06/03/2026
“લગ્ન યોગ્ય ઉંમરે નહીં, યોગ્ય વ્યક્તિ સાથે થવા જરૂરી છે!”
દેખ ભાઈ, સમાજ કહે છે હવે ઉંમર થઈ ગઈ, લગ્ન કરી લે. પણ કોઈ નથી પૂછતું કે સામે વાળો સાચો છે કે નહીં. લગ્ન કોઈ દોડ નથી કે સમય આવે એટલે કરી લેવી.જેની સાથે જીવવું છે, એ આખું જીવન વ્યક્તિ સમજદાર, સાચી અને સાથે ઊભી રહે એવી હોવી જોઈએ. ફક્ત ઉંમર જોઈને કરેલા લગ્ન ઘણી વાર પસ્તાવાનું કારણ બને છે. પૈસા, દેખાવ કે દબાણ કરતાં વધારે મહત્વ સ્વભાવ, સમજણ અને વિશ્વાસનું છે. જે સુખમાં તો બધું કરે, પણ દુઃખમાં પણ સાથે ઊભો રહે...એ જ યોગ્ય વ્યક્તિ. થોડું મોડું થાય તો ચાલે, પણ ખોટી વ્યક્તિ સાથે વહેલું બંધાવું એ સમજદારી નથી.લગ્ન એટલે ફક્ત બંધન નહીં, સાથ છે. અને સાચો સાથ ત્યારે જ બને જ્યારે દિલ મેળ ખાતાં હોય. બાકી ઉંમર તો આંકડો છે, પણ જીવન તો લાગણીથી ચાલે છે.