RAA Positive Media Pvt Ltd

  • Home
  • RAA Positive Media Pvt Ltd

RAA Positive Media Pvt Ltd We are company working in the field of News Media... Media is one of the most profound sectors these days that reflects our society.

It is a catalyst to bring about significant changes in the society and RAA Positive Media aims towards this positivity. The main goal of RAA Positive Media is to accomplish a proactive society. RAA Positive Media wishes to spread light across the society using Web, Electronic and Print Media. RAA Positive Media focuses on the positive realms of the society and its agenda is to report stories that

inspires positive attitude towards life and society. We will begin with a portal that daily features ten positive stories with a human touch from around the world and foster a motivational approach among the youth. The stories will be provided free to small dailies and district level magazines to promote such journalism. Apart from this we are a publisher of a bi-lingual newspaper “Gujarat Connection”, which is being published from Sydney, Australia. Gujarat Connection is one of the leading Gujarati Publications for non residential Gujaratis in Australia. Circulation of Gujarat Connection in Australia is 10,000 copies with a readership of approx 60,000. And as per our company policy we focus only on positive news and stories. Our other projects include, “Salute India” – A special guide for NRIs.In order to give comprehensive ready recknor to all NRIS when they visit India, we’ve planned a beautiful guide with this website for their reference. Salute India will be fervently published in multicolor hues with 50,000 copies of this guide and will be distributed free of cost to USA, UK, Australia and India as well. it will cater all their needs from boutique to banquette hall, from tourism to medical needs and from Investment to entertainment. Salute India humbly tries to connect such Indians with their native land through special publication “Salute India” NRI guide and a website (www.saluteindia.in). RAA Positive Media wishes to bring different people to strata together in order to develop positivity in media and discuss reader’s and writer’s role in positive media to bring about a revolution of positivity in the society. Our step, Towards an optimistic attitude in life…

નવી સવાર યૂ-ટ્યૂબ ચેનલ પર ઉકેલલક્ષી ચર્ચામાં આવતી કાલે બદલાતી નવરાત્રિ પર ઈતિહાસ વિષયનાં પ્રોફેસર અને જાણીતાં મહિલા-આગેવ...
07/10/2024

નવી સવાર યૂ-ટ્યૂબ ચેનલ પર ઉકેલલક્ષી ચર્ચામાં આવતી કાલે બદલાતી નવરાત્રિ પર ઈતિહાસ વિષયનાં પ્રોફેસર અને જાણીતાં મહિલા-આગેવાન ફાલ્ગુની પુરોહિત સાથે ચર્ચા કરાશે.

આપ આપના તરફથી કોઈ મુદો-બાબત કહેવા માગો તો ચોક્કસ આ પોસ્ટની કૉમેન્ટમાં લખી શકો અથવા તો 9824034475 પર વ્હોટ્સ-એપ કરી શકો.

નવરાત્રિ મૂળે તો આસુરી શક્તિ પર વિજય મેળવવાનું પર્વ છે. સામૂહિક નૃત્ય દ્વારા આદ્યશક્તિની ઉપાસના કરવાનું, અનુષ્ઠાન કરવાનું પર્વ છે. ગુજરાતી અને નવરાત્રિ પર્યાયવાચી છે. ગુજરાતી પ્રજા સદીઓથી નવરાત્રિ ઉજવે છે. ચાચર ચોકમાં ગરબા-રાસ થાય છે. જોકે સમય જતાં તેમાં પરિવર્તન આવતાં ગયાં.

પરિવર્તનો આવે જ. તેનો સ્વીકાર જ હોય. જોકે જ્યારે પર્વનો મૂળ મહિમા ખંડિત થાય ત્યારે દુઃખ થાય.

આજની નવરાત્રિ-ઉજવણીમાં કેટલાંક દૂષણો પ્રવેશ્યાં છે.. જામી ગયાં છે.

જેમ કે..

1. નવરાત્રિનું વેપારીકરણ.

2. નવરાત્રિમાં થતું ધ્વનિપ્રદૂષણ

3. નવરાત્રિમાં થતું દેહ-પ્રદર્શન,, જાણે કે ફેશન શો.

4. નવરાત્રિ ઉપવાસનું પર્વ છે અને હવે ખાણીપીણીનું મહત્ત્વ વધી રહ્યું છે.

5. ગરબે રમતી દીકરીઓ-યુવતીની સલામતીનો ભય.

6. છીછરા મનોરંજન અને વિજાતીય આકર્ષણનું વધતું મહત્ત્વ.

આવી તો ઘણી બાબતો છે.

આપ પણ અહીં આપના વિચારો-મુદા કહી શકો છો.

અમે અમારી ચર્ચામાં તેને સમાવવાનો પ્રયાસ કરીશું.

અમેરિકાના એટલાન્ટા શહેરમાં વસતા તેજસભાઈ પટવા ગૌરવવંતા ગુજરાતી, પરમ શ્રદ્ધેય એવા વૈષ્ણવ અને માનવીય અભિગમ ધરાવતા વિશ્વમાનવ...
04/10/2024

અમેરિકાના એટલાન્ટા શહેરમાં વસતા તેજસભાઈ પટવા ગૌરવવંતા ગુજરાતી, પરમ શ્રદ્ધેય એવા વૈષ્ણવ અને માનવીય અભિગમ ધરાવતા વિશ્વમાનવી (ગ્લૉબલ) પણ છે. મૂળ વડોદરાના. માતાનું નામ મંદાકિનીબહેન અને પિતાનું નામ કિરીટકુમાર. સને 2001માં તેઓ અમેરિકા ગયા હતા. વ્યવસાયની સાથે સાથે તેમણે ધર્મનું કામ પણ કર્યું છે. ધંધામાં સફળ અને જીવનમાં સાર્થક થયા. તેમણે અને તેમની પ્રતિબદ્ધ ટીમે એટલાન્ટામાં ગોકુલધામ હવેલીનું નિર્માણ કર્યું છે. આ તેજસભાઈના જીવનનું મોટું કાર્ય.

12 એકર જમીનમાં સાત એકરમાં હવેલી આવેલી છે. 12000 ચો.ફૂટનું બાંધકામ છે. એટલાન્ટામાં આશરે 25000 ગુજરાતીઓ વસે છે. સાત હજાર પરિવારો આ હવેલી સાથે સંકળાયેલા છે. આ હવેલી અનેકવિધ પ્રવૃતિઓથી ધબકતી રહે છે. અહીં બાળકોને ધર્મ-સંસ્કૃતિનું જ્ઞાન આપવા ઉપરાંત ગુજરાતી ભાષા પણ શીખવવામાં આવે છે. દર રવિવારે વૈષ્ણવોનાં બાળકો આવે છે. તમામ તહેવારો પરંપરાગત રીતે-પ્રીતે ધામધૂમથી ઉજવાય છે. દરરોજ રાજભોગ સમયે અહીં આવતી કોઈ પણ વ્યક્તિને જમાડવામાં આવે છે. દર રવિવારે 500થી વધુ વ્યક્તિ અહીં આવે છે. શનિવારે સાંજે પણ 200-300 ભક્તો આવે અને શ્રીનાથજીના ચરણોમાં શાંતિ પામે. અમેરિકામાં 20-22 હવેલી છે.

પેન્સેવેલિયામાં આવેલી હવેલી વ્રજ સૌથી મોટી છે, કદાચ ગોકુલધામ તેના પછીના બીજા ક્રમે આવે છે. એવી હવેલી કે જે જમીન પર નવેસરથી જ નિર્માણ પામી હોય.

તેજસભાઈ ઉર્જા અને ભક્તિનો સંગમ છે. પારકા પ્રદેશમાં આવી વિશાળ હવેલીનું નિર્માણ કરવાનું સહેજે સહેલું નહોતું, પણ પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજ કહે છે તેમ તેઓ પોતે જ એક સંસ્થા જેવા છે. જે નક્કી કરે તે કરીને જ રહે છે. તેમનાં જીવસંગિની અમીબહેનનો તેમને પૂરો સાથ છે. અમીબહેન ખડે પગે અને ભરેલા હૃદયે સતત તેમની સાથે ઊભાં રહે છે. તેમના બે દીકરાઓ હરિત અને વ્રજ પણ સંસ્કારી છે.

તેજસભાઈ થાકતા નથી. વિઝનરી છે. રોજ નવાં નવાં સપનાં જુએ છે. એટલાન્ટામાં વસતા વરિષ્ઠ વડીલો (Senior Citizen) માટે તેઓ ખાસ યોજના વિચારી રહ્યા છે. રોજરોજ હવેલીમાંથી વાહન વડીલોને લેવા જશે અને સાંજે મૂકવા જશે. આવી તો ઘણી યોજનાઓ તેઓ વિચારી રહ્યા છે. ત
તેજસભાઈ કહે છે કે ધર્મ એટલે સંસ્કાર. તેઓ માને છે કે બીજાને સહયોગ કરવો એ જ સાચું જીવન કહેવાય.

