Alpa-viraam

Alpa-viraam અલ્પવિરામ - હિરણ્ય પંડ્યા પાઠકના વિચારવૃક્ષને છાંયડે | StoryTeller | Motivational Speaker | Blogger

01/01/2025

2025 માં.. આ વાતને યાદ રાખજો 💪🌼💯

30/12/2024

સબંધોમાં સન્માન અને હૂંફ મળે તો જ સચવાય...

26/12/2024

સમય સાથે દરેક વ્યક્તિ બદલાય છે...

24/12/2024

રૂપિયા માણસને બદલે છે 💯

23/12/2024

મારા જેવી બધી ડોશીયું સમજે તો શાંતિ થાય 😄😄

22/12/2024

ગંગા ડોશી આશલીની મદદે..

કાલે સવારે..11 વાગે 😄

21/12/2024

સંબંધો ક્યારેય એક સરખા ન જ હોય...

નવી વાત મિત્રો...
20/12/2024

નવી વાત મિત્રો...

આવી જ સંબંધોની સમજણ ભરેલી વાતો સાંભળવા માટે, મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો 🙏

सब कुछ बदलता है,पर सब धीरे धीरे बदलता है ।बस शर्त है की तुम घडी की उस घुमती सुई को देख पाओ,जो हर पल चलके, हर घंटे,बहोत क...
18/12/2024

सब कुछ बदलता है,
पर सब धीरे धीरे बदलता है ।
बस शर्त है की तुम
घडी की उस घुमती सुई को देख पाओ,
जो हर पल चलके, हर घंटे,
बहोत कुछ बदल रही है ।। - હિરણ્ય પંડ્યા પાઠક
આ વાત સમજી જાય, તે જ હોંશિયાર અને સમજદાર.

માણસની એક નબળાઈ છે. એ બદલાવને જલદી પારખી નથી શકતો, અને બદલાવને જલદી સ્વીકારી પણ નથી શકતો.
પણ..જીવનનું બીજું નામ જ, પરીવર્તન કે બદલાવ છે.
તો કોઈ વ્યક્તિ, કોઈ સંબંધ કે કોઈ પરીસ્થીતી, આજે છે એવી હંમેશા નહીં જ રહે. આ સત્ય સહુથી પહેલાં સ્વીકારવાની આદત પાડવી.
તો આજે ઊપર છો તો કાલે નીચે ઉતરશો જ અને, આજે નીચે આવ્યા છો, તો આવતી કાલે, ઉપર ચડવાની પણ તક મળશે જ.

પણ..આ બદલાવ રાતોરાત નથી આવતો.
જેવી રીતે, સવારે ધીમે ધીમે સૂરજ ઉગે છે, પછી દરેક કલાકે ધીમે ધીમે, એ પોતાની દિશા બદલીને, સાંજ સુધીમાં, પુર્વથી પશ્ચિમ દિશામાં પહોંચે છે, એ જ રીતે, વ્યક્તિઓ કે પરીસ્થીતીઓ પણ, રોજ, ધીમે ધીમે, થોડી થોડી, ઘણાં સમયથી બદલાઈ રહી હોય છે.
પણ આપણે લાગણીઓમાં ડુબેલા રહીએ છીએ એટલે, શરુઆતના આ ધીમા બદલાવની નોંધ નથી લેતા !
આપણે એકવાર જે આપણને મળે એ વ્યક્તિ કે પરીસ્થીતી વિશે, એવી ખોટી ધારણા અને વિશ્વાસ બાંધી લઈએ છીએ કે બસ, હવે આ આપણું જ છે !!
ના...આ ભ્રમમાં જીવશો તો હેરાન થશો.
કેમકે પરીવર્તન થશે જ. વ્યક્તિ હશે તો એનું વર્તન પણ સમય સાથે બદલાઈ શકે છે અને પરીસ્થીતીઓ તો ચોક્કસ બદલાશે જ.

તો સમજદારી એમાં છે કે, કોઈ વ્યક્તિ પર, જાત કરતાં વધારે વિશ્વાસ ન મુકવો અથવા દરેક વર્તનને ઝીણવટથી જોતાં રહેવાની ટેવ પાડવી, ભલે કોઈપણ સંબંધ હોય કે, કોઈપણ લાગણી હોય. જો શરુઆતના ધીમા બદલાવને સમજી લેશો તો, આવનારા ભવિષ્યના મોટા બદલાવ માટે, પોતાની જાતને, તૈયાર કરી શકશો.
બાકી આંધળો વિશ્વાસ રાખનારા વ્યક્તિઓ, સામેની વ્યક્તિ જ્યારે હાથ છોડીને દિશા બદલી નાંખે, ત્યારે અચાનક તુટી જતાં હોય છે. પછી એમને આઘાત લાગે છે કે, "આ વ્યક્તિ આવું કેવી રીતે કરી શકે ??"
પણ...એ માણસ તો ઘણાં સમયથી હાથ છોડાવવા માંગતો જ હતો અને બીજો હાથ, ઘણાં સમય પહેલાં જ, કોઈ બીજાને આપીને બેઠો હતો.
બસ, તમે લાગણીમાં, એક પકડેલો હાથ જોયો, પણ બીજો હાથ કોની તરફ આગળ વધી રહ્યો છે, એ જોવાનું ભુલી ગયાં !!

