27/08/2023
Job alert for anand
Follow for Anand District Updates
Job alert for anand
https://instagram.com/garvianand?utm_source=qr&igshid=MzNlNGNkZWQ4Mg%3D%3D
Follow us in Instagram
Over 20 lakh jobs required in Media and entertainment field. while 27200 crores are expected value in Indian animation - VFX - gaming industry
https://instagram.com/garvianand?igshid=MzNlNGNkZWQ4Mg==
Follow us in Instagram garvianand
ગરવી આણંદ તરફથી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ.
હવામાન:- વાવાઝોડા ની અસર ના લીધે જીલ્લામાં આવનાર દિવસો મા વરસાદ નું જોર રહેશે.
Trusted company in it solution in anand
Anshi Infotech
આણંદ જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર, ડીડી ન્યૂઝના રિપોર્ટર તેમજ અમારા માર્ગદર્શક એવા શ્રી લાલજીભાઈ પાનસૂરીયા ને ગુજરાત રાજય લલિતકલા અકાદમી દ્વારા લલિતકલા ગૌરવ પુરસ્કાર થી સન્માનીત કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન
ભારતીય જનતા પાર્ટી આણંદ/ખેડાની બૃહદ જિલ્લા બેઠક નડિયાદ ઇપ્કોવાલા હોલ ખાતે પૂર્વ ગૃહમંત્રી અને ખેડા જિલ્લા પ્રભારીશ્રી ગોરધનભાઈ ઝડફિયા, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ,ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક્શ્રી પંકજભાઈ દેસાઈ,આણંદ જિલ્લા પ્રભારીશ્રી અમીતભાઈ ઠાકરની અધ્યક્ષતામાં યોજવામાં આવી.આ બેઠકમાં આણંદ જિલ્લા ભાજપા પ્રમુખશ્રી વિપુલભાઈ પટેલ,સાંસદશ્રી મિતેશભાઈ પટેલ,ખેડા જિલ્લા પ્રમુખશ્રી વિપુલભાઈ પટેલ,જિલ્લાના મહામંત્રીશ્રીઓ,ધારાસભ્યશ્રીઓ,જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ,સંગઠનના પદાધિકારીઓ,હોદેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારોમાં ના ચોથા અવતાર એવા ભગવાન નરસિંહજી નો આજે પ્રાગટ્ય દિવસ હોવાથી લીંબાકુઈ આગળના આપણા નરસિંહજી ભગવાનના મંદિર માં ભજન રાખવા મા આવ્યું. તેમજ આરતી કરી પ્રસાદી લઈ લોકો છુટા પડ્યા અને વાતાવરણ ભક્તિ મય બન્યું.....
Job vancy in anand
#નડિયાદ #ખેડા #ચરોતર #આંણદ # garvianand
મારું ગામ, મારી ફરજ
અને સૌનો સાથ અને સૌના વિકાસ ને આગળ ધપાવતા પડોળી -૧ તાલુકા પંચાયત સભ્યશ્રી ચાંદનીબેન બિજેશકુમાર પટેલ ની ૧૫મુ નાણાંપચ તાલુકા કક્ષા ની ગ્રાન્ટ માંથી પડોળી ગામ પસંગ માટે પાણીની ટેનકર (૨-નંગ )પડેળી ગામના વિકાસ માં એક નવું મોરપીંછ ઉમેરવા જય રહ્યું છે ત્યારે સૌને સાથે રાખી ગામમાં જે પાણીની ટેનકર નીસમસ્યા હતી. જેનું નિરાકરણ કરવા માટે નવીન પાણીની ટેનકર પંડોળી ગામ મા સોપવામા આવી આ પ્રસંગે પેટલાદ તાલુકા પંચાયત સભ્ય ચાંદનીબેન બિજેશકુમાર પટેલ ,સરપંચ નીશાબેન સોલકી ઉપ સરપંચશ્રી રિતેષભાઈ પટેલ તલાટી સાહેબ પારસભાઈ વાવવાળી માતાજી ના પૂજારી જાનીભાઈ પૂવ સંરપચ જગદીશભાઈ સોલકી અને ભાજપ પેટલાદ તાલુકા સંગઠન મહામંત્રી નવિનભાઈ ગોહેલ , આણંદ જીલલા પોલીસ સહલાકાર સમિતિ સભ્ય બિજેશ ભાઈ પટેલ (નાનીભાઈ) પંચાયત સભ્ય જતિનભાઈ જોશી ,ભરતભાઈ સોલકી ધિરેનભાઈપટેલ ,દપેનભાઈ પટેલ ,અનિલભાઈ પટેલ માધવભાઈ સોલકી ફાતેસિહ ગોહેલ શનાભાઈ પટેલ ભાજપ કાયઁકરતા ગામના યુવાનો, વડીલો ખુબ મોટી સંખ્યામાં હાજરી આપી....