તેઓ માદરે વતન માટે ઘણું કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ કરવાના છે.
આ સુંદર અને અર્થપૂર્ણ મુલાકાત કોઈને કદાચ લાંબી લાગે પણ જેમ જીવનમાં ટૂંકાનું-લાઘવનું-સંક્ષિપ્તનું મહત્ત્વ હોય છે એ જ રીતે દીર્ઘતાનું, લંબાઈનું પણ મહત્ત્વ હોય છે. માટે સમય કાઢીને આ આખો સંવાદ જોવા-સાંભળવા અને માણવા વિનંતી છે.

અમેરિકાના એટલાન્ટા શહેરમાં વસતા તેજસભાઈ પટવા ગૌરવવંતા ગુજરાતી, પરમ શ્રદ્ધેય એવા વૈષ્ણવ અને માનવીય અભિગમ ધરાવતા ....

અમદાવાદમાં ધર્મ જાગૃતિ કેન્દ્ર તરફથી છેલ્લાં 96 વર્ષથી એકધારી પર્યુષણ વ્યાખ્યાનમાળા ચાલે છે. પંડિત સુખલાલજીએ શરૂ કરેલી.સ...
13/08/2024

અમદાવાદમાં ધર્મ જાગૃતિ કેન્દ્ર તરફથી છેલ્લાં 96 વર્ષથી એકધારી પર્યુષણ વ્યાખ્યાનમાળા ચાલે છે. પંડિત સુખલાલજીએ શરૂ કરેલી.

સંસ્થાએ વક્તાઓ અને દાતાઓનું બહુમાન કર્યું તેમાં મારો પણ સમાવેશ કર્યો હતો. જૈન ધર્મ મને ખૂબ ગમે છે.

મેં પ્રતિસાદ પણ આપ્યો હતો.

માત્ર દોઢ મિનિટનો આ વીડિયો આજે સવારે શૂટ કરીને તૈયાર કર્યો છે.અમદાવાદના જાહેર રસ્તા પર એ રીતે કામ થઈ રહ્યું છે જેમાં એકા...
26/07/2024

માત્ર દોઢ મિનિટનો આ વીડિયો આજે સવારે શૂટ કરીને તૈયાર કર્યો છે.

અમદાવાદના જાહેર રસ્તા પર એ રીતે કામ થઈ રહ્યું છે જેમાં એકાદ ડઝન શ્રમિકો પર જાનનું જોખમ છે.

આવાં દૃશ્યો અનેક વખત જોવા મળે છે.

નિર્માણાધીન મોટી મોટી બિલ્ડિંગોમાં કામ કરતા મજૂરોને પણ પૂરતી સલામતી નથી અપાતી હોતી.

સલામતીનાં ચોક્કસ નિયત સ્ટાર્ન્ડડ્સ હશે જ.. હા, તેનું પાલન નહીં થતું હોય..

આ વીડિયો અમે એટલા માટે બનાવ્યો છે કે કોઈનાં મૃત્યુ થાય એ પછી આપણે જાગીએ તેના કરતાં પહેલાં જ જાગી જઈએ.

આમાં જે વિશાળ બેનર લગાવાયું છે એ કોઈ એડ એજન્સીનું જ છે.

એ એજન્સી અને તમામ સંબંધિત એજન્સીઓને વિનંતી કે આ રીતે જાનના જોખમે કામ ના જ કરાવવું જોઈએ.

એક-એક માણસની કીંમત હોવી જ જોઈએ.. એ શ્રમિક હોય એટલે શું થયું વળી...

Video shot and edited by Tushar Leuva © All rights reserved with RAA Positive Media Private Limited ...

શ્રેયાર્થ યુનિવર્સિટીના નવા આગંતુક વિદ્યાર્થીઓના સ્વાગત-સમારંભમાં  અમદાવાદના ટાગોર હૉલમાં 25મી જુલાઈ 2024ના રોજ થોડી વાત...
26/07/2024

શ્રેયાર્થ યુનિવર્સિટીના નવા આગંતુક વિદ્યાર્થીઓના સ્વાગત-સમારંભમાં અમદાવાદના ટાગોર હૉલમાં 25મી જુલાઈ 2024ના રોજ થોડી વાતો યુવાનો સાથે કરી.

પ્રસંગ ટાગોર હૉલમાં હતો તેથી રવીન્દ્રનાથ ટાગોરને યાદ કર્યાઃ

ભગવાને આપણે અવાજ આપપ્યો છે.. પરોટીને-તાલીમ લઈને તેમાંથી સુંદર સ્વરનું નિર્માણ કરી શકાય તો એ જ અવાજથી ઘાંટો પણ પાડી શકાય..

નક્કી આપણે કરવાનું છે કે શું કરવું.

તેમણે જ આપણને કહ્યું હતું કે પ્રકૃતિ સૌથી મોટો શિક્ષક છે. જીવન એવું જીવીએ કે સતત પ્રકૃતિની સાથે રહેવાય.

શેખાદમ આબુવાલાને યાદ કરીને યુવાનો કોને કહેવાય તેનું સરનામું આપ્યુંઃ

નાખો અમને જિંદગીની આગમાં,
આગને પણ ફેરવીશું બાગમાં,
સર કરીશું આખરે સૌ મોરચા,
મોતને પણ આવવા દો લાગમાં..

અને બીજું સરનામું

મરીશું તો ખુદ મોત માટે જાન થઈ જાશું,
રહીશું બાગમાં તો આગનો સામાન થઈ જાશું,
ઉછાળા મારીને અમને પાછા ના વાળ ઓ સાગર,
કિનારો જો આવશે તો અમે ખુદ તોફાન થઈ જાશું..

મેં યુવાનોને કહ્યું કે આપણા મનની ખરેખર કેટલી જબરજસ્ત શક્તિ હોય છે અને તેને કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય.

જે સપનાં નથી જોતો તે યુવાન નથી.

અને એપીજે અબ્દુલ કલામે કહ્યું હતું કે નાનાં સપનાં જોવાં એ તો ગુન્હો છે.

જે જે નક્કી કરીએ તે થાય જ.

મેં યુવાનોને એમ પણ કહ્યું કે આપણી જિંદગીનો સમય આપણો પોતાનો નથી. એ બધાનો છે. એ પ્રભુની પ્રસાદીરૂપે આપણને મળેલો છે.

આપણે એક પણ ક્ષણ ક્યારેય વેડફવી ના જોઈએ.

આપણે આયોજન કરીને સમજણ સાથે જીવવું જોઈએ.

પડકારો આવે તો રાજી થવું જોઈએ કારણ કે એનાથી જ આપણે વધુ મજબૂત થઈએ છીએ.

કોઈ પણ સ્થિતિમાં આનંદમાં જ રહેવું જોઈએ. નિરાશા-હતાશા-ચિંતા એ આપણી ડિક્ષનેરીમાં હોવાં જ ના જોઈએ.

આપણા દેશમાં હજી પણ કરોડો લોકોને ખાવાનું મળતું નથી.. કરોડો લોકો છાપરા વિનાનાં છે.. અનેક પ્રકારની સમસ્યા આપણા દેશમાં છે એને ઉકેલવાની જવાબદારી આપણી સામૂહિક છે.

ભારતમાં 140 કરોડમાંથી 60 કરોડ યુવાનો છે.

આટલા યુવાનોની હાજરીમાં આટલી બધી સમસ્યા હોવી જ ના જોઈએ.

આવી અને બીજી કેટલીક વાતો મેં કરી.

મારા ગુરુજન ધીરેન અવાશિયા ખૂબ સરસ બોલ્યા. તેમણે ટૂંકમાં સરસ આશીર્વાદ આપ્યા.

સુરેશભાઈ સાગઠિયા શ્રેયાર્થ યુનિવર્સિટી મહામાત્ર-રજિસ્ટાર છે. તેમની ટીમે સુંદર આયોજન કર્યું હતું.

યુવાનો પાસે જઈએ એટલે ચાર્જ થઈ જ જવાય.

હું થઈ ગયો.

આ સુંદર તસવીરો માટે શ્રેયાર્થ યુનિવર્સિટી અને સુરેશભાઈ મિસ્ત્રીનો આભારી છું.

વિશેષ તો ધીરેનભાઈનો કે તેમના પ્રેમથી દોરવાયો હું ગયો અને મારા વિચારો રજૂ કરી શક્યો.

આજની પૉઝિટિવ સ્ટોરીકોઈ ચોર ચોરી કરેલું ટીવી કવિના ઘરે પાછું મૂકી જાય ખરો ?કોઈ કવિની કવિતા રેશનકાર્ડમાં છપાય એવું બને ? મ...
20/07/2024

આજની પૉઝિટિવ સ્ટોરી

કોઈ ચોર ચોરી કરેલું ટીવી કવિના ઘરે પાછું મૂકી જાય ખરો ?

કોઈ કવિની કવિતા રેશનકાર્ડમાં છપાય એવું બને ?

મહારાષ્ટ્રમાં આવું બને..

