Oursourashtra

  • Home
  • Oursourashtra

Oursourashtra Our Saurashtra covers local news of Saurashtra stretching from Dwarka to Bhavnagar

'આપ' પ્રમુખના ભાજપ - ચૂંટણી અધિકારી પર આરોપ'આપ' પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના ભાજપ અને ચૂંટણી અધિકારી પર ગંભીર આરોપ સામે આ...
04/02/2025

'આપ' પ્રમુખના ભાજપ - ચૂંટણી અધિકારી પર આરોપ

'આપ' પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના ભાજપ અને ચૂંટણી અધિકારી પર ગંભીર આરોપ સામે આવ્યા છે. ભાણવડમાં એક મંત્રીના દબાણમાં એક ROએ લોકતંત્રની હત્યા કરીહોવાનો આરોપ ઈસુદાન ગઢવીએ કર્યો છે. ભાણવડમાં આમ આદમી પાર્ટી મજબૂત હતી, માટે તમામ આઠ ઉમેદવારના ફોર્મ મંત્રીના દબાણમાં રદ્દ થયા હોવાનું જણાવ્યું છે. આ મુદ્દે ચૂંટણી કમિશનરને ફરિયાદ કરવા અને હાઇકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે. જો ભાજપને વોટ આપશો તો ભાજપ તમારા વંશજને અને લોકશાહીને ખતમ કરી નાખશે.

04/02/2025

ભાવનગરમાં ફરસાણની દુકાનમાં આગ

ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં આજે વહેલી સવારે એક ફરસાણની દુકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ફાયર વિભાગને જાણ થતાં જ તાત્કાલિક બે ફાયર ફાઈટર્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગની ગંભીરતાને જોતાં ફાયર વિભાગે પાણીનો સતત મારો ચલાવ્યો હતો. દુકાનમાંથી બે ગેસના બાટલા અને 5થી 7 જેટલા તેલના ડબ્બા સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા, જેથી મોટી દુર્ઘટના ટાળી હતી.

04/02/2025
04/02/2025

મોરબીમાં શ્વાન ટોળકીનો ત્રાસ

મોરબી જિલ્લામાં છેલ્લા બે મહિનાની વાત કરીએ તો ડીસેમ્બર મહિનામાં ૫૮૭, જયારે જાન્યુઆરી મહિનામાં 506 લોકો મળી કુલ 1093 લોકોને આ શ્વાને બચકા ભર્યા હોવાની સત્તાવાર માહિતી સામે આવી છે. મોરબીના નવલખી રોડ ના કુબેર નગર વિસ્તારમાં આવેલી અલગ અલગ સોસાયટીમાં એક શ્વાનને હડકવાની અસર થતા એક જ વિસ્તારના 14 જેટલા લોકો ટની શ્વાનની ઝપટે ચડ્યા હતા જેનો એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા

મોબાઇલના વેપારીને સોશિયલ મીડિયામાં ફ્રી હેડફોન અને સ્માર્ટ વોચ ગીફ્ટની રિલ મુકવી ભારે પડી જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં ...
31/01/2025

મોબાઇલના વેપારીને સોશિયલ મીડિયામાં ફ્રી હેડફોન અને સ્માર્ટ વોચ ગીફ્ટની રિલ મુકવી ભારે પડી

જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં આવેલી એક મોબાઈલ શોપના વિક્રેતા દ્વારા તાજેતરમાં પોતાના મોબાઈલ શોપની આઇડીને ઇન્સ્ટાગ્રામમાં લાઈક કર્યા પછી ગ્રાહકોને ફ્રીમાં સ્માર્ટ વોચ તથા ફ્રી ઈયર ફોન આપવાની જાહેરાત કરી હતી, જેને લઈને અનેક લોકોએ સબસ્ક્રાઇબ કર્યા બાદ ફ્રી ગિફ્ટ લેવા માટે લીમડાલેન વિસ્તારમાં આવેલી મોબાઇલ શોપમાં ઉંમટી પડ્યા હતા.