#નડિયાદ #ખેડા #ચરોતર #આંણદ # garvianand
ક્ષત્રિય સેના આણંદ જિલ્લા આયોજિત હિંદુ હ્રદય સમ્રાટ વીર મહારાણા પ્રતાપ જી ની પ્રતિમા નું અનાવરણ ૯ મી મે ના રોજ આણંદ ના મહારાણા પ્રતાપ ચોક, લોટેશ્વર ભાગોળ ખાતે કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત ગઈકાલે ડાકોર થી શોભાયાત્રા નો પ્રારંભ થયો હતો ત્યારે આણંદ લોકસભા ના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ દ્વારા ચિખોદરા ખાતે આ શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું.
#નડિયાદ #ખેડા #ચરોતર #આંણદ # garvianand
આજરોજ વૈશાખ સુદ બીજ ના દિવસે ફાગણી ગામમાં રામદેવપીર મહારાજનું મંદિર આવેલું છે ત્યારે શ્રદ્ધાળુઓ આ દિવસે દર્શન કરવા માટે પધારે છે તેમજ ભાટીયેલ થી ફાગણી પગપાળા સંઘ લઈને આવે છે અને ધજા ચડાવવાનો લાવો લે છે તેમજ જય બાબારી જય રામદેવપીર ના નાદ સાથે લોકો ઉમંગ ઉત્સાહથી અહિ પધારે છે તેમજ દર્શનનો લાભ લે છે....
શ્રીમતી એસ.આઈ પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન પેટલાદ ખાતે કાર્યકારી આચાર્ય નયનાબેન ટી શુક્લા ની પ્રેરણાથી સંસ્થાના અધ્યાપક ડો કામેન્દુ ઠાકર દ્વારા આજરોજ ટી.એલ.એમ વર્કશોપનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સીમ જોષીપુરા શાળા ના શિક્ષિકા બેન શ્રી નિકિતા બેન પટેલ દ્વારા તાલીમાર્થી ઓને વેસ્ટ સામગ્રી માં થી જુદા જુદા શૈક્ષણિક સાધન સામગ્રી બનાવતા શીખવાડ્યું હતું અને જાતે તાલીમાર્થી ઓ એ આ વર્કશોપ થકી શૈક્ષણિક સાધન સામગ્રીઓ તૈયાર કરી હતી. જેમાં તાલીમાર્થીઓ એ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે સંસ્થાની સેમ 2 ની તાલીમાર્થી શ્રદ્ધા અને રોમિતા બેન દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારબાદ નિકીતાબેન પટેલનું પુષ્પગુચ્છથી સ્વાગત સંસ્થાના સિનિયર પ્રધ્યાપક ડો. વાય આર પરમાર સાહેબ કર્યું હતું . નિકીતાબેન પટેલને સ્મૃતિ ભેટ અર્પણ સંસ્થાના કાર્યકરી દ્વારા કરવામાં આવ્યું હતું અને આભારવિધિ તાલીમાર્થી તહેશીન દ્વારા કરવામાં આવી હતી . આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવવામાં તમામ અધ્યાપકશ્રી ઓ ને આભારી છે તેમજ આ કાર્યક્રમ થકી તાલીમાર્થી ઓ માં એક નવો સર્જનાત્મક ઉમંગ ને વેગ મળ્યો હોય તેવી અનુભૂતિ તાલીમાર્થી ઓ અનુભવી હતી.
પેટલાદ ખાતે શ્રી વલ્લભ ચાર્ય
મહા પ્રભુ જી પ્રાગટ્ય મહોત્સવ યોજાયો....
