06/03/2025
શિવશક્તિ માર્કેટમાં ₹100 કરોડના માલના ગાયબ થવાનો આક્ષેપ, દુકાનદારોમાં રોષ
સુરતના રિંગરોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં 25 અને 26 ફેબ્રુઆરીએ લાગેલી આગના કારણે 700થી વધુ વેપારીઓ રસ્તા પર આવી ગયા છે.
આગ કાબૂમાં આવ્યાને સાત દિવસ વીતી ચૂક્યા છે પણ વેપારીઓની સમસ્યા ઘટવાના બદલે વધી રહી છે. ચોથા અને પાંચમા માળે દુકાને ધરાવતા વેપારીઓને બુધવારે દુકાન જોવા માટે જવા દેવાયા હતા. દુકાન જોઈને પરત ફરેલા વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. દુકાનમાં રહેલો પોતાનો કરોડો રૂપિયાનો માલ ગાયબ થઈ ગયાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.
મોટાભાગના વેપારીઓએ કહ્યું- 'અમારો માલ ચોરાઈ ગયો'
માર્કેટના ચોથા અને પાંચમા માળે આવેલી દુકાનોની મુલાકાત લીધા બાદ મોટાભાગના વેપારીઓએ પોતાની દુકાનમાં રહેલા માલની ચોરી થયાનો દાવો કર્યો હતો.
વેપારીઓએ સમગ્ર મામલે CBI તપાસની માગ કરી હતી અને PM મોદી મદદ કરે તેવી પણ આશા વ્યક્ત કરી હતી.