Janlok Satya

Janlok Satya Janlok Satya News is weekly newspaper in Gujarati language. Which is published in Dhuvaran Gujarat India. janloksatya.in is leading Gujarati News Portal.

janloksatya delivers news and information on the latest top stories, breaking news, headlines, sports, cricket, entertainment, business, lifestyle, and other local news in Gujarati. The aim of janloksatya is reaching millions of Indians in India and significantly worldwide Indian Diaspora who are eager to stay in touch with India based Gujarati news and stories.

30/06/2024

આણંદ રેલ્વે સ્ટેશનનો અદભૂત નજારો... રેલ્વે પેસેન્જરોને વરસાદની મઝા લેવા રેલ્વે પ્લેટફોર્મ પર ધધુડાની સગવડ ... બાકી ભ્રષ્ટાચાર તો નથી જ થયો હોય..

30/06/2024

ગાંધીનગર- સેક્ટર 2 માં ( ગુજરાતનું પાટનગર )માં પણ ધરતીમાં એ નિર્દોષને સમાવવા જગ્યા કરી આપી ..
વિકાસ ના રોડમાં ગાડી ભુવામાં ..

30/06/2024

અમદાવાદ મેટ્રોસીટી..શેલામાં વરસાદને કારણે અચાનક ભૂવો (મોટો ખાડો પડી જવો) આ છે ભ્રષ્ટાચારીઓ દ્વારા થયેલો વિકાસ....
આ છે કળિયુગનું સત્ય.. પાપીઓ ને કારણે નિર્દોષને સમાવવા ધરતી અચાનક જગ્યા કરી દે છે... જોકે કોઇ જાનહાનિની દુર્ઘટના બની નથી ..

27/06/2024

આણંદ જિલ્લામા આવેલ જળાશયો, નદી, તળાવ, નહેર અને દરિયાકાંઠો તમામ સ્થળો ખાતે આવતા પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોને ન્હાવા/સ્વીમીંગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો

**********
ખંભાત તાલુકાના કાણીસા કામનાથ મહાવેદ મંદિર કુંડ, ખડોધી તળાવ, ધુવારણ દરીયો ડોસલી માતાના મંદિરે, તડા તલાવ વડગામ ખંભાત ખાતે ખંભાત દરિયાઈ ડંકો નારેશ્વર તળાવ કંસારી તલાવડી આંબાખાળ તલાવડી અને માદળા તળાવ ખાતે

**†******
બોરસદ તાલુકાના બદલપુર તળાવ,અમીયાદ તળાવ, જંત્રાલ તળાવ, કાળુ તળાવ, કણભા તળાવ,ભચુડીયા તલાવડી, કંકાપુરા

તાજેતરમાં રાજ્યમાં જુદા જુદા જીલ્લાઓમાં આવેલ જળાશયો (નદી, તળાવ, નહેર, દરીયા) માં નહાવા પડેલ વ્યક્તિઓના ડુબી જવાથી મરણ થવાની ઘટનાઓ ધ્યાને આવેલ છે. આ બાબત અતિ ગંભીર છે. જેમાં છેલ્લા એક માસમાં ઘણા બધા વ્યક્તિઓના મરણ થયેલ છે.