શોભા યાત્રા માં મોટી સંખ્યા માં લોકો એ અભી વાદન કર્યું
હતું,,,,,
પ્રાપ્ત માહિતી અનુસાર તા 26/4/22ના રોજ શ્રી વલ્લભ ચાર્ય મહા પ્રભુ જી નો
પ્રાગટ્ય મહોત્સવ નું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં
આવ્યું હતું તુતીય ગૃહ કાંકરોલી યુવરાજ પ. પૂજ્ય
108વાગીશ કુમાર જી મહોદય શ્રી ની આજ્ઞા અને
આશીર્વાદ થી રાજ કુમાર પ. પૂજ્ય શ્રી વેદાંત કુમાર જી ની
પ્રેરક ઉપસ્થિત માં કાર્યક્રમ તૅમજ ભવ્ય શોભા યાત્રા યોજાઈ હતી અને પરમ પૂજ્ય વેદાંત કુમાર જી દ્વારા ઉપસ્થિત વૈષ્ણ્વ સમાજ ના
ભાઈ ઓ તૅમજ બેહનો ને આશીર્વાદ પાઠવ્યા હતા શોભા યાત્રા ધોળી કુઇ થી સાંજે 4=30વાગે નીકળી હતી ત્યાર બાદ ચાવડી બઝાર થઈ ગાંધી ચોક થઈ હનુમાન ફળિયા પાસે આવેલ સાત સ્વરૂપ ની હવેલી ખાતે શોભા યાત્રા ની પુર્ણાહુતી થઈ હતી
આ શોભા યાત્રા માં જલ્પા બેન, વિજ્ઞાત્રી બેન પટેલ વિજય ભાઈ શાહ, રીટાબેન શાહ, ઉમેશ ભાઈ શાહ, નયના બેન પટેલ, હેમન્ત પંડ્યા, સહીત મોટી સંખ્યા માં વૈષ્ણ્વ સમાજ ના ભાઈ બહેનો જોડાયા હતા,
*તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ના સ્ટાર મયુરભાઈ વાકાણી ઉર્ફે સુંદર મામા સાથે આણંદ જિલ્લા ભાજપા પ્રમુખશ્રી વિપુલભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત*.તેમની સાથે સોજીત્રા નગરપાલિકા પ્રમુખશ્રી રાજુભાઈ પટેલ,આણંદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રૂપલબેન પટેલ,પેટલાદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ગીતાબેન પટેલ,બોરસદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી આરતીબેન પટેલ,ઉમરેઠ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રમીલાબેન પટેલ,ખંભાત નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કામિનીબેન ગાંધી ઉપસ્થિત રહ્યા.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ,પેટલાદ ખાતે કૃષક ભારતી કોઓંપરેટીવ લીમીટેડ, ન્યુ દિલ્હી ધ્વારા પેટલાદ સહકારી પરિષદ યોજાઈ. આજ રોજ તા.૨૫/૦૪/૨૦૨૨ ને સોમવારના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ,પેટલાદ ખાતે કૃભકો ન્યુ દિલ્હી ઘ્વારા કૃભકોના ડીરેક્ટરશ્રી પરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાનેથી તેમજ હાલમાં જ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકમાં ડીરેક્ટર બનેલ સહકારી આગેવાન શ્રી તેજસભાઇ બીપીનભાઇ ૫ટેલના ઉદ્દઘાટક સ્થાને પેટલાદ સોજીત્રા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ,પેટલાદ અને કૃભકો ન્યુ દિલ્હીના સંયુક્ત ઉપક્રમે સહકારી પરિષદનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત સ્ટેટ કો-ઓંપરેટીવ ટોબેકો ફેડરેશનના ચેરમેનશ્રી સંદિ૫ભાઇ બીપીનભાઇ ૫ટેલ, કે.ડી.સી.સી બેન્કના ડીરેકટરશ્રી ભરતભાઈ રમણભાઈ પટેલ, પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઇ મગનભાઇ ૫ટેલ, એ.પી.એમ.સી,પેટલાદના વાઈસ ચેરમેનશ્રી રમેશભાઇ વલ્લવભાઇ ૫ટેલ તેમજ કૃભકોના શ્રી લલીતભાઇ ૫ટેલ, દિવ્યેશભાઈ આ ઉપરાંત પેટલાદ અને સોજીત્રા તાલુકાના સહકારી આગેવાનોની હાજરીમાં સહકારી પરિસદનું આયોજન કરાયું.
