Shaurya News

Shaurya News Gandhinagar local news reports
Now time to Gandhi Giri

ધી કુકરવાડા નાગરિક સહકારી બેંક માં કિર્તીભાઇ પટેલ ને ચેરમેન બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
04/11/2022

ધી કુકરવાડા નાગરિક સહકારી બેંક માં કિર્તીભાઇ પટેલ ને ચેરમેન બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

જન્મ દિવસ ની વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક શુભકામના અને શુભેચ્છાઓ 💐
20/10/2022

જન્મ દિવસ ની વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક શુભકામના અને શુભેચ્છાઓ 💐

*ગાંધીનગર કલેકટર તરીકે કાર્યભાર સંભાળતા પ્રવીણા ડી.કે.*----------------- સુશ્રી પ્રવીણા ડી.કે. (આઈએએસ) એ ગાંધીનગર કલેકટર...
15/10/2022

*ગાંધીનગર કલેકટર તરીકે કાર્યભાર સંભાળતા પ્રવીણા ડી.કે.*
-----------------
સુશ્રી પ્રવીણા ડી.કે. (આઈએએસ) એ ગાંધીનગર કલેકટર તરીકે હવાલો સંભાળી લીધો છે.

સુશ્રી પ્રવીણા ડી.કે. આ પહેલાં કચ્છ કલેકટર તરીકે ફરજ બજાવતા હતા.
----------------

હવે આ દુર્દશા નો અંત કયારે આવશે ? પ્રજા ના દિલ માંથી વિકાસ નો વિશ્વાસ ઉઠી ગયા પછી ?પ્રજા ના ત્રાહિમામ પોકારીયા પછી ?
24/09/2022

હવે આ દુર્દશા નો અંત કયારે આવશે ? પ્રજા ના દિલ માંથી વિકાસ નો વિશ્વાસ ઉઠી ગયા પછી ?
પ્રજા ના ત્રાહિમામ પોકારીયા પછી ?

માનવતાના મશાલચી ડૉ. મનુભાઈ વ્રજલાલ દૂધિયા ઉર્ફે ડૉ. એમ.વી.દૂધિયાને આદરાંજલીઆ નામ અમદાવાદના કેટલાય ગરીબ પરિવારો માટે અસહ્...
21/09/2022

માનવતાના મશાલચી ડૉ. મનુભાઈ વ્રજલાલ દૂધિયા ઉર્ફે ડૉ. એમ.વી.દૂધિયાને આદરાંજલી

આ નામ અમદાવાદના કેટલાય ગરીબ પરિવારો માટે અસહ્ય મોંઘવારીના રણમાં મીઠી વીરડી સમાન હતું. ક્યારેય રૂબરૂ જોઈ નથી શક્યો એમને કે મળવાનો અવસર પણ પ્રાપ્ત નથી થયો પરંતુ એમના વિશે બહુ લોકો પાસે સાંભળ્યું છે.

એવી સાંભળેલું કે રૂ. 5/- કેસ ફી લેતા અને જરૂર વગરની દવા લેવાની સલાહ આપવાથી કે લખવાથી બચતા. પોતાના સ્વાર્થ ખાતર ક્યારેય મસમોટી ફી લઈને કે દર્દીઓના વધારાના પૈસા લઈને દર્દીઓના ખિસ્સા ખંખેરવાનું નથી વિચાર્યું એમણે. આજીવન સાદાઈથી રહ્યા છે.

ના ડૉકટર હોવાનું અભિમાન કે ના એ પ્રમાણેનું વર્તન. ઓછી ફી લેતા એનો અર્થ એ નહોતો કે કામમાં સમાધાન કરતા. એમની પાસે દવા કરાવવા તવંગરો પણ એટલી જ નિષ્ઠાથી જતા. હાલમાં અમદાવાદના કેટલાય લોકોએ પોતાના બાળપણમાં એમના પાસે દવા કરાવી હશે.

આવા સાચા અર્થમાં દરિદ્રોના હામી એવા અમદાવાદના ડૉ. એમ.વી. દૂધિયાએ તા. 08.09.2022 ના રોજ છેલ્લા શ્વાસ લીધેલા.
એમના કાર્યોની મહેક સતત પ્રસરતી રહે અને માનવતાને જીવાડવાની પ્રેરણા આપતી રહે.