આલેખનઃ રમેશ તન્ના

નવી મુંબઈમાં હમણાં એક એવી ઘટના બની છે નવાઈ પમાડે તેવી છે. નારાયણ સુર્વે નામના મરાઠી કવિ અને લેખકનું તો સને 2010 માં અવસાન થયેલું, પણ તેમનાં દીકરીના ઘરે એક ચોર ચોરી કરી ગયો. એ પછી ચોરને ખબર પડી કે આ તો કવિનું ઘર છે એટલે બીજા દિવસે કોઈને ખબર ન પડે એ રીતે એલઇડી ટીવી પાછું મૂકી ગયો. જોડે એક ચિઠ્ઠી પણ લખી. જેમાં તેણે માફી માગી. કહ્યું કે જો મને ખબર હોત કે આ કોઈ કવિનું ઘર છે તો મેં ચોરી જ ના કરી હોત.
આવું કદાચ બીજે ક્યાંય ન બને. જે પ્રજાના ચોર-બિરાદરોમાં- ગુનેગારોમાં પણ સર્જકો માટે આટલો બધો આદર હોય તે કેટલી મોટી વાત કહેવાય ?

અને બીજી વાત..
કોઈ કવિની કવિતા રેશનકાર્ડમાં છપાય એવું બને ?

મહારાષ્ટ્રમાં આવું બનેલું છે.

કુસુમાગ્રજ કે જેઓ મરાઠી ભાષાના વિખ્યાત કવિ છે તેમની કવિતા એક વખત રેશનકાર્ડમાં પ્રકાશિત થઈ હતી. મરાઠી પ્રજાનો પોતાના સર્જકો માટેનો પ્રેમ ખરેખર ઉચ્ચ કોટિનો છે. સર્જકો તેમના માટે ભગવાન છે.

પુ.લ.દેશપાંડેના જન્મદિવસે એક પ્લમ્બર નિયમિત રક્તદાન કરતો હતો.

નાસિકમાં ઑટો રિક્ષાવાળા સવાર-સાંજ કુસુમાગ્રજને મળવા-વંદન કરવા જાય.
એક યુવકે લગ્ન માટે કન્યાની પાત્રતાના એવા માપદંડ રાખ્યા હતા કે જે યુવતિ પુ.લ.દેશપાંડેને વાંચતી હોય તેને પસંદ કરવી.

આવી તો ઘણી રસપ્રદ વાતો છે.

અમે આ વીડિયોમાં મહારાષ્ટ્રીયન પ્રજાનો તેમના સર્જકો માટેનો ઉચ્ચકોટિનો જે પ્રેમ છે તેની ઉદાહરણો આપીને વાત કરી છે. અમને આ વિડીયો બનાવવામાં માહિતી આપવામાં સર્જક-અનુવાદિકા અરુણાબહેન જાડેજા, લેખક પ્રો. સંજયભાઈ ભાવે, કવિશ્રીઓ અંકિત ત્રિવેદી, મુકેશ જોશી, હરદ્વાર ગૌસ્વામી તથા પત્રકાર અજીત પોપટે સહયોગ કર્યો છે તે માટે તેમનો આભાર માનીએ છીએ.

(પૉઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના 9824034475)

મહારાષ્ટ્રમાં એવું બનેલું છે જે મરાઠી ભાષાના વિખ્યાત કવિ છે તેમની કવિતા એક વખત રેશનકાર્ડમાં પ્રકાશિત થઈ હતી. મરા.....

પૉઝિટિવ સ્ટોરીના એક વીડિયોની રાતોરાત પડેલી અસરની વાત આપની સાથે વહેંચું.નવી સવાર યૂટ્યૂબ ચેનલમાં અમે મોટાભાગે પૉઝિટિવ સ્ટ...
05/07/2024

પૉઝિટિવ સ્ટોરીના એક વીડિયોની રાતોરાત પડેલી અસરની વાત આપની સાથે વહેંચું.

નવી સવાર યૂટ્યૂબ ચેનલમાં અમે મોટાભાગે પૉઝિટિવ સ્ટોરીના વીડિયો પજૂ કરીએ છીએ.

સેંકડો લોકોને નિસ્વાર્થે ભાવે મદદ કરીને વહીવટી તંત્ર સાથે સંકલન કરીને મદદ કરનારા અનોખા સમાજસેવક, વઢવાણના શ્રી વનરાજસિંહ રાણાનો વીડિયો અમે ચોથી જૂન, 2024, ગુરુવારે રાત્રે રજૂ કર્યો હતો.

એ જ રાત્રે અગિયાર વાગ્યે વઢવાણના કેટલાક મિત્રો, કે જેઓ તેમના વિસ્તારમાં રોડ માટે સતત મથતા હતા તેમણે આ વીડિયો જોયો.

તેમને લાગ્યું કે આપણે આ કામ માટે બાપુ એટલે કે વનરાજસિંહ રાણાની મદદ લેવી જોઈએ.

તેમણે રાત્રે જ બાપુનો સંપર્ક કર્યો અને આજે એટલે પાંચમી જુલાઈ, 2024, શુક્રવારે સવારે એ અંગે મિટિંગ થઈ અને કાર્યવાહી આગળ ચાલી.

આજે સવારે વનરાજસિંહ રાણાએ મને બે વ્યક્તિ સાથે ફોન પર વાત પણ કરાવી.

મેં તેમને સફળતા માટે શુભકામનાઓ પણ આપી.

મારા સુધી આ પૉઝિટિવ સ્ટોરી જાણીતા લેખક અને પત્રકાર ભવેન કચ્છીને કારણે પહોંચી.

વનરાજસિંહજીએ તેમનો સંપર્ક કર્યો હતો તો ભવેનભાઈએ મારું નામ આપ્યું અને અમે વારંવાર વાતો કરી અને છેવટે તેમનો નવી સવારમાં વીડિયો બન્યો.

આ તબક્કે હું ભવેનભાઈ કચ્છીનો પણ આભાર માનું છું.

મેં 2013થી 2024 દરમિયાન 600થી વધુ પૉઝિટિવ સ્ટોરી લખી અને તેનાં દસ પુસ્તકો થયાં. મેં જેમના વિશે લખ્યું હોય તેમને વિવિધ રીતે તન-મન અને ધનના હૂંફાળા સહયોગ મળ્યા હોય તેવું તો ખૂબ જ બન્યું છે પણ હવે આ રીતે વીડિયોનો પણ પ્રતિસાદ મળી રહ્યો છે તેથી હું રાજી થયો છું.

તમામ પૉઝિટિવ સ્ટોરીના વીડિયો ઝડપથી બનાવીને સમાજને ચરણે ધરવા તેવું હવે આયોજન કરી રહ્યો છું.

આપના આશીર્વાદ, શુભકામનાઓ અને સહયોગ આપજો મને.

વંદન આપને.

વઢવાણસ્થિત વનરાજસિંહ રાણાનો સંપર્ક નંબર 97243 20108 છે.

(પહેલી કોમેન્ટમાં તેમના વિશેના વીડિયોની લીંક મૂકી છે.)

(પૉઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના 9824034475)

બાળકને તેડીને ઊભેલી માતા એ દુનિયાનું સૌથી રળિયામણું દશ્ય છે.(તસવીરઃ રમેશ તન્ના, ત્રીજી જુલાઈ, 2024, બુધવાર, સવારનો સમય- ...
03/07/2024

બાળકને તેડીને ઊભેલી માતા એ દુનિયાનું સૌથી રળિયામણું દશ્ય છે.

(તસવીરઃ રમેશ તન્ના, ત્રીજી જુલાઈ, 2024, બુધવાર, સવારનો સમય- પૉઝિટિવ મીડિયા)

ચાલતાં ચાલતાં મળેલી તસવીર..એએમટીએસના બસ-સ્ટોપ પર બેસીને એક વડીલ પાસબુક ચેક કરી રહ્યા હતા. ચાલતાં-ચાલતાં મને આવાં અનેક દૃ...
03/07/2024

ચાલતાં ચાલતાં મળેલી તસવીર..

એએમટીએસના બસ-સ્ટોપ પર બેસીને એક વડીલ પાસબુક ચેક કરી રહ્યા હતા.

ચાલતાં-ચાલતાં મને આવાં અનેક દૃશ્યો જોવા મળે.

સમાજને નજીકથી અને સાચો જોવો અને જાણવો હોય તો ચાલવું જરૂરી છે.

કોઈ વડીલ કે સિનિયર સિનિઝન પૈસા ખર્ચવામાં કંજૂસાઈ કરે તો મને ના ગમતું (કારણ કે પ્રમાણમાં હું એ બાબતમાં ઉદાર છું.) પણ પછી મને સત્ય સમજાયું કે જ્યારે કમાવાના દરવાજા બંધ થઈ જાય ત્યારે ખૂબ સાચવીને પૈસા ખર્ચવાના હોય છે.

ચોક્કસ અને નિયત રકમમાં ચલાવવાનું હોય છે.

(તસવીરઃ રમેશ તન્ના, ત્રીજી જુલાઈ, 2024, બુધવાર, સવારનો સમય- પૉઝિટિવ મીડિયા)

આજે બુદ્ધ પૂર્ણિમા.તેમના કેટલાક વિચારોઃ 1. માણસે જીવનમાં ક્યારેય શંકા ન કરવી. શંકા માત્ર સંબંધોને જ નહીં, પરંતુ માણસને પ...
23/05/2024

આજે બુદ્ધ પૂર્ણિમા.