આ સહકારી ૫રિષદ માં તેજસભાઇ ૫ટેલ તથા પરેશભાઈ પટેલ ઘ્વારા રાસાયણીક ખાતર વ૫રાસ અંગે ઉંડાણ પુર્વક માહિતિ આ૫વામાં આવી અને ખેડુતોને રાસાયણીક ખાતરનો ઓછો ઉ૫ગોય કરવા અપીલ કરવામાં આવી તેમા જણાવ્યુ કે સરકારને વિદેશો માંથી યુરીયાની આયાત કરવી ૫ડે છે. અને એક યુરીયા બેગ આશરે રૂા.૪૩૦૦ માં સરકારશ્રી ને ૫ડે છે. અને તે ખેડુતો ને ફકત રૂા.૨૬૫/- થી ૨૮૦/- રૂ/- માં આ૫વામાં આવે છે. એક સીજનમાં એક વીઘામાં ફકત બે થેલી જ યુરીઆ નો ઉ૫યોગ કરવો આથી વિશેશ વપરાસ કરવામાં આવે તો તે યુરીય વ્યર્થ જાય છે. અને આ૫ણા દેશનું વીદેશી હુંડીયામણનો વ્યય થાય છે. અને ખેતી માં જરૂરીયાત મુજબના તમામ ખાતરો જેવા કે સલ્ફેટ પોટાસ ડી.એ.પી જેવા ખાતરોનો નો જરૂરીયાત મુજબનો ઉ૫યોગ કરવો જેથી ખેત ખર્ચમાં ઘટાડો થાય અને ઉત્પાદન વઘુ સારૂ મળે ઉદાહરણ તરીકે એક વીઘા તમાકુમાં જો ૧૦ થેલી ખાતર વા૫રમાં આવે તો તેનો ભાવ આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે રૂા.૪૫૦૦૦/- જેટલો થાય છે. જેથી આ૫ણા અને સરકારશ્રી ના ખોટા નાણાનો વ્યય થાય છે. અને રાષ્ટ્રને નુકશાન થાય છે. આવી ખુબ સરસ વાત ખેડુતો સુઘી ૫હોચાડવામાં આવી અને સહકાર થી સમૃઘ્ઘી સુઘી તે વિષય વળગી રહી ખેડુતો ૫ગભર થાય સેનદ્રીય ખાતર નો વઘુ ઉ૫યોગ કરી જમીનને થતુ નુકશાન અટકાવી વઘુ સારૂ ઉત્પાદન મેળવી શકાય છે. તે વિષય ખેડુતોને માહિતગાર કરવામાં આવ્યા અને પાક પ્રમાણે ખાતરનો જરૂર પુરતો વપારસ કરવા માટે અપીલ કરવામાં આવી તેમજ આ સહકારી પરિષદમાં તેજસભાઇ એ જણાવ્યુકે નાબાર્ડ ધ્વારા તમામ સંભવિત PACS ને મલ્ટી સર્વિસ સેન્ટર્સ (MSCs) તરીકે વિકસાવવા તેમજ ગુણવત્તાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા, PACS ને ટેકો આપવા માટે થતી સહાયથી સંસ્થા કેવી રીતે મજબુત બને તેની પણ ચર્ચા કરવામાં આવી.