સમજદાર માણસ જ, જીવનમાં સુખી થાય છે, તો લાગણીઓ સાથે સમજદાર અને હોશિયાર બનતાં શીખો.

16/12/2024

આ રવલો શું કરશે, રામ જાણે 😀😀

13 ડિસેમ્બરે, અલ્પવિરામ 9 વર્ષનું થયું...આ યાત્રામાં, જોડાઈ રહેનારા તેમજ સતત જોડાતા સહુ વાચકમિત્રોનો, હૃદયપૂર્વક આભાર......
16/12/2024

13 ડિસેમ્બરે, અલ્પવિરામ 9 વર્ષનું થયું...
આ યાત્રામાં, જોડાઈ રહેનારા તેમજ સતત જોડાતા સહુ વાચકમિત્રોનો, હૃદયપૂર્વક આભાર...
આમ જ સાથે રહેજો....🫶😊🙏🌞🫶

16/12/2024

ડોશીમા આવશે...
4.00 વાગે 😀

જે લોકો તમારી પ્રતિભા, તમારી આવડત કે તમારી ચમકને સહન નહી કરી શકે, એ શું કરશે ????તમને એમના ઝેરી શબ્દો તેમજ ઝેરી વર્તન દ્...
16/12/2024

જે લોકો તમારી પ્રતિભા, તમારી આવડત કે તમારી ચમકને સહન નહી કરી શકે, એ શું કરશે ????
તમને એમના ઝેરી શબ્દો તેમજ ઝેરી વર્તન દ્વારા તોડવાનો પ્રયત્ન કરશે.
એવા લોકો, તમારા વખાણ નહી કરે. તમારી સામે બીજાના વખાણ કરશે.
એવા ઝેરી લોકો, પોતાના મનમાં જે ઝેર છે તમારા માટે, એના દ્વારા તમને મારવાનો અને પછાડવાનો પ્રયત્ન કરશે.
તો પોતાની જાતને, આવા ઝેરી લોકોથી કેમ બચાવશો ??
ઓળખો... આવા લોકોને ઓળખી લ્યો સહુથી પહેલાં.

કોઈ તમારી ભૂલો જ કાઢતું રહે, તો એ સામાન્ય નથી. એ ઝેર છે.
કોઈ તમે એમના માટે જે સારું કર્યું કે જે મદદ કરી, એનો આભાર માનવાના બદલે, એ તો સામાન્ય છે, એમ ગણાવે, તો એવી વ્યક્તિઓ સામાન્ય નથી.

ઓળખો કે આવા લોકોને તમારી ઈર્ષા છે અને તમારી બરોબરી કરી શકે તેમ નથી એટલે તમારી સાથે " લાગણીઓની રમત" રમીને, તમને હરાવવા માંગે છે.
આવા લોકોને, "પોતાના" માનવાનું જ બંધ કરો.
એમને મદદ કરવાનું કે એમના માટે ઘસાવાનું પણ છોડી દ્યો.
કેમકે, હીરાની કિંમત નથી એવા લોકો તો હીરાને પણ, કાચનો કટકો જ સમજશે.

આપણે હીરો છીએ, તો કેટલીક વ્યક્તિઓ આપણી કિંમત ન કરે કે ન સમજે, એનાથી આપણી ચમક ઝાંખી નહી જ થવા દેવાની.

Stand for Yourself.
Value Yourself n Keep Shinining 🌞🌼🫶

15/12/2024

લગ્ન કર્યા પછી, વધારે સહન કોણ કરે છે ?? પતિ કે પત્ની ??

तमीज से वही पेश आओ,जहां उसकी समज हो ।जो आपसे बदतमीजी से पेश आए,उसे ज्यादा देर सहना भी,खुद की बेईज्जती है ।।સંસ્કારી હોવુ...
15/12/2024

तमीज से वही पेश आओ,
जहां उसकी समज हो ।
जो आपसे बदतमीजी से पेश आए,
उसे ज्यादा देर सहना भी,
खुद की बेईज्जती है ।।

સંસ્કારી હોવું અને સંસ્કારના નામ પર કોઈના ખોટા વર્તનને સતત સહન કરતા રહેવું, આ બંનેમાં બહુ મોટું અંતર છે. પરંતુ વર્ષોથી આપણો ઉછેર જ એ રીતે કરાય છે કે આપણે, અજાણતા જ સંસ્કાર, મર્યાદા અને સમજણના નામ પર કોઈપણ વ્યક્તિના ખોટા વર્તનને, અપમાનજનક વર્તનને સહન કરતા શીખી જઈએ છીએ.
આ ઉછેરપ્રથાને, સૌથી પહેલા બદલવાની જરૂર છે.