જેથી આણંદ જીલ્લાના જળાશયો ખાતે જયાં જયાં આવી ઘટનાઓ બનવાની શક્યતા હોય તેવા ભયજનક સ્થળોએ કોઈ પણ વ્યક્તિઓ/પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે તે માટે જરૂરી પ્રતિબંધાત્મક હુકમ ઋતુરાજ દેસાઇ (GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, આણંદ એ તેમને મળેલ સત્તાની રૂએ આણંદ જિલ્લાના આવા તમામ સ્થળો ખાતે આવતા તમામ પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોને ન્હાવા/સ્વીમીંગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ જાહેરનામા મુજબ આણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના સામરખા ગામ પાસેથી પસાર થતી નહેર, લાંભવેલ ગામ પાસેથી પસાર થતી નહેર, રાવળાપુરા ગામ પાસેથી પસાર થતી નહેર, વાસદ મહીસાગર નદી(વાસદ મહીસાગર નદી પાસે), મોગર મહી કેનાલ (મોટી નહેર) જેઠાપુરા, વહોરાખાડી મહીસાગર નદી, ખાનપુર મહીસાગર નદી, ઉમરેઠ તાલુકાના થામણા-ખીજલપુર રોડ શેઢી નદી, સુંદલપુરા -લાલપુરા, મહીસાગર નદી, ભાટપુરા મહી કેનાલ, રતનપુરા મહી કેનાલ, બેચરી મહીકનાલ, અહીમા મહીસાગર નદી,

શીલી મહીસાગર નદી સિદ્ધનાથ મહાદેવ મંદિર આગળ,પ્રતાપપુરા તથા ખોરવાડ મહીસાગર નદી, પેટલાદ તાલુકાના ઈસરામાં ગામ ખાતે ઈસરામા તળાવ, દાવલપુરા મલાવ તળાવ, જોગણ નહેર, પેટલાદ, પરમણીયા તળાવ,પેટલાદ લક્કડપુરા જવાના રસ્તા પર ગરનાળા, પેટલાદ કબ્રસ્તાન નજીક આવેલ મલાવ તળાવ માં, પેટલાદ શહેરમાં મલાવ તળાવ, રામનાથ તળાવ પાસે, ધર્મજ સુરજબા પાર્ક વોટરપાર્ક, બોરસદ તાલુકામાં દેદરડા ગામનું તળાવ, નાપા તળપદ ટોલ પાસેનું તળાવ, બોચાસણ ગામનું તળાવ, મહીસાગર નદીનો કાંઠો વિસ્તાર, આંકલાવ તાલુકામાં મહીસાગર નદી નો કાંઠો, ઉમેટા મહીસાગર નદી પર બાંધેલ આડ બંધ (ઓવારો), ઉમેટા બ્રિજ નીચે મહીસાગર નદી નો કાંઠો, બોરસદ તાલુકાના અમીયાદ તળાવ, જંત્રાલ તળાવ, કાળુ તળાવ, કણભા તળાવ,ભચુડીયા તલાવડી, કંકાપુરા, કાંધરોટી સ્મશાન ગૃહ પાસે આવેલ આણંદ મોગરી કાસમાં, વિરસદ તળાવ,અંબેરાવપુરા તળાવ, રાસ તળાવ,ખાજપુર તળાવ, બદલપુર તળાવ, સોજીત્રા તાલુકાના દેવાવાટા ગામ ખાતે, દેવાવાટા સીમ લીમ્બાસી શાખા નહેર, ડભોઉ ઝીરો ચોકી નજીક કેનાલ, લીબાસી બ્રાન્ચ દેવા ગામની સીમ ત્રેવીસ હજારના નાળા રેલ્વે ફાટક પાસે કેનાલ, સોજીત્રા ગામ સીમ ના પંચૌતેર હજારના બચ્ચો ઘર નજીક આવેલ ગરનાળા નજીક, કેનાલ, મલાતજ ગામની સીમ અડવા વિસ્તાર એકાવન સોગેટ નજીક કેનાલ, મહીયારી વી શાખા નહેર ડાલી સીમ જેઠી તલાવડી, ખંભાત તાલુકાના કાણીસા કામનાથ મહાવેદ મંદિર કુંડ, ખડોધી તળાવ, ધુવારણ દરીયો ડોસલી માતાના મંદિરે, તડા તલાવ વડગામ ખંભાત ખાતે ખંભાત દરિયાઈ ડંકો નારેશ્વર તળાવ કંસારી તલાવડી આંબાખાળ તલાવડી અને માદળા તળાવ ખાતે આવતા તમામ પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોને નાહવા, સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ જાહેરનામું તા. ૩૧/૦૭/૨૦૨૪ સુધી અમલમાં રહેશે.