10/09/2022
10/09/2022

અમદાવાદ ના કાકરિયા ઈકા ક્લબ પાસે ના મોબાઈલ ટાવર પર ચડી ને અજાણ્યા યુવક એ નીચે પડતું મુકયુ

પોલિસ અને ફાયર વિભાગ એ તેને સમજાવટ થી નીચે ઉતારવા નેટ જાળી નો ઉપયોગ કયોઁ હતો

અજાણ્યા ચલીસેક વષઁ ના યુવાને અંતે નીચે પડતું મુક્તા તેનું મોત થયું

તેના શબ ને એલ જી હોસ્પિટલ મા આગળ ની કાર્યવાહી માટે ફાયર અને પોલિસ વિભાગ લઈ આવ્યો

હિન્દી ફિલ્મ ની સ્ટાઈલ થી યુવક ચડી ગયો હતો ભર બપોરે મોબાઈલ ટાવર પર

નીચે અનેક લોકો એ ચિચિયારી ઓ પાડી બુમ લગાવી નીચે ઉતારવા પયાઁસો કયાઁ બાદ પણ નીચે ના ઉતરતા પોલિસ અને ફાયર વિભાગ ની મદદ સ્થાનિક ઓ એ માંગી હતી.

19/08/2022

Happy Janmashtami...

ભારતના વોરેન બફેટ રાકેશ ઝુનઝુનવાલાનું નિધન, 62 વર્ષની વયે લીઘા અંતિમ શ્વાસ
14/08/2022

ભારતના વોરેન બફેટ રાકેશ ઝુનઝુનવાલાનું નિધન, 62 વર્ષની વયે લીઘા અંતિમ શ્વાસ

‘હર ઘર તિરંગા’ અંતર્ગત ગાંધીનગર ખાતે ‘રન ફોર તિરંગા’ રેલીને પ્રસ્થાન કરાવતાં મેયરશ્રી હિતેશભાઈ મકવાણા......................
12/08/2022

‘હર ઘર તિરંગા’ અંતર્ગત ગાંધીનગર ખાતે
‘રન ફોર તિરંગા’ રેલીને પ્રસ્થાન કરાવતાં મેયરશ્રી હિતેશભાઈ મકવાણા.....................
ગાંધીનગરની વિવિધ સરકારી કોલેજના ઉપક્રમે આયોજિત
‘રન ફોર તિરંગા’માં વિદ્યાર્થીઓ, NCC,NSS અને હોમ ગાર્ડના જવાનો જોડાયા.....................
આઝાદીના અમૃત મહોત્સવ-૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજે ગાંધીનગર ખાતે યોજાયેલ ‘રન ફોર તિરંગા’ રેલીનું ગાંધીનગરના મેયર અને પ્રથમ નાગરિકશ્રી હિતેશભાઈ મકવાણાએ રેલીને પ્રસ્થાન કરાવીને સહભાગી થયા હતા.
આ પ્રસંગે IITE અને ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ ડૉ હર્ષદભાઈ પટેલે પ્રાસંગિક ઉડ્બોધન કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારતભરમાં યોજાઈ રહેલા ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સહભાગી થઈને પોતાના ઘર પર તિરંગો લહેરાવવા વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તા. ૧૩થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ગુજરાત સહીત ભારતભરમાં યોજાનાર ‘હર ઘર તિરંગા’ અભિયાનના ભાગરૂપે ગાંધીનગર ખાતે નવા સચિવાલય બસ સ્ટેન્ડથી ગ-૫ સુધી યોજાયેલી જિલ્લા કક્ષાની ‘રન ફોર તિરંગા’ રેલી યોજાઈ હતી. જેમાં ગાંધીનગરના ધારાસભ્યશ્રી શંભુજી ઠાકોર, ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જસવંતભાઈ પટેલ, સરકારી વાણિજ્ય-વિનયન કૉલેજ અને સિદ્ધાર્થ લૉ કોલેજના આચાર્યશ્રીઓ, ફેકલ્ટીઝ, NCC કેડેટ્સ, NSSના સ્વયંસેવકો, હોમગાર્ડ સહીત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ જોડાઈને વંદે માતરમ્-ભારત માતા કી જય નારા સાથે સમગ્ર વાતાવરણ રાષ્ટ્ર ભક્તિમય બનાવ્યું હતું.