તેમજ સેન્દ્રીય ખાતર ઘ્વારા ઓર્ગેનીક ખેતી કરી અને તેનાથી ઉત્પન્ન થયેલ ઓર્ગેનીક ખેત પેદાશનું મુલ્ય વર્ઘન કરી તેને વિવિઘ પ્રાઇવેટ કં૫નીઓ સાથે જોડાણ કરી વિશ્વભરમાં નિકાસ કરવાનું આયોજન કરેલ છે. જેના થી સ્વચ્છ ભારત અભિયાનમાં મદદરૂ૫ થઇ શકાય અને તેનાથી ગામડામાં રોજગારીનું પ્રમાણ વઘશે અને ગામડાઓ સ્વચ્છ બનશે પર્યાવરણને નુકશાન થતુ અટકશે. તથા આ પાઇલોટ પ્રોજેકટ ગુજરાત ફાર્મસ પ્રોડયુસ ઓર્ગેનાઇઝેસનના માઘ્યમથી ૫હેલા આણંદ જીલ્લા માં થશે તથા ત્યાર બાદ રાજયના વિવિઘ જીલ્લાઓ આ પ્રોજેકટ કરવામાં આવશે.તેમજ કૃભકો ઘ્વારા લીકવીડ NPK બેકટેરીયા તથા કમ્પોસ્ટ ખાતર લોન્ચ કર્યું જેના ફાયદાઓની પણ ચર્ચા કરવામાં આવી. તેમજ વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ઘ્વારા સહકારી સંસ્થાઓ માટે રૂા.૧ લાખ કરોડ એગ્રીકલ્ચર ફંડ મંડળીઓં કેવી રીતે ઉપયોગ કરી આર્થિક રીતે સંસ્થાને મજબુત બનાવી શકે તેની પણ ચર્ચા કરવામાં આવી.
#કન્યાદાન_શ્રેષ્ઠદાન
સમસ્ત પાડગોલ ગામ અને આણંદ જીલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી પ્રદિપભાઇ પટેલ દ્વારા પાડગોલ ગામે શ્રી વહાણવટી ડોસલા માતાજીના આંગણે ક્ષત્રિય સમાજના સમુહલગ્નોત્સવ નું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગામના દરેક સમાજના લોકોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખુબ જ સાથ અને સહકાર આપ્યો હતો.આ પ્રસંગે ગામના આગેવાનો દ્વારા મુખ્ય દાતાશ્રી પ્રદિપભાઇ પટેલ અને તેમના પિતાશ્રી જયંતિભાઈ પટેલ નું ખુબ જ ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગ ના મારા અનુભવથી કહી શકું કે પાડગોલ ગામ એ સામાજીક સમરસતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સમુહલગ્નોત્સવના સફળ આયોજન બદલ ગામના સરપંચ શ્રીમતી તારાબેન સોલંકી, પેટલાદ નાયબ મામલતદાર જીતુભાઇ સોલંકી અને તેમની ટીમ, ભાનુભાઈ સોલંકી, ડેપ્યુટી સરપંચ ડોસલભાઈ સોલંકી તથા સર્વે ગ્રામજનોને નતમસ્તક વંદન અને અભિનંદન.
સૂર્ય ભુવન વ્યાયામ પ્રચારક મંડલ પેટલાદ અંતર્ગત મહિલા જીમ ખુલ્લું મુકાયું. પેટલાદ ખાતે સુર્ય ભુવન વ્યાયામ પ્રચારક મંડલ સચાલીત મહિલા જીમ અને કસરત કરવા અલગ રૂમ બનાવી જેમાં કસરત સાથે જીમ અને યોગા પ્રવુતિ સામેલ કરાઈ. આ ઉદ્ગગાટન પ્રસંગે સમારંભ પ્રમુખ શ્રી અશોકભાઈ એમ પટેલ સાથે અતિથિ વિશેષ શ્રીમતી નીતાબેન અશોકભાઈ પટેલ અમેરિકા નિવાસી અને મહેમાનશ્રી તરીકે શ્રી હરેનભાઈ એમ પટેલ (ગાંધીનગર) પધારી સેવાકીય પ્રવૃત્તિ ની લાક્ષણિક્તા અને જરૂરિયાત અને આ વ્યાયામ શાળા ની જૂની યાદો તાજી કરી સમરણો વિશે વાતો કરી. શરૂઆત પધારેલ મહેમાનો નુ પુષ્પગુચ્છ થી સ્વાગત કાર્યકર્તાઓ દ્વારા કરાયું અને શ્રીમતી નીતાબેન એ પટેલ ના હસ્તે મહિલા જીમનું રીબીન કાપી ખુલ્લું મુકાયું . આ પ્રસંગે અશોકભાઈ, હિરેનભાઈ એ આ પ્રવુતિ અને તેને ઉભુ કરવામાં જે લોકોએ સહકાર આપ્યો તે સૌને અભિનંદન પાઠવ્યા.. અને સેવા આપનાર આત્મારામ, બિંદેશભાઈ, પરેશભાઈ, મયુરભાઈ સૌને અભિનંદન પાઠવ્યા.. અને આભાર વિધિ શેઠ વ્રજેશભાઈ પરીખ આ પ્રવુતિ સાથે જોડાયેલ નામી અનામી સૌનો આભાર વ્યક્ત કરી હજુ આગળના વર્ષોમાં વિશેષ પ્રગતિ થશે તેની ખાત્રી આપી હતી. સાથે નગર પાલિકા પ્રમુખ અને ચૂંટાયેલા સભ્યો હાજર રહી કાર્યક્રમ ને દીપાવ્યો હતો..