27/06/2024

પીએસવી બદલપુર માધ્યમિક શાળામાં ધો.૯ માં પ્રવેશ ઉત્સવ સાથે વાલી મિટિંગ યોજાઈ

********

કાર્યક્રમની શરૂઆત કેળવણી મંડળના પ્રમુખ,મંત્રી,સભ્યો, સરપંચ અને શાળાના આચાર્ય દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યુ ત્યાર બાદ શાળાની દીકરીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી.
શાળાના આચાર્ય આર.પી.પંડ્યા એ સરકારની વિવિધ યોજનાઓમાં વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિની સમજ વાલીઓ અને વિદ્યાર્થીઓને આપવામાં આવી તથા વર્ષ :-૨૦૨૩/૨૪ નાં ધોરણ:-૧૦ અને ૧૨ નું પરિણામ તથા પહેલા/બીજા/ત્રીજા નંબરે આવેલા વિદ્યાર્થીઓને ભેટ આપી મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું.
કેળવણી મંડળના પ્રમુખ તથા મંત્રી/સરપંચ દ્વારા શિક્ષણ બાબતે વક્તવ્ય આપવામાં આવ્યું અને કહ્યુ કે શિક્ષણ પ્રણાલી ત્રણ બાબતો સાથે સંકળાયેલી છે. ૧.વાલી ૨. વિદ્યાર્થી ૩. શિક્ષક. આ ત્રણેય શિક્ષણના આધારો છે. બાળકનો સર્વાંગી વિકાસ તેના ઘરના વાતાવરણમાંથી મળે છે પણ બાળકને જ્ઞાન અને જરૂરી માર્ગદર્શન શાળામાંથી જ મળે છે. સમય બદલાયો વ્યવસ્થા બદલાઈ અને લોકોની આર્થિક સામાજિક વિચારસરણીમાં પરિવર્તન આવ્યું તેની સાથે શિક્ષણ જગતમાં પણ ઘણા ફેરફારો સ્વીકૃતિ બનવા લાગ્યા.
જે બંને વચ્ચે પરસ્પર સહકાર અને વિશ્વાસનો પાયો નાખે છે. આ માટે ફોન કે ચિઠ્ઠીના સંવાદ કરતા પણ પ્રત્યક્ષ મુલાકાત સૌથી મહત્વની ગણાય છે. વાલીના પક્ષે શાળા કે શિક્ષકો સાથેની મુલાકાતનો મુખ્ય હેતુ પોતાનું સંતાન સારું શિક્ષણ મેળવે તેજ હોવી જોઈએ. અભ્યાસને લગતા પ્રશ્નોના સમાધાન માટે શિક્ષકો સાથે સંવાદ કરવાથી બાળકોના અભ્યાસમાં સુધારો લાવી શકાય છે.
વાલી મંડળની રચના કરી ત્યાર બાદ વાલી મંડળના પ્રમુખ દ્વારા શ્રમકાર્ડ ધરાવતા વાલીઓ અને એ કાર્ડ દ્વારા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળતા લાભ ની ચર્ચા કરવામાં આવીતથા વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યો હતું. કાર્યક્રમના અંતે આભાર વિધિ કરી કાર્યક્ર્મ સમાપન કરવામાં આવ્યો.