તેમના કેટલાક વિચારોઃ
1. માણસે જીવનમાં ક્યારેય શંકા ન કરવી. શંકા માત્ર સંબંધોને જ નહીં, પરંતુ માણસને પણ બરબાદ કરી દેતી હોય છે.

2. ક્રોધ કરવો એ બીજા પર ગરમ કોલસો ફેંકવાની ઈચ્છા બરાબર છે. જોકે બીજા પર કોલસો ફેંકાય એ પહેલાં આપણો જ હાથ બળી જતો હોય છે.

3. ભૂતકાળ પર ધ્યાન ન આપો અને ભવિષ્યની ચિંતા ન કરો. તમારા મનને માત્ર વર્તમાન પર કેન્દ્રિત કરો.

4. જો તમે તમારી જાતને સાચા દિલથી પ્રેમ કરતા હશો તો તમે બીજાઓને ક્યારેય નહીં ધિક્કારી શકો.

5. શાંતિ તમારી અંદર જ છે, એને બહાર શોધવાનો પ્રયત્ન ન કરો.

6. તમે જે વિચારો છો એ જ તમે બનો છો. એટલે હંમેશાં શ્રેષ્ઠ વિચાર કરો.

7. કોઈ પણ મુકામ પર પહોંચવા કરતા મુકામ સુધી પહોંચવા માટેની યાત્રા ઘણી મહત્ત્વની હોય છે.

8. સાચો પ્રેમ હંમેશાં સમજણથી શરૂ થાય છે.

9. બીજાઓ પર વિજય પ્રાપ્ત કરવા કરતા પોતાની કમજોરીઓ પર વિજય પ્રાપ્ત કરવો એ ઘણી મોટી વાત છે.

10. બધું જ સમજતા હોવાનો અર્થ છે બધાને જ માફ કરવાં.

11. આપણે જો ફૂલ ખીલવા જેવી ઘટનાને પણ ચમત્કાર માનીશું તો આપણું સમગ્ર જીવન પણ એક ચમત્કાર જ છે એવું પણ આપણે માનતા થઈ જઈશું.

12. ભૂતકાળ વિતી ચૂક્યો છે અને ભવિષ્ય હજુ આવ્યું જ નથી. તમારી પાસે માત્ર વર્તમાન જ છે. એટલે આજની ક્ષણ જીવી લેવું અત્યંત અનિવાર્ય છે.

13. જે ક્ષણે તમે તમામ મદદ અને બીજા પરના આધારનો નકાર કરો છો એ જ ક્ષણે તમે મુક્ત થઈ જાઓ છો.

14. જે રીતે કોઈ પહાડ તેજ પવનથી વિચલિત નથી થતો એમ બુદ્ધિશાળી માણસ પ્રશંસા અને ટીકાથી વિચલિત નથી થતો.

15. એક ક્ષણ એક દિવસ બદલી શકે છે, એક દિવસ એક જીવન બદલી શકે છે અને એક જીવન સમગ્ર વિશ્વને બદલી શકે છે.

કેટલી સરસ વાતો છે નહીં.. ?

(પૉઝિટિવ મીડિયા માટે સંકલન-આલેખનઃ રમેશ તન્ના 9824034475)

વૅકેશનમાં બાળકો પાસે કઈ કઈ પ્રવૃતિઓ કરાવવી એ માતા-પિતા માટે માથાનો દુઃખાવો હોય છે. ઘણી માતાઓ તો ડિપ્રેશનમાં પણ આવી જતી હ...
21/05/2024

વૅકેશનમાં બાળકો પાસે કઈ કઈ પ્રવૃતિઓ કરાવવી એ માતા-પિતા માટે માથાનો દુઃખાવો હોય છે. ઘણી માતાઓ તો ડિપ્રેશનમાં પણ આવી જતી હોય છે. વૅકેશન ક્યારે પૂરું થાય તેની મમ્મીઓ રાહ જોતી હોય છે. ઘણાં તો સંતાનોને સમર કૅમ્પ કે અને કૅમ્પમાં મોકલીને રાહત અનુભવે છે.

અહીં બાળકો સાથે સતત વિવિધ પ્રવૃત્તિઓ કરતા, બાળકોને વાર્તાઓ કહેતા, બાળકોને ભણાવતા, બાળકો માટે વાચનશિબિરોનું આયોજન કરતા રમેશ તન્ના કહે છે કે વૅકેશનમાં બાળકોને આ સાત પ્રવૃત્તિ ચોક્કસ કરાવવી જોઈએઃ
1. શરીરશ્રમ.
2. પુસ્તકો વંચાવો
3. રસોઈ શિખવાડો
4. પ્રકૃતિની નજીક લઈ જાઓ.
5. સગાં-વહાલાં-સ્વજનોના ઘરે જાવ.
6. વાતો કરો અને વાર્તાઓ કહો.
7. બાળકોને સેવાવસ્તી અને સેવાકીય સંસ્થાઓની મુલાકાત કરાવો.

પૉઝિટિવ સ્ટોરીઝ’ એ અભિયાન છે સમાજમાં જેટલું પણ, જ્યાં પણ સારું થઇ રહ્યું છે એને લોકો સુધી પહોંચાડવાનું. લેખક અને પ.....

ચા એટલે કે ચ્હાની 108 (એકસો ને આઠ) મસ્ત મસ્ત વાતો............ સંપાદન- આલેખનઃ રમેશ તન્નાઆજે ચા દિવસ છે. મિત્રો સાથે ચાની ...
21/05/2024

ચા એટલે કે ચ્હાની 108 (એકસો ને આઠ) મસ્ત મસ્ત વાતો............

સંપાદન- આલેખનઃ રમેશ તન્ના

આજે ચા દિવસ છે. મિત્રો સાથે ચાની કેટલીક મસ્ત વાતો વહેંચવી છે. ચા પીધા પછી આ લખાઈ રહ્યું છે, આપ પણ ચા પીતાં પીતાં વાંચજો.

1. ચા સંસ્કૃતિનું અભિન્ન અંગ બની ગઈ છે. ઘરે, દુકાને કે ઑફિસે કોઈ આવે તો ચા તો પીવડાવવી જ પડે. ચા તો ફરજિયાત. આપણે ચાને આતિથ્યસત્કારમાં સ્થાન આપ્યું છે. આવ્યા છો તો ચા-પાણી કરતા જજો.. ચા પ્રેમનો પ્રારંભિક અને પ્રાથમિક પડઘો છે. ચા એ આતિથ્ય સંસ્કૃતિનું મહત્ત્વનું અંગ છે.

2. જેમ અંગ્રેજો ગયા પણ ભારતને અંગ્રેજી આપતા ગયા તેમ ચા પણ અંગ્રેજોની જ દેન છે હોં. એક અંગ્રેજ આગેવાને આસામમાં ચાનો બગીચો શરૂ કરાવ્યો અને પછી ધીમે ધીમે ચા આખા દેશમાં પીવાતી ગઈ. ભારતમાં પહેલાં ચા પીવાતી નહોતી. આખા વિશ્વમાં સૌથી વધુ ચા પીનારા દેશો છે ભારત અને ચીન.

3. ચા એકલી ના પીવાય અને ચા એકલા ના પીવાય. અમારા મિત્ર, જાણીતા લેખક અને પત્રકાર શ્રી મનોજ શુકલનાં માતા શ્રીમતી મંગળાબહેન મહિપતભાઈ શુકલ ચાના સંદર્ભમાં એક સરસ-રસપ્રદ વાત કરતાં કહેતાં કે "ચા એકલી ના પીવાય અને ચા એકલાં ના પીવાય.." એટલે કે ચાની જોડે કશુંક તો ખાવાનું જ. (જેથી એસિડીટી ના થાય.. કદાચ એવું ગણિત હશે.) બીજું.. એકલાં એકલાં ચા પીવાની શું મજા આવે ? ચા પીવામાં કોઈ કંપની તો જોઈએ જ.. ચા પીવાની ખરી મજા તો મિત્રો-સ્વજનો સાથે જ આવે.. (માહિતી સૌજન્યઃ મનોજ શુકલ)

4. ભૂખ્યા પેટે ચા પીવાથી પેટમાં બળતરા, એસિડિટી અને અપચો આવે છે. ભૂખ્યા પેટે ચા પીવાથી ભૂખ પર અસર થાય છે અને ભૂખ લાગતી અટકે છે. તેથી ભૂખ્યા પેટ ચા પીવાને બદલે, તેની સાથે કંઈક અવશ્ય ખાવું જોઈએ.

5. અમારાં પરિચિત બાલુમાએ અમદાવાદમાં 45 વર્ષ ચાની લારી ચલાવીને પોતાના પરિવારની બે-બે પેઢીને જીવનમાં સ્થિર કરી છે. આવી તો ઘણી શ્રમજીવી મહિલાઓ છે.

6. અમદાવાદમાં લાલ દરવાજા વિસ્તારમાં લક્કીમાં બોનર્વિટાવાળી ચા મળે છે. અહીં ચા લઈ જતા વેઈટરને જોવો લહાવો છે. એક જ હાથમાં આઠ કપ-રકાબી ઉપરાઉપર ગોઠવીને, પાછી ભરેલાં હોં.. તે લઈ જઈ શકે. સુંદર દશ્ય.

