Gujju Jokes

Gujju Jokes Cool

28/11/2025
સિનેમા જગતના 'હી-મેન' ધર્મેન્દ્રનું  89 વર્ષની વયે નિધન, ઘણા લાંબા સમયથી હતા બીમાર.ૐ શાંતિ 🙏🙏
25/11/2025

સિનેમા જગતના 'હી-મેન' ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન,
ઘણા લાંબા સમયથી હતા બીમાર.
ૐ શાંતિ 🙏🙏

SIR ની કામગીરીથી કંટાળી શિક્ષકે આપઘાત કર્યો.ઉપરી અધિકારીઓ દ્વારા થતું આવું ટોર્ચર તથા કોઈપણ ભોગે ટાર્ગેટ મુજબ કામ કરવાનુ...
21/11/2025

SIR ની કામગીરીથી કંટાળી શિક્ષકે આપઘાત કર્યો.

ઉપરી અધિકારીઓ દ્વારા થતું આવું ટોર્ચર તથા કોઈપણ ભોગે ટાર્ગેટ મુજબ કામ કરવાનું દબાણ કેટલું યોગ્ય છે ???

20/11/2025

સ્કૂલમાં છોકરાઓ શિક્ષકને શોધે છે અને,
શિક્ષકો મતદારોને ગામમાં શોધે છે અને,
મતદારો 2002 ની યાદીમાં (મા બાપ) ને શોધે છે, અને,
એ માં બાપ સહાયના ફોર્મ માટે ગ્રામપંચાયત ના vce ને શોધે છે , અને
VCE એના 2021 થી બાકી રહેલ કમિશન ને શોધે છે, અને
કમિશન આપનારી સરકાર આરામ થી પ્રેસ કોન્ફરન્સ માં VCE ને ₹12 ના લોલીપોપ ની ટીકડી આપી ને VCE અને ખેડૂતો વચ્ચે નું મનોરંજન દેખેછે.
*છેને નાનું એવું રાજકારણ😂*

“હું તો માત્ર રસ્તો બતાવીશ, કર્મ તો તારે જ કરવું પડશે.”આ સંવાદ ના દરેક અક્ષરે સફળતા આપી અંકિત સખિયા ની લાલો ફિલ્મ ને.......
20/11/2025

“હું તો માત્ર રસ્તો બતાવીશ, કર્મ તો તારે જ કરવું પડશે.”
આ સંવાદ ના દરેક અક્ષરે સફળતા આપી અંકિત સખિયા ની લાલો ફિલ્મ ને.....

ફિલ્મના ડિરેક્ટર અંકિત સખિયાની ગોંડલ નજીકના નાના ગામ મેતા ખંભાળિયાથી શરુ થયેલી આ સફર કોઈ સપનાથી ઓછી નથી. ફિલ્મ જોવા માટે 30-35 કિમી જવું પડતું, છતાં પણ ફિલ્મો માટેનો જજ્બો કદી ઓછો થયો નહીં. લોકો જ મજાક ઉડાવતા — “તું શું ફિલ્મ બનાવશે..?” — પણ એ મજાક જ અમારી એક દિવસ પ્રેરણામાં બદલાઈ ગઈ.

ધોરણ 8માં જ એડિટિંગની કળા શીખી લીધી, પણ કોલેજના દિવસોમાં સાથીઓનો સાથ જ છૂટી ગયો. છતાં, જીવનના દરેક અનુભવોને ફિલ્મોમાં રૂપાંતરિત કરવાની ઇચ્છા જીવંત રહી.

“લાલો” બનવાનો વિચાર ત્યારે આવ્યો જ્યારે ફંડિંગ ન મળ્યું — પરંતુ વિશ્વાસ અને હઠ જ તો સર્જનશીલતાનું બીજ છે. અને તે યુવા ડિરેક્ટરે એ સાબિત પણ કર્યું.

ફિલ્મના દરેક પાત્ર જીવંત છે — શ્રુહદ ગોસ્વામી ભગવાન કૃષ્ણ તરીકે શાંતિ અને કરુણાનો અહેસાસ કરાવે છે, જ્યારે કરણ જોશી “લાલો” તરીકે એક તૂટેલા પણ સત્યવાન માનવની ઝલક દેખાડે છે. રીવા રાચ્છ તુલસીના રૂપમાં અટલ સંવેદનાને જીવંત કરે છે.

અંકિત સખીયા કહે છે આ ફિલ્મ બહુ ઓછા બજેટમાં બની, નવા એક્ટરો સાથે બની અને ખૂબ ઓછા શૉ હતા.

ફિલ્મ ચાલી કારણ કે લોકો તેની માનવતા સાથે જોડાયા અને ધીમે ધીમે અમને વધુ સ્ક્રીન આપી. દરેક મુશ્કેલીએ અમને કહાનીમાં વિશ્વાસ રાખવાનું શીખવ્યું.

“લાલો” માત્ર ફિલ્મ નથી, એ છે સંઘર્ષથી સર્જન સુધીની સફર.

ગુજરાતી ફિલ્મ " લાલો "
10 ઓક્ટોબર ના રોજ રીલિઝ થયેલી આ ફિલ્મમાં જુનાગઢ અને આસપાસના દ્રશ્યો ખુબ જ સુંદર રીતે કંડારવામાં આવ્યા છે.