27/06/2024
27/06/2024
24/06/2024

અમુલ ઓર્ગેનીક ફટીલાઈઝર આણંદ અને શ્રી કિસાન એગ્રો સેન્ટર કંકાપુરા દ્વારા ખેડૂત મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું

********

તા.૨૨/૦૬/૨૪ નાં રોજ ડો.કે.એસ.જાદવ (નિવૃત પ્રધ્યાપક અને વડા એગ્રી ઇકોનોમિક આણંદ, એગ્રીકલ્ચર યુનિવર્સિટી) તથા વિક્રમસિંહ ગરાસીયા (પ્રમુખશ્રી આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ) અને હાર્દિકભાઈ પટેલ (સેલ્સ એજ્યુકેટીવ ઓફિસર અમુલ) મહેશભાઈ પરમાર (એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ) પધારેલ અને ઓર્ગેનિક ફાર્મિંગ વિશે ખેડૂતોને માહિતગાર કર્યા અને વિશિષ્ટ લાક્ષણિકતા સાથેની સમજ પણ આપવામાં આવેલ હતી. હાર્દિકભાઈ પટેલ અને સુરેશભાઈ પરમાર દ્વારા અમૂલ થકી ખેડૂતોના હિતમાં બનાવેલ નવી પ્રોડક્ટો જેવી કે અમૂલ પાવર (ઓર્ગેનિક ડીએપી),અમુલ ગોલ્ડ ખાતરની વિસ્તૃત જાણકારી આપવામાં આવી. આશરે ચારસો ની ઉપર મોટી સંખ્યામાં ખેડૂતો એ ભાગ લીધો હતો

24/06/2024

CNG પંપ પર ગેસ રિફીલિંગ દરમ્યાન કારમાં અચાનક આગ.. સાંઠ ચોકડી.. આણંદ

21/06/2024

PSV- બદલપુર માધ્યમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

*********

બદલપુરની શ્રી પ્રમુખ સ્વામિ સર્વોદય વિદ્યાલય શાળામાં આજે 21 જૂનના દિવસ એટલે કે આજરોજ શાળાના આચાર્ય આર.પી.પંડ્યા અને શાળા સ્ટાફ, વિદ્યાર્થીઓ સાથે દસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રય ગાન ' વંદે માતરમ્ ' ગાઈને પ્રાથના કરી યોગની શરૂઆત કરવામાં આવી.
આ ઉજવણીમાં શાળાના વિધાર્થીઓ અને સ્ટાફ ગણ સાથે શાળાના આચાર્ય જોડાયા હતાં.શાળાના આચાર્ય એ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું અને નિયમિત યોગ કરવાથી થનાર ફાયદા વિષે વિદ્યાર્થીઓને રસપ્રદ રીતે અવગત કર્યા હતા. કાર્યક્રમના અંતે શપથ લેવડાવી હતી.

18/06/2024

કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શ્રી શક્તિસિંહ ગોહિલે લોકશાહી વ્યવસ્થામાં માંગણી રેલી કાઢવી અને શાંતિ પૂર્ણ આંદોલન કરવાનોએ બધાનો અધિકાર છે.
તાત્કાલિક ભરતી કાયમી કરે સરકાર એવો અનુરોધ કરતા શકિતસિંહ ગોહિલ

18/06/2024

કાયમી શિક્ષકોની ભરતી કરવાની માગ સાથે આંદોલન
ટેટ -ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગરમા પોતાની રજુઆત કરવા પહોચ્યા,પોલીસે ઉમેદવારોની અટકાયત કરી
ગોકળ ગાયની ગતિએ ચાલતી કાયમી ભરતી આગળ નથી વધતી જેને લઇ પાટનગરમાં વિરોધ પ્રદર્શન

14/06/2024

ગાંધીનગર....કલોલ નજીક છત્રાલ ટોલ ટેક્સના કર્મચારી સાથે મારામારીનો વીડિયો ..બીજેપીના દિગ્ગજ નેતા ગોવિંદ પટેલ સાથેની મારામારીનો વીડિયો થયો વાયરલ

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, આણંદ દ્વારા જાહેર જનતા માટે સંપર્ક નંબરો પ્રસિદ્ધ કરાયા*વીજ ઓફિસમાં ૨૪×૭ કર્મચારીઓ ઉપલબ્ધ...
11/06/2024

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, આણંદ દ્વારા જાહેર જનતા માટે સંપર્ક નંબરો પ્રસિદ્ધ કરાયા