દરેક વ્યક્તિ એક બાળક તરીકે જન્મ લે છે પણ, 18 વર્ષની પુખ્ત વય થાય પછી દરેક વ્યક્તિને પોતાના જીવન વિશેના નિર્ણયો લેવાનો તેમજ, પોતાને શું ગમે છે અને શું નથી ગમતું, એ પોતાના વિચારો મુક્ત પણે રજૂ કરવાનો પુરો અધિકાર હોય છે.
છતાં આપણા સમાજમાં, આજે પણ, એક પિતા પોતાના 35 કે 40 વર્ષના દીકરાને એમ કહે છે કે, તું નાનો છે... તને ખબર નથી પડતી ! એ જ રીતે એક સાસુ પોતાની મોટી ઉંમરનો ફાયદો ઉઠાવીને, વર્ષો સુધી પોતાની સંસ્કારી વહુને માનસિક ત્રાસ આપતી રહે છે. એ જ રીતે નોકરીમાં પણ પોતાના ઉચ્ચ હોદ્દાનો ઉપયોગ કરીને, એક સિનિયર કર્મચારી પોતાની નીચે કામ કરતા કર્મચારીઓનું ઘણી વખત, માનસિક અને આર્થિક શોષણ કરે છે.

આ દરેક કિસ્સાઓ એક જ કેટેગરીમાં આવે છે. આ દરેક જગ્યાએ આ ખોટું વર્તન ચલાવી લેનાર કે સહન કરનાર વ્યક્તિઓ, બસ સંસ્કારના નામ પર બધું ચલાવતી રહે છે.
તો સમજી લો કે સંસ્કારી હોવું એનો અર્થ, કોઈ સતત તમારું અપમાન કરે કે તમારી સાથે ખોટું વર્તન કરે, એને ચલાવી લેવું કે સહન કરતા રહેવું એ બિલકુલ નથી.
તમે સામેની વ્યક્તિનું જેટલી વખત ખોટું વર્તન ચલાવો છો કે, ચૂપ રહીને સહન કરો છો, એટલી વખત તમે એ વ્યક્તિના ખોટા વર્તનને તેમજ ખોટા અહંકારને વધારી રહ્યા છો.

સંસ્કારી હોવાનો અર્થ છે કે, હું કોઈનું અપમાન નહીં કરું અથવા હું કોઈને હેરાન નહીં કરું પણ, જો સામેની વ્યક્તિ મારું અપમાન કરશે કે મને ખોટી રીતે હેરાન કરશે, તો પછી મારું આત્મસન્માન જાળવવા માટે, મારે સામો વળતો ઘા કરવો પણ જરૂરી બને છે.
આ છે સાચા સંસ્કાર અને સાચી સમજણ.

પણ આપણે તો સમજણ અને સંસ્કારના નામે, આપણી કેટલી પેઢીઓને સાવ ડરપોક અને આત્મસન્માન વગરની બનાવી દીધી છે.
આ ભૂલ હવે સુધારતા શીખો.
દરેક વ્યક્તિએ સામે ભલે કોઈપણ વ્યક્તિ હોય કે, કોઈપણ સંબંધ હોય, પોતાનું આત્મસન્માન જાળવવું જરુરી બને છે. અને જે વ્યક્તિ તમને ખોટી રીતે તોડવાનો પ્રયત્ન કરે એને એની જગ્યા બતાવતા શીખવી એ બહુ જરૂરી છે.

સંસ્કારી બનો, સમજદાર પણ બનો પણ, સમય આવે અર્જુનની જેમ, યુદ્ધ કરતા પણ આવડવું જરૂરી છે.

જો તમારા સપનાઓ પૂરા કરવાની દિશામાં, તમે ચાલી નથી શકતા, તો તે સપનાઓ માત્ર બારીમાંથી દેખાતા ચંદ્રમા જેવા જ રહે છે. એ ક્યાર...
07/12/2024

જો તમારા સપનાઓ પૂરા કરવાની દિશામાં, તમે ચાલી નથી શકતા, તો તે સપનાઓ માત્ર બારીમાંથી દેખાતા ચંદ્રમા જેવા જ રહે છે. એ ક્યારેય પૂરા નથી થઈ શકતા.

પણ કેટલાક લોકોની નિયતિ જ એવી હોતી હશે ને કે, સપનાઓ અધૂરા જ રહે. બાકી સપનાની દિશામાં દોડવું કોને ન ગમે ??

વિચારવા જેવી વાત..

07/12/2024

હૃદય અને બુદ્ધિના યુધ્ધમાં, કોનું સાંભળવું ??
.

નવી વાત.. સાંભળો
06/12/2024

નવી વાત.. સાંભળો

Address

Vadodara

Alerts

Be the first to know and let us send you an email when Alpa-viraam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Alpa-viraam:

Videos

Share