11/08/2022

महाकाल मंदिर में बैंड ने दी ‘हर-हर शंभू’ भजन पर शानदार प्रस्तुति.. देखिए ये शानदार वीडियो

11/08/2022

जब वर्षा हो रही हो और आकाश में बिजली चमकती हो तब पेड़ों के नीचे खड़ा रहना असुरक्षित होता है

હર હર શંભુ ગીત જેણે ફરમાની નાઝને લોકપ્રિય બનાવ્યું તે જીતુ શર્મા દ્વારા લખવામાં આવ્યું હોઈ અગાઉ  જીતુ શર્માએ કાયદાકીય કા...
11/08/2022

હર હર શંભુ ગીત જેણે ફરમાની નાઝને લોકપ્રિય બનાવ્યું તે જીતુ શર્મા દ્વારા લખવામાં આવ્યું હોઈ અગાઉ જીતુ શર્માએ કાયદાકીય કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી
• શ્રાવણ માસમાં ખૂબ વાયરલ થયેલ હર હર શંભુ ગીત મામલે મોટા સમાચાર
• યુટ્યુબે ફરમાની નાઝના યુટ્યુબ એકાઉન્ટમાંથી હર હર શંભુ હટાવ્યું
• હર હર શંભુ ગીતના ઓરીજનલ લેખકે ઉઠાવ્યો હતો વાંધો

Happy Rakshabandhan...
11/08/2022

Happy Rakshabandhan...

હર ઘર તિરંગા....
09/08/2022

હર ઘર તિરંગા....

तिरंगा हमारी शान है, वीरता का गूंजता इक मंत्र है, हमारी वन्दना है…विश्व जन को सत्य का संदेश है । આઝાદીના અમૃત મહોત્સવ અં...
08/08/2022

तिरंगा हमारी शान है,
वीरता का गूंजता इक मंत्र है,
हमारी वन्दना है…
विश्व जन को सत्य का संदेश है ।

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે તિરંગા વિતરણ કાર્યક્રમનો શુભારંભ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ સાહેબએ કર્યો.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઇ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા , ગૃહ રાજ્યમંત્રી શ્રી Harsh Sanghavi જી સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

આખું ભારત જેમને 'મહાભારત'નાં "નંદ" તરીકે ઓળખે કે પછી સોની ટીવી પર આવતી બહુચર્ચિત ધારાવાહિક 'એક મહેલ હો સપનો કા'નાં "શેખર...
30/07/2022

આખું ભારત જેમને 'મહાભારત'નાં "નંદ" તરીકે ઓળખે કે પછી સોની ટીવી પર આવતી બહુચર્ચિત ધારાવાહિક 'એક મહેલ હો સપનો કા'નાં "શેખર નાણાવટી" તરીકે ઓળખે. એક ઉત્તમ અભિનેતા, સમર્થ નિર્માતા અને એક આગવું વ્યક્તિત્વ જેણે માત્ર ગુજરાતી નાટ્યજગત જ નહિ, હિન્દી ધારાવાહિક અને ફિલ્મોમાં પણ પોતાના અભિનયનાં અજવાળાં પાથર્યાં.

મને આજેય યાદ છે અમદાવાદમાં ઠાકોરભાઈ દેસાઈ હોલમાં એમનું અને એમના પત્ની કેતકી દવેનું નાટક "બની રહીયે એકમેકનાં" જોવા ગયેલાં ત્યારે રૂબરૂ મુલાકાત કરેલી એટલું જ સહજ, સરળ અને છતાંય છટાંદાર આકર્ષક વ્યક્તિવ. સદાય હસતો ચહેરો ને એમનાથી પ્રભાવિત થયાં વગર ભાગ્યે જ કોઈ રહી શકે. રંગભૂમિ જેમનો સદાય પ્રથમ પ્રેમ રહ્યો એવા ઉત્તમ રંગકર્મીની ખોટ ગુજરાતી રંગભૂમિને સદાય સાલશે.

એમનો એક આગવો અવાજ, સંવાદ બોલવાની એક આગવી છટા, એક સુપરસ્ટાર અને સ્ટાઈલિશ અભિનેતા તરીકેનું એક દિગ્ગજ નામ એટલે Rasik Dave જેમણે આ ફાની દુનિયાને અલવિદા કહી તો દીધી પણ એ સુપરસ્ટાર જ હતાં, છે અને રહેશે..!! આ દિગ્ગજ અભિનેતાને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ 🙏

- હિરલકુમાર શાહ (તંત્રી)

19/07/2022

આઝાદી બાદ પહેલી વખત લોટ, ચોખા ઉપર ટેક્ષ વસુલવામાં આવશે.?

Address

L 906/26 GIDC SECTOR 28
Gandhinagar
382028

Alerts

Be the first to know and let us send you an email when Shaurya News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Shaurya News:

Videos

Share