*

વીજ ઓફિસમાં ૨૪×૭ કર્મચારીઓ ઉપલબ્ધ રહેશે

*

વીજ વિક્ષેપને લગતી કોઈપણ ફરિયાદ નોંધાવવા માટે સંપર્ક કરો- અધિક્ષક ઇજનેર

*

ટોલ ફ્રી નંબર ૧૯૧૨૪, ૧૮૦૦ ૨૩૩ ૨૬૭૦ અને કોર્પોરેટ ઓફિસ નંબર ૯૯૨૫૨ ૧૮૦૦૨ ઉપર સંપર્ક કરવા અનુરોધ

**

આણંદ, મંગળવાર - આણંદ કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા આણંદ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન વીજ પુરવઠો ખોરવાઈ જવાની ફરિયાદો ઉઠવા પામે છે, તેને અનુલક્ષીને મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, આણંદ દ્વારા જાહેર જનતા સંપર્ક કરી શકે અને વીજ પુરવઠો ખોરવાઈ ગયો હોય તો પોતાની ફરિયાદ નોંધાવી શકે તે માટે સંપર્ક નંબરો જાહેર કરવા સૂચના આપવામાં આવી હતી.
જે અન્વયે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી, આણંદના અધિક્ષક ઇજનેર દ્વારા વીજ પુરવઠાને લગતી ફરિયાદ માટેના એમજીવીસીએલ ના ટોલ ફ્રી નંબર તથા કોર્પોરેટ ઓફિસ નો નંબર, જે તે કચેરી ના લેન્ડલાઈન નંબર અને મોબાઈલ નંબર પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ નંબરો ઉપર મધ્ય ગુજરાત વીજ કંપનીના માનવંતા ગ્રાહકો પોતાના વિસ્તારમાં આવતી સ્થાનિક વીજ ઓફિસમાં ૨૪ કલાક વીજ કર્મચારીઓ ઉપલબ્ધ રહેનાર છે, જેથી વીજ વિક્ષેપ ને લગતી કોઈપણ ફરિયાદ નોંધાવી શકશે તેમ જણાવ્યું છે.

આ ફરિયાદોનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવામાં આવશે તેમ વધુમાં જણાવ્યું છે.