*ગુજરાત પ્રદેશ બુથ સમિતી ઇન્ચાર્જ મુકેશભાઈ ગુજરાતી તથા જિલ્લા પ્રભારીશ્રી અમિતભાઈ ઠાકરની અધ્યક્ષતામાં અને આણંદ જિલ્લા ભાજપા પ્રમુખશ્રી વિપુલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતીમાં આણંદ જિલ્લા ભાજપા કાર્યાલય “શ્રી કમલમ્” ખાતે પેજ સમિતિ અને આગામી આવનાર કાર્યક્રમ અંતર્ગત વિશિષ્ટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું*.આ બેઠકમાં જિલ્લા મહામંત્રીશ્રી નિરવભાઈ અમીન,શ્રી મયુરભાઈ સુથાર,ખંભાતના ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલ,પૂર્વ રાજ્યસભા સાંસદશ્રી લાલસિંહ વડોદિયા,પૂર્વ પ્રમુખશ્રી મહેશભાઈ પટેલ,મંડળના પ્રમુખશ્રી,મહામંત્રીશ્રી,પ્રભારીશ્રી,હોદેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં.
પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એસ. આઈ. પટેલ ઇપ્કોવાલા કોલેજ ઓફ એજ્યુકેશન, પેટલાદમાં સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી પ્રસંગે સ્વ. પ્રો. જે. જી. ચૌહાણ સ્મૃતિ વ્યાખ્યાનમાં વકતાશ્રી સુનિલભાઈ એસ. મહેતા સાહેબ દ્વારા ''ભારત કો માનો, ભારત કો જાનો, ભારત કે બનો, ભારત કો બનાઓ'' વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું .જેમાં સમારંભના અધ્યક્ષ તરીકે પ્રો. (ડૉ.) દિલીપ જે. ચૌહાણ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.સાથે સાથે આમંત્રિત મહેમાનો તરીકે ભગિની સંસ્થાના આચાર્યશ્રી ડો. વિમલભાઈ જોશી, પૂર્વ તાલીમાર્થી મંડળના પ્રમુખશ્રી કેતનભાઈ ગાંધી, જીલ્લા ભાજપ મંત્રીશ્રી ધર્મેન્દ્રભાઈ મિસ્ત્રી (ભૂરાભાઈ), ધર્મેન્દ્રભાઈ રાઠોડ ,શ્રી વિનોદભાઈ ભાટીયા, હસમુખભાઈ મિસ્ત્રી, મયુરભાઈ દવે ઉપસ્થિત રહયા હતા. પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી વ્રજેશભાઈ સાહેબ તથા તથા વ્યવસ્થાપક સમિતિના અધ્યક્ષ શ્રી ડો. પ્રો. મહેશચંદ્ર કે. યાજ્ઞિક સાહેબ તેમજ આસપાસના આચાર્યશ્રીઓએ કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના પ્રાધ્યાપક ડૉ. કામેંદુ ઠાકર દ્વારા લેખિત અને દિગ્દર્શિત અભિનય નાટીકા તાલીમાર્થીઓ દ્વારા રજું કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને ઉદઘોષક તરીકેની ભૂમિકા ડૉ.શ્વેતા ચૌહાણ દ્વારા કરવામાં આવેલ હતી.