7. અમદાવાદના લો ગોર્ડનમાં બિનાકા ચા સેન્ટર છે. રૅડિયો સિલોન પર જ્યારે બિનાકા ગીતમાલા ખૂબ જ લોકપ્રિય હતું ત્યારે તેનું નામ પાડવામાં આવ્યું છે. અહીં સયાની સાહેબ ચા પી ગયા છે.

8. લૉ ગાર્ડન વિસ્તારમાં રવિશંકર આર્ટ ગેલેરી આવેલી છે. અહીં એક ચાની લારી પર કલાકાર કટિંગ ચા મળે છે. આખો દિવસ અહીં ઊભા રહીને કલાગોષ્ઠિ કરતા કલાકારો ઘડી ઘડી ચા પીએ. વધુ ચા ના પીવાઈ જાય એટલે અત્યંત નાનકડા કપમાં (એટલે કે અરધીની પણ અરધી) કલાકાર કટિંગ ચા મળે છે. કદાચ આખા ભારતમાં કલાકારના નામ સાથે ચાનું નામ જોડાયું હોય તેવી આ પ્રથમ ઘટના હશે.

9. અરધી ચા શોધવાનો યશ અમદાવાદને જાય છે. ચા પણ અરધી હોઈ શકે તેવું અમદાવાદીઓ જ વિચારી શકે.

10. ગુજરાતના કેટલાક વિસ્તારોના લોકો ચા બનાવતી વખતે તેમાં પાણી વધુ નાખે, પણ ચા તો આખો કપ જ હોવી જોઈએ. એટલે કે પાણીદાર ચા.

11. અમદાવાદની રતન પોળના વસ્ત્રોના વેપારીઓની ચા જાણીતી છે. ગ્રાહકને સારું લગાડવા અને પોતાની દુકાનમાં લાંબો સમય બેસાડી રાખવા તેઓ દુકાનમાં બેઠા બેઠા મોટેથી બૂમ મારીને ચાની વરદી (ઓર્ડર) આપે. પણ હાથથી ઈશારો એવી રીતે કરે કે ચા લાવવાની નથી. ચાનો ઓર્ડર આપવાની આ વિશિષ્ટ પદ્ધતિ છે. અમદાવાદમાં આવી રીતે ઓર્ડર આપી શકાય હોં...

12. અમદાવાદમાં આઈઆઈએમની બહાર રોડ પરના એક ચાવાળાની ચા પીને અનેક યુવાનો મોટા મોટા હોદેદારો થયા છે. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં ઋથુરાજની ચા અને મસ્કાબન ખૂબ વખણાય છે. હવે તેમણે લારીમાંથી પોતાની રૅસ્ટોરન્ટ કરી દીધી છે.

13. વાઘ બકરી ગ્રૂપના પાયામાં ગાંધીજી છે. પીયૂષભાઈ દેસાઈના દાદા અને ગાંધીજી રાજકોટમાં સાથે ભણતા. તેઓ આફ્રિકામાં પણ સાથે હતા. ગાંધીજીના કહેવાથી જ પીયૂષભાઈના દાદાએ, એશિયન મજૂરોની રોજગારી ટકી રહે તે માટે એક ચાનો બગીચો ખરીદ્યો હતો જે આગળ જતાં વાઘબકરી જૂથમાં પરિણમ્યો.

14. વાઘબકરી ચાની કંપનીનું આવું નામ રાખવા પાછળ, સમાજના બધા વર્ગો, શક્તિશાળી અને અશક્ત.. એક સમાન હોવા જોઈએ એવો ઉમદા ભાવ રહેલો છે. જોકે ઘણા મજાકમાં કહે છે આ ચા એવી છે કે એકલા પીવો તો વાઘ જેવી અને પત્ની સાથે પીઓ તો બકરી જેવી ફિલિંગ આવે.


15. ગાંધીજી ચા નહોતા પીતા. તેઓ કહેતા કે વધુ ચા પીવાથી હોજરીની ચામડી જાડી થઈ જાય છે. જોકે ગાંધીજીએ સ્થાપેલી સંસ્થા નવજીવનના કર્મ કાફેમાં મસ્ત ચા મળે છે. અન્ય ગાંધીવાદી સંસ્થાઓમાં પણ ચા છૂટથી મળે છે. નવજીવનના કર્મ કાફેની ચા પીવાથી ગાંધી વિચાર ઝડપથી સમજાય છે અને પચે છે તેવું સાંભળવા મળ્યું છે.

16. ગાંધીજન ચુનીભાઈ વૈધ (ચુનીકાકા) ખૂબ ચા પીતા. તેઓ હસતાં હસતાં કહેતા કે હું જ એક સૌથી વધુ ચા પીનારો ગાંધીજન છું.

17. ઘણી ચા પાણીદાર હોય તો બીજી કેટલીક પાણી-દાર હોય. એટલે કે ઘણી ચામાં દૂધ નામનું હોય અને પાણી જ વધારે હોય.

18. અનેક ઘરમાં પુરુષો એટલે પતિઓ જ ચા બનાવતા હોય છે તેવું જોવા મળે છે. સારું કહેવાય.

19. અનેક લોકો એવા છે કે એકલી ચા ના ભાવે. સવારમાં ચાની જોડે નાસ્તો જોઈએ જ. રાતની ભાખરી પણ ચાલે, પણ કંઈક તો જોઈએ જ.

20. અમારા એક વડીલમિત્ર નામે ભિખેશ ભટ્ટ રોજ સવારે એક મોટી તપેલી ભરીને ચા બનાવીને ડાયનિંગ ટેબલ પર બેસી જાય. પતિ-પત્ની અલકમલકની વાતો કરતાં જાય અને ચા પીતાં જાય. આખી તપેલી ક્યારે પૂરી થઈ જાય તેની ખબર પણ ના પડે.

21. ઘણી લારીઓની ચા ખૂબ જ વિશિષ્ટ હોય. તમે એક વાર પીઓ તો વારંવાર પીવાનું મન થાય. એવા વખતે ફરિયાદ અને આક્ષેપ પણ થાય કે ચા મેં કુછ કાલા સૉરી ડાલા હૈં... ઘરાકી ટકાવી રાખવા અને વધારવા ઘણા ચાવાળા આવું કરતા હોય છે.

22. અમારા એક મિત્ર સિવિલ એન્જિનિયર છે, તેઓ રોજની 100થી વધુ ચા પી જતા. પછી તો એવું થયું તે તેમને જમવાની જરૂર જ ના પડે. તેમને ભૂખ લાગતી જ નહીં. ચાના અતિરેકે તેમની જઠરાગ્નિને મંદ કરી દીધી હતી. તબીબી સારવાર લઈને માંડ માંડ ભૂખ જગાડી. હવે તેઓ ચા પીતા નથી.

23. ઘણા લોકોને ચા પીધી વિના ઝાડો આવતો નથી. ચા પીવે કે તરત અંદર દોડે.

24. ઘણા લોકોને ચા પીધા પછી ઊંઘ ના આવે તો કેટલાક વળી એવા પણ હોય છે કે તેમના ચા પીધા વિના ઊંઘ નથી આવતી. આવા ચા પીને લોકો ઊંઘી જાય.

25. અમદાવાદમાં એક પરિવાર એવો હતો ( કે છે) કે ખીચડીમાં ચા ભેળવીને ખાય..

26. જેનું ભેગું અન્ન તેનું ભેગું મન.. જેની ભેગી ચા, એ સાથે જીવન જીવવાની પાડે કદી ના...

27. મીડિયામાં ફરજનિષ્ઠ લોકોને ચાનું બંધાણ થઈ જતું હોય છે.

28. એક ચાની લારીવાળો ચામાં એટલી ઈલાચયી નાખે છે કે આપણને ખબર જ ના પડે કે ચા પીએ છીએ કે બાસુંદી ખાઈએ છીએ. તેનું નામ વાલજી. હું તેને કહેતો કે ચાને આટલું બધું વહાલ ના કર કે ચા બાસુંદી બની જાય..

29. ચાની લારી પર કામ કરતા બાળમજૂરોનું જીવન દોહ્યલું હોય છે. ચાની સાથે સાથે તેમનું બાળપણ પણ ઉકળતું હોય છે. કવિ કૃષ્ણ દવેની સરસ કવિતા પણ છે આ અંગેની.

30. ઘણા મોટા અણબનાવ અને વેરઝેર ચા પીતાં પીતાં પૂરાં થતાં હોય છે. (જો મહાભારતકાળમાં ચાની લારીઓ હોત તો કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ ના થયું હોત તેવો માનનારો મોટો વર્ગ છે.)

31. માત્ર શરાબસેવનથી આરોગ્ય બગડે છે એવું નથી, વધુ ચા પીવાને કારણે આરોગ્ય બગડે છે.

32. સવારમાં સારી ચા ના બને તો અનેક પતિઓ પોતાની પત્નીનું લોહી પી જાય છે...

33. અનેક ગૃહિણીઓ એક જ ટેસ્ટની ચા બનાવી શકે છે. 20 વર્ષ પછી તેમના હાથની ચા પીઓ તો એ જ ટેસ્ટ હોય. ચાનો ટેસ્ટ જાળવી રાખવો એ કસોટી છે. (જોકે કઢીનો ટેસ્ટ જાળવી રાખવાનું સૌથી વિકટ છે.)