એમજીવીસીએલ ટોલ ફ્રી નંબર ૧૯૧૨૪/૧૮૦૦ ૨૩૩ ૨૬૭૦ તથા કોર્પોરેટ ઓફિસ નંબર ૯૯૨૫૨ ૧૮૦૦૨, આણંદ વર્તુળ કચેરી નંબર- ૯૬૮૭૬ ૬૩૯૪૨, આણંદ ગ્રામ્ય વિભાગીય કચેરી નંબર ૬૩૫૯૭ ૭૯૧૬, આણંદ ઉત્તર પેટા વિભાગીય કચેરી નં. ૦૨૬૯૨-૨૪૭૮૦૩, મો. ૬૩૫૯૭૭૯૧૬૭, આણંદ દક્ષિણ પેટા વિભાગીય કચેરી નં. ૦૨૬૯૨- ૨૪૭૨૦૩, મો.નં. ૬૩૫૯૭૭૯૧૬૬, ઉમરેઠ (ગ્રામ્ય) પેટા વિભાગીય કચેરી ૦૨૬૯૨-૨૭૬૨૯૧, ૬૩૫૯૭ ૭૯૧૭૦, ઉમરેઠ (ટાઉન) સેકશન ઓફીસ- ૦૨૬૯૨-૨૭૬૦૧૫, ૬૩૫૯૭૭૯૧૬૯, ભાલેજ પેટા વિભાગીય કચેરી ૦૨૬૯૨-૨૮૬૧૫૧, ૬૩૫૯૭૭૯૧૭૧, મોગરી પેટા વિભાગીય કચેરી-૦૨૬૯૨-૨૩૨૦૦૩,૬૩૫૯૭૭૯૧૬૮, બોરસદ વિભાગીય કચેરી- ૦૨૬૯૬-૨૨૫૦૫૫૯૯૨૫૨૧૭૭૨૪, આંકલાવ પેટા વિભાગીય કચેરી૦૨૬૯૬-૨૮૨૬૦૭, ૬૩૫૯૭૭૯૧૮૦, વાસદ પેટા વિભાગીય કચેરી- ૦૨૬૯૨-૨૭૪૯૦૦, ૬૩૫૯૭ ૭૯૧૭૮, બોરસદ (ગ્રામ્ય) પેટા વિભાગીય કચેરી૦૨૬૯૬-૨૨૦૧૧૧, ૬૩૫૯૭૭૯૧૭૭-બોરસદ (શહેર) પેટા વિભાગીય કચેરી- ૦૨૬૯૬-૨૨૦૦૨૧, ૬૩૫૯૭ ૭૯૧૭૬, આસોદર પેટા વિભાગીય કચેરી- ૬૩૫૯૭ ૭૯૧૮૧, રાસ પેટા વિભાગીય કચેરી, ૦૨૬૯૬ -૨૮૫૦૨૦, ૬૩૫૯૭૭૯૧૭૯, આણંદ શહેર વિભાગીય કચેરી, મો. ૬૩૫૯૭૭૯૧૭૨, સરદાર પેટા વિભાગીય કચેરી- ૦૨૬૯૨-૨૪૮૨૬૭, ૬૩૫૯૭ ૭૯૧૭૩, શાસ્ત્રી પેટા વિભાગીય કચેરી, ૦૨૬૯૨ -૨૪૯૫૮૪, મો.૬૩૫૯૭૭૯૧૭૪, વિ.વિ.નગર પેટા વિભાગીય કચેરી, ૦૨૬૯૨-૨૩૧૩૩૩, મો. ૬૩૫૯૭ ૭૯૧૭૫, પેટલાદ વિભાગીય કચેરી- ૯૯૨૫૨૧૭૮૬૩,

પેટલાદ (ગ્રામ્ય) પેટા વિભાગીય કચેરી, ૦૨૬૯૭-૨૨૪૯૩૮, મો. ૬૩૫૯૭૭૯૧૮૨, સોજીત્રા પેટા વિભાગીય કચેરી,૦૨૬૯૭-૨૩૩૩૮૦, ૬૩૫૯૭ ૭૯૧૮૪, પેટલાદ (શહેર) પેટા વિભાગીય કચેરી, ૦૨૬૯૭-૨૨૪૯૩૯, મો. ૬૩૫૯૭ ૭૯૧૮૩, તારાપુર પેટા વિભાગીય કચેરી, ૦૨૬૯૮-૨૫૫૬૨૩, ૮૧૪૧૪ ૩૧૭૮૯, ખંભાત (ગ્રામ્ય) પેટા વિભાગીય કચેરી, ૦૨૬૯૮-૨૨૧૩૯૩, મો. ૬૩૫૯૭૭૯૧૮૭, ખંભાત (શહેર) પેટા વિભાગીય કચેરી, ૦૨૬૯૮-૨૨૧૩૫૪૬૩૫૯૭ ૭૯૧૮૮, ઉંદેલ પેટા વિભાગીય કચેરી, ૦૨૬૯૮-૨૮૫૧૧૬,મો. ૬૩૫૯૭ ૭૯૧૮૬

ઉપરોક્ત નંબર ઉપર વિજ વિક્ષેપ અંગેની ફરિયાદ નોંધાવવા અધિક્ષક ઇજનેર, મધ્ય ગુજરાત વીજ કંપની લીમીટેડ, વર્તુળકચેરી, આણંદની યાદીમાં જણાવ્યું છે.