અમરેલીના મોટા મુંજીયાસરમાં SOGએ બોગસ તબીબને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી અમરેલી જિલ્લામાં બોગસ તબીબી પ્રેક્ટિસ કરનારા સામ...
31/01/2025

અમરેલીના મોટા મુંજીયાસરમાં SOGએ બોગસ તબીબને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી

અમરેલી જિલ્લામાં બોગસ તબીબી પ્રેક્ટિસ કરનારા સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચ ની ટીમે બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામમાંથી કોઈપણ મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા 29 વર્ષીય હિરેનભાઈ વસંતભાઈ રાઠોડને ઝડપી પાડ્યો છે. પોલીસને આરોપી પાસે થી એલોપેથિક દવાઓ અને મેડિકલને લગતા વિવિધ સાધનો મળી આવ્યાં હતા. કુલ 53 વસ્તુઓ સાથે રૂ. 9,001.81નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જામનગરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી ચાર વયોવૃદ્ધ મહિલાઓ પકડાઈજામનગરના સીટી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ગુલાબ નગર નજીક ર...
28/01/2025

જામનગરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી ચાર વયોવૃદ્ધ મહિલાઓ પકડાઈ

જામનગરના સીટી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ગુલાબ નગર નજીક રંગમતી પાર્ક શેરી નંબર-૩ માં દરોડો પાડી ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા 63 વર્ષીય મંજુબેન ગુલાબભાઈ વારા, 63 વર્ષીય રંજનબેન રમેશભાઈ ચૌહાણ, 50 વર્ષીય રેખાબેન અશ્વિનભાઈ ચૌહાણ તેમજ 85 વર્ષીય જેઠીબેન હેમંતભાઈ ચૌહાણ ને રંગે હાથ પકડી પાડ્યા હતા. પોલીસે તેઓ પાસેથી રૂપિયા 5,140 ની રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યો હતો. જ્યારે પોલીસ દ્વારા તમામને નોટિસ આપીને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

રાપરની સગીરાના આપઘાત કેસમાં ચાર દિવસ બાદ મોટો ઘટસ્ફોટરાપરના ભીમાસર ગામે છ દિવસ પહેલાં સગીરાએ કરેલ આપઘાતમાં મોટો ઘટસ્ફોટ ...
24/01/2025

રાપરની સગીરાના આપઘાત કેસમાં ચાર દિવસ બાદ મોટો ઘટસ્ફોટ

રાપરના ભીમાસર ગામે છ દિવસ પહેલાં સગીરાએ કરેલ આપઘાતમાં મોટો ઘટસ્ફોટ થયો છે. તેના સામાન માં અંતિમ ચિઠ્ઠી મળી આવી છે. જેમાં શિક્ષિકા જિજ્ઞાબેન ના માનસિક ત્રાસના કારણે તેણી એ આ પગલું ભર્યું હોવાનો સનસનીખેજ ખુલાસો કર્યો છે. ત્યારે અંતિમ ચિઠ્ઠીના આધારે પોલીસે સગીરાના મૃતદેહ ને બહાર કાઢી ફોરેન્સિક ચકાસણી અર્થે મોકલી આપ્યો છે. મહત્વનું છે કે ભીમસારની સગીરાએ ગત 17 જાન્યુઆરીએ ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવતા પરિવારજનોએ તેની અંતિમ વિધિ કરી દફનાવી દીધી હતી.