34. ચા અને ચાહને સીધો સંબંધ છે. ચા તો બહાનું હોય છે એ બહાને પોતાનો પ્રેમ વ્યક્ત કરી શકાય. ગોષ્ઠિ થાય. ચાને કારણે જ આ વિશ્વમાં અનેક નવા, સુંદર અને ઉષ્માભર્યા સંબંધો બંધાયા હશે.

35. ચા જોડી આપે અને જોડી પણ રાખે. ઘણી જોડી ચાને કારણે બની હોય તેવું પણ બને. બે પ્રેમીજનોને જોડવામાં ચાએ ફેવિકોલનું કામ કર્યું હોય તેવું પણ બને.

36. મિત્ર જૂનો સારો અને ચા ઊનો સારો. (ચા શબ્દ સ્ત્રી અને પુલિંગ બન્નેમાં વપરાય છે.) (ઊનો એટલે ગરમ..)

37. ..... અને ભારતમાં તો એક ચા વેચનારો વડાપ્રધાન બન્યો તે ઈતિહાસ છે.

38. આપણા દેશમાં ચાની સંસ્કૃતિ બરાબરની ખીલી છે. ચા પીધા વિના મોટાભાગના લોકોની સવાર પડતી નથી. સૂરજ ઊગે અને સવાર પડે એ જૂની વાત છે, ચા પીવાય અને સવાર પડે એ નવી અને વાસ્તવિક વાત છે.

39. જેની ચા બગડે તેની સવાર બગડે છે.

40. ચા આપણા લોહીમાં ભળી ગઈ છે. ચા આપણી સંસ્કૃતિનું અભિન્ન અંગ બની ગઈ છે. ચા આપણા શરીર અને જીવનની જરૂરિયાત બની ગઈ છે.

41. જેમ ઘણી બહેનો શાકભાજીની લારી પર મળે કે ઘણા વૃદ્ધો મંદિરના ઓટલે મળે તેમ કેટલાક લોકો ચાની લારીએ મળતા હોય છે. ચાની લારી મિત્રોનું મિલન સ્થળ છે. અમારી ઑફિસની બાજુમાં એક પીસી પૉઈન્ટ તરીકે ઓળખાતો પૉઈન્ટ છે. અહીં કવિ-લેખકો- કળાકારો-દિગ્દર્શકો-અભિનેતાઓ-નિર્માતાઓ નિયમિત રીતે દરરોજ મળે. તેમનો અડ્ડો જામે અને ચા પીવાતી જાય.

42. ઘણા ચાની કીટલી વાળા સવારની પહેલી ચા રસ્તા ઉપર ઢોળી દે છે. પહેલી ચાને જગ-ડખાની ચા પણ કહે છે.

43. અમદાવાદના સેટેલાઇટ રોડ પર SPIPAની બહાર પણ રાજુભાઇની વર્ષોથી ચા ની કીટલી છે જયાં ચાની ચૂસકી માણીને છેલ્લાં 20 વર્ષમાં અનેક મિત્રો IAS, IPS, IFS, IRS જેવી સર્વિસીસમાં પહોંચી ગયા છે! ( માહિતી સૌજન્યઃ વિષ્ણુ રબારી)

44. સને 1773માં અમેરિકાના બૉસ્ટન બંદરેથી બ્રિટન તરફ જતાં ચાનાં ત્રણ વહાણો પર શેમ્યુઅલ એડમ્સ નામના અમેરિકન આઝાદીના લડવૈયાના નેતૃત્વમાં સ્થાનિક રેડ ઇન્ડિયનના વેશમાં હુમલો કરી 342 ચાની પેટીઓ દરિયામાં ફેંકી દીધી હતી, આ બનાવ ઇતિહાસમાં 'બૉસ્ટન ટી પાર્ટી' ના નામે ઓળખાય છે.

45. દરેક શહેર અને નગરમાં ચાની પ્રખ્યાત લારીઓ કે દુકાનો હોય જ છે.

46. અમદાવાદમાં એક લારી પર પારેલ જી વાળી ચા અપાય છે. એટલે પારેલ બિસ્કિટ ઢબોળીને આપે છે.

47. અમારાં વડીલ મિત્ર બકુલાબહેન ઘાસવાલા કહે છે કે મેં ક્યાંક વાંચેલું કે બાળકોની બાળપોથીમાં ‘ બા, ચા પા’. એવો નાનકડો પાઠ હતો ને આખું હિન્દુસ્તાન ચા પીતું થઈ ગયેલું. (આ પાઠ પછીથી કોઈકે રદ કરાવેલો એવું સાંભળ્યું હતું.)

48. ઈન્દુચાચા (ઈન્દુલાલ યાજ્ઞિક) કહેતા કે એક કપ ચા ના જોઈએ. ચાની તો આખી તપેલી જ જોઈએ.

51. કોચી શહેરનાં Meet Vijayan and Mohana Vijayan નામનાં એક દંપતી 1963થી ચાનો સ્ટોલ ચલાવે છે. ચા વેચી વેચીને આ પતિ-પત્નીએ વિશ્વના અનેક દેશોનો પ્રવાસ કર્યો છે.

49. આપલાબાપા નામની ચાની દુકાનની ચેઈન બહુ ચાલી. પછી તો કોફી બારની જેમ વાધબકરી સહિત અનેક કંપનીઓએ પણ ચાના બાર શરૂ કર્યા.

50. રાજકોટની એક કંપનીએ ચાની મોર્ડન કંપની-ચેઈન શરૂ કરીને ભવ્ય સફળતા મેળવી હતી.

51. વલસાડમાં ચાની એક દુકાનનું નામ ચાપાણી છે. (સૌજન્યઃ બકુલા ઘાસવાલા) આ દુકાન હવે જોકે બંધ થઈ ગઈ છે.

52. શાયદ મેરી શાદી કા ખયાલ.. ચા વિશે હિન્દી ફિલ્મોમાં ગીતો તો લખાયાં છે, પણ ગુજરાતીમાં કવિતાઓ લખાઈ છે ? જાણકારો કહી શકે..

53. ચા જેટલી શારીરિક જરૂરિયાત છે એટલી જ માનસિક જરૂરિયાત પણ છે. ચા પીવાથી જ નશો કે મૂડ આવે તેવી ગ્રંથિને કારણે પણ લોકો સતત ચા પીતા હોય છે.

54. ચા કપમાં પીવાય, રકાબીમાં પીવાય અને તાંસળામાં પણ પીવાય. દેસાઈ-રબારીઓના ઘરોમાં આજે પણ તાંસળામાં ચા પીનારા લોકો તમને મળી આવશે.

55. અસ્પૃશ્યતા વધુ હતી ત્યારે (કહેવાતા) ઉચ્ચ વર્ગના ઘરોમાં દલિતો માટે ચાનો કપ જુદો રખાતો હતો. બાળપણમાં મેં ગામમાં આવા કપ અને આ પ્રથા જોયેલી છે.

56. ઘણા લોકો ચા પીતી વખતે જબરજસ્ત અવાજ કરે. એવો સબળકો મારે કે દૂર સુધી સંભળાય. ઘણા લોકોને આવા, ચા પીતી વખતે થતા અવાજની એલર્જી હોય છે. (અમારાં ‘ઈ’મને હતી.)

57. જે વધારે ચા પીતો હોય તેને ગારડિયો કહે છે. ઘણા તેને ચારૂડિયો પણ કહે છે.

58. બંધકોશમાં સરળ ઉપાય : ચામાં દીવેલ-એરંડિયું નાખીને પીવાથી સરળતાથી ઝાડો થાય છે.

59. ચામાં ખાંડની જગ્યાએ બ્રાઉન ખાંડ અને જેગરી પાઉડર પણ વાપરવામાં આવે છે.

60. કેટલાક મારવાડી ચાવાળાઓ, ચામાં પૉષદોડા (અફીણનાં ડૉડાં)નો ઉપયોગ કરે છે, એનાથી મસ્તીનો અનુભવ થાય છે.
(માહિતી સૌજન્યઃ સીએ, વિનોદચંદ્ર, નવસારી)

61. અમારા એક સાહેબ છે શ્રી ભરતભાઈ ગોહિલ. (કોરોનામાં 90 ટકા ફેફસાં ગયાં તો પણ વીલ પાવરથી બચી ગયા. તેમનો કેસ-સ્ટડી આખી દુનિયામાં ભણાવાય છે.) તેઓ અમને ભણાવવા આવતા તો કહેતા કે ચાલો પહેલાં ચા પીવા જઈએ, પછી “પીધેલી હાલત”માં ભણીશું.

62. ચામાં આદુ, તુલસી, ફૂદીનો, ગરમ મસાલો એમ જુદું જુદું ઘણું નખાય છે. (બીજું શું શું નખાય છે તેની જાણકારી કૉમેન્ટમાં લખવા વિનંતી છે.)

63. ઘણા લોકો ચા પીનારાને હલકી નજરે જોતા હોય છેઃ “આ જુઓ તો ખરા.. ચા પીએ છે.” ઘણા વળી પોતે ચા પીતા નથી તેનું મોટું ગૌરવ સમજે. સતત કહેતા ફરેઃ મેં તો કદી ચા ચાખી પણ નથી.