 #એસટીડેપોભાવનગર #એસટીડેપોખંભાત  ભાવનગર ડેપોની ભાવનગર થી ધુવારણ બસની ફાળવણી: ગ્રામજનોમાં આનંદની લાગણી*********ભાવનગર એસટ...
07/06/2024

#એસટીડેપોભાવનગર
#એસટીડેપોખંભાત

ભાવનગર ડેપોની ભાવનગર થી ધુવારણ બસની ફાળવણી: ગ્રામજનોમાં આનંદની લાગણી

*********

ભાવનગર એસટી વિભાગીય નિયામક ભાવનગર અને ડેપો મેનેજર ભાવનગર,તેમજ યુનિયન ના આગેવાનો દ્વારા પ્રાયોગિક ધોરણે ભાવનગર થી ધુવારણ બસની ફાળવણી કરાઈ છે.ભાવનગર ડેપોમાંથી આ બસ સવારે ૭.૩૦ કલાકે ઉપડી અને ધુવારણ આવશે. અને બપોર ૧.૦૦ કલાકે ધુવારણ થી ભાવનગર જવા માટે ઉપડશે.
ધુવારણ નાં આગેવાનો દ્વારા આવેલ એસ ટી બસ સુવિધા ને આવકારવામાં આવી હતી.ગ્રામજનો પણ બસ ચાલુ થવાથી આનન્દ અનુભવે છે..
જો કે વર્ષોથી ખંભાત ડેપોની ધુવારણ થી ભાવનગર અને ભાવનગર ભાવનગર થી ધુવારણ એક સવારે ૭.૧૫ અને બપોર ૨.૧૫ કલાકે એસટી બસ રેગ્યુલર ચાલુ જ છે અને એસટી આવક પણ સારી કરે છે.જો કે ગ્રામજનોની માંગણી છે કે ભાવનગર ડેપો અથવા ખંભાત ડેપો ની બસ તળાજા અથવા મહુવા સુઘી લંબાવવામાં આવે ,આ બસ ખંભાત, તારાપુર, ધોલેરા, ભાવનગર, તળાજા,મહુવા વાયા બગદાણા કરવામાં આવે તો પણ ધુવારણ, કલમસર , જલુંધ તથા બીજા ઘણા ગામોનાં સામાજિક વ્યવહારો અને ધાર્મિક સ્થળો હોવાથી ભાવનગર, તળાજા, મહુવા, વલભીપુર નાં ગામોમાં હોવાથી આવી બસો ની સુવિધા સરળ રહે છે, તેથી લંબાવવામાં આવે એવી લાગણી સાથે માંગણી છે.

06/06/2024

વાયરલ વીડિયો:-
કંગનાને થપ્પડ મારનાર CISF સુરક્ષાકર્મી એ કહ્યું કે કંગના રનોત કિસાન આંદોલન વિશે એમ બોલી કે..
100 રૂપિયામાં કિસાન આંદોલનમાં મહિલાઓ બેસે છે,
CISF જવાનનો કહ્યુ ત્યાં મારી માં પણ બેઠી હતી'

05/06/2024

સીસીટીવી માં અક્સ્માત કેદ..
કપચી ભરેલ ડંફર જતુ હતું રોડની સાઇડમાં અચાનક ભૂવો પડતા (ખાડો), ખાડામાં વીલ જતા ડંફર પલટી મારે છે એજ સમયે બે યુવતીઓ સકુટી સાથે કપચીમાં દબાઈ જાય છે..

લોકસભા:-૨૦૨૪
04/06/2024

લોકસભા:-૨૦૨૪

17 મો લાસ્ટ રાઉન્ડ..
04/06/2024

17 મો લાસ્ટ રાઉન્ડ..

૭મો રાઉન્ડ.. ૧૦૮:- ખંભાત વિધાનસભા
04/06/2024

૭મો રાઉન્ડ.. ૧૦૮:- ખંભાત વિધાનસભા

ચોથો રાઉન્ડ
04/06/2024

ચોથો રાઉન્ડ

Address


Alerts

Be the first to know and let us send you an email when Janlok Satya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Janlok Satya:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share