ઘણા સમય બાદ આવી ગુજરાતી ફિલ્મ જોઈ જેમાં હાસ્ય છે, દુઃખ છે, પ્રેમ છે, તિરસ્કાર છે અને ભગવાન પ્રત્યેનો ભાવ પણ છે.
થોડા બજેટમાં બનેલી આ ફિલ્મમાં કલાકારોએ દિલથી મહેનત કરી છે અને તે ખરેખર રંગ લાવી છે.

હિન્દી ફિલ્મોને પણ ટક્કર આપે તેવી ગુજરાતી ફિલ્મ બનાવી છે આ ગર્વની વાત છે!

અપણે સામાન્ય રીતે ભગવાન કૃષ્ણને વાંસળી વગાડતા અને ગોપીઓ સાથે રાસ રમતા જોયા છે,પરંતુ આ ફિલ્મ બતાવે છે કે ભગવાન કૃષ્ણ સામાન્ય માણસ બનીને પણ આપણી મદદે આવી શકે છે. સાચા હૃદયથી ભગવાનને યાદ કરો તો તેઓ કોઈને કોઈ સ્વરૂપે જરૂર આવશે એ જ આ ફિલ્મનો સુંદર સંદેશ છે.

અમારું મન સ્પર્શી ગયેલો એક દિવ્ય સંવાદ
“હું તો માત્ર રસ્તો બતાવીશ, કર્મ તો તારે જ કરવું પડશે.”

પરિવાર સાથે જોવાલાયક ફિલ્મ
તમે જોઈ કે નહીં...?

"જુનાગઢની ધરતી પર બનેલી ફિલ્મ ‘લાલો’
આજે ગુજરાતના સિનેમા જગતમાં એક ઇતિહાસ રચી રહી છે.

લાલો આપણા સંસ્કાર, શ્રમ અને ધરતીની સુગંધને જીવંત કરે છે.

ટીમ લાલો ને દિલથી અભિનંદન....
આ સિદ્ધિ ગુજરાત માટે ગૌરવની બાબત છે.

જય જય ગુજરાત... 🚩
જય જય ગરવી ગુજરાત....🇮🇳

20/11/2025

ત્રણ માસુમ જિંદગીને હોમી દેનાર હત્યારો ACF શૈલેષ ખાંભલા અન્ય મહિલાના પ્રેમમાં હોવાનો ખુલાસો,વનવિભાગમાં ફરજ બજાવતી મહિલા કર્મચારી સાથે ACF ને હતો પ્રેમ સંબંધ

પોલીસે તપાસ માટે મહિલાને બોલાવી વધુ તાપસમાં વિગતો મળશે

20/11/2025

ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના VCE ને છૂટા કરવાના વિવાદ બાદ. વીસીઈ ના સમર્થનમાં રાજકોટ જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ તથા સુલતાનપુર ગ્રામપંચાયત ના સભ્યો દ્વારા રાજીનામુ આપવામાં આવ્યું

17/11/2025

ચોંકાવનારો બનાવ.. બધાં ખેડૂત મિત્રો સાવચેત રહેવું
ધેડ વિસ્તાર ના મહેર જ્ઞાતિ ના ગામ નો બનાવ
ખેડૂત ને ત્યાં મહારાષ્ટ્ર ના નાંદુરગામ ના મજૂર મગફળી સમી કરવા આવ્યા હતા એમાં મજૂર કહે આજે બાંટવા ગુરુવારી ભરાઈ છે અમારે ખરીદી કરવા જવું છે એમ કહી ખેડૂત નું હોન્ડા લઇ ત્રણ જણા નીકળ્યા તેમા બાંટવા રોડ ડિઝલ રિક્ષા સામે અકસ્માત થયો એમાં એક મજૂર નું સ્થળ પર મૃત્યુ થયું અને બે મજૂર ને માણાવદર થી જુનાગઢ સિવિલ માં મોકલ્યા અને મને ફોન આવ્યો હું સિવિલ માં ગયો બંને ની સારવાર ચાલુ કરાવી અને આઈસીયુ માં રાખ્યા
જે મજૂર નું મૃત્યુ થયું તેને વતન માં ડેથ બોડી મોકલવા ખેડુતે પોતાના ૧૨૦૦૦ ના ખર્ચ ગાડી બાંધી મોકલ્યા પરંતુ ત્યાં પહોચી એ મજૂર બદલી ગયા ત્યાંના લોકો ને કહે એ લોકો એ અમને માર્યા એક મરી ગયો બે ઘાયલ છે ત્યાંની પોલીસ માં ફરિયાદ કરી અને જે ગાડી મીકવા ગઈ હતી તે ડ્રાઇવર ને માર માર્યો અને ગાડી ને નુકસાન કરી કાચ ફોડી નાખ્યા ત્યાંની લોકલ પોલીસ આવી એમાં જીવતો રહી ગયો અને ગાડી લઇ ને નીકળી ગયો અને બાદ માં મહારાષ્ટ્ર ની પોલીસ બાંટવા તપાસ માં આવી પરંતુ બાંટવા ની પોલીસ સારી હતી જે સ્થળ પર અકસ્માત થયો હતો ત્યાં લઇ ગઈ અને સત્ય હકીકત સમજાવી એટલે ગુનો ખેડૂત ઉપર લાગવા ન દીધો
જે બહાર ના મજૂર કામ કરવા માટે આવે એનો ભરોસો ન કરવો
આ એક ખેડૂત નો વાસ્તવિક અનુભવ છે...

Address


Alerts

Be the first to know and let us send you an email when Gujju Jokes posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Media Company?

Share