64. રેગ્યુલર ચા ઉપરાંત વાઈટ ટી, ગ્રીન ટી, ઓલોંગ ટી, ડાર્ક ટી, પૂઅર ટી, આઈસ ટી અને મેટ ટી એમ જુદી જુદી ચા વિશ્વમાં પીવાય છે.

65. રઘુવીર ચૌધરીએ એક વાર વ્યંગમાં કહ્યું હતું કે સૌરાષ્ટ્રમાં ચા અને શરબત વચ્ચે માત્ર ઉષ્ણતામાનનો જ ફરક હોય છે.

66. પહેલાં રજવાડી ચા ખૂબ વખણાતી. મોરારજીભાઈ દેસાઈ વડાપ્રધાન થયા એ પછી તેમણે ભારતમાં રજવાડી ચા બંધ કરાવી હતી તેવી માહિતી અમને શ્રી અશ્વિનભાઈ લિંબાચીયા નામના અમારા મિત્રએ આપી છે. જાણકારો પ્રકાશ પાડે.

67. ગુજરાત સમાચાર અમદાવાદસ્થિત કાર્યાલયમાં, અંદર ચા લઈ જવાની પ્રથા નથી એવું કેટલાક મિત્રોએ કહ્યું હતું. પત્રકારો નીચે આવીને જ ચા પીએ. કોઈ મુલાકાતી આવ્યું હોય તો તેમને પણ નીચે લાવીને જ ચા પીવડાવે.

68. પાણી પછી દુનિયામાં સૌથી વધુ પીવાતું પીણું ચા માનવામાં છે.

69. ઘણા લોકો ગોળવાળી ચા પીએ છે. હવે તો ગોળવાળી ચા બજારમાં પણ મળે છે.

70. ચા કેટલા દિવસ ના બગડે? એવું કહેવાય છે કે જો ચાને હવા અને ભેજથી બચાવવામાં આવે તો ચા બે વર્ષ સુધી ખરાબ નથી થતી અને તેનો સ્વાદ એકસરખો જ રહે છે.

71. અફઘાનિસ્તાન અને ઇરાનમાં ચાને જાહેર રાષ્ટ્રીય પીણું કરવામાં આવ્યું છે.

72. સામાન્ય રીતે ચા પીધા પછી તરત જ પાણી પીવું ન જોઈએ. આમ કરવાથી લાંબા ગાળે ગંભીર નુકશાન થઇ શકે છે. કોઈ પણ ગરમ પીણા પીધા પછી અડધી કલાક સુધી પાણી ન પીવું જોઈએ.

73. ચા પીવાથી આરોગ્યને નુકશાન થાય છે. પાચનતંત્રને અસર કરે છે ચા. જોકે ચા પીવાના ફાયદા પણ લોકો વર્ણવે છે.

75. અમારા મિત્ર ચા પીવાની હા એટલે પાડે કારણ કે ચા આવે અને પીવાય ત્યાં સુધી બેસી શકાય અને એ બહાને વાતો થાય.

76. નવસારી વિસ્તારમાં કહેવાય: ચાર પછી ચા નહીં. પાંચ પછી પાણી નહીં. દસ પછી દારૂ નહીં. સાંજે ચા પીવાથી ઊંઘ બગડે અને વારંવાર પેશાબ માટે જવું પડે.

77. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને નાઘેરમાં, ચા પીરસીને પછી એમાં ઘરની ભેંસનું ઘી નાખવામાં આવે છે. મારો જાત અનુભવ છે. (માહિતીસૌજન્યઃ લોકગાયક શ્રી અરવિંદ બારોટ)

78. અમારા પડોશમાં રહેતાં બાની વય 85-86 વર્ષ છે, જે કોઈ જ ખોરાક ખાતાં નથી. એમનો એક માત્ર ખોરાક કે પીણું ફક્ત ચા જ છે. દિવસમાં ત્રણ કે ચાર કપ સાવ સાદી ઓછા દૂધવાળી ચા. આ છેલ્લાં 20-25 વર્ષથી જાળવી રાખ્યો છે. ચા સિવાય કોઈ જ વસ્તુનું સેવન નથી તેમ છતાં સદાય એકદમ પ્રસન્ન સ્વસ્થ છે. (માહિતી સૌજન્યઃ ઋષિત મશરુ)

79. ચામાં કેસર નાખવાનો પણ રિવાજ છે. (માહિતીસૌજન્યઃ બકુલા ઘાસવાલા, વલસાડ. બકુલાબહેન તો ચાનો વધાર કરવાનો જ બાકી રાખે છે.)

80. અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠના દરવાજા પાસે કેસરીની ચાની લારી પર અનેક લેખકો અને પત્રકારોની મહેફિલ જામેલી મેં જોઈ છે. અંદર લાઈબ્રેરીમાં વાંચીને ફ્રેશ થવા બહાર આવીને ચા પીતાં-પીતાં અનેક અધિકારીઓ- અધ્યાપકો બન્યા છે. અમારા રબારી સમાજમાં તો ચાનો એટલો મહિમા છે કે 20/22 વરસ જૂનો કજીયો હોય તો પણ એક ચામાં સમાધાન થાય. કોઈ પણ સમાધાન ત્યારે જ સાચું થાય કે જ્યારે બન્ને પક્ષ સાથે ચા પીએ. (માહિતી સૌજન્યઃ રાજુ દેસાઈ)

81. સુરેન્દ્રનગરનાં સમાજસેવિકા તૃપ્તિ આચાર્ય-શુકલ સરસ વાત કરે છેઃ ચા વિશે સહુથી ઉત્તમ બાબત એ છે કે સ્ત્રીઓ માટે ચા અમૂલ્ય ભેટ છે. ઘરે આવનાર મહેમાનનું સ્વાગત ગરીબ અને ધનિક બન્ને મહિલા કોઈ વધારાની ઝંઝટ વગર ચાથી કરી શકે છે. સાદી ચા અને અનેક મસાલાયુક્ત ચા સરખો આનંદ આપે છે. ઘરનું કામ કરી કે થાકેલી વ્યવસાયી સ્ત્રી એકલી બેસી બીજું કાંઈ ન કરે પણ ચા પીએ અને પુનઃ પોતાના કામમાં ગુંથાઈ જાય. એમાં પણ કોઈ વાર કંટાળો આવે ત્યારે મોટા કુટુંબમાં થેપલાં કે મુઠિયાં સાથે ચા આપી બહેનો જે નિરાંતનો હાશકારો અનુભવે એ સાક્ષાત્કાર કરવા સ્ત્રીનો અવતાર લેવો પડે!

82. જૂની રંગભૂમિમાં નાટક મંડળીના વિવિધ ગામોમાં પડાવ પડે. સહુ કલાકાર-કસબીઓ એક જ ઉતારે રહે. સામૂહિક ભોજન વગેરે પ્રબંધ હોય. અહીં ચૂલા ઉપર વહેલી સવારથી ત્રાંબાનો મોટો હાંડો મૂકવામાં આવે અને તેમાં સતત ચા ઉકળતી રહે. જેને જયારે પીવી હોય ત્યારે પી શકે. દિવસ રાત આ હાંડો ઉકળ્યા કરે. તેને "મક્કાનો હાંડો" કહેતા હતા. (માહિતી સૌજન્યઃ ધીરેન અવાસિયા)

83. ધીરેન અવાશિયા ચાની વધુ લિજ્જતવાળી વાતો કરતાં કહે છે કે અમે જૂનાગઢી નાગરોએ ચામાં પુરૂષત્વ ભાળ્યું છે એટલે ચા પીધો કહેવાનું રાખ્યું છે. ભવનાથ તળેટી કે ગીરના જંગલમાં સાધુ બાવાની ધૂણી ઉપર બનેલી પીત્તળની કિટલી ભરેલી ચા ધૂમાડે દૂણી ગઈ હોય પણ ઈ ચામાં બાવાજીની લાગણીનું જ મહત્ત્વ. આ ચા પીત્તળ કે જર્મન સિલ્વરની રકાબીમાં પીવાની. જેને સૌરાષ્ટ્રમાં અડાળી કહે. અમે નાગરો તેને તબકડી કહીએ. દાયકાઓથી વહેલી સવારના હું જાતે જ આદુ-ફોદીનાયુકત ચા બનાવી પીવાનું રાખું છું. મેં ઘણી વિવિધ પધ્ધતિની ચા પીધી છે, પણ ચાની નજીકનો કાશ્મીરી કાહવા - કહેવા ઉત્તમ. નેવુંના દાયકે શ્રીનગર યુનિવર્સિટી જવાનું થાય ત્યારે કહેવાની મોજ લેતો. અમારા ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં એક જમાને છગનની ચા વખણાતી હતી. હું તપેલી ભરીને ચા પીવાવાળો. ઈંગ્લેંડ ભણતો ત્યારે એક લીટરની કીટલી રાખી હતી. તેમાં જ સીધી ચા બનાવતો હતો.

84. ચા નો આખો એક ઘડિયો પણ છે.
ચા એકાએક ( ચાની તડપ એકાએક લાગે !)
ચા બે ટાણા ( સવારે અને રોંઢે )
ચા ત્રણ ___ ( ખાંડ , દૂધ અને ભૂકી )
ચા ૪ ચોકે ( બધે જ મળે ) (માહિતીસૌજન્યઃ નિમેશ જોશી)

85. ભાવનગરમાં આખી ચા, અડધી ચા, પોણીયો અને કટકો...એમ ચાર ભાગમાં વહેંચી શકાય એ રીતે ચા મળે છે. (માહિતીસૌજન્યઃ વીરેન્દ્રસિંહ પરમાર)

86. અમદાવાદના યુવાન આકાશ ગજ્જરે એક એવા મશીનની શોધ કરી છે જેના દ્વારા ૧૦૦૦ જાતની ચા બનાવી શકાય છે.

87. ગામડાગામની વહુવારુ ત્રણ પ્રકારની ચા બનાવે...
આપુડી, બાપુડી, જગુડી....
આપુડી: પોતાના માટે, પોતાની રુચિ પ્રમાણે. પાણી થોડું, દૂધ વધારે
°
બાપુડી: પિતા, ભાઈ કે પિયરમાંથી કોઈ આવે તો નકરા દૂધની.
°
જગુડી: વધારે મહેમાન હોય ત્યારે. જગત માટે. ઓછું દૂધ, વધારે પાણી. (માહિતીસૌજન્યઃ અરવિંદ બારોટ)

88. ચાએ ટાળ્યું શિરામણ, બીડીએ ટાળ્યો હૉકો;
સાસુનું કીધું વહુ કરે નહીં, કોનો કરવો ધૉખો ?

કૉફી તો કપટી પીવે, ચતુર પીવે ચા;
દેવલોક તો દૂધ પીવે, મૂરખ પાડે ના.
(માહિતી સૌજન્યઃ અરવિંદ બારોટ)

89. દુનિયાભરમાં લોકો આશરે 3000 પ્રકારની “ચા” પીએ છે.

90. એક જમાનામાં ચા પીત્તળની રકાબીમાં જ પીવાતી. કાચના કપ-રકાબી ધનવાન રહીશોના ત્યાં જ જોવામાં આવતા.

91. ભારતમાં પહેલાં ચા હતી નહીં. લિપ્ટન અને બ્રુક બૉન્ડના સેલ્સમેન ગામડાંઓમાં ફરતા, જુદી જુદી રમત (ગેઈમ) રમાડતા અને જે જીતે તેને ફ્રીમાં ચા મળતી. આ રીતે ગામોમાં ચાને પ્રવેશ થયો છે.

92. ચા કેમેલિયા સિનેન્સીસ છોડનાં પાંદડાંઓ અને કુમળી કુંપળોની કૃષિ પેદાશ છે, જેને જુદી જુદી પદ્ધતિઓથી બનાવવામાં આવે અને તેની માવજત કરવામાં આવે. એ છોડનાં પાંદડાંને ગરમ અથવા ઊકળતાં પાણીમાં નાખીને તૈયાર કરેલું સુગંધીદાર પીણું એટલે 'ચા'. કેમેલિયા સિનેન્સીસ છોડનું પોતાનું જ સામાન્ય નામ છે.

93. અમે હમણાં કર્ણાટક-મહારાષ્ટ્રનો પ્રવાસ કર્યો હતો. શ્રી સ્વામી સમર્થના અક્કલકોટમાં ગયાં તો ત્યાં એક ચાની નાનકડી રેસ્ટોરન્ટમાં ચા વિશે ફિલોસોફિકલ અવતરણો-વાતો વાંચી આનંદ થયો. એમાં કપ-રકાબીના સંબંધની પણ સરસ વાત મૂકાઈ હતી.

94. ઘણા લોકો ચા પીવા કરતાં પાવામાં વધુ આનંદ મેળવતા હોય છે.

95. એવું કહેવાય છે કે જે વ્યક્તિ ઉનાળામાં ચાને દગો આપે તે વ્યક્તિ કોઈ પણ દગો આપી શકે. બારેય મહિના ચા પીતી વ્યક્તિ ઉનાળામાં ચા ના પીએ તો તેવી વ્યક્તિનો વિશ્વાસ કરવો નહીં.

96. અમારા ભાવનગરના મિત્ર ડૉ. તેજશ દોશી ચાના ચાહક અને શોખીન છે. ચા વિશે સતત નવું લખતા રહે છે. એવું જ અમારાં અમદાવાદમાં રહેતાં મિત્ર શિલ્પા ભટ્ટ દેસાઈનું છે.

97. અમે બાળપણમાં કડક-મીઠી ચા બનાવવાનો પ્રયાસ કર્યો હતો તો વધુ ઉકાળવામાં અમારા નસીબમાં- સૉરી કપમાં માત્ર કૂચા આવેલા.

98. અમે હમણાં કર્ણાટક ગયાં તો ત્યાં અનુભવ કર્યો કે ચાને નામે ગરમ શરબત જ મળે છે. મને તો સહેજે ચા પીવાની મજા ના આવી. ફાઈવ સ્ટાર હૉટલની વગર ઉકાળેલી ચા પણ ના ભાવે. હું તો હૉટલમાં ઉતર્યો હોઉં તો વહેલો ઊઠીને રોડ પરની લારી કે હોટલમાં જઈને જ ચા પીવી આવું.

99. બ્લેક ટીની જેન વ્હાઈટ ટી પણ હોય છે. ઓછામાં ઓછી જાણીતી, વપરાતી સફેદ (વ્હાઈટ) ટી ચાના છોડનાં પાંદડાં પૂરા ખુલે તે પહેલાં તેના ‘બડઝ’ની ઉપર સફેદ રંગના તાંતણા હોય છે માટે વ્હાઈટ ટી તરીકે ઓળખાય છે. આ ચામાં કૅફિનનું પ્રમાણ એકદમ ઓછું છે, પણ તેમાં એન્ટીઓક્સીડન્ટ વધારે પ્રમાણમાં છે.

100. જગતના 90 ટકા લોકો કાળી ચા પીએ છે. અને હા, દૂધ વગરની ચા વજન ઘટાડવામાં મદદ કરે છે.

101. ચા પીધો કહેવાય કે ચા પીધી કહેવાય? ચા શબ્દ નર જાતિ છે કે નારી જાતિ છે ? અમારા મિત્ર ડી.જી. ચૌધરી કહે છે કે અમે મિત્રોને એવું ઠસાવવા પ્રયાસ કરતા કે ગોળ નાખીને બનાવો તો ચા નર જાતિ કહેવાય (ચા પીધો) અને ખાંડ નાખી ને બનાવો તો નારી જાતિ કહેવાય (ચા પીધી)

102. દક્ષિણ ગુજરાતમાં ધરમપુર બાજું કેટલાક વૃદ્ધ લોકો ચામાં વિક્સ કે બામ નાખીને પીવે છે. (માહિતીસૌજન્યઃ ઋસિત મશરાણી)

103. સૌરાષ્ટ્રના, (ખાસ તો કાઠિયાવાડના) અંતરિયાળ ગામોમાં જમવા ટાણે આવેલા મહેમાનોને ચા ન પાઈને મિષ્ઠાન જમાડો તો પણ એ તમારી નબળી છાપ લઈને જશે: 'ચાનું પૂછ્યું પણ નહીં! (માહિતીસૌજન્યઃ ગુણવંત વ્યાસ)

104. ચા વિશેના જ કાવ્યો-ગઝલો સમાવતો એક ચા-ના શીર્ષકથી જ ભરતભાઈ નામે એક કવિનો સંગ્રહ છે. શીર્ષકનું અને કવિનું પૂરું નામ ભૂલી ગયો છું. (માહિતીસૌજન્યઃ ગુણવંત વ્યાસ)

105. જગતમાં સર્વને કહેતા ફરો નહીં કે ચા કરજો,
ઘણાંય એવાંય છે જેની ચા સારી નથી હોતી.
- પેરોડી, અધીર અમદાવાદી

106. કહેવત છે: 'તળાની (તળિયાની) ચા, ને નળાનો ઘા'

107. ચાનો નાસ પણ લઈ શકાય. ચિતલ શાહને તેમના દાદાએ ચાનો નાસ લેવાનું કહ્યું હતું જેનાથી તેમને ઘણો ફરક પડ્યો.

108. અમારા વૈદ્યરાજ મિત્ર ભવદીપભાઈ ગણાત્રાએ કૉરોના વખતે અમને ચાની ભુક્કી અને અજમાનો શાહી-નાસ લેવાનું શીખવાડ્યું હતું. તેનાથી શરદી તો જાય જ પણ ફેફસાંમાં જામી ગયેલો કફ પણ છૂટો પડીને ગળફા વાટે બહાર આવે છે.

લો.. ત્યારે અમે ચાને લગતી 108 વાતો આપની સામે મૂકી. એમાં હવે તમે ઉમેરો કરો.

(નોંધઃ આ લેખ ચા પીને લખાયો છે. તમે ચા પીને વાંચજો.)

(પૉઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના, 982403475)

Address


Alerts

Be the first to know and let us send you an email when RAA Positive Media Pvt Ltd posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share