પેટલાદ કોલેજમાં Add-on-Course નો ઉદ્ધાટન સમારંભ યોજાયો પેટલાદ એજયુકેશન ટ્રસ્ટ સંચાલન આર. કે. પરીખ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે કમ્પ્યુટર વિભાગમાં બી. એસ . સી . કમ્પ્યુટર સાયન્સ ના વિધાર્થીઓ માટે Add-on-Course ઉદ્ધાટન સમારંભ તા: 20/04/2022 નાં દીને યોજવવામાં આવ્યો હતો. આ ઉદ્ધાટન સમારંભમાં કોલેજ નાં આચાર્ય ડૉ . વિમલ જોશી સર , ભૌતિકશાસ્ત્ર વિભાગ નાં અધ્યક્ષ અને Add-on-Course નાં કો-ઓડીનેટર પ્રો. કલ્પેશભાઈ ત્રિવેદી સર અને કમ્પ્યુટર વિભાગના H.O.D ડૉ. ઉદય વ્યાસસર દ્રારા દીપ પ્રગટય અને
વિધાર્થીઓ ની કારકિર્દી માટેની શુભેરછાઓ આપી હતી. બી. એસ . સી . કમ્પ્યુટર સાયન્સ ના વિધાર્થી જીલ વ્યાસ દ્રારા શ્લોકગાન કરી સમારંભની શરૂઆત કરી હતી. સમગ્ર કાયક્રમનું સંચાલન કમ્પ્યુટર વિભાગનાં પ્રો. શ્રેયા દવેએ કર્યું હતું અને અંતમાં કમ્પ્યુટર વિભાગના H.O.D ડૉ. ઉદય વ્યાસસરે આભારવિધિ કરી હતી.
*આણંદ જિલ્લા પંચાયત સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનશ્રી પ્રદીપભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે આણંદ જિલ્લા ભાજપા પ્રમુખશ્રી વિપુલભાઈ પટેલે શુભેચ્છા પાઠવી*.
જિલ્લામાં કમોસમી વરસાદ ની હવામાન વિભાગ ની આગાહી.
પેટલાદ તાલુકા ના સીમરડા માતારીખ 17.4.2022 નાં રોજ સરકાર શ્રી નીસુજલામ સુફલામ્ યોજના અંતર્ગત સીમરડા ગામ રામસેટી ઉંડા કરવાની પરમિશન કલેકટર સાહેબ તથા ખાણ ખનીજ વિભાગ દ્વારા મેળવી ખાત મુહૂર્ત રાખેલ આ પ્રસંગે જિલ્લા પંચાયત બાદલ ભાઈ,પેટલાદ તાલુકાના પ્રમુખ કમલેશભાઈ, પેટલાદ તાલુકા મહામંત્રી અલ્પેશ ભાઈ ,પેટલાદ તાલુકા કારોબારી અધ્યક્ષ જીગ્નેશભાઈ, પેટલાદ તાલુકા કોષાધ્યક્ષ જીતુભાઈ,માજી સરપંચ હિતેશ ભાઈ સીમરડા ગામ ના સરપંચ તથા ડે.સરપંચ , સભ્યો હાજર રહ્યા.
આવતીકાલે ચૈત્રી પૂર્ણિમા પર ડાકોર ના ઠાકોરજીના દર્શન સમય🙏
Anand
Be the first to know and let us send you an email when Garvi Anand posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.
Send a message to Garvi Anand:
આણંદ જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર, ડીડી ન્યૂઝના રિપોર્ટર તેમજ અમારા માર્ગદર્શક એવા શ્રી લાલજીભાઈ પાનસૂરીયા ને ગુજરાત રાજય લલિતકલા અકાદમી દ્વારા લલિતકલા ગૌરવ પુરસ્કાર થી સન્માનીત કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન
આજ રોજ મહાવીર જયંતી ના પ્રસંગે જૈન સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી હતી તેમાં નાના-મોટા તેમજ વડીલો વીર વીર બોલો મહાવીર મહાવીર બોલો ના નાદ સાથે પેટલાદ ગામ ના લીમડી શેરી થી નીકળી ને ચાવડી બજાર ગાંધી ચોક હનુમાન ફળિયા થઈ નારીયા પાડા વિસ્તારમાં પૂર્ણ થશે. તેમજ ભક્તિમય વાતાવરણ સાથે નાચતા કૂદતા મહાવીર જયંતીની ઊજવણી કરવામાં આવી હતી...