Megh Mahajan

Megh Mahajan Megh Mahajan - Vankar Samaj Magazine

‘મેઘ મહાજન’ એક વિચાર પત્ર છે

મેઘ મહાજનના સોશિયલ મિડીયા એકાઉન્ટ તેમજ ઈમેઈલ ઉપર અવાર નવાર વાંચકો દ્વારા પ્રશ્નો કરવામાં આવે છે કે, અમને તમારા સંગઠનમાં જાેડો, અવનવા કાર્યક્રમો માટે સલાહ સૂચન કરવામાં આવે છે. પરંતુ દરેક આદરણીય વાંચકોને નમ્ર નિવેદન કરવામાં આવે છે કે, ‘મેઘ મહાજન’ એક માસિક સામયિક છે. તે ફક્ત વિચાર પત્ર છે. જે સમાજની શ્રેષ્ઠ બાબતો ઉજાગર કરવાનું તેમજ સમાજની સારી બાબતો સમાજ સમક્ષ મુકવાનું

કામકરે છે અને સુવર્ણ સમાજના લોકોને એ સંદેશો આપવા માંગે છે કે અમારો સમાજ અભણ, અજ્ઞાન કે મજૂર જ નથી. પરંતુ સરકારી, સહકારી અને ઉદ્યોગમાં પણ પોતાનું આગવું સ્થાન ધરાવે છે. તેની પ્રતિતિ કરાવવા માટે આ મેગેઝિન ચલાવવામાં આવે છે. તે પોતાનું કોઈ સંગઠન, ગૃપ, કોઈ રાજકીય વિચારધારા અથવા પોતાની ધાર્મિક વિચારધારા ધરાવતું નથી.

આ મેગેઝિનમાં અમને ચલાવવા માટે આર્થિક સહયોગ મળે જ છે. તેનો અમે ખરા દિલથી આદર કરીએ છીએ. પરંતુ ન મળે તો પણ આ મેગેઝિન અમારા સ્વખર્ચે ચલાવવા સામર્થ ધરાવીએ છીએ. ઘણાં લોકો આપણા મેગેઝિનનો સોશિયલ મિડીયામાં વિરોધ કરતા દેખાય છે. તેનાથી અમોને કોઈ ફર્ક પડતો નથી. અમારૂ કાર્ય અવિરત રાખીશું.
હા, ઘણાં લોકો અમોને જાતિવાદી અથવા પક્ષપાતી માને છે. પરંતુ તેની ધારણા અને માન્યતા ખોટી છે. તે અમારા સાથે પરિચયમાં નથી એટલે એવા એવા વિચારો રજૂ કરે છે. અમે અનુ. જાતિના તમામ લોકોને સારા સમાચારો પહેલેથી પ્રસિદ્ધ કરતા હતા અને સમાચારો પ્રસિદ્ધ કરીએ છીએ તેમજ કરતા રહેશું. અમે કોઈ ગ્રંથીથી પિડાતા નથી. પરંતુ જૂદી જૂદી ડાળીઓથી વૃક્ષ બને છે. તે ‘મેઘ મહાજન’ના વિરોધીઓએ સમજવાની જરૂર છે. અનુ. જાતિને એક કરવા મથતા મારા વડિલોને નમ્ર નિવેદન છે કે, સમાજની જૂદી જૂદી પેટા જ્ઞાતિઓની પ્રવૃત્તિ સ્વીકારીને બધા જ લોકોને પ્રોત્સાહિત કરીને એક મંચ ઉપર ભેગા કરી શકાય નહીં કે વિરોધ કરવાથી.

02/10/2024
02/10/2024
વણકર દિવસ - વિશેષ અંક
02/10/2024

વણકર દિવસ - વિશેષ અંક

વણકર દિવસ - વિશેષ અંક
02/10/2024

વણકર દિવસ - વિશેષ અંક

વણકર દિવસ વિશેષ અંક
02/10/2024

વણકર દિવસ વિશેષ અંક

20/09/2024

સમાજમાં આગેવાન બનવું સહેલું નથી

સમાજની સેવા કરવી બહુ જ કઠીન કામ છે, સમાજમાં દરેક વ્યકિતના વિચારો, પ્રકૃતિ, પરિસ્થિતિને અનુકુળ કામ કરવા પ્રયત્નો કરવા પડે છે.

સમાજના કોઈ આગેવાન નિઃસ્વાર્થ સેવા કરતો હોય તો પણ કડવા ઘૂંટ કેટલીય વાર પીવા પડે છે, કદીક નાની ભૂલ થઈ હોય તો પણ તેવા વ્યકિત પર ઘણી આંગળીઓ ઉઠે છે.

એક વાત હંમેશા યાદ રાખજો, જે સમાજ માટે કામ કરે છે તેના જ આંગળીઓ ઉઠે છે, અને કયારેક તેઓ આ કારણે સેવાથી દૂર પણ થતા જાય.

જો આપણે સમાજ માટે કશું જ ના કરી શકતા હોઈએ તો સમાજ કાર્યકર્તાને નુકશાન પણ ના પહોંચાડીએ. જો આવી વિચારસરણી આપણામાં હોય તો સમાજ પ્રગતિ તરફ ૧૦૦ ટકા આગળ વધે છે.

સમાજના આગેવાનો સમાજ જોડેથી પગાર નથી લેતા છતાં પણ સમાજને દરેક જગ્યાએ તન, મન, ધનથી મદદરૂપ થતા હોય છે.

આજે જરૂર છે સમાજને મજબુત કરવાની, સમાજના આગેવાનોને મદદરૂપ થાઓ, અને કશું જ જો આપણાથી ના થતું હોય તો આગેવાનોને જે નિઃસ્વાર્થ સેવા કરતા હોય તેમને એટલું કહો અમે તમારી સાથે છીએ.

સમાજની સેવા કરવાવાળા વ્યકિતની કદર કરો, કારણ કે સમાજની અંદર પીઠ પાછળ કે સામે એ વ્યકિત ગાળો પણ સાંભળતો હોય છે.

વણકર દિવસની ઉજવણી કરાશે
15/09/2024

વણકર દિવસની ઉજવણી કરાશે

વીર મેઘમાયાની જન્મ જયંતીની ઉજવણી
15/09/2024

વીર મેઘમાયાની જન્મ જયંતીની ઉજવણી

Address

Ahmedabad

Telephone

+919428999350

Website

Alerts

Be the first to know and let us send you an email when Megh Mahajan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Megh Mahajan:

Share

Category