23/01/2025

જામનગરના માછીમારોને દિલ્હી પરેડમાં ઉપસ્થિત રહેવા મળ્યું આમંત્રણ

જામનગરના માછીમારોને દિલ્હી પરેડમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ મળ્યું છે. મુસ્લિમ વસ્તી ધરાવતા સચાના ગામના 6 માછીમાર ભાઈઓ પ્રજાસ્તાક પર્વ નિમિત્તે કર્તવ્ય પથ પર યોજાતી પરેડમાં ઉપસ્થિત રહેશે. ત્યારે આમંત્રણ મળતા ગામ સહિત 6 માછીમાર ભાઈઓમાં ખુશી નો માહોલ છવાયો છે.

મહાપાલિકાના ફૂડ વિભાગે જાન્યુઆરી માસમાં ખાદ્યપદાર્થના 32 નમૂના લીધાખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે ભાવનગર મહાપાલિકાના...
23/01/2025

મહાપાલિકાના ફૂડ વિભાગે જાન્યુઆરી માસમાં ખાદ્યપદાર્થના 32 નમૂના લીધા

ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે ભાવનગર મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તબક્કાવાર ખાદ્યપદાર્થના નમૂના લેવામાં આવતા હોય છે અને આ નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવતા હોય છે. મનપાના ફૂડ વિભાગે ચાલુ જાન્યુઆરી માસમાં ખાદપદાર્થના ૩ર નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. આ ઉપરાંત રાંધનપુરી બજારની પેઢીમાંથી અગાઉ ઘીનો નમૂનો લીધો હતો તે સબસ્ટાન્ડર્ડ જાહેર થયો હતો તેથી એડજયુડીકેટીંગ કોર્ટે દંડ ફટકાર્યો છે.

જુગતરામ દવે પે સેન્ટર શાળામાં આપતિ વ્યવસ્થાપન તાલીમ નું કરાયું આયોજન ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (G.S.D.M.A...
23/01/2025

જુગતરામ દવે પે સેન્ટર શાળામાં આપતિ વ્યવસ્થાપન તાલીમ નું કરાયું આયોજન

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (G.S.D.M.A.) દ્વારા શાળાનાં વિધાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન વિશે જાગૃતિ કેળવવાના હેતુસર રાજ્યભરમાં તા. ર૦ થી તા. ૨૫ જાન્યુઆરી સુધી "શાળા સલામતી સપ્તાહ"ની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર તાલુકામાં જુગતરામ દવે પે સેન્ટર શાળા ખાતે આપત્તિ વ્યવસ્થાપન તાલીમ યોજાઈ હતી. જેમાં બાળકોને પ્રિ-હોસ્પિટલ કેર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લખતર ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ દ્વારા લાઇવ ડેમોન્સ્ટ્રેશન થકી બાળકોને સરળ ભાષામાં સી.પી.આર. અને પ્રિ-હોસ્પિટલ કેર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગરમાં ગૌશાળાના નામે કરેલું દબાણ મનપાએ હટાવ્યુંશહેરના મેઈન રોડ પર મોટી શાક માર્કેટ સામે અંદાજે ૨૦ વર્ષ કરતા પણ ...
23/01/2025

સુરેન્દ્રનગરમાં ગૌશાળાના નામે કરેલું દબાણ મનપાએ હટાવ્યું

શહેરના મેઈન રોડ પર મોટી શાક માર્કેટ સામે અંદાજે ૨૦ વર્ષ કરતા પણ વધુ સમય થી બેથી ત્રણ મહિલાઓ દ્વારા ગૌ શાળાના નામે ગેરકાયદેસર અને નડતરરૂપ દબાણ કરવામાં આવ્યું હતું. ત્યારે સુરેન્દ્રનગર મનપાની ટીમ દ્વારા ગૌ શાળાના નામે કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણ દુર કરવામાં આવ્યું હતું અને ગૌશાળામાં રહેલ અંદાજે ૬૦થી વધુ ગાય સહિતના પશુઓને સલામત સ્થળે ખસેડવામાં આવી હતી. દબાણ દુર કરવા ગયેલી મનપાની ટીમ સાથે મહિલાઓએ ઘર્ષણ કર્યું હતું. આથી મહિલા પોલીસ સહિતની ટીમને બોલાવી બંને મહિલાઓને પોલીસ મથકે લઈ જવામાં આવી હતી.

લેટરકાંડમાં ભાજપના અસંતુષ્ટો જ અસલ ખેલાડી : કોંગ્રેસ માત્ર મહોરુંઅમરેલી લેટરકાંડમાં પાટીદાર દિકરી પાયલ ગોટીનો જાહેરમાં સ...
22/01/2025

લેટરકાંડમાં ભાજપના અસંતુષ્ટો જ અસલ ખેલાડી : કોંગ્રેસ માત્ર મહોરું

અમરેલી લેટરકાંડમાં પાટીદાર દિકરી પાયલ ગોટીનો જાહેરમાં સરઘસ કાઢવામાં આવતાં પાટીદારો ભાજપ સરકારથી ભારોભાર નારાજ છે. આ પ્રકરણમાં સીટની રચના કરાયા પછીય આ વિવાદ શમ્યો નથી. ત્યારે આ મુદ્દે સરકારને ભારે બદનામી વ્હોરવાનો વારો આવ્યો છે. હકીકતમાં ચર્ચા એવી છેકે, લેટરકાંડ મુદ્દે સરકારને સાણસામાં ફસાવવા ખુદ ભાજપના જ અસંતુષ્ટો પડદા પાછળના અસલી ખેલાડી છે. પાટીદાર દિકરીને ન્યાય લડનાર કોંગ્રેસ તો માત્ર રાજકીય મહોરું જ છે. આમ, ઘર કા ભેદી લંકા ઢાયે જેવી સ્થિતી સર્જાઇ છે.

થાનમાં ‘એફ સેરા’ સિરામિક ફેક્ટરીમાં મોડી રાત્રે લાગી ભીષણ આગથાન ખાતે આવેલી 'એફ સેરા' સિરામિક ફેકટરીમાં રાતના સમયે અચાનક ...
18/01/2025

થાનમાં ‘એફ સેરા’ સિરામિક ફેક્ટરીમાં મોડી રાત્રે લાગી ભીષણ આગ

થાન ખાતે આવેલી 'એફ સેરા' સિરામિક ફેકટરીમાં રાતના સમયે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. ગણતરીની મીનીટોમાં આગે ભિષણ સ્વરૂપ ધારણ કરતા ફેકટરીમાં રહેલી મશીનરી, રો મટીરીયલ, તૈયાર માલ સહિતનો મુદ્દામાલ બળીને ખાખ થઈ જતા મોટાપાયે નુકસાન પહોંચ્યું હતું. સદ્દનસીબે રાતના સમયે આગ લાગી હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. આ બનાવની જાણ થતાં સિરામિક ફેકટરીના માલીક સહિતનો સ્ટાફ અને લોકોના ટોળા ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. આગ ની જાણ ફાયર બ્રિગેડ ને કરતાં ફાયર ફાયટર સ્ટાફે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિકને નડરરૂપ દસથી વધુ પાકા દબાણ દૂર કરાયાસુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકામાંથી સરકાર દ્વારા મહાનગ...
18/01/2025

સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિકને નડરરૂપ દસથી વધુ પાકા દબાણ દૂર કરાયા

સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકામાંથી સરકાર દ્વારા મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે ત્યારે નવનિયુક્ત મહાનગરપાલિકાની ટીમ દ્વારા ગેરકાયદેસર અને નડતરરૂપ દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગર, વઢવાણ સહિતના શહેરી વિસ્તારો તેમજ મુખ્ય માર્ગો પર ગેરકાયદેસર કાચા તેમજ પાકા દબાણોના કારણે ટ્રાફીકજામની સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદો અનેકવાર ઉઠવા પામી હતી તેમજ તંત્ર દ્વારા દબાણો દુર કરાયા બાદ ફરી પરિસ્થિતિ તેમને તેમ યથાવત થઈ જતી હતી ત્યારે સંયુક્ત પાલિકામાંથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર થતા જ નવનિયુક્ત અધિકારીઓની ટીમ દ્વારા શહેરી વિસ્તારોની સફાઈ તેમજ દબાણ બાબતે મુલાકાત લઈ નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.

11/01/2025

બેટ દ્વારકામાં મેગા ડીમોલેસનની કામગીરી શરૂ

દેવભૂમિ દ્વારકાના ઓખામંડળ પંથકના યાત્રાધામ સહિતના મહત્વપૂર્ણ જગ્યાઓમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા યાત્રાધામ દ્વારકાના આવળપરા વિસ્તાર, રૂપેણ બંદરના શાંતિનગર વિસ્તાર તેમજ બેટ દ્વારકામાં ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, હાલ બેટ દ્વારકામાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મંદિરમાં પ્રવાસીઓને જવાની પરવાનગી પણ આપવામાં આવી નથી.

પ્રતિબંધિત કાર્બાઇડ વેચતી રામ ફ્રૂટ પેઢી અને તેના ત્રણ ભાગીદારને રૂા.30 હજારનો દંડભાવનગર જિલ્લા ફૂડ વિભાગ દ્વારા ૧૬ વર્ષ...
11/01/2025

પ્રતિબંધિત કાર્બાઇડ વેચતી રામ ફ્રૂટ પેઢી અને તેના ત્રણ ભાગીદારને રૂા.30 હજારનો દંડ

ભાવનગર જિલ્લા ફૂડ વિભાગ દ્વારા ૧૬ વર્ષ પૂર્વે શહેરના ગંગાજળિયા તળાવમાં આવેલ રામ ફ્રૂટ પેઢીમાંથી પ્રતિબંધિત કાર્બાઇડના વેચાણ બદલ કરેલો કેસ લોક અદાલતમાં ચાલી જતાં કોર્ટે રામ ફ્રૂટ પેઢી તથા તેના ત્રણ ભાગીદાર શૈલેષ સુરેશભાઇ ઠક્કર, સુરેશ ગીરધરભાઇ ઠક્કર અને રામદેવસિંહ ગીરવાનસિંહ ગોહિલ એમ પ્રત્યેકને ૭,૫૦૦ મળી કુલ ૩૦ હજારનો દંડ ફટકાર્યો હતો. જો તે ન ભરે તો કોર્ટ દ્વારા તમામને ૧ માસની સાદી કેદની સજા ફટકારવાની જોવાઈ કરવામાં આવી છે.

જામનગરના ખેડૂત સાથે ગોંડલના વેપારી એ આચરી છેતરપિંડી જામનગર તાલુકાના હડમતીયા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ખેડૂત સંજયભાઈ...
10/01/2025

જામનગરના ખેડૂત સાથે ગોંડલના વેપારી એ આચરી છેતરપિંડી

જામનગર તાલુકાના હડમતીયા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ખેડૂત સંજયભાઈ સવજીભાઈ ધામેલીયા કપાસના વેચાણના બહાને છેતરપિંડીનો શિકાર બન્યા છે. પ્રતિ વર્ષ કપાસની ખરીદી કરીને લઈ જતા ગોંડલના વેપારી જીતેનભાઈ કલાલ રૂપિયા 6,12,535 ની કિંમતનો 407 મણ કપાસ ખરીદી બીજા દિવસે પૈસાનું આંગડીયું કરવાનું બહાનું બતાવી રફુચક્કર થઈ ગયા હતા. જેઓએ આજ દિન સુધી રકમ નહીં ચૂકવતાં ગોંડલના વેપારી જીતેનભાઈ કલાલ સામે ખેડૂત સંજયભાઇ ધામેલિયાએ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

Address


Website

http://www.ourgujarati.com/

Alerts

Be the first to know and let us send you an email when Oursourashtra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share