સ્ટેટ મોનિટરિંગ સેલની કામગીરી ને પગલે આ મામલે દેવગઢ બારીયા પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી.

CM declares Ghol Fish as Gujarat’s ‘State Fish’In a significant announcement, Chief Minister Bhupendra Patel has officia...
21/11/2023

CM declares Ghol Fish as Gujarat’s ‘State Fish’

In a significant announcement, Chief Minister Bhupendra Patel has officially declared the 'Ghol' fish as the state fish of Gujarat. This prestigious designation recognizes the exceptional value and significance of the Ghol fish, which is considered so valuable that its capture can turn any fisherman into a millionaire. The abundant presence of such treasures in the seas of Gujarat adds to the state's rich aquatic biodiversity.

બેશકિંમતી ઘોલ માછલી ગુજરાતની ‘સ્ટેટ ફિશ’ જાહેર કરાઈ

બેશકિંમતી કેટેગરીમાં આવતી ઘોલ માછલીની ગુજરાતની સ્ટેટ ફિશ જાહેર કરાઈ છે. આ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ‘ઘોલ’ નામની માછલીને સ્ટેટ ફિશ તરીકે જાહેર કરવામાં આવી છે. આ માછલી એટલી મોંઘી ગણાય છે કે, જે પણ માછીમારના જાળમાં આવે તો તે લખપતિ બની જાય છે. ગુજરાતનો દરિયો આવી માછલીના ખજાનાના ભંડારથી ભરેલો છે

# Announcement

21/11/2023

Street Chaat for this Aussie ‘Mate’: Australian Deputy PM Tastes Pani Puri in New Delhi

Australia's Deputy Prime Minister, Richard Marles, landed in India to witness the World Cup final. Post-match, he was spotted relishing street food and beverages in Delhi, a moment captured in a viral video. Following his street food experience, the Deputy Prime Minister's official utilized UPI payment technology to settle the bill with a local vendor. Marles commended the efficiency of e-payment technology during this transaction, showcasing his positive experience with India's digital payment methods.

ઓસ્ટ્રેલિયાના નાયબ પ્રધાનમંત્રીએ માણ્યો સ્ટ્રીટ ફૂડનો સ્વાદ

ઓસ્ટ્રેલિયાના નાયબ પ્રધાનમંત્રી રિચાર્ડ માર્લ્સ વિશ્વકપની ફાઇનલ મેચને માણવા ભારત પધાર્યા છે,મેચ બાદ ઓસ્ટ્રેલિયાના નાયબ પ્રધાનમંત્રી દિલ્હીમાં સ્ટ્રીટ ફૂડ અને પીણાંનો આનંદ માણતા જોવા મળ્યા હતા.જેનો વિડીયો વાયરલ થયો છે.સ્ટ્રીટ ફૂડનો આનંદ માણ્યા બાદ તેમના અધિકારીએ પોતાના મોબાઈલ ફોનથી કાનદારને UPI પેમેન્ટ કર્યું હતું ત્યારે ઇ પેમેન્ટ કરવાની આ ટેક્નોલોજીની ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમએ પ્રશંસા પણ કરી હતી.

ICMR’s research debunks the supposed vaccine-related deaths:In response to concerns about the potential link between COV...
21/11/2023

ICMR’s research debunks the supposed vaccine-related deaths:

In response to concerns about the potential link between COVID-19 vaccines and sudden deaths, ICMR has conducted a comprehensive study. The study, conducted from October 1, 2021, to March 31, 2023, across 47 hospitals in the country, focused on people aged 18 to 45 who were seemingly healthy. More than 2 billion vaccine doses have been administered in India as part of the government's vaccination campaign. Despite reports of young people experiencing heart attacks leading to speculation about vaccine involvement, the ICMR's findings refute any association between the administered vaccines and sudden deaths, and highlights other factors, such as alcohol consumption, drug use, etc as contributors.

ICMR રિસર્ચ ; રસીના કારણે અચાનક મૃત્યુ સાથે કોઈ સંબંધ નથી

કોવિડ -19 રોગચાળા પછી, સરકારે લોકોના જીવન બચાવવા માટે મોટા પાયે રસીકરણ અભિયાન શરૂ કર્યું. દેશમાં લોકોને રસીના 2 અબજથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. પરંતુ, છેલ્લા એકથી દોઢ વર્ષમાં દેશમાં હાર્ટ એટેકના કારણે યુવાનોના મોતના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આવી સ્થિતિમાં, આની પાછળ રસીનું કારણ છે કે કેમ તે અંગે ચર્ચા શરૂ થઈ. જો કે હવે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ આનો જવાબ આપ્યો છે. ICMR અભ્યાસ જણાવે છે કે રસીના કારણે અચાનક મૃત્યુ સાથે કોઈ સંબંધ નથી. મૃત્યુના 48 કલાક પહેલા દારૂ પીવો, દવાઓ લેવી અથવા મૃત્યુના 48 કલાક પહેલા જોરદાર કસરત કરવી એ કેટલાક પરિબળો છે. જેમાં અચાનક મૃત્યુનું જોખમ વધી જાય છે. આ અભ્યાસ ICMR દ્વારા 1 ઓક્ટોબર, 2021 થી માર્ચ 31, 2023 દરમિયાન કરવામાં આવ્યો હતો. તેમાં દેશભરની 47 હોસ્પિટલોનો સમાવેશ થાય છે. 18 થી 45 વર્ષની વયના લોકો, જે દેખીતી રીતે સ્વસ્થ હતા, તેમને અભ્યાસ માટે સામેલ કરવામાં આવ્યા હતા

21/11/2023

Workers stuck in Uttarkashi tunnel are safe, confirmations are in.

Video showing the 41 workers stuck in the Uttarkashi tunnel for 10 days has surfaced. An endoscopic camera was used to communicate with the workers through the pipeline, providing information about their health. Their safety has been confirmed.

ટનલમાં ફસાયેલા મજૂરોનો વીડિયો સામે આવ્યો

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં 10 દિવસથી ફસાયેલા 41 મજૂરોના પ્રથમ વીડિયો સામે આવ્યા છે. પાઇપલાઇન દ્વારા એંડોસ્કોપિક કેમેરાને અંદર મોકલવામાં આવ્યો હતો. જેના દ્વારા કાર્યકરો સાથે વાતચીત કરવામાં આવી હતી. તેમના સ્વાસ્થ્ય વિશે જાણકારી મેળવી હતી. આ સાથે મજૂરોની ગણતરી પણ કરવામાં આવી હતી. હાલ તમામ મજૂરો સુરક્ષિત છે

કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતાં બાલીન્ટાના યુવકનું નિપજ્યું મોત : જ્યારે એક થયો ઇજાગ્રસ્ત આણંદ જિલ્લાના સોજિત્રા તા...
21/11/2023

કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતાં બાલીન્ટાના યુવકનું નિપજ્યું મોત : જ્યારે એક થયો ઇજાગ્રસ્ત

આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકના ડભોઉ-દેથલી રોડ ઉપર એક કાર તથા મોટરસાયકલ વચ્ચે સર્જાયો અકસ્માત. આ અકસ્માત માં બાલીન્ટાના યુવકનું માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવક ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને ૧૦૮ને કોલ કરતા ૧૦૮ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

આણંદ જિલ્લામાં રવિ પાકનું 46 હજાર હેકટરમાં થયું વાવેતરઆણંદ જિલ્લામાં ઠંડીએ ચમકારો બતાવવાનું શરૂ કરતાં ખેડૂતોએ ઘંઉનો પાક ...
21/11/2023

આણંદ જિલ્લામાં રવિ પાકનું 46 હજાર હેકટરમાં થયું વાવેતર
આણંદ જિલ્લામાં ઠંડીએ ચમકારો બતાવવાનું શરૂ કરતાં ખેડૂતોએ ઘંઉનો પાક સહિત જુદા જુદા પાકોનું વાવેતર શરૂ કર્યું છે. ત્યારે 8 તાલુકાઓમાં શિયાળુ રવિ પાકનું 20 હજાર હેકટરમાં સહિત તમાકુ મળી 46 હજાર હેકટર વાવેતર થયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

Godhra-Dahod Highway Accident: 4 Lives Lost, 17 InjuredAn   took place of a luxury bus on  -   Highway near Gadhchundari...
21/11/2023

Godhra-Dahod Highway Accident: 4 Lives Lost, 17 Injured

An took place of a luxury bus on - Highway near Gadhchundari village, where four lost their lives whereas, 17 people were injured. In the deceased, there were two children, one woman and one man as per the information received. After the accident, the immediately reached the spot. As per the reports, a private bus was parked due to some maintenance works at the side of the road, into which the running bus collided.

ગોધરા-દાહોદ હાઇવે પર અકસ્માત: 4નાં મોત, 17 ઘાયલ

ગોધરા તાલુકાના દાહોદ હાઇવે પાસે આવેલા ગઢચુંદરી ગામે બે ખાનગી બસ વચ્ચે અકસ્માતમાં ચારનાં મોત 17 ઘાયલ થયા છે. અકસ્માતમાં લકઝરીમાં બેઠેલા ચારના મોત નિપજ્યા છે. મૃતકોમાં બે બાળકો, એક મહિલા અને એક પુરુષ હોવાનું સામે આવ્યુ છે. અકસ્માતની ઘટના બનતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ છે. એક ખાનગી બસનું સમારકામ ચાલી રહ્યુ હોવાથી તે સાઇડમાં ઊભી હતી. જો કે અચાનક જ હાઈવે પર ઉભેલી આ લક્ઝરી બસની પાછળ બીજી એક લક્ઝરી બસ આવીને ટકરાઇ હતી.

Source:

Tag someone who’s Potamophile
21/11/2023

Tag someone who’s Potamophile

IMD Director  has forecasted unexpected rainfall on 25th and 26th Nov:The winter season in Saurashtra-Gujarat has not be...
20/11/2023

IMD Director has forecasted unexpected rainfall on 25th and 26th Nov:

The winter season in Saurashtra-Gujarat has not been particularly cold so far. IMD Director Dr. Manorama Mohanty has predicted rain in the state for the upcoming weekend. On the 25th and 26th, there may be light to moderate rain in various places in Saurashtra and across Gujarat, with the possibility of heavy rain in some areas.
This forecast has raised concerns among farmers, as the rabi crop season is currently underway, and there is fear of potential losses due to the predicted rainfall.

રાજ્ય હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીની આગાહી : 25 અને 26ના રોજ પડશે માવઠુ

સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં શિયાળાની ઋતુ હજુ ખાસ જામી નથી. ત્યાં ફરી એકવાર ચાલુ સપ્તાહના અંતમાં રાજ્યમાં માવઠુ થવાની આગાહી રાજ્ય હવામાન વિભાગે કરી છે. આગામી તા.25 અને 26ના રોજ સમગ્ર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જો કે અમુક સ્થળોએ ભારે વરસાદની પણ શક્યતા છે. આ આગાહીના પગલે ખેડૂતો ભારે ચિંતાતુર બન્યા છે. કારણ કે હાલમાં રવિ પાકની સિઝન ચાલી રહી છે ત્યાં ફરી એકવાર માવઠાની આગાહીના પગલે ખેડૂતોને નૂકસાનીનો ભય સતાવી રહ્યો છે.

Source:

Winter arrives? As the state witnesses cold mornings and cold midnightsFollowing Diwali, the state is seemingly witnessi...
20/11/2023

Winter arrives? As the state witnesses cold mornings and cold midnights

Following Diwali, the state is seemingly witnessing a cold spell as temperatures fall below 20 degrees in five cities. Kutch has recorded a temperature of 13.4 degrees, whereas its 16.7 degree minimum temperature in Amreli. The temperature has also dropped almost below 20 degrees in Gandhinagar, Ahmedabad and others.

ધીમા પગલે ઠંડી દઈ રહી છે દસ્તક..!!

દિવાળી બાદ રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે,ધીમા પગલે ઠંડીએ દસ્તક દીધા છે,ત્યારે રાજ્યના 5 શહેરમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે આવ્યું છે,13.4 ડિગ્રી તાપમાન સાથે કચ્છનું નલિયા ઠંડુગાર બન્યું છે.જયારે અમરેલીમાં 16.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે,ગાંધીનગર,ડીસા અને અમદાવાદમાં પારો 20 ડિગ્રીથી નીચે આવ્યો છે

કણજરી ગામે બંધ મકાનનું તાળું તૂટયું : 1.96 લાખની મત્તા ચોરાઇ નડિયાદ તાલુકાના કણજરી ગામમાં રહેતા પ્રિતીબેન ગ્રિમેશકુમાર પ...
20/11/2023

કણજરી ગામે બંધ મકાનનું તાળું તૂટયું : 1.96 લાખની મત્તા ચોરાઇ
નડિયાદ તાલુકાના કણજરી ગામમાં રહેતા પ્રિતીબેન ગ્રિમેશકુમાર પટેલ બે દિકરીઓ સાથે બહારગામ ગયા હતા. જેનો તસ્કરો એ લાભ લઈ મકાનમાં પ્રવેશી રોકડ, સોના-ચાંદીના દાગીના, પાઉન્ડ મળી રૂ.૧,૯૬,૦૦૦ ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવ સંદર્ભે વડતાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તસ્કરો સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.

Address


Opening Hours

Monday 10:00 - 19:00
Tuesday 10:00 - 19:00
Wednesday 10:00 - 19:00
Thursday 10:00 - 19:00
Friday 10:00 - 22:00
Saturday 10:00 - 19:00

Website

Alerts

Be the first to know and let us send you an email when Our Charotar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Opening